________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૯
(૬) સભ્યો તત્ત્વને જાણતા હોય, છતાં પણ વાદી ઉપર અથવા પ્રતિવાદી ઉપર પક્ષપાત હોય તો તેના કારણે વિપરીત ગુણ-દોષ પણ જણાવે. આવું ન બને એમ સમજીને સભ્યોનું “માધ્યસ્થ્ય” આવું છઠ્ઠું વિશેષણ કહ્યું છે.
આવા પ્રકારના છ ગુણોથી સંયુક્ત ઉભયને માન્ય, અહીં (૩Æ શબ્દથી) પ્રકરણ જેનું ચાલે છે. તે વાદી અને પ્રતિવાદી એમ બન્નેને માન્ય એવા ‘‘સભ્યા: '' સભ્યો આવા પ્રકારનું મૂલ સૂત્રમાં જે બહુવચન કર્યું છે. તેનાથી વાદમાં આ સભ્યો ઘણું કરીને ત્રણ-ચાર વગેરે (૩-૪-૫-૬-૭-૮ ઇત્યાદિ) હોવા જોઇએ. આમ જણાવવા માટે બહુવચન કરેલ છે. જ્યારે કોઇ કાલે કોઇ ક્ષેત્રે ત્રણ-ચાર આદિ સભ્યો ન જ મળી શકતા હોય તો બે અથવા છેવટે એક સભ્ય પણ અવશ્ય $291. 116-9611
वादिप्रतिवादिनोर्यथायोगं वादस्थानककथाविशेषाङ्गीकारणाऽग्रवादोत्तरवादनिर्देशः, साधकबाधकोक्तिगुणदोषावधारणम्, यथावसरं तत्त्वप्रकाशनेन कथाविरमणम्, यथासम्भवं सभायां થાન થનું વૈષાં માંગિ ૫૮-૬૧॥
સૂત્રાર્થ- વાદી અને પ્રતિવાદીને- (૧) વાદનું સ્થાન નક્કી કરવું, (ક્યા વિષય ઉપર વાદ કરવો ? તે વિષયનો નિર્ણય કરવો. (ર) કથાવિશેષનું અંગીકાર કરાવવું. (એટલે કે વાદનો પ્રારંભ કરાવવો). (૩) અગ્રવાદ અને ઉત્તરવાદનો નિર્દેશ કરવો, (એટલે કે પ્રથમ કોણે વાદ શરૂ કરવો અને કોણે સામે પ્રત્યુત્તર આપવો, તેનો નિર્દેશ કરવો. (૪) વાદી અથવા પ્રતિવાદી વડે સાધક પ્રમાણો અને બાધક પ્રમાણો કહેવાયે છતે તેમાં અનુક્રમે ગુણ અને દોષોને બરાબર જાણવા. (૫) વચ્ચે વચ્ચે જ્યારે અવસર આવે ત્યારે (એટલે વાદી કે પ્રતિવાદી અથવા બન્ને મૂલભૂત ચર્ચાનો ત્યાગ કરી વિષયાન્તરમાં જતા હોય અથવા ખોટો સમય માત્ર વીતાવતા હોય, અને આવા કારણે બોલવું જ પડે તેમ હોય ત્યારે) તત્ત્વને પ્રકાશિત કરવા દ્વારા વાદ સમાપ્ત કરવો. તથા (૬) સભામાં યથાયોગ્ય (નિષ્પક્ષપાત ભાવે જે ઉચિત લાગે તે પ્રમાણે) જય-પરાજયની ઘોષણા કરવા રૂપ વાદના ફળનું કથન કરવું. આ છ કાર્યો આ સભ્યોનાં છે. II૮-૧૯લા
૩૮૭
,
Jain Education International
यत्र स्वयमस्वीकृतप्रतिनियतवादस्थानको वादिप्रतिवादिनौ समुपतिष्ठेते, तत्र सभ्यास्तौ प्रतिनियतं वादस्थानकं सर्वानुवादेन दूष्यानुवादेन वा, वर्गपरिहारेण वा
For Private & Personal Use Only
www.jainelibrary.org