Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 43
________________ બીજા બધા ધર્મો મૂકી દેશધર્મની જરૂરિયાત વધારે હોય. પરંતુ આવા પ્રસંગે વચ્ચે યુવકે બીજાઓને પૂછવું ન જોઈએ કે હું શું કરું?” જે હૃદયમાંથી સાચી હાકલ પડી હશે, હદયને સાચે નાદ હશે, તો તે બીજાને પૂછવા નહિ જાય. જેમના સ્વભાવમાં શૌર્ય વ્યાપી રહ્યું હશે તેઓ અપવાદવાળે પંથે ગયા સિવાય રહેતા નથી. પરંતુ આવા સ્વભાવવાળા જે પંથ-માર્ગ-રાહ સ્વીકારે તે પોતાની જવાબદારી પર તે રાહ સ્વીકારે, તેઓને બીજાની સલાહની જરૂર રહેતી નથી. બીજાની સલાહ શોધતો સામાન્ય માનવી કદાચ શૂરવીરના પથ પર આવેગને વશ થઈ જાય છે, તે થોડા સમય બાદ તેને લાગે છે કે તે પંથ પર જવાથી તેની શક્તિ નથી અને તે પાછો પડે છે. પિતાની આંતશક્તિ, ઉત્સાહ, સંગ, વિવેકશક્તિ વિગેરેને વિચાર કર્યા વગર સાચી તુલના કર્યા સિવાયજે બીજે પંથે જાય છે, તે ચોક્કસ પાછો પડે છે. અસાધારણ આદમી જ અપવાદને પંથે પોતાના હદયના નાદને અનુસરતો આગળ ધપે છે. માટે જ કહેવામાં આવ્યું છે કે નીતિના સામાન્ય નિયમને અનુસાર “મારે ક માર્ગ લે?” એ પ્રશ્ન જ સાબિત કરે છે કે પ્રશ્ન પૂછનારમાં અંદરથી હાકલ પડતી પ્રતીતિને અભાવ છે. આવેશ અને આંતરણું એ બે વચ્ચેનો વિવેક કરતાં આવડવું જોઈએ. આવેશ-આવેગને વશ થનારને પરાજય થાય છે. આંતરંકુરણને સ્વીકારનારને જય થાય છે. ૨૧ પ્રશ્ન – આપણી નિર્દોષતા સાબીત કરવાને, કોઈએ આપણા પર બેટે આપ મૂક હોય છે, તેનો યોગ્ય વિરોધ કર કે નહિ? - " ૨૧ ઉત્તર:- જે કોઈ પણ મનુષ્ય ગૃહસ્થાશ્રમી પર ખોટો આરોપ મૂક હાથ તે તેણે તેને યોગ્ય રીતે વિધિ મા તે સાબીત કરવા તત્પર થવું જોઈએ. બધા દષ્ટિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50