________________
લાલસાવાળો મોહનીય કર્મને આધીન જ હોય, વળી જ્યાં લાલસા છે, ત્યાં દુઃખી થવાની સંભાવના પૂરેપૂરી છે માટે આવી રતિવાળા ક્યારેય પરમાત્મા હોઇ શકે નહીં.
૮) અરતિ - અણગમતા રૂપ-રસ-ગંધ-સ્પર્શ આવતા જ અકળામણબેચેની-ગુસ્સો આદિના જે ભાવ મનમાં આવે છે તે સહજપણે જ જીવની અંદર બેઠેલા શ્વેષભાવ-અસહિષ્ણુતાભાવ આદિનું સૂચક છે. આવા દોષ પરમાત્મામાં કેમ હોય ?
૯) ભય - નિર્બળ-અસાહસિક અને અસહિષ્ણુ વ્યક્તિ જ ભયભીત હોઇ શકે. સત્ત્વશાલી વ્યક્તિમાં આ બધા દોષો ન હોય... પરમાત્મા પરમસત્વના ભંડાર છે તેથી તેમનામાં ભય આદિ દોષો ન હોય.
૧૦) જુગુપ્સા - સડેલી-બગડેલી-ઉતરેલી વસ્તુ કે વિલાઇ ગયેલા (વૃદ્ધ-કદરૂપા-રોગીષ્ટ-લોહી-પર્યુક્ત આદિ) સજીવના રૂપને જોઇને મનમાં ધૃણાભાવ-તિરસ્કારભાવ જાગે ! આ વસ્તુસ્વરૂપના અજ્ઞાનનું સૂચક છે. જગતના “આજ સુધરા કલ બિગડા” અને “આજ બિગડા કલ સુધરા” જેવા પદાર્થોની પરિવર્તનશીલ અવસ્થાઓની સાથે સંવેદનાઓ પલટાતી રહે તો પરમાત્મા તો સર્વજ્ઞ હોવાના કારણે વિશ્વની બધી જ વસ્તુઓ દેખાય છે. સતત
ક્યાંય કાંઇક તો સડેલું-બગડેલું-ઉતરેલું રહેવાનું છે. તો તો ભગવાન સતત દુઃખી રહેવાના... આવા દોષવાળા ભગવાન કેવી રીતે હોઈ શકે ?
૧૧) શોક – અનુકૂળ અને ગમતી વસ્તુ ચાલી જવાથી મનમાં દુઃખ આઘાત-વલવલાટનો ભાવ પેદા થાય તે દુઃખી જ હોય... સમગ્ર વિશ્વને પોતાના જ્ઞાનમાં જોતા ભગવાનનો કોઇ ભક્ત દુઃખી થવાનો, તો કોઇ ભક્ત મરી જવાનો-આવું સતત ચાલવાનું. તેના કારણે તેમને સતત દુઃખી થવું પડે... માટે શોક નામનો દોષ પરમાત્મામાં ન હોય.
૧૨) કામ - પુરુષને-સ્ત્રીને કે બન્નેને ભોગવવાની ઇચ્છા... લોકવ્યવહારમાં પણ આ બાબત નિંદનીય ગણવામાં આવી છે. જો તે પરમાત્મામાં હોય તો ઉત્તમતા ક્યાં રહેશે ? માટે પરમાત્મામાં આ દોષ ન હોય.
૧૩) મિથ્યાત્વ - વિપરીત વિચારધારા તે મિથ્યાત્વ...
તેનાથી તો જીવ ખોટે માર્ગે ભમે છે અને સંસારમાં અથડાય છે. પરમાત્મામાં એ દોષ કેમ સંભવી શકે ?
* ૫૬