Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 421
________________ ૪૦૪ પરિચ્છેદ-૮ : સત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ પ્રશ્ન– અથ થા= જેમ સ્વાર્થનુમાન કરવામાં હેતુથી સાધ્ય જણાય છે. અને પ્રત્યક્ષાદિ પ્રમાણોથી હેતુનો બોધ થાય છે. છતાં તેમાં કંઈ અનવસ્થા દોષ આવતો નથી. તેમ પરાર્થાનુમાનમાં પણ હો. એટલે કે પર્વત પાસે જઈને ધૂમ દેખવાથી વહ્નિનું સ્વયં પોતે જ્યારે અનુમાન કરે છે. ત્યારે તેવા પ્રકારના સ્વાર્થાનુમાનમાં “વતિનું જ્ઞાન ધૂમથી થાય છે. અને ધૂમનું જ્ઞાન પ્રત્યક્ષાદિ પ્રમાણથી થાય છે” આમ બે જ્ઞાન થવા છતાં અનવસ્થા આવતી નથી. તેમ વાદી વાદ સભામાં જે અનુમાન રજુ કરે છે તે પ્રતિવાદી અને સભ્યોને સમજાવવા મૂકે છે. માટે તે પરાર્થનુમાન છે. તેમાં પણ સાધ્યની સિદ્ધિ ભલે વિવક્ષિત હેતુથી હો, પરંતુ તે હેતુ સાચો છે કે ખોટો છે ? તે વાત તો વાદીએ પ્રમાણાન્તરથી જણાવવી જ જોઇએ. આમ સાધ્યજ્ઞાન અને હેતુજ્ઞાન બે જ જણાવવાનાં રહે છે. ત્યાં અનવસ્થા કેમ આવે ? ઉત્તર- તર્દિ યથા= જેમ પર્વત પાસે જઈને વતિનો સ્વયં બોધ કરનારાને સ્વાર્થનુમાનમાં વહિને જણાવવા ધૂમ જાણવો પડે. પરંતુ ધૂમનું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. તે પ્રત્યક્ષાદિ કોઈ કોઈ જ્ઞાનો અભ્યાસદશા વાળાં હોતે છતે સ્વતઃ સિદ્ધ પ્રમાણતાવાળાં હોવાના કારણે તેના સામર્થ્યના પ્રદર્શનની અપેક્ષા રહેતી નથી. છતાં પણ પ્રત્યક્ષાદિથી જણાયેલ ધૂમહેતુ સાધ્યનો ગમક બને જ છે. તેમ પ્રથમ અનુમાનના હેતુનું સામર્થ્ય જણાવવા બીજો હેતુ કદાચ બતાવીએ, બીજા હેતુનું સામર્થ્ય જણાવવા કદાચ ત્રીજો હેતુ જણાવીએ તો પણ અંતે જઈને છેવટે કોઈ એક પરાર્થનુમાનને પણ તેવું જ અવશ્ય સ્વીકારવું પડે કે તેના હેતુનું સામર્થ્ય પ્રમાણાન્તરથી જણાવ્યા વિના જ સાધ્યનું ગમક બને. તો અનુમાનના હેતુનું સામર્થ્ય જણાવવું જ પડે આવો નિયમ તો ન જ રહ્યો. માટે વાદીએ હેતુનું સામર્થ્યપ્રદર્શન કરવું જ જોઈએ અને કંટકોદ્ધાર કરવો જ જોઈએ. આ નિયમ રહેતો નથી. ___अथ यत्रानभ्यासदशायां परतः प्रामाण्यसिद्धिः, तत्र तत्प्रर्दशनीयमेवेति चेत् , यदि न प्रदर्श्यते ? किं स्यात् ?। ननूक्तमेव-संदेहात् प्रारब्धासिद्धिः, इति चेत् तर्हि यथा सदपि सामर्थ्यमप्रदर्शितं न प्रतिवादिना प्रतीयते, तद्वत् संदेहोऽपि प्रतिवादिगतोऽप्रदर्शितः कथं वादिना प्रतीयेत ?। स्वबुद्ध्योत्प्रेक्ष्यत इति चेत्, इतरेणापि यदि तत्सामर्थ्यं स्वबुद्ध्यैवोत्प्रेक्ष्येत तदा किं खूणं स्यात् ? । अथ वादिनः साधनसमर्थनशक्तिं परीक्षितुं न तदुत्प्रेक्ष्यते, तर्हि प्रतिवादिनो दूषणशक्तिं परीक्षितुमितरेणापि न संदेहः स्वयमुत्प्रेक्ष्यते । अथ द्वितीयकक्षायां दूषणान्तरवत् संदेहमपि प्रदर्शयन् स्फोरयत्येव दूषणशक्तिं प्रतिवादी, इति चेत् तर्हि वाद्यपि तृतीयकक्षायां दूषणान्तरवत् संदेहमपि व्यपोहमानः किं न समर्थनशक्तिं व्यक्तीकरोति ?। किञ्च, केनचित् प्रकारेण Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444