Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન તે મેટી ઉમ્મર થતાં સાધુ અવસ્થા અંગીકાર કરી સિદ્ધ કર્યા હતાં શું કઈપણ ભારતવર્ષીય થ્રઢપ્રતાપનિધિ ક્ષત્રિય સિસોદીયા કુલદીપક છત્રપતિ શિવાજી મહારાજથી અજાણ્યું હશે? મહારાજે મોગલ શહેનશાહતના અતિત્રાસથી પ્રજાને મુક્ત કરવી એવી મહતું પ્રતિજ્ઞા બાલ્યાવસ્થામાં સ્વહૃદયમાં કરી હતી. સર્વ હિંદીઓ સમ્રા ઔરંગઝેબના અત્યાચારી અમલની ધુસરીને વળગે નહિ એ મહારાજને મહાન ઉદ્દેશ હતે. એ કાર્યમાં શું તેઓશ્રીએ પ્રતિકૂળ તાઓ નહાતી ભોગવી? તેઓ પિતાના કાર્યમાં ફતેહમંદ થયા હતા. તેઓએ સમ્રાહુ અકબરે પેલે સીદ્ધ યવન દંડ ઔરંગઝેબના વખતમાં વાળવાને શકિતમાન થયા હતા, એટલું જ નહિ પણ ચૂર્ણ કરવાને ભાગ્યશાળી થયા હતા– કવિરાજ ભૂષણજી કહે છે – પીરા પિગંબરા દિગંબરા દિખાઈ દેત, સિકી સિદ્ધાઈ ગઈ બહેતપૂર સબકી; કસિ હેતે કઝા ગઈ મથુરા મસીદ ભઈ, શિવાજી ન હોતે તે સુનત હેત સબકી. મહારાજનું ચરિત્ર વાંચવાથી તેમજ તેને નિત્ય પાઠ કરવાથી ઉપરોક્ત ઉત્તમ તવના આલેખનની અસર, મનુષ્યના હૃદય ઉપર ઉત્તમ પ્રકારે થાય છે. જેઓને સ્વબુદ્ધિબળ ઉપર અને કર્તવ્ય ઉપર સંપૂર્ણ વિશ્વાસ નથી, તેઓના હાથે કોઈ પણ મહત્વનાં કાર્યો થતાં નથી, મહારાજમાં ઉપરોક્ત ગુણ જેમ શશીમાં શીતતા રહેલી છે તેમ કુદરતિ રીતે રહેલો હતે; અને તેથીજ અતિ ઉત્કૃષ્ટ, સાધારણ જન સમાજના વિચારની મર્યાદા બહાર, લીધેલી મહા પ્રતિજ્ઞા પાળવાને ઉદ્દેશ તેમનામાં રહેલું હતું. તેઓ ક્ષણભર પણ અસ્થિર દેહને વિચાર કર્યા વગર પ્રતિજ્ઞા પાળવાને ઉત્સુક રહેતા. એટલું જ નહિં પણ, કર્તવ્યપરાયણતાથી સિદ્ધ કરી બતાવતા હતા. તેઓ સવબાહુ ઉપરજ રણક્ષેત્રમાં ઝઝુમતા હતા, અન્ય પુરૂષ સ્વપ્રતિજ્ઞાને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 111