Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 413
________________ ૩૯૬ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ આમ તત્વ હેતુનો ઉપન્યાસ કરીને, પટ અને કૂટ આદિનાં દૃષ્ટાન્ત આપીને વળી તે દૃષ્ટાન્તભૂત પટ કેમ બન્યો ? કૂટ કેમ બન્યું ? આમ પટ-કૂટાદિની ઉત્પત્તિ તથા તેના પ્રકારો વગેરેનું વર્ણન કરવા લાગી જાય તો વાદીને બોલવાની પ્રથમકક્ષા (પહેલીવાર) જ સમાપ્ત ન થાય. તેને લગતા જુદા જુદા વિષયોની વાતોમાં અને વાતોમાં ઉતરી જાય વાદીનું આ બોલવું જ અસ્થાને હોવાથી પૂર્ણ ન થાય તો પછી પ્રતિવાદીને બોલવાનો અવકાશ જ ક્યાં રહે ? તે માટે અનુમાનનાં સાધન-દૂષણને કહેવાને બદલે આવી વિષયાારની વાતોમાં ન ઉતરવું. આવી વાતોમાં ઉતરવાથી સભ્યોને ઉગ ઉત્પન્ન થવાનો અને પોતાને અપયશ મળવાનો ભય છે. માટે પરને બોધ કરવા જેટલું જરૂરી હોય તેટલું જ બોલવું. અધિક ન બોલવું અને સભાસદોને નિરસતા થાય તેવું વર્તન ન કરવું. આ જ વાત ટીકાકારશ્રી જણાવે છે किञ्च, परप्रतिपत्तये वचनमुच्चार्यत इति यावदेव परेणाऽऽकाङ्क्षितम् , तावदेव युक्तं वक्तुम् । लोकेऽपि वादिनो: करणावतीर्णयोरेकः स्वकीयकुलादिवर्णनां कुर्वाण: पराक्रियते, प्रकृतानुगतमेवोच्यतामिति चानुशिष्यते ॥ | વિવેચન– વળી જે કોઈ વચન બોલવામાં આવે છે તે પરને સમજાવવા માટે જ બોલવાનું હોય છે માટે જ્યાં સુધી સાંભળનારા એવા પર જીવો સાંભળવાની અપેક્ષા રાખે ત્યાં સુધી જ બોલવું ઉચિત છે. વાદસ્થાનમાં વાદ કરવા માટે ઉતરેલા વાદી અને પ્રતિવાદી, આ બન્નેમાંથી જો કોઈ એક પોતાનાં કુલ-જાતિ-વિદ્યા આદિનું વર્ણન કરવા ઉતરી જાય તો તેવું કરતા એવા તેને અટકાવાય છે. અને “પ્રસ્તુત પ્રસંગને અનુસરનારું જ કહો” એમ શિખામણ અપાય છે. માટે બીનજરૂરી અને અધિક વચનો વાદસ્થાનમાં બોલવાં નહીં. किं पुनस्तदवदातमिति चेत्, यस्मिन्नभिहिते न भवति मनागपि सचेतसां चेतसि क्लेशलेशः । एते हि महात्मानो निष्प्रतिमप्रतिभाप्रेयसी परिशीलनसुकुमारहृदया: स्वल्पेनाप्यर्थान्तरादि संकीर्तनेन प्रकृतार्थप्रतिपत्तौ विध्नायमानेन न नाम न क्लिश्यन्ति । “મવાર" એટલે નિર્દોષ વચન બોલવું. ત્યાં પ્રશ્ન થાય છે કે “અવદાત” કોને કહેવાય ? “અવદાત” એ શું છે ? તો જણાવે છે કે જે વચન બોલાયે છતે સચેતસ (સમજા-ડાહ્યા-બુદ્ધિશાળી અને સરળ) એવા શ્રોતાવર્ગના ચિત્તમાં અલ્પમાત્રાએ પણ ક્લેશ ન થાય, ઉગ ન થાય, કંટાળો અને અણગમો ન થવા પામે, તેટલું જ અને તેવું જ બોલવું, તેને અવદાતવચન કહેવાય છે. કારણકે આ સાંભળનારા સભ્યો (મહાત્માઓ) અનુપમ એવી જે પ્રતિભા છે. તે પ્રતિભારૂપી પ્રેયસીના પરિશીલનથી સુકોમળ હૃદયવાળા છે. તેથી પ્રસ્તુત અર્થ જણાવવામાં અત્યન્ત અલ્પમાત્રાએ પણ જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444