Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ अथ प्रारभ्यते पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ॥ આ પૂર્વેની બત્રીશીમાં પોતાની માન્યતા મુજબનું યોગના લક્ષણનું નિરૂપણ ક્યું. “એ લક્ષણ જ બરાબર છે.'-આવી સ્થિરતા, બીજાની માન્યતા મુજબના યોગલક્ષણની વિચારણાથી પ્રાપ્ત થાય છે. તેથી તે માટે આ બત્રીશીમાં અન્યયોગલક્ષણના નિરૂપણનો આરંભ કર્યો છે. અર્થ બીજાની માન્યતા મુજબના યોગલક્ષણની વિચારણા માટે આ બત્રીશીનો આરંભ કર્યો છેचित्तवृत्तिनिरोधन्तु, योगमाह पतञ्जलिः । द्रष्टः स्वरूपावस्थानं, यत्र स्यादविकारिणि ॥११-१॥ ચિત્તની વૃત્તિઓનો જે નિરોધ છે તેને પતલિ યોગ કહે છે. જે અવિકારી હોતે છતે દ્રષ્ટા-પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન હોય છે...” (તે ચિત્ત છે. શ્લો.નં. ૩માં એનો સંબંધ છે.)-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે “વોશ્ચિત્તવૃત્તિનિરોધ:' -રા આ સૂત્રથી પતલિએ ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ તરીકે વર્ણવ્યો છે. રાગ, દ્વેષ અને મોહાદિના કારણે થનારી જે ચિત્તવૃત્તિઓ છે; તેના નિરોધ-અવરોધને યોગ કહેવાય છે. ચિત્ત, તેની વૃત્તિઓ અને તેનો વિરોધ : એ બધાનું સ્વરૂપ અનુક્રમે હવે પછી વર્ણવવામાં આવશે. શ્લોકના ઉત્તરાદ્ધથી ‘ચિત્ત'નું સ્વરૂપ વર્ણવાય છે. તેનો આશય એ છે કે-જ્યારે જે અવિકારી હોતે છતે દ્રષ્ટા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66