Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 415
________________ ૩૯૮ પરિચ્છેદ-૮ સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ અવયવવાળું જ અનુમાન કહે તો તેને ન્યૂનતાનો દોષ લાગે, આમ પોતપોતાના દર્શનોમાં પોતપોતાના સિદ્ધાન્તની સિદ્ધિ માટે જેટલું બોલવાનું આવશ્યક કહ્યું હોય. તેમાંથી અર્ધ-પોણું બોલવું, પરંતુ પૂર્ણ ન બોલવું તે ન્યૂનતા દોષ જાણવો. (૩) ક્લિષ્ટતા દોષ – દુઃખે દુઃખે બોધ થાય તેવું સંબંધ વિનાનું બોલવું તે, જેમકે-“જે કૃતક હોય, આ શબ્દ કૃતક છે, જેમકે- ઘટ, તેથી અનિત્ય છે. તે તે અનિત્ય છે, કૃતક હોવાથી. શબ્દ અનિત્ય છે.” આવા પ્રકારનાં પરસ્પર વ્યવધાન યુક્ત સંબંધવાળાં વાક્યો બોલવાં કે જેથી શ્રોતાવર્ગને અર્થ સમજવામાં ક્લિષ્ટતા ઉત્પન્ન થાય. તે ક્લિષ્ટતાદોષ. (૪) નેયાર્થદોષ:- અતિશય ગૂઢ અર્થવાળું બોલવું તે, જેમકે–“દ્ધિઃ નિત્ય: જિત્વાન્ત" આ અનુમાનમાં જે “ધિત્વી'' હેતુ જણાવ્યો છે. તેમાં તો જો યતિ છે કકાર જેમાં તે દિન આવો અર્થ છે. તળ શબ્દમાં બે કકાર છે. આમ દિલ શબ્દથી વૃત શબ્દ લક્ષિત થાય છે. તેથી દિ–ાત્ પદનો અર્થ સ્વાત્ કરીને શબ્દને અનિત્ય જાણવો. આવો ગૂઢાર્થ કોઈક જ સમજી શકે, સર્વે સભાસદો ન સમજી શકે માટે આવું બોલવું તે નેયાર્થદોષ કહેવાય છે. (૫) વ્યાકરણ સંસ્કારહીન દોષ - સંસ્કૃત ભાષાના વ્યાકરણના જે જે નિયમો છે તેના સંસ્કાર રહિત અશુદ્ધ જે પ્રયોગો કરવામાં આવે તે વ્યાકરણ સંસ્કાર હન દોષ કહેવાય છે. જેમકે- “શબ્દો નિત્ય: તત્વમૈત્' રૂતિ આ વાક્યમાં તન્નત્વસ્પર્ આ પ્રયોગ અશુદ્ધ છે. કારણકે “મમ્" પ્રત્યય સર્વનામથી જ થાય છે. અને વૃક્તત્વ શબ્દ સર્વનામ નથી. (૬) અસમર્થ દોષઃ- જે શબ્દ, જે વિવક્ષિત અર્થ માટે બોલવો હોય, તે વિવક્ષિત અર્થ સમજાવવામાં જો તે શબ્દ સમર્થ ન હોય તો અસમર્થ દોષ લાગે છે જેમકે- “ નિત્ય: દ્રવ્યત્વત્' આ અનુમાનમાં કહેવાયેલો દ્રવ્યત્વર્િ હેતુ સાધ્યના અભાવમાં (આકાશાદિમાં) વર્તતો હોવાથી વ્યભિચારી છે. માટે સાધ્યને સાધી આપતો નથી. તેથી આવું બોલવું હોય કે “મર્થ હેતુઃ ન વસાધ્યમિક:” આ હેતુ પોતાના સાધ્યને સાધી શકતો નથી. પરંતુ બાદમાં ઉપરોક્ત વાક્ય બોલવાને બદલે ત્વરાદિના કારણે આ જ અર્થમાં મન સ્વસાધ્યયાતવા આ હેતુ પોતાના સાધ્યનો ઘાતક છે. આવું જો બોલાઈ જાય તો અસમર્થદોષ કહેવાય છે. કારણકે દન્ ધાતુ હિંસા અર્થવાળો હોવાથી ઘાતક એટલે હણનાર-નાશ કરનાર અર્થ થઈ શકે છે. પરંતુ મામ%-અબોધક અર્થ થઈ શક્તો નથી. સ્વસાધ્યનો અગમક (ન જણાવનાર) આવો અર્થ આપણે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444