Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ વ્યર્થ ખેદ કરવાથી કોઈ I of લાભ નથી. ।।૧૧-૨ા સાખ્યોએ ગ્લો.નં.૧૮માં જણાવ્યા મુજબ જે અતિપ્રહ્લનું નિવારણ કર્યું હતું-તે શક્ય નથી, તે જણાવાય છે प्रसङ्गतादवस्थ्यं च, बुद्धेर्भेदेऽपि तत्त्वतः । प्रकृत्यन्ते लये मुक्तेर्न चेदव्याप्यवृत्तिता ॥११- २८॥ “દરેક આત્માની પ્રત્યે બુદ્ધિનો ભેદ માન્યા પછી પણ પ્રકૃતિની વિશ્રાન્તાવસ્થામાં દુ:ખનો ધ્વંસ થયે છતે; એક આત્માની મુક્તિથી બધાની મુક્તિ થવાનો પ્રસંગ વિદ્યમાન છે જ. કારણ કે મુક્તિને અવ્યાખ્યવૃત્તિ(આંશિક) માનતા નથી.’’-આ રીતે અઠ્ઠાવીશમા શ્લોકનો યથાશ્રુતાર્થ સમજી શકાય છે. તાત્પર્ય એ છે કે અઢારમા શ્લોકમાં જણાવ્યા મુજબ બુદ્ધિ એક હોવા છતાં દરેક આત્મા માટે તે નિયત છે; કોઈ એક માટે નથી. વિવેકખ્યાતિના(ભેદજ્ઞાનના) ઉદયથી તે તે પુરુષની ચિત્તવૃત્તિઓનો નિરોધ થવાથી કૈવલ્યપ્રાપ્તિ પછી તે તે પુરુષની પ્રત્યે પ્રકૃતિ વિશ્રાંત બની ફરીથી તે તે પુરુષની પ્રત્યે પરિણામને આરંભતી નથી. તેથી એક પુરુષની મુક્તિ થવાથી અન્ય બધાની મુક્તિનો પ્રસઙ્ગ યદ્યપિ આવતો નથી. પરંતુ એ મુજબ પ્રત્યાત્મનિયત બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં; પ્રકૃતિની વિશ્રાંત(સ્વકાર્યથી વિરામ ૫૨

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66