Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 10
________________ લોકપર અવતરી આપણા જેવા શુદ્ર છ માટે ધર્મ સંસ્થાપના કરી. શ્રી કૃષ્ણ શ્રીમદ્ભાગવત ૧૦-૧૩-૩૭, માં કહ્યું છે કે – " मनुग्रहाय मत्तानां मानुषं देहमाश्रितः। मजते ताशीः क्रीडा याः श्रुत्वातत्परोमवत् ॥ ભકતો પર અનુગ્રહ કરવા માટે માણસનું શરીર ધારણ કરીને હું એવી કડા કરું છું કે જે સાંભળીને જીવ તે પરાયણ થાય.” “ સ્ત્રીઓની આવશ્યકતા. રાસક્રીડાનો વિષય વાંચતાં વાંચનારના મગજમાં એકદમ એ પ્રશ્ન ઉઠે છે કે શ્રી કૃષ્ણને મધુરભાવ પ્રસરાવવો હતો તેમાં ગોપીઓની સ્ત્રીઓની શી આવશ્યકતા હતી? ઋષિ-મુનિજનેએ દેહ શા માટે ધારણ કર્યા? હવે આપણે તે બાબત પર વિચાર કરીએ. વિકાસક્રમ માટે જીવને પુરૂષદેહ તેમ જ સ્ત્રીદેહ બને ધારણ કરવા પડે છે. જે ગુણે પુરૂષદેહે ખીલવાય તે ગુણે સ્ત્રીદેહે ન ખીલવી શકાય, તેવી જ રીતે જે ગુણે સ્ત્રીદેહે ખીલવાય તે ગુણે પુરૂષદેહે ન ખીલવી શકાય. પુરૂદેહે તેમજ સ્ત્રીઓ લિન્ન ભિન્ન પ્રકારના અનુભવે મળે છે, ભિન્ન ભિન્ન ગુણે ખીલવાય છે, અને ભિન્ન ભિન્ન દુર્ગણે ત્યજી દેવાય છે. જીવ પુરૂષદેહે પરાક્રમ, સાહસ, ખંત આદિ ગુણો ખીલવે છે અને સ્ત્રીદેહે દયા, મીઠાશ, સહનશીળતા, પ્રેમ આદિ ગુણે ખીલવે છે. પ્રેમરસ–પ્રીતિરસ-મધુરરસ માટે દેહની આવશ્યક્તા છે. સ્ત્રીના હૃદયમાં જેટલે અંશે પ્રીતિને ધ્વનિ ગાજી ઉઠે છે તેટલે અંશે પુરૂષના હૃદયમાં ગાજી ઉઠતા નથી. સી જેટલે અંશે પ્રેમાનુરક્ત બને છે, દયા બતાવે છે, મધુરરસ ચાખે છે અને ચખાડે છે તેટલે અંશે પુરૂષથી તે બાબતે બનતી નથી. ઘણેખરે ભાગે પુરૂષે શુષ્ક જ્ઞાનમાં તર્કવિતર્ક કરનારા છે, જ્યારે સ્ત્રીઓ ને સર્ગિક રીતે ધર્મપરાયણ છે. આધુનિક કાળમાં જે આર્યગ્રહોમાં શંખનાદ થતા હશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50