Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ પર માટે છે. અહીં જેના માટે તે કાર્ય છે, તે પર પુરુષ છે. આ પ્રમાણે ‘“તવન ધ્યેયવાસનામિશ્ચિત્ર-મપિ પાર્થ સંહત્યઋત્વિાર્’ ।।૪-૨૪। આ યોગસૂત્રમાં જણાવ્યું છે. આશય સ્પષ્ટ છે કે ચિત્ત જ઼નમ-જનમના અસંખ્ય સંસ્કારોથી વાસિત હોવા છતાં તે બીજા માટે છે, સ્વાર્થ માટે નથી. કારણ કે તે; ફ્લેશ, કર્મ, વાસના, વિષય, ઈન્દ્રિયોના સમુદાયથી કાર્ય કરે છે. જે સંહત્યકારી છે તે પરાર્થ છે. તેમાં જે પર છે તે અહીં પુરુષ છે. આ રીતે અનુમાનપ્રમાણ જ પુરુષની કલ્પનામાં માન(પ્રમાણ) છે. પરંતુ તે સાખ્યોએ બતાવેલું પ્રમાણ બરાબર નથી. (તેનું કારણ ચોવીસમા શ્લોકથી જણાવાશે.) ૧૧-૨૩૫ *** સાખ્યોએ દર્શાવેલ અનુમાનપ્રમાણમાં દોષ જણાવાય છે सत्त्वादीनामपि स्वाङ्गिन्युपकारोपपत्तितः । बुद्धिर्नामैव पुंसस्तत्, स्याच्च तत्त्वान्तरव्ययः ।। ११-२४॥ “સત્ત્વાદિ ધર્મોનો ઉપકાર પોતાના આશ્રયમાં પણ સઙ્ગત હોવાથી પૂર્વે જણાવેલ પરાર્થકત્વમાં કોઈ પ્રમાણ નથી. આ રીતે બુદ્ધિથી જ સર્વ સિદ્ધ થતું હોય તો આત્માનું નામ જ બુદ્ધિ છે. તેમ જ અહ્વારાદિ તત્ત્વોનો પણ ઉચ્છેદ થશે. અર્થાત્ તેને માનવાની આવશ્યકતા ૪૪

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66