Book Title: Ratnakaravatarika Part 3
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 410
________________ - ૩૯૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ तदितरस्याग्रवादेऽभिषेकः कार्यः । अथ वादिनस्तूष्णीम्भावादेव पराजितत्वेन कथापरिसमाप्तेः किमितरस्याग्रवादाभिषेकेण ?, इति चेत् । स्यादेतत् , यदि प्रतिवादिनोऽपि पक्षो न भवेत् , सति तु तस्मिन् वादीव तमसमर्थयमानोऽसौ न जयति, नापि जीयते, प्रौढिप्रदर्शनार्थं तु तद्गृहीतमुक्तमग्रवादमङ्गीकुर्वाणः श्लाध्यो भवेत् । उभावप्यनङ्गीकुर्वाणौ तु भङ्गयन्तरेण वादमेव निराकुरुत इति तयोः सभ्यैः सभाबहिर्भाव एवाऽऽदेष्टव्यः ॥ વિવેચન– વાદ શરૂ કરતાં પહેલાં વાદી ઘણા આડંબરવાળો હોય અને ઘણી બડાઈ પણ મારતો હોય, પરંતુ વાદ કરવા માટે વાદ સભામાં જ્યારે પ્રવેશ કરે ત્યારે સભા ક્ષોભ આદિ કોઇપણ કારણથી આ વાદી પહેલાં બોલવાને જો અશક્ત બને તો તેના પ્રત્યે જરા પણ મત્સરભાવ સભ્યોએ લાવવો નહીં. કારણકે “દૂર કર્યા છે સમસ્ત મત્સરના વિકારો જેઓએ” તેવા આ સભાસદો છે. તેથી તેવા નિર્વિકારી સભાસદો વડે વાદી અને પ્રતિવાદી એમ બન્નેમાં પોતાને માન્ય એવી વસ્તુનું વ્યવસ્થાપન કરવાની અને પરપક્ષમાં દૂષણ આપવાની શક્તિ કેટલી છે ? તે જાણવા માટે (જ્યારે વાદી કંઈ બોલતા નથી ત્યારે) તુરત જ તેનાથી ઇતર એવી વ્યક્તિનો (પ્રતિવાદીનો) અગ્રવાદમાં=એટલે કે પૂર્વપક્ષ કરવામાં અભિષેક કરવો જોઇએ. બીજી વ્યકિતને વાદી તરીકે નીમવો જોઇએ. પ્રશ્ન- વાદ સભામાં પ્રવેશ કરીને જ જો વાદી સભાક્ષોભાદિના કારણે મૌનભાવ રાખે, કંઈ બોલે જ નહીં તો તેના મનભાવથી જ તે હારી ગયો કહેવાય, અને બેમાંથી એક હારે એટલે વાદ સમાપ્ત જ થઈ જાય, તો ઇતર વ્યકિતને અગ્રવાદનો અભિષેક કરવાની શી જરૂર ? - ઉત્તર- તમારો આ પ્રશ્ન તો સાચો કહેવાય કે જો પ્રતિવાદીને પણ કોઈ પક્ષ ન હોય તો. પરંતુ સામે પ્રતિવાદીને પોતાનો તેવો પક્ષ હોતે છતે પોતાના તે પક્ષનું સમર્થન ન કરે તો આ પ્રતિવાદી જય પામેલો ગણાતો નથી. તેમજ વાદી વડે જિતાયેલો પણ ગણાતો નથી. પરંતુ પોતાની પ્રૌઢતા જણાવવા માટે તે વાદી વડે પ્રથમ ગ્રહણ કરીને ત્યજાયેલા અગ્રવાદને જો આ પ્રતિવાદી અંગીકાર કરે તો તે પ્રતિવાદી વધારે પ્રશંસનીય બને છે. માટે વાદી ન બોલે તો પ્રતિવાદીએ પોતાના પક્ષની સિદ્ધિ માટે પ્રથમવાદ શરૂ કરવો જોઇએ. હવે સભા ક્ષોભાદિના કારણે વાદી કે પ્રતિવાદી એમ બન્ને પણ વ્યક્તિઓ જો અગ્રવાદને અંગીકાર ન કરે તો બીજી રીતે વિચારીએ તો વાદ જ બંધ થઈ ગયો ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444