________________
શ
પ્રકારની ભાષાના ઉપયેાગ કરવામાં આવ્યા છે. આધુનિક કાળમાં માનવીએ એમ પ્રશ્ન કરશે કે આવી ભાષાના ઉપયાગ કરવા એ ડહાપણ ભરેલું છે કે નહિ ? પર ંતુ વસ્તુત: આટલી તા સત્ય બાબત છે કે પવિત્ર વિચારો ફેલાવવાના તેમજ સ્થૂળ આખતા ચર્ચવાને લેખકના ઉદ્દેશ જરાપણ નહાતા. સૂક્ષ્મ મમતાનું ચિત્ર સ્થૂળરૂપે દારવું એ કેટલુ બધુ મુશ્કેલ છે તે પ્રત્યેક કવિ, લેખક, ચિત્રકાર, શિલ્પશાસ્ત્રી, ગાયક અને તત્ત્વજ્ઞાની જાણતા હશે. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં સૂક્ષ્મ ચિત્ર પૂર્ણ રીતે ચિત્રી શકાતું નથી.
પૂજ્ય ધર્માચાર્યો ! મદિરાના પુજારીએ ! કુશળ લેખકે ! સારા પુરાણ વાંચનારાએ ! વ્યાખ્યાનકારા ! કથાકારા જનસમૂહને શ્રીકૃષ્ણના પવિત્ર-આદર્શ જીવનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવવું, સત્ય જ્ઞાનના દ્વાર ખુલ્લા કરવા, પ્રભુના માર્ગ પર પ્રકાશ નાંખવા, શુસ હૃદયસંગીત સુણાવવુ એ તમારૂ કા છે. એ પવિત્ર કાર્ય કરવાની પ્રભુએ આપને તક આપી છે તે તે શુભ તકના લાભ લઈ પ્રભુ અર્થે કાર્ય કરે છે! અને કરશે એ લેખકની નમ્ર વિન ંતિ છે, જીગરની પ્રાર્થના છે, અંત:કરણ પૂર્વક વિજ્ઞપ્તિ છે.
શ્રી કૃષ્ણ નામ પર વારી જનારાં રસીલા ! ભક્તજને ! સાધુએ ! સન્તા ! સાધ્વીએ ! સન્નારીએ ! વૈષ્ણવ નરનારીએ ! શ્રી સદ્ગુરૂદેવની અમર કૃપાથી, શ્રી કૃષ્ણચન્દ્વની દૈવી દયાથી, જ્યારે આપણે પ્રેમના માર્ગ પર ચડીએ ત્યારે આપણુામાં અભિમાન ન આવી જાય, અહંભાવ ન આવી જાય, અંતીમ પરીક્ષામાં નિષ્ફળ ન થવાય, તે માટે પરિપૂર્ણ બ્રહ્મને હું પ્રાર્થના કરૂ છુ, તથા શ્રી છગ્ગ રાણં મમ ના પવિત્ર મંત્ર જપતાં જપતાં અનેક માત્માએ કૃષ્ણ મય બની જાય એજ વિનંતિ કરૂ છું. ૐ ચાંતિઃ શાંતિઃ શાંતિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com