________________
ફરવા લાગ્યો. મા-બાપને પણ ન ગાંઠવા લાગ્યો. એક દહાડો મા-બાપે એને પેલી તરકીબથી રડતી બાળકીને છાની રાખતો જોયો, ને આવા અનાર્ય વ્યવહારથી ચિડાઈ એને ઠપકો આપ્યો. સ્વછંદી છોકરાને એ ઠીક ન લાગ્યો, ને એ સામો થયો. મા-બાપે એને માર્યો એટલે એ તો જંગલમાં નાસી ગયો.
“જંગલમાં ચારસો નવાણુ ચોર રહે, એ પણ ચોર ભેગો જઈને રહ્યો, અને એમની વિદ્યામાં પારંગત બની ગયો. થોડા વખતમાં તો એમનો નાયક બની ગયો. એક રાતે એ સહુએ ચંપા પર છાપો માર્યો, ને ખૂબ લૂંટ ચલાવી, લૂંટની સાથે એક સુંદર યુવતીને પણ ઉપાડી લાવ્યા. ચારસો નવાણું ચોરોએ પેલા નાયકને કહ્યું : “આ રતિને શરમાવે તેવી કામિની આપને ભોગ ભોગવવા માટે યોગ્ય છે.નાયક કહે : ભાઈઓ, આપણો નિયમ છે, કે સહુએ સરખા ભાગે વહેંચી ખાવું; પછી તે કાંચન હોય કે કામિની ! માટે તમે સહુ મારા જેટલા જ એના અધિકારી છો !'
- “પાંચસો લૂંટારા પેલી એક સ્ત્રી સાથે ભોગ ભોગવવા લાગ્યા. વખત જતાં પેલા નાયકને વિચાર થયો કે આ એકલી આપણી બધાની સાથે ભોગવિલાસ ભોગવતાં મરી જશે, તો નાહક સ્ત્રીહત્યા લાગશે ! આમ વિચારી તેઓ એક બીજી સ્ત્રીને ઉપાડી લાવ્યા, ને તેની સાથે ભોગ ભોગવવા લાગ્યા.”
પાંચસો લુંટારા પર એકસરખો હક ધરાવનારી પેલી સ્ત્રીને આથી મનમાં ઘણું માઠું લાગ્યું અને પોતાનું મહત્ત્વ ઓસરી જતું લાગ્યું. નવી આવેલી શોક્ય આંખના કણાની જેમ ખૂંચવા લાગી. એક દિવસ બધા લૂંટારા દૂર દેશમાં લૂંટ કરવા ગયા ત્યારે પેલી સ્ત્રીએ નવી આવેલી શોક્યને કૂવામાં નાખી મારી નાખી. લૂંટારા ઘણે દિવસે પાછા આવ્યા ને પેલી નવી સ્ત્રી માટે પૂછપરછ કરી તો એણે કહ્યું : 'મને શી ખબર ? એ તે કંઈ મારા જેવી હતી કે તમને પાંચસોને એકસરખા હેતથી જાળવે ને ઘર જાળવીને બેસે ! ક્યાંય નાસી ગઈ હશે !''
- વાર્તા પૂરી થઈ ને રાજા વત્સરાજ વળી વિચારના વંટોળમાં ઝડપાયા : પાંચસો જંગલી ને ઝનૂનીઓથી તૃપ્ત ન થનારી આ સ્ત્રી ! અને એવી સંસારની બીજી સ્ત્રીઓ ! રાજા ઢાલની એક બાજુને નીરખી રહ્યો, ને ઉતાવળે મનોમન નિર્ણય બાંધવા લાગ્યો. એ શાસ્ત્રના વિવેકને ભૂલી ગયો.
જેવી એ સ્ત્રી એવી મૃગાવતી પણ સ્ત્રી ! મહારાણી થયે કંઈ સ્ત્રી મટી જવાય છે ? અરે, ઊલટા આ રાજસી આહાર-વિહાર તો વધુ કામપ્રદ હોય છે, રાજમહેલમાં યોગી એક દહાડો તો વસી જુએ ! બીજે દહાડે યોગીનો ભોગી બની જાય ! અવશ્ય મૃગાવતીએ મારા પ્રેમનો ગેરલાભ લીધો. આવા રૂપાળા-રઢિયાળા ચિતારાને જોઈ કયા વૃદ્ધ પુરુષની પત્ની ન લોભાય ? જો મૃગાવતી લોભાણી ન હોય તો એની જાંઘ
પરનો ગુપ્ત તલ ચિત્રકાર કઈ રીતે જાણી શકે ?
વત્સરાજની આંખોમાં અગ્નિ ભભૂકી ઊઠયો.
એ વખતે ચોકીદારે અંદર પ્રવેશ કરીને કહ્યું : “મહારાજ, ચિતારાજી આવી પહોંચ્યા છે.”
જાઓ, એનું કાળુ મોં મને ન બતાવશો ! એને લઈ જઈને કારાગૃહમાં કેદ કરો ! બપોરે ન્યાયસભામાં એનો ન્યાય તોળીશ. એના મસ્તક પર ભયંકર અપરાધ, કાળા નાગની જેમ ફણા પ્રસારીને ખડો છે !”
દ્વારપાલ અજાયબીમાં ડૂબી ગયો : એક ક્ષણમાં આ તે કેવું પરિવર્તન ! અરે, હજુ બે પળ પહેલાં તો જેને રાજ કીય માનસન્માનથી નવાજી નાખવાની વાત હતી, એને માટે અત્યારે બેડી ને કારાગૃહની આજ્ઞા ? પાઘડી બંધાવવાને બદલે માથું જ મૂળગું લઈ લેવાની વાત ? પણ આ ગરીબ આત્મહીન દ્વારપાળે એક સૂત્ર જાણતા હતા, કે રાજાની કૃપા સમુદ્રના તરંગ જેવી ચંચળ છે. માટે કૃપાUTTમાજ્ઞા વિવારીયા - રાજાની આજ્ઞા વિચાર કર્યા વિના પાળવી; છતાં એણે યુક્તિપૂર્વક ફરી વાર સ્પષ્ટતા કરવો પૂછયું : “મહારાજ, યમંદિરના ચિતારાને બેડીઓ જ ડું કે હેડમાં નાખું ?'
જાઓ, એવી બેડીઓ જડો કે બદમાશ જરાય હલી કે ચલી ન શકે, આ સંસારનો હવે થોડી ઘડીનો મહેમાન છે. એનો ગુનો ભયંકર છે. પૃથ્વી એનાથી ભારે મરે છે !” રાજાજી, જે સેવકો સાથે સંક્ષેપમાં વાત કરવાની ટેવવાળા હતા તે, આવાં લાંબાં વાક્યો પોતાની જાતને સંભળાવતા હતા, કે સેવકોને તે પ્રશ્ન હતો.
દ્વારપાળ મરતક નમાવી ચાલ્યો ગયો.
વત્સરાજના ધગધગતા કોપાનલમાં ફરી ભડકા ઊઠવા લાગ્યા. એમનું ચિત્તતંત્ર ધડાકા કરતું વિચાર કરવા લાગ્યું :
“છરી ભલે સોનાની હોય, પણ આખરે તો કરી જ ને ! પેટ પડી લોહી જ કાઢવાની ! મૃગાવતી ભલે પદ્મિની રહી પણ આખરમાં તો સ્ત્રી જ ને ! શું શાસ્ત્રમાં કહ્યું નથી – 'માવર્ત પાત નg ! કાલે શા માટે એ મને વિષ આપીને પોતાના મારગમાંના કાંટાને કાઢી ન નાંખે અને આ ચિતારા સાથે રાજમાતા બની સ્વૈરવિહાર ને માણે ? પુરાણીજી સાચું કહે છે, કે નારી પ્રત્યક્ષરાક્ષસી !
“નારી ! ખરેખર નરકની ખાણ ! સારું છે, કે મારું અંતઃપુર વિશ્વાસુ કંચુકીઓથી રક્ષાયેલું છે, નહીં તો કોણ જાણે શું થાત ? હું રાગાંધ એ વાત કેમ ભૂલી જાઉં છું, કે એક દહાડો આ રાણી મૃગાવતીએ જ મને કહ્યું હતું કે આ કંચુકીઓને ખસી કરવાની મના કરીએ તો ? આ રીતે જોરજુલમથી એ લોકોને પંઢ કરવામાં શો લાભ ? એમનો સંસાર ઉજ્જડ કરી મૂકવાથી શું હાંસલ ?”
પોતાના જ પડઘા D 51
50 g પ્રેમનું મંદિર