Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 51
________________ તાના પ્રતીક છે. આ પ્રાતિહાર્યોને જોઇને જ ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ જેવા કટ્ટર દ્વેષી બ્રાહ્મણો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ પ્રાતિહાર્યોની લક્ષ્મી જોઇને જ મરૂદેવા માતાને ક્ષપકશ્રેણિ પર આરૂઢ થવા ઉચિત ભાવધારા ઉત્પન્ન થઇ હતી. મહાનિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે પ્રભુનું પરમરૂપ, ઉત્કૃષ્ટ લક્ષણો અને પ્રાતિહાર્યાદિ અતિશય જોતાં જ દેવ-દાનવ-ગંધર્વ-કિન્નર-વિદ્યાધર આદિના મુખમાંથી શબ્દો સરી પડે છે કે “અહો ! અહો !! અહો !!! કદી ન જોયેલું અભૂતપૂર્વ દશ્ય આજે અમે નિહાળ્યું... મહાન, અચિંત્ય, વિશિષ્ટ અને અતુલ્ય એવા પરમાશ્ચર્યોનો સમુહ જાણે એક સાથે ભેગો થયેલો અમે જોયો. ધન્ય ! ધન્યાતિધન્ય !!! અને પરમ આનંદના આવેગમાં તેઓ પરસ્પર એકબીજાને કહે છેખરેખર આ મહાનતમ મહામહોત્સવ છે. મહાન ! મહાન !!!” તે જ ભવમાં મોક્ષે જનારા ચરમશરીરીઓ પણ આનંદ અને આશ્ચર્યના ભરવેગમાં તણાતા આવું તીર્થંકરપણું પ્રાપ્ત કરવા સંસારની વૃદ્ધિને પણ સ્વીકારવા તૈયાર થઇ જાય છે. મહાવૈરાગી જીવો પણ આ અતિશયોની અભુતતા જોઇ પરમભક્તિના રસમાં તરબોળ બની જાય છે. આવા આ ૧૨ લક્ષણરૂપ ગુણોથી યુક્ત તે જ દેવાધિદેવ કહેવાય. તે જ વિશ્વને માર્ગ દેખાડવા સમર્થ હોય. તેમના દર્શાવેલા માર્ગ પર જ આપણે ગતિ કરાય.. 0 ૩૬

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106