Page #1
--------------------------------------------------------------------------
________________
રમ ઊર્જાનો વિત્ર પરિચય
ઇશ્વરતત્વ વિષે જૈન દર્શનની
સચોટ વિચારણા
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
પ.પૂ. સકલસંઘહિતચિંતક પ્રભુભક્તિનિમગ્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.
Page #3
--------------------------------------------------------------------------
________________
appy De LC, DPESIT, Izih Yos PHR Slaires sex
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી ભુવનભાનુ-પદાર્થ-પરિચય-શ્રેણિ-૪ / જયઉ સવષ્ણુસાસણં-શ્રી વર્ધમાન સ્વામિને નમઃ | // શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્ય-જયઘોષ-હેમચંદ્રગુરૂભ્યો નમઃ |
પરમ ઊર્જાનો પવિત્ર પરિચય
(ઇશ્વરતત્વ વિષે જૈન દર્શનની સચોટ વિચારણા)
-: પ્રેરક :પ.પૂ. સકલસંઘહિતચિંતક પરમ તેજ” આદિ ઉચ્ચગ્રંથ નિર્માતા આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
-: લેખક :પ.પૂ. પરમોચ્ચ પ્રભુભક્ત આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. પચાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.
-: સંયોજક :પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.નાશિષ્યરત્ન પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.
-: પ્રકાશક :જૈનમÍરવાર
O નમસ્વિાર
Page #5
--------------------------------------------------------------------------
________________
N
A
M
E
Author's Name
વીર સં. ૨૫૪૦ • વિ. સં. ૨૦૭૦ • ઇ.સ. ૨૦૧૪
પરમ ઊર્જાનો પવિત્ર પરિચય
Param Urjano Pavitra Parichay
પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.
P.P. Panyasji Shree Sanyambodhivijayji M.S. સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન...© પ્રથમ આવૃત્તિ • ૩૦૦૦ નકલ મૂલ્ય રૂા. ૬૦.૦૦
-: સંશોધક :
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરિજી મ.સા. પ.પૂ. પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા.
-: પ્રાપ્તિ સ્થાન :
D જૈનમ્ પરિવાર, અમદાવાદ. મો. ૮૯૮૦૧૨૧૭૧૨
– દિવ્યદર્શન, ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ.
D મયંકભાઇ પી. શાહ, મો. ૯૮૨૧૦ ૯૪૬૬૫
n દેવાંગ અરવિંદભાઇ શાહ, મો. ૯૩૨૨૨૭૭૩૧૭
D અમિતભાઇ કે. શાહ, વડોદરા મો. ૯૮૯૮૫૮૬૨૨૪
– હસિત દિપકભાઇ બંગડીવાલા, સુરત મો. ૯૪૨૭૧ ૫૮૪૦૦
Page #6
--------------------------------------------------------------------------
________________
શાસનને
સ્વસંપત્તિના સર્વ્યય દ્વારા જેમણે સમૃદ્ધ અને પોતાના પરલોકને સદ્ધર બનાવ્યા
વાલવોડ નિવાસી
સરોજબેન હસમુખભાઇ મોહનલાલ શાહ પરિવાર હાલ વડોદરા
શ્રી ભુલાવભાવ પણાથી પરિણીાિવા થી વિદ્રા બતા
.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ-ઘાટકોપર (ઇ.)
• શ્રી રાંદેર રોડ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ સુરત
श्री भुवनभानु- -पदार्थ-परिचय श्रेणि तत्त्वज्ञानश्रेणि के प्रस्तुत प्रकाशन में श्री दीपा कोम्प्लेक्ष जैन संघ सुरत
अपने ज्ञाननिधिसे सुंदर लाभ लिया है ।
• मूल्य चुकाये बिना जैन गृहस्थ इस की मालकियत न करे ।
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીનો खापत्र
MAR५. ९ ५-7:04 MARIHARIRADra ६.manian 22n-rignayar.x7-18 या dalim
EaranmitraawIRAIL Guant Hai* 2411293 22rne 412 ५२५17 navratna 2 214१२ सयngranit Angm
a iM4rekRI RAMPUR Manghatani2 सा संvatiala 2 nd Tesary 11 Hind६१५२andayanrajendi) H anelhi-4, २०५128405 Maa amaves
An Hinustitunchneiytvो 'सniraR 2014mare सदi4IRALtternal
Anand HIRuin422 Bless102tu Madirte2419 dramatan RIMI4yen Diarrar 2482 20-12-HE YEARSAnnai: 100 24xnzmannant Renuchinenews STOR43 Rani Goyment 2014 Minema Photoने से 24nants)
441244.५ ५ ५४ाला ५९ruti amitant FORawitattyD 2004024 haapanermenteentori 20yria n
mar Chain को 1 2400Rahi प्रg4100 HANSAD DIUs2461 २०712400ने नोnut
e ratomona
Page #9
--------------------------------------------------------------------------
________________
28 29 กเรี Arts (3 นาเศ: 33:44 10540 64) หนัayt9 หz๒ เหte get ใหว หด ตาก 20 นค! ห3 - บทที่ 1 24 2+bศศ เกศส 2030
30 % 24 2516 (, 959, 32192) 990 54ตรว 24 สนุกๆ เกเห % 99 %8 Hg404,
3 74 v4เศ299/4s 4g/48 , 2 ( ให้ 59464924*5ด5025bg4ntาเหi R451ค :ๆๆ 21t44 249ตร์ 8 หด นน(494 2491 (4เสี
8- 90 59 ๗๘ห หากเกม 2016 54 36 * ๕นเสี d3+464) เคร? 21(93 ใฯt 4, 2- 4 ท (x86077491(67iyingเย1991 1กห dt49*
4 Geo, ฯฯโ951 , 2เหu 468at Coน หgqศพ ส สเตเห80 หยก ฯผวน 23g 95%
หr Stycy*ทศ ซ\u0 421 ไทย หนัก 49 5% สหคนเm 2:{"42 9w ศศ๕๖) เหr of ห ห ย - headAws4 4,212 211396 999 99 คน 4272524a432 8เทศ 42 9goผ4. 244เซooth วร) 2. Gym • ๖๕๒๕ x yui HxP6+ กด วิวดี ?วเ%42 2459 221 หi s! 20449437๓ (649 ริกเหd 6 nics 2000 เหรี ”
เy&ge 4xหรุ รห 8% 249 ตน Jยวgay 25#ค 4 Hery891451 เพดี ตgs #หuy81Mๆ ตใhn010 4344 346 วิท14 6 76 285 21:19 6 ug 21 ผศษ 44 ตุเตย หลี เตย, 4/29 “เ99% 244 At
Page #10
--------------------------------------------------------------------------
________________
HOMBIDIOD62201241 2047 ngam B4M 24612 2xsungRONARAYDantry nanga 2012154nnar 2014. Bramhan 280
ग Enyar 400 nganasasor2144 arn RANDoxyporn nainit20 2168 . २१ Bernard 24traditimeोरेन्य PatrimoniDas geni " Page #11
--------------------------------------------------------------------------
________________
नाणं पयासगं
પ્રકાશકીય
અનંતજ્ઞાનગુણસંપન્ન તીર્થકર ભગવંતો મોહના અંધકારમાં અથડાતા જીવોને સુખની ઓળખ અને સાચા સુખનો માર્ગ મળે તે માટે જ્ઞાનના પ્રકાશનું છૂટે હાથે દાન કરવા કેવલજ્ઞાની બન્યા પછી રોજ બે દેશના=૭ કલાક જિનવાણી પ્રકાશે છે.
શાસનની સ્થાપના બાદ તુર્ત જ ગણધર ભગવંતોએ વ્યક્ત કરેલી તત્ત્વ-જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં પ્રભુએ સમગ્ર સંસાર સ્વરૂપને ઓળખવાની ચાવી રૂપ ત્રિપદી પ્રકાશી, ‘ઉપ્પન્ન ઇ વા, વિગમે છ વા, ધુવે ઇ વા', અને એ ત્રિપદીના નાના દ્વારમાં છુપાયેલો મહાતત્ત્વખજાનો ગણધર ભગવંતોએ પોતાની વિશિષ્ટ પ્રજ્ઞાથી દ્વાદશાહુગીરૂપે પ્રગટ કર્યો.
જિનશાસનના સારસર્વસ્વસમો એ દ્વાદશાંગીનો પ્રવાહ કાળબળે વિલુપ્ત થતો રોકવા પૂર્વાચાર્યોએ લેખન-વિવેચનસર્જન અને પ્રકરણ-ભાષ્ય આદિ ઉદ્ધરણરૂપે સતત પુરૂષાર્થ કરી ટકાવ્યો..પરંતુ કાળનું વિષમ આક્રમણ નિતનવા રૂપો ધારણ કરે છે. સંસ્કૃત-પ્રાકૃત ગિરાનો પ્રવાહ રુંધાયો અને પુણ્યપુરૂષોએ લોકબોલીમાં પ્રભુવાણીની ધારા વહાવી...
પરમ પૂજ્ય સકલસં ઘહિતચિંતક યુવાનો દ્વા૨ક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ કોઇ પુણ્યવંતી ધન્યપળે જિનશાસનના તત્ત્વજ્ઞાનને વિષયવાર વિભાજિત કરી સરળ ભાષામાં પ્રકાશિત કરવાનો વિચાર વહેતો મૂક્યો.વર્ષો બાદ પ.પૂ. પરમાત્મભક્તિનિમગ્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.એ ગુરૂભક્તિથી એ વિચારને સાકાર કરવા કમર કસી, જબરદસ્ત જહેમત ઉઠાવી. અનેક મહાત્માઓને વિનંતી કરતા તે મહાત્માઓએ પણ શ્રુતભક્તિ, ગુરૂભક્તિ અને સંઘભક્તિના આ અવસરને વધાવી લીધો, જેની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ..
પ.પૂ. શાસ્ત્ર-શાસનમર્મજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. બહુશ્રુત પ્રવચનપટુ પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. એ આવેલ તમામ લખાણને પોતાની શાસ્ત્ર-પરિકર્મિત મતિથી સંશોધિત કરી આપ્યું છે તે બદલ પૂજ્યશ્રીઓના અત્યંત ઋણી છીએ.
નિશ્ચિત કરેલા ૪૦ થી અધિક વિષયોમાંથી પ્રથમ ચરણ રૂપે ૧૧ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરી રહ્યા છીએ, તેમાં પરમ ઊર્જાનો પવિત્ર પરિચય (ઇશ્વરતત્ત્વ વિષે જૈન દર્શનની સચોટ વિચારણા) પુસ્તક અમારા પ્રેરણાસ્ત્રોત ૫.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.શ્રીએ આગવી શૈલીમાં અને તમામ તત્ત્વોનો સમાવેશ કરીને લખી આપેલ છે. પૂજ્યશ્રીની ઋતભક્તિની અંતરથી અનુમોદના...અમારી વિનંતિને માન આપી તુર્ત જ રસાળ અને પ્રેમાળ પ્રસ્તાવના લખી આપનાર પ.પૂ. શાસનપ્રભાવક પંન્યાસ પ્રવરશ્રી મહાબોધિવિજયજી મ.સા.ના ચરણોમાં વંદન...પ્રિન્ટીંગનું કાર્ય દિલ દઇને કરી આપનાર શુભાય આર્ટ્સવાળા દિનેશભાઇ મુડકર્ણીને પણ હજારો સલામ. પ્રાન્ત, શાસનની, સંઘની, શ્રતની સર્વતોમુખી સેવા સાતત્યપૂર્વક, સમર્પણપૂર્વક અને સફળતાપૂર્વક કરી શકીએ એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના..
જૈનમ્ પરિવાર
Page #12
--------------------------------------------------------------------------
________________
ભવોદધિતારક ૫.પૂ. ગુરૂદેવશ્રીનો આશિર્વાદ પત્ર
नमो नमः श्रीगुरुप्रेमसूरये।
सुविशयी गरछना सर्भक स्थ. सिद्धांतमहाईघि सासार्य हव समह यन्य प्रेमसूरी धरत महाराल
शून्यमोश लमने विराट सभी यु
संवत २८द्मो पिंडवाडा यानुमसि भ्रसंगे रच-गुरु साथै सार हाएगा हता जाने सागस्त्य खवे हयात थघने लगलग एकरश वधु मुनिसोनु समाग हो रखनके ज्ञानी, गीतार्थ, तपस्वी, प्रण थन बटुलो- संयमीजीको मिशाज समुदाय
ना तेजो
सभी जन्या.
लेखोलना पटार, लवन कर सुध गुरु लगयंतनी घरछा जोनी पूर्ति दुखानु अर्थ भनेमागे र्फ्यू से स्वा पूक्यपाह अनुरुप सामायी लगयंत महलक्य युधनलानु सूरा घर महाराल
श्रेष्ठ संयम् श्रितम साथ विशिष्ट 1নप्राप्ति के खेमल विशेषता हुती भ्रत्तु शासन रखने संघनी सेवामा खानु भवन समर्पित ड्यु आजण पुरु षार्थ ड्यौ, काननी जेटली संध्या सुद्ध संप्रमान साधना सांधे ते खोखे अत्यंत समाधि साधे परसोड यागड्यु जुद्धि करस्पति की हुती, लेख प्रशासन खन संघना जल्युदय मारे खनडे प्रसरण योन्नास तेमना मनमा रमती स्वीक
त्थ अनु शासन याने संघना खल्युध्द भाटे संयम, ज्ञानी तपसाधुखोलाला समुहायनुं सर्वन हरखु (2) अनु शासनना विशाल साहित्यन रक्षाकरखा, उत्सूत्र उन्मार्गको अतिकरस्त प्रभु शासनकी रक्ष दुरखी,
(3) साधु-साधधकी नमी सेयमनु करते मारे दिशार रेसम्म दायनाकी साफ
ले श्रt श्रोम का प्रतापइयाग बारे धर्मत्रघात शोमा
लडेवा
Page #13
--------------------------------------------------------------------------
________________
お
e
(या भावाना वायुमंडलमा गुमराह बलोक नक पेऊने अनुशास सिद्धांतोमा व्यवस्थित रखी
(4)
어에
९) मैने तरी पाग अनुशासनले समक: शो तथा भजेधो दुरखान लाल पेठ सुध नेपाल टोमला पांसे होष्ट ह भुपननी व्यरमआग सुध खप्रमन्त युगे संयम नपर्नु यासन उखान साथै प्रलु शासन देखने संघना खल्युहय मारे तळेखो जुम्या
शा सेवा
मुडी गयला
सेमना शिष्याहि परिवार पाग गुरुला अर्थने सागंज घपासी रह्या छे, जसो साधुखो गुरुहेबको गरछ नाले ओम सेवा पोसशन मुनिजनी संख्या लसू खागज वह रसो छ. वायलाखो अपरानो, विजीको बारे प्रवृत्तिरतो पड़ा स्व गुम्देली रा मुभज सुंदर व्याल रही र्छ
अनु शासनना भन्यो जेगोने अगर fam लोमनी याकेनाल पूर्णली मारे शाहपुर खाले मानस मेहिरानी स्थापना पाग यही गयी हो लेखामा सत्याहि दया ही पाग पूज्यनी यावेना शेप जारी गरेरी (जाड) () Reule विषयो पर नानी नाली सरनुस सरज भाषामा तैयार थाय रुके लेलो लाल प्राप्त व्यच्छ पिण्याक शान सरमनाश प्राप्ता यद्य राजे तरेन चुक्याह गुरुध्यनी हरछा मार्ग स्वानो भारल मारा शिष्य येण्यास ४ देना होते प्रशस्यद्धा सेयम्बोधिलक्म सान्हनो वषय है पं. से सारा शास 2. संयम तपना पगा सारा रा
प्रलापना पाग सुंदर कुरो हो या डायलो तसो सुंदर खेराजु ४ नहि पाग बेचनी बेना तरिक नाराधना साथै शासन र ल्युध्यन गुरुध्यनी रजन्य छापा मार्ग रखा प्रयत्लास जने गले सइजताने पर ४ शुभेच्छा- शुभाशीष हेमचंद्रपूर धनतेरस से २०५७
सुरन्द्रनगर
39
सरजताको प्राप्त करे
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિકમ
પં. મહાબોધિવિજય
બહુ પ્રસિદ્ધ જોક છે...
ધરતી પર વધી ગયેલા અત્યાચારોથી ત્રાસીને એક વખત ભક્તએ ભગવાનને પ્રાર્થના કરીઃ હે ભગવાન ! તેં ગીતાજીના પેલા શ્લોકમાં કહ્યું છેઃ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
"
अभ्युत्थानमधर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् ।।
(હે અર્જુન! જ્યારે જ્યારે આ ધરતી પરથી ધર્મની હાનિ થાય છે, અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ગ્રહણ કરું છું.)
તો શા માટે તું અત્યારે જન્મ નથી લેતો? અત્યારે તો તારે જન્મ લેવા માટેનો બેસ્ટ ચાન્સ છે. કદાચ ભૂતકાળમાં ક્યારેય ન હતો એવો હળાહળ કાળ અત્યારે ચાલી રહ્યો છે.
જ્યાં સગા દીકરા પોતાના બાપને ઘરના ઘરમાંથી બહાર કાઢી ઘરડાઘરમાં મોકલી દે છે. જ્યાં સગા બાપના દેખતા જ દીકરી પર બળાત્કાર થાય છે. જ્યાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા સળગાવીને મારી નાંખવાના કિસ્સાઓ બને છે. જ્યાં દુરાચાર, ભ્રષ્ટાચાર અને વ્યભિચારે માઝા મૂકી છે...પ્રભુ ! આવા બેકાર સમયે તમે આ ધરતી પર નહિ અવતો તો ક્યારે અવતરશો ? પ્રભુ ! જલ્દીથી હવે જન્મ લ્યો અને આ ધરતી પરના અધર્મોનો ખાતમો બોલાવો.
ભક્તની કાકલુદીભરી વિનંતી સાંભળી પ્રભુ ખુદ પ્રગટ થયા...અને બોલ્યાઃ વત્સ ! શું તું એમ સમજે છે કે મને આ ધરતી પર વધી ગયેલા પાપોની ખબર જ નથી. મને બધું જ દેખાય છે અને એટલા જ માટે મેં કેટલીય વાર આ ધરતી પર અવતરવાનું નક્કી કર્યું.
તો ? ભક્તથી વચ્ચે જ પૂછાઇ ગયું.
તો શું ! પ્રભુ બોલ્યા...મેં જેટલી વાર ધરતી ૫૨ અવતરવા માતાની કુક્ષીમાં પ્રવેશ કર્યો-એટલીવાર મારો ગર્ભપાત થઇ ગયો.
જોકમાં રહેલા હાસ્યને ગૌણ કરી દેવાય અને શ્લોકમાં રહેલા રહસ્યને પ્રધાન કરી દેવાય તો વીતરાગ પરમાત્મા અને સરાગ દેવી-દેવતા વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થઇ જાય છે.
એક વખત ઇશ્વર બનીને સર્વકર્મનો ક્ષય કરી જે મોક્ષમાં ચાલ્યા જાય...એને હવે આ સંસારમાં પુનઃ અવતરવાનું પ્રયોજન જ રહેતું નથી. કારણ કે પુનઃ અવતરણ માટે કર્મનો અંશ જોઇએ. તે માટે રાગ/દ્વેષની પરિણતિ જોઇએ. પરિણતિનો આધાર મન છે અને મનનો આધાર શરીર છે. તો જેની પાસે શરીરથી લગાવી કર્મનો અંશ માત્ર નથી, એકલું નિર્મલ આત્મદ્રવ્ય જ છે...તે આ દુઃખમય સંસારમાં પુનઃ અવતરે જ શા માટે ? મૂર્ત નાસ્તિ તઃ શારવા ?
Page #15
--------------------------------------------------------------------------
________________
મૂળ જ નથી ત્યાં શાખા ઉગવાની વાત જ ક્યાં રહી ?
- એક વખત ઇશ્વર બની ગયા પછી વારંવાર જેને આ ધરતી પર અવતરવું પડે-વારંવાર જન્મ / મરણના ફેરા કરવા પડે-પુનઃ પુનઃ માની કુક્ષીમાં અસહ્ય વેદના સહન કરવી પડે...શું એને ઇશ્વર કહેવાય ? આને તો અનંતશક્તિમાન ગણાતા ઇશ્વરની કર્મસત્તાએ કરેલી ક્રૂર મજાક કહેવાય. અસ્તુ !
જ્યોર્જ બર્નાર્ડ શોના જીવનનો એક અતિપ્રસિદ્ધ પ્રસંગ છે.
મહાત્મા ગાંધીના સુપુત્ર દેવીદાસ ગાંધીની એક વખત બર્નાર્ડ શો સાથે મુલાકાત થઇ. બર્નાર્ડ શો સારા ચિંતક ગણાતા. દેવીદાસે એમની સાથે ઘણી બધી વાતો કર્યા પછી એક પ્રશ્ન કર્યો: આવતા જન્મમાં તમે ક્યા ધર્મના ફેમિલીમાં જન્મ લેવા માંગો છો ? શો પાસે જવાબ હાજર જ હતો. તેઓ તરત બોલ્યા: I wish to be born after death in a Jain family.
ગાંધીએ પૂછ્યું: Why ? બર્નાર્ડ શોનો જવાબ બહુ માર્મિક હતો.
The right of Godsheep is given to each & everyone, why should I not be a candidate for it.
ટૂંકમાં, જૈન દર્શનમાં હરકોઇ યોગ્ય આત્માને પરમાત્મા બનવાનો અધિકાર છે. આજના ભારતમાં લગભગ ક્ષેત્રોમાં જેમ ગાંધી-નહેરૂ પરિવારની બોલબાલા છે...એવું જૈન દર્શનમાં નથી. એકના એક પરમાત્મા યુગોના યુગો સુધી, ભવચક્ર સુધી ધરતી પર શાસન-અનુશાસન કરી શકતા નથી. એક પરમાત્માનું મોક્ષગમન થયા પછી પુનઃ નવા પરમાત્મા આ ધરતી પર જન્મ લ્ય છે..આમ નવા નવા પરમાત્માની પરંપરા ચાલ્યા કરે છે. નવા નવા જીવાત્મા પરમાત્મા બનતા રહે છે.
આ અને આવી અનેક વાતોથી સમૃદ્ધ પ્રસ્તુત જૈન ઇશ્વરવાદ-તીર્થકર સ્વરૂપ અંગોનું પુસ્તક છે. જેના લેખક છે... આત્મીય સ્નેહી પં. શ્રી સંયમબોધિવિજયજી મ.સા.
કંઇક કરવું...પણ હટકે કરવું...એ એમનો મુદ્રાલેખ છે. શનિવારીય પ્રભુમિલન, હજારો પુણ્યાત્માઓને આકર્ષે એવી પરમાત્માની મહાપૂજા, સમર વેકેશનમાં વિશાળ સંખ્યક યુવાવયના આરાધકો માટે ઉપધાન તપ...આ તેઓશ્રીની આગવી ઓળખ છે એ ઓળખમાં નવી ઓળખનો ઉમેરો થાય છે...શ્રી ભુવનભાનુ પદાર્થ પરિચય શ્રેણીના સંયોજનનો..
એક શુભપળે સ્વ. ગુરૂદેવશ્રી ભુવનભાનુસૂરિ મહારાજના દિલમાં-દિમાગમાં પ્રગટેલી વિચાર જ્યોતને એમણે દિપકનું સ્વરૂપ આપીને અભુત સુકૃત કર્યું છે.
અત્યંત શ્રમસાધ્ય-મહાપરિશ્રમ સાધ્ય આ કાર્યને કાર્યના ભારને તેમણે ખૂબ જ સ્કૂર્તિથી ઉઠાવી લીધું છે. નિર્વિઘ્ન તેઓશ્રી આ શ્રેણીની સફળતા અને પૂર્ણતાને પ્રાપ્ત કરે એજ મંગળકામના.
Page #16
--------------------------------------------------------------------------
________________
પરમ ઊર્જાનો પવિત્ર પરિચય
અનાદિકાળથી વિશ્વમાં પરાશક્તિ અંગેની શોધ-ચિંતન-મથામણ ચાલી રહી છે. વાદળના ગડગડાટ, વીજળીના કડકડાટ, વરસાદ, સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, નદી, પર્વત, સમુદ્ર, જીવોત્પત્તિ, વિશ્વની વિચિત્રતા, ધરતીકંપાદિ ઉત્પાતો આદિ નિહાળીને વિચારક વ્યક્તિ તુરંત જ આ બધાના કારણ તરીકે પરમશક્તિરૂપ ૫૨મતત્ત્વના અસ્તિત્વ વિષે વિચારતો થઇ જાય છે. ૫૨મશક્તિની જ શક્તિના કે કાર્યના પરિણામરૂપ ઉપરની ઘટનાઓને ઘટાવવામાં આવતા ઘણા ઘણા દર્શનકારોએ સૃષ્ટિના સર્જક, સંચાલક અને સંહારક તરીકે ઈશ્વરની-ઈશ્વ૨ત્રયની-અગમ્ય-અગોચરતત્ત્વની કલ્પના કરી છે. અજ્ઞાનતાના કારણે માત્ર કલ્પનાના તરંગો પર રચાયેલા ઘણા-ઘણા દર્શનોની ઇશ્વર વિષેની માન્યતાઓ ક્યારેક અતિ હાસ્યાસ્પદ સાબિત થતી હોય છે. વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોએ પ્રકાશેલા જૈનદર્શનમાં ઈશ્વરનું સ્વરૂપ તમામ દર્શનોથી સંપૂર્ણપણે ભિન્ન છતાં અત્યંત તર્કબદ્ધ અને વાસ્તવિકપણે બતાવવામાં આવ્યું છે. કોઇ પણ અધ્યાત્મવાદી માટે ઇશ્વરતત્ત્વનો નિર્ણય સાધના ક્ષેત્રમાં આગળ વધવા માટે બહુ જરૂરી હોય છે. તે-તે ઇશ્વર તત્ત્વના સ્વરૂપના આધારેજ સાધનાજીવનનો target (લક્ષ્યાંક) અને Map (નકશો) તૈયાર થતા હોય છે. સતત થતું ઇશ્વરતત્ત્વનું ચિંતન (ભાવન) સાધકના મનને તેવી ભૂમિકામાં ઢાળતું રહેતું હોય છે. સતત મનને મળતો ઇશ્વરસ્વરૂપનો ખોરાક આત્માને ૫૨માત્મપણાના ગુણોથી પુષ્ટ કરતો જાય છે અને છેવટે આત્મા પરમાત્મપદને પામે છે.
જૈનધર્મનું સૌથી ઉજળુ પાસુ આ જ છે કે અહીં તમામને પણ ૫૨માત્મા બનવાની તક મળી શકે એ વાત સિદ્ધ કરવામાં આવી છે. ભૌતિક એશ્વર્યથી સમૃદ્ધ ઈશ્વરત્વરૂપ અરિહંતપણાને બધા જીવો પ્રાપ્ત કરે કે ન કરે, પરંતુ અનંત આત્મિક ઐશ્વર્યથી યુક્ત સિદ્ધપણાને તો ભવ્ય જીવો અવશ્ય
૧
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત કરી જ શકે છે. આથી જ જ્યોર્જ બર્નાર્ડ શોએ દેવીદાસ ગાંધી પાસે “જો પુનર્જન્મ હોય તો હું આવતો જન્મ જૈનકુળમાં લેવાનું પસંદ કરું, કારણકે ત્યાં ઈશ્વર બનવાની સહુને સમાન તક આપવામાં આવી છે' એવા ઉદ્ગાર વ્યક્ત
ર્યા હતા, અન્ય ધર્મોમાં ઈશ્વરીયતત્ત્વ એક અથવા અનેક, પણ શાશ્વત જ હોય છે. સદાકાળ માટે તે વિશ્વનું સંચાલન અને વિશ્વનો ન્યાય તોળવાનું કાર્ય કરતા રહેતા હોય તેવું તે લોકોનું માનવું છે, તે સ્વયં ભલે અમુક દોષોથી (રાગ-દ્વેષ-મોહ-હિંસા-મૈથુન આદિથી) યુક્ત હોય, જગતના સામાન્ય જીવોએ તો તે દોષોની સજા ભોગવવી જ પડે અને તે સજા તોળવાનું કાર્ય પણ તે-તે દોષોથી ભરેલા ઈશ્વર જ કરે.
બહુધા આર્યધર્મો કે અનાર્યધર્મોમાં ઈશ્વરની કલ્પના તાર્કિક આધાર વગરની હોય છે. સ્થાન-સ્વરૂપ-વભાવ-શક્તિ આદિમાં અતિશયોક્તિ કે વિકૃતોક્તિના દર્શન થતા હોય છે. જે ઈશ્વર સત્યસ્વરૂપ હોય તેમને વિશે જ ઘણી બધી અસત્ય વાતો અને વાર્તાઓ ઘડી કાઢીને બુદ્ધિજીવી વર્ગમાં શંકાસ્પદ બનાવી દેવામાં આવ્યા છે.
વાસ્તવિકતામાં ઈશ્વર શેયરૂપ છે - તેમના વિરાટ સ્વરૂપના જ્ઞાનથી જીવ પરમસત્યને જાણી શકે છે. શ્રદ્ધયરૂપ છે - તેમના સ્વરૂપ અને શક્તિની અનુભૂતિ દઢ મનોબળ અને વિશ્વાસ પેદા કરે છે. શરણ્યરૂપ છે – કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ સહાય કરશે અને સુરક્ષા આપશે એવી નિર્ભયતા આપે છે. ઉપેયરૂપ છે – તેમના માર્ગે ચાલવાથી તેમના જેવા બની શકાય છે. તેથી તેમના જેવા બનવાની ઇચ્છા અને પુરુષાર્થ જન્મે છે. આવા પરમાત્મસ્વરૂપને યથાશક્ય ઓળખવાનો પ્રયત્ન કરીએ.
ઈશ્વર કેવા હોય ? હું ચાર્વાકદર્શન (નાસ્તિક) સિવાય બાકીના તમામ ધર્મો કોઇ ને કોઇ નામે ઇશ્વરતત્ત્વને માને જ છે, આર્યધર્મો ઇશ્વર, પરમાત્મા, ભગવાન કહીને બોલાવે તો અનાર્યધર્મો અલ્લાહ, God ઇત્યાદિ રૂપે માને, તમામ પરંપરા
Page #18
--------------------------------------------------------------------------
________________
ઓના મતે ઇશ્વર-ઇન્દ્રિયોથી અગમ્ય, વિષયોથી અતીત, સર્વશક્તિસંપન્ન અને સર્વગુણસંપન્ન મનાયા છે.
જેનદર્શનના મતે “ઈશ્વર' વીતરાગ, સર્વજ્ઞ, કરૂણાસાગર હોય છે. ઈશ્વર એટલે કે તીર્થંકર પરમાત્મા
૧) એક જ નથી હોતા, પણ કાળે કાળે નવા થાય છે.
૨) સર્જનહાર નથી પણ દેખણહાર છે. - પોતાના કેવળજ્ઞાન (Omniscience) થી વિશ્વની તમામ વ્યવસ્થા, તેના કાર્ય-કારણભાવ, તેના ઉપાયો આદિ તમામને જાણે છે અને જગતના જીવોને સંસારની પારાવાર વિટંબણાઓથી મુક્ત થવાનો ઉપાય દેખાડે છે.
૩) વરદાન આપનારા કે શાપ આપનારા નથી હોતા, કારણ કે તેઓ રાગ-દ્વેષથી રહિત છે. કર્મ-વ્યવસ્થાના કારણે તીર્થંકર પ્રભુનો અનાદર કરનાર, નિંદા કરનાર, ખોટી ભ્રમણા ફેલાવનાર, તેમની પ્રતિમા આદિ સાથે દુર્વ્યવહાર કરનાર દુઃખી થાય છે અને અનંત (Infinite) કાળ સંસારમાં રખડે છે, અને તેમના પ્રત્યે ભક્તિ-બહુમાન-શ્રદ્ધા રાખનાર, પ્રશંસા કરનાર, તેમના ઉપદેશોને વિશ્વમાં ફેલાવનાર, તેમની પ્રતિમા આદિની પૂજા-ભક્તિ-પ્રતિષ્ઠા આદિ કરનાર, તેમના શાસનના જયજયકાર થાય તેવા કાર્યો કરનાર વ્યક્તિ ખૂબ સુખી થાય છે, ખૂબ ઉત્તમ ગતિને-છેવટે મોક્ષને પણ પ્રાપ્ત કરે છે પરંતુ આમાં તીર્થકરની ઇચ્છા કે કર્તુત્વ ક્યાંય સંકળાયેલા નથી, તેઓ સદાકાળ સર્વ પરિસ્થિતિથી નિર્લેપ હોય છે.
(૪) સર્વવ્યાપી નથી પરંતુ યા તો સંસારના કોઇ એક સ્થાનમાં વિચરનારા અથવા મોક્ષમાં સદાકાળ સ્થિત હોય છે. માત્ર દેહવ્યાપી અથવા આત્મપ્રદેશમાં રહેનારા હોય છે.
(૫) સદાકાળ માટે અદશ્ય નથી. દેહધારી હોય ત્યારે તો વિશ્વમાં તેઓ દેખાય છે. મોક્ષમાં ગયા પછી દેખાતા નથી પરંતુ તેમના અસ્તિત્વનો પડઘો તેમના પ્રભાવરૂપે અવશ્ય પડતો હોય છે.
() એકવાર મોક્ષમાં પધાર્યા પછી પાછા જન્મ લેતા નથી. ઘણા દર્શનકારો એવું માને છે કે પોતાની ધર્મપરંપરાને આપત્તિગ્રસ્ત જોઇ તે આપત્તિઓના નિવારણ માટે કે ધર્મતીર્થને ફરી લોકપ્રસિદ્ધ બનાવવા ફરીથી જન્મ ધારણ કરે છે. જેને “અવતાર માનવામાં આવે છે. દશ અવતાર-ચોવીશ
Page #19
--------------------------------------------------------------------------
________________
અવતાર વગેરે ઘણી ઘણી વાતો અલગ અલગ ધર્મોની પરંપરામાં બતાવવામાં આવી છે. પરંતુ જૈનદર્શનના તીર્થકરો ફરીથી-જન્મ નથી લેતા... બીજા જ આત્માઓ ઉત્કૃષ્ટ શુભપુણ્યના બળે નવા તીર્થકર તરીકે આવે છે.
(૭) ઇશ્વર રાગ-દ્વેષ અને મહામોહરહિત હોય છે. રાગ-દ્વેષથી અકાર્ય કે અનુચિતકાર્ય થતા હોય છે. જેન તીર્થકરો રાગ-દ્વેષયુક્ત નથી હોતા... આત્માની તમામ મલિનતાઓનો નાશ કરી વિશુદ્ધ પરમનિર્મળભાવને પ્રાપ્ત કરી ચૂકેલા તીર્થંકર પરમાત્મા હોય છે.
આવા તીર્થકર ભગવંતના ચરણોમાં લાખ લાખ નમસ્કાર..
વિશ્વમાં પ્રચલિત કોઇ પણ દર્શનમાં ઈશ્વર બે રૂપે અથવા બેમાંથી કોઇ એક રૂપે મનાય છે. નિરાકાર અને સાકાર..
(૧) અનાદિકાલથી શુદ્ધ-સનાતન-પરમશક્તિવંત પરમતત્વરૂપ ઈશ્વર... યોગની પરિભાષામાં પરબ્રહ્મ કહેવાય છે.
(૨) વ્યક્તિરૂપ ઈશ્વર... મનુષ્યરૂપે ધરતી પર અવતરી લોકમાં ઈશ્વરરૂપે પ્રસિદ્ધ થાય તે... કોઇક પરંપરામાં ઈશ્વરતત્વ જ અવતાર લઇ વિશ્વમાં સત્યમાર્ગ દેખાડે છે, ક્યાંક ઈશ્વરનો સંદેશવાહક યા તો માનસપુત્ર ધરતી પર આવે છે. જેનદર્શનના મત મુજબ આગળ બતાવાનારી પ્રક્રિયાથી આત્મામાંથી પરમાત્મા બનવાની પાત્રતા જેમની પ્રગટી ચૂકી છે તેવા આત્માઓ તીર્થકર બની સાધનાપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરી વિશ્વને શાશ્વતસુખનો માર્ગ દેખાડતા હોય છે.
જિનશાસનમાં પણ પરબ્રહ્મ અને વ્યક્તિબ્રહ્મ એમ બન્ને પ્રકારની વાતોને સ્વીકારવામાં આવી છે.
- ૧) તમામ અરિહંતોમાં રહેલું આહત્ત્વ = અરિહંતપણું-તે જ પરમબ્રહ્મ...
'सकलाऽर्हत्प्रतिष्ठान-मधिष्ठानं शिवश्रियः । भूर्भुवःस्वस्त्रयीशान-मार्हन्त्यं प्रणिदध्महे ।।'
આજ સુધીમાં થયેલા, વર્તમાનમાં વિદ્યમાન અને ભવિષ્યમાં થનારા તીર્થકર ભગવંતોની આધારશીલા, મોક્ષલક્ષ્મીનું મંગલસ્થાન, પાતાલલોક, મનુષ્યલોક અને સ્વર્ગલોક-એમ ત્રણે લોકમાં જેમનો મહિમા, જેમની આજ્ઞા અને જેનું સામ્રાજ્ય અખંડ છે તેવા આઈજ્યનું પ્રણિધાન કરીએ છીએ.
-
૪
-
Page #20
--------------------------------------------------------------------------
________________
સમગ્ર વિશ્વની સુરક્ષા અને સાનુકૂળતા આર્હત્ત્વના પ્રભાવે જ સચવાય છે. સૂર્ય અને ચન્દ્રનું સમયસર ઊગવું અને આથમવું, પર્વતોનું ન કંપવું, પ્રલયકાળ જેવા ભયંકર વાવાઝોડા ન થવા, સમુદ્ર વારંવાર મર્યાદા ન તોડે, જંગલી પશુઓનું જંગલની મર્યાદા તોડી બધે જ વારંવાર વસતિમાં ન આવવું, આ તમામના કારણભૂત આર્હત્ત્વ છે. લવણસમુદ્રમાં આવેલી ૧૭,૦૦૦ યોજન ઊંચી પાણીની શિખામાં સમાયેલો વિરાટ પાણીનો જથ્થો જંબૂદ્વીપને ડૂબાડી ન દે તે માટે ૧,૪૨,૦૦૦ થી અધિક વેલંધ૨-અનુવેલંધર દેવતાઓ સતત તે પાણીના જથ્થાને control માં રાખે છે, તેના મૂળમાં આર્હત્ત્વ છે. આવી તો પુષ્કળ બાબતો છે. આર્હત્ત્વ એટલે ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વની જીવાદોરી. આવા આર્હત્ત્વને ભાવથી વંદન કરીએ.
(૨) વ્યક્તિરૂપ ઈશ્વર - જબરદસ્ત કરુણાભાવના, વિશિષ્ટ સમ્યગ્દર્શન, વીશસ્થાનકમાંના કોઇ પણ એક અથવા વધારે સ્થાનકોની ઉત્કૃષ્ટ આરાધના આદિથી તીર્થંક૨ થવા માટે જરૂરી તીર્થંકર નામકર્મનું જે ઉપાર્જન કરી શકે, તે ત્યાર બાદના ભવમાં દેવલોકમાં અથવા ક્યારેક જ નરકમાં જઇ આવી મનુષ્યલોકમાં આવી તીર્થંક૨ બને છે. તીર્થંકરપણાના કર્મના પ્રભાવે તેમનો ખૂબ મહિમા અને પ્રભાવ હોય છે, તેથી તેમની પરમસત્ય વાતને સ્વીકારનારાઓનો મોટો સમુદાય ઊભો થાય છે. ઘણા ઘણા ભવ્યાત્યાઓ સંસારના સુખોનો સર્વથા ત્યાગ કરીને સાધુ-સાધ્વીજી પણ બની જાય છે, લાખોકરોડો કે અસંખ્ય વર્ષ સુધી તે તીર્થંકર ભગવંતની વાણીને As it is form માં સતત તેજસ્વી સાધુ-સાધ્વીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ આગળ વધારતા રહે છે અને તે મોક્ષમાર્ગ બની અસંખ્ય જીવોના આત્મકલ્યાણનું કારણ બની રહે છે. આમ, સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી મોક્ષમાર્ગનું જીવંત પ્રવર્તન કરાવનારા, સત્યને સમજીને આચરવા તૈયાર થયેલા અસંખ્ય જીવોનું કલ્યાણ કરનારા, વિશ્વમાંથી અશુભની અસરને ઘટાડનારા વ્યક્તિરૂપ તીર્થંકર ભગવંત હોય છે. વિશ્વમાં જ્યાં જે કાંઇ પણ શુભ દેખાય છે, તે તમામના મૂળમાં આવા વ્યક્તિ ઈશ્વરૂપ-તીર્થંકર ભગવંતોની વાણીની અસર હોય છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
છે બે પ્રકારના વ્યક્તિ ઈશ્વર છું મોટા ભાગના આર્ય યોગશાસ્ત્રોએ કર્મમુક્ત-પરતંત્રતામુક્ત આત્માને જ ઇશ્વર માન્યા છે. આવા મુક્તાત્મા બે પ્રકારના હોય છે.
૧) વિદેહમુક્ત (મુક્ત થયેલા) - કર્મથી-(સંસારી જીવના તમામ અવસ્થાના નિયામક અદષ્ટ તત્ત્વથી) સંપૂર્ણપણે મુકાયેલા અને એથી જ સંસારથી પાર પામીને મોલમાં પહોંચી ચૂકેલા, દેહ આદિથી રહિત શુદ્ધાત્મા-તે વિદેહમુક્ત. જેનદર્શન તેમને “સિદ્ધ ભગવંત' કહે છે.
૨) જીવનમુક્ત – દેહધારી હોવા છતાં આત્મગુણોને ખતમ કરનારા ભયાનક ઘાતકર્મોનો નાશ થવાથી સર્વજ્ઞપણું અને વીતરાગપણું જેમને પ્રાપ્ત થઇ ચૂકયું છે અને તે જ ભવમાં બાકીના બધા કર્મોનો નાશ કરી જેઓ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી લેવાના છે તે જીવનમુક્ત કહેવાય છે. આવા જીવનમુક્ત સર્વજ્ઞ તો કરોડોની સંખ્યામાં હોય છે, પરંતુ જેઓનો આત્મા કેટલીક અતિઉચ્ચ પ્રકારની વિશેષતાઓથી યુક્ત હોવાથી તેમને વિશ્વવ્યવસ્થાતંત્ર કેટલાક અભુત ઐશ્વર્યની ભેટ ઘરે છે, જે અતિશય તરીકે ઓળખાય છે, આવા અતિશયથી યુક્ત મહાપ્રભાવશાળી આત્માને જૈન દર્શન-તીર્થંકર-“અરિહંત' ઇત્યાદિ નામથી ઓળખાવે છે. આવા તીર્થંકર-અરિહંત તે ઈશ્વર કહેવાય છે, કારણ કે ઈશ્વર = ઐશ્વર્યયુક્ત.. આવા અરિહંતો બહુ જ મર્યાદિત સંખ્યામાં હોય છે જે આગળ ઉપર વર્ણવાશે. આ પુસ્તકમાં મુખ્યતયા આપણે તેમના અંગે જ વિશેષ જ્ઞાન મેળવવાનું છે.
દેહમુક્ત ઇશ્વર અનાદિ અનંતકાળથી સંસારમાં ભટકતો આત્મા ધર્મસાધનાના પ્રભાવે અને પ્રચંડ આત્મબળપૂર્વકના ઘોર પુરુષાર્થથી સદાકાળ માટે જન્મમરણના ચકરાવામાંથી મુક્ત થઈ જાય છે, ત્યારે તે અશરીરી આર્યશ્વર્યવાન સિદ્ધાત્મા બને છે. તમામ કર્મોના આવરણ હટી જવાથી આત્માની અનંતશક્તિ-અનંતસિદ્ધિ અને અનંતલબ્ધિઓ પૂર્ણપણે પ્રકટ થઇ ચૂકી હોવાથી પરમઐશ્વર્યવાન હોય છે. પરંતુ તેઓ રાગ-દ્વેષથી મુક્ત થઇ ગયા હોવાના કારણે તથા કોઇ
Page #22
--------------------------------------------------------------------------
________________
કારણ ન હોવાથી ક્યારેય તેઓ પોતાની શક્તિનો ઉપયોગ કરતા નથી.. દરિયામાં નાવ ચલાવનાર ખલાસીને જેમ ધ્રુવનો તારો દિશાસૂચક બની રહે છે તેમ અગણિત સાચા સાધકો માટે આ સિદ્ધભગવંતો ધ્રુવના તારાની જેમ આલંબન અને આધારભૂત બની રહે છે. તેમનું ધ્યાન-ચિંતન-મનન-નિદિવ્યાસન અનંતા કર્મોના ભુક્કા બોલાવી દેવા સમર્થ હોય છે.
જૈનદર્શનના મતે ચોદરાજલોકરૂપ સમગ્ર વિશ્વના સૌથી ટોચના ભાગે બરાબર મધ્યભાગમાં આવેલી ૪૫ લાખ યોજન લાંબી-પહોળી સફેદ સુવર્ણથી બનેલી સિદ્ધશિલાની ઉપર, લગભગ એક યોજનાનું અંતર રાખી એ જ ૪૫ લાખ યોજન જેટલા અવકાશમાં મસ્તકના ભાગથી બધા સમાન રહે તે રીતે સિદ્ધાત્માઓ સ્વરૂપમાં સ્થિર થયેલા હોય છે. આવા સિદ્ધભગવંતોનું આત્મસુખ જગતના ત્રણે કાળના ત્રણે લોકના તમામ જીવોના સુખના સરવાળાથી પણ અનંતગણું વધારે હોય છે. તેથી તેમને ઈશ્વર કહી શકાય...
અરૂપી, અવિનાશી, અક્ષય, અનંત, અવ્યાબાધ (પીડારહિત) સ્થિતિના ધારક અનંતાનંત સિદ્ધભગવંતોને કોટિ કોટિ વંદન....
જીવનમુક્ત ઈશ્વર દેહધારી છતાં બધા ઘાતી કર્મોનો નાશ કરી ચુકેલા તીર્થકર ભગવંતો જીવનમુક્ત ઈશ્વર તરીકે પ્રસિદ્ધ છે. વિશ્વ પર અનંત ઉપકાર આ જ તીર્થકર ભગવંતોનો હોય છે. સ્વયં સાધનાના પંથનો નકશો બનાવી-“સ્વ'ના આત્માને વિશુદ્ધ બનાવી વિશ્વને તેમણે બહુ જ મધ્યસ્થ માર્ગદર્શન આપ્યું તેથી જ વિશ્વને આત્મકલ્યાણનો માર્ગ મળ્યો. કર્તવ્યા-કર્તવ્ય, સારા-સારનો વિવેક મળ્યો. જીવન જીવવાની સાચી દિશા મળી, અજ્ઞાનના અંધકારમાં અથડાતા વિશ્વને સુખનો સાચો પ્રકાશ ચિંધનારા પરમાત્માનો ઉપકાર વિશ્વ ક્યારેય ભૂલી ન શકે.
આ ૭
-
Page #23
--------------------------------------------------------------------------
________________
છે તીર્થકર કેવી રીતે બનાય ? હું
જૈનદર્શનના મત મુજબ [સર્વજ્ઞના વચન મુજબ એમ વાંચવું આપણી જેમ જ સંસારના ચકરાવામાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરી ચૂકેલો આત્મા પોતાના રાગ-દ્વેષ-મોહને અત્યંત વશ કરી સત્યમાર્ગની શ્રદ્ધા પ્રાપ્ત કરે છે. કેટલાક જીવોને આવો સત્યમાર્ગ સહુને મળે, સહુ જીવો કર્મના બંધનથી મુક્ત થાય અને મોક્ષને પ્રાપ્ત કરે એવી ઉત્કૃષ્ટ ભાવના ઉત્પન્ન થાય છે. યોગબિન્દુ નામના ગ્રંથમાં પૂ.આ. શ્રી. હરિભદ્રસૂરિજી મ.સા. આ ભાવનાનું સ્વરૂપ બતાવતા જણાવે છે કે “મોહના અંધારાથી બિહામણા સંસારમાં સત્ય મોક્ષ માર્ગનું ... તેજ વિદ્યમાન હોવા છતાં જીવો ભટકી ભટકીને દુઃખી થાય છે. હું આ તમામ જીવોને મારી તમામ તાકાત લગાવીને કોઇને કોઇ શુભયોગ દ્વારા સંસારસાગરથી પાર ઉતારી દઇશ'.. આવી ઉત્કૃષ્ટ શુભભાવનાથી ભાવિત આત્મા તીર્થકર નામકર્મ રૂપી ઉત્કૃષ્ટતમ પુણ્યકર્મ નિકાચિત (અતિ મજબૂત રીતે, જેને લગભગ નાશ ન કરી શકાય તે રીતે બાંધવું તે) કરે છે. તેના પ્રભાવે જીવ ત્રીજા ભવમાં તીર્થકર બને છે.
આવી ભાવના ધરાવતો આત્મા સહજ રીતે અતિનિર્મળ શ્રદ્ધા, અખંડ વિનયભાવ, અણિશુદ્ધપણે વ્રતનિયમોનું પાલન કરતો હોય છે. સંસારથી ઉત્કષ્ટપણે વૈરાગ્ય પામી મક્ષની ભાવનામાં જ રમતા આ જીવો જ્ઞાનમય-તપત્યાગમય જીવન જીવીને ધર્માજીવોના સમુદાય-સાધુ ભગવંતો આદિની લાગણીપૂર્વક સેવાભક્તિ કરે છે, તેમની અખંડ પ્રસન્નતા જળવાય તેવી કાળજી રાખે છે. સતત પ્રેમથી છલકાતા આ જીવો સહુને સન્માર્ગે જોડવા, એ સન્માર્ગમાં આવતા અંતરાયોથી એમનું રક્ષણ કરવું, સહુનો ઉલ્લાસ-આનંદ અને ધર્મમાર્ગ માટેનો પ્રેમ વધતો રહે તેવા આયોજનો કરવા, ધર્મમાર્ગની ખૂબ સૂક્ષ્મ કાળજીપૂર્વક તમામ આરાધના કરવી અને બીજા પાસે કરાવવી આદિ અનેક શુભયોગો દ્વારા ધર્મસ્થાપક બનવાનું વિશિષ્ટ મહાપુણ્ય ઉપાર્જન કરે છે.
આ બધી બાબતો શાસ્ત્રીય પરિભાષામાં વીશસ્થાનકની આરાધના કહેવાય છે. અલગ અલગ વશ ઉત્તમ પદોની આરાધના દ્વારા જીવ તીર્થકર નામકર્મ નિકાચિત કરતો હોય છે. આ વીશ સ્થાનકો નીચે પ્રમાણે છે.
૧) અરિહંતવાત્સલ્ય - સર્વ અરિહંત ભગવંતો પ્રત્યે અતિશય ભક્તિ
Page #24
--------------------------------------------------------------------------
________________
રાગ, અરિહંત પરમાત્માના વાસ્તવિક ગુણોની લોકમાં પ્રસિદ્ધિ કરવી અને પ્રશંસા કરવી, તથા અરિહંત પરમાત્માને ઉત્કૃષ્ટ દ્રવ્યોનું સમર્પણ તથા ઉત્કૃષ્ટ ભાવોની ભાવના, ધ્યાન, ચિંતન, આજ્ઞાપાલન, તપ આરાધના આદિથી તીર્થંકર નામકર્મ બાંધી શકાય છે.
૨) સિદ્ધવાત્સલ્ય – અનંત સિદ્ધભગવંતો પ્રત્યે શ્રદ્ધાભાવ, અનુમોદના ભાવપૂર્વક ભક્તિ, સિદ્ધ ભગવંતોના ૮ ગુણ અથવા ૩૧ ગુણોને લોકમાં પ્રસિદ્ધ કરવા-તે ગુણોની પ્રશંસા કરવી તથા સિદ્ધ ભગવંતોના આલંબને ઉત્કૃષ્ટ દ્રવ્યોના સમર્પણ અને તપ-ત્યાગ-ભાવના-ધ્યાન આદિ કરવા તે.
૩) પ્રવચન વાત્સલ્ય - કેવલજ્ઞાન દ્વારા વિશ્વના તમામ જ્ઞયભાવોને જોતા-જાણતા વીતરાગ પરમાત્મા અમૃતરસના કુંડા સમી જે દેશના આપે છે તે દેશના એટલે પ્રવચન, અથવા ચતુર્વિધ શ્રીસંઘ એટલે પ્રવચન. આ પ્રવચન પ્રત્યે ભક્તિ-પ્રશંસા અને સમર્પણ રાખવા તે...
૪) આચાર્યવાત્સલ્ય - તીર્થકર ભગવંતોની ગેરહાજરીમાં જિનશાસનના રાજા, ૩૬ x ૩૬ = ૧૨૯૬ ગુણથી યુક્ત, આચારમાર્ગનું પાલનપોષણ અને પ્રવર્તન કરાવનારા આચાર્યભગવંતોની ભક્તિ-પ્રશંસા અને સમર્પણ રાખવા તે. શાસ્ત્રોમાં-ધર્મોપદેશદાતા ગુરુ' નામથી પણ આ પદ ઓળખાય છે.
૫) સ્થવિરવાત્સલ્ય - વયોવૃદ્ધ, પર્યાવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ સાધુભગવંતો-જે પોતાના અનુભવ, વાત્સલ્ય અને જ્ઞાનનો લાભ આપી જીવોને ધર્મમાર્ગમાં સ્થિર કરે છે તે ગુણસમૃદ્ધ સ્થવિર ભગવંતો પ્રત્યે ભક્તિ-અનુમોદના-સમર્પણ રાખવા તે.
૬) ઉપાધ્યાયવાત્સલ્ય – સાધનાની અજાણ પગદંડીએ પગલું પાડતા સાધક માટે જ્ઞાન દીપકની ગરજ સારે છે. તેના વિના તો એક ડગલુ પણ આગળ કેમ મંડાય ? (પઢમં નાણ તણો દયા) આવા જ્ઞાનમાર્ગનું (સૂત્ર-અર્થ બન્નેનું) દાન કરનાર ઉપાધ્યાય ભગવંત પ્રત્યે તીવ્ર અહોભાવ-અનુમોદના અને આત્મસમર્પણ કરવા તે. અનેક શાસ્ત્રોમાં આ પદ “બહુશ્રુત = ઉત્તમ જ્ઞાની” નામથી પણ જણાવાય છે.
૭) સાધુવાત્સલ્ય - વૈરાગ્યવાસિત, કરુણાસભર, પંચમહાવ્રતધારી સંસારત્યાગી-સાધુ ભગવંત-જે વિશિષ્ટ સાધના અને ઉગ્ર તપસ્યાઓ દ્વારા મહાશોર્ય અને મહાસત્ત્વના જીવંત ઉદાહરણ બની રહ્યા છે, તેમના પ્રત્યે
Page #25
--------------------------------------------------------------------------
________________
બહુમાન-પ્રશંસા અને સંયમોપયોગી દ્રવ્ય આદિનું સમર્પણ કરવું તે. આ પદની જગ્યાએ ‘તપસ્વી' પદ પણ લેવાય છે.
૮) જ્ઞાન - “નાણે પયાસગં'-જ્ઞાન એ જીવનના દરેક પાસાને અજવાળતી તેજરેખા છે. આવી જ્ઞાનગંગામાં સતત ડૂબકી મારી જીવનરહસ્યોના રત્નોને પામી લેવા તે. કેટલાક શાસ્ત્રોમાં અહીં “સતત જ્ઞાનનો ઉપયોગ'-એ પદ મૂકવામાં આવેલ છે.
૯) દર્શન - આત્મદર્શન અને વિશ્વદર્શન કરી ચૂકેલા પરમાત્માની સર્વ પ્રરૂપણા, આજ્ઞા અને આચારમાર્ગ પર સંપૂર્ણ શ્રદ્ધા સ્થાપિત કરી દેવી છે. કોઇ પણ જાતની મલિનતા કે બાંધછોડ વિના પ્રભુવચનને સમર્પિત થવું તે.
૧૦) વિનય - સર્વગુણોની પ્રાપ્તિ અને સર્વસિદ્ધિઓની પ્રાપ્તિનું એક માત્ર બીજ એટલે વિનય. ઉપકારી અને ગુણાધિક વ્યક્તિઓ પ્રત્યે હદયનો નમ્રતાનો-અહોભાવનો-સમર્પણનો ભાવ તે વિનય. સામાન્ય પણ ખંડન ન થાય તે રીતે વિનયગુણને આત્મસાત્ કરવા પ્રયત્ન કરવો તે.
૧૧) ચારિત્રપદ - એકઠા થયેલા કર્મોના જથ્થાને ઓછો કરી આપે તે ચારિત્ર. શ્રાવકજીવનરૂપ દેશવિરતિ અને સાધુજીવનરૂપ-સર્વવિરતિધર્મની અણિશુદ્ધ આરાધના કરવી અને કોઇ પણ પ્રકારની શિથિલતાઓ ન સેવવી તે.
અહીં ઘણા “આવશ્યક પદ પણ બતાવે છે. નિત્ય = દરરોજ કરવા યોગ્ય આરાધના છે. સામાયિક આદિ છ આવશ્યકની આરાધના અખંડપણે કરવી તે.
૧૨) બ્રહ્મચર્યપદ - બ્રહ્મ = શુદ્ધાત્મા-જેને આપણે પરમાત્મા કહીએ છીએ, પરમાત્માની જેવું નિર્મળ આચરણ રાખવું તે બ્રહ્મચર્ય. મન-વચન અને કાયાથી સંપૂર્ણપણે પવિત્રતામય જીવન જીવવું તે. સોનાના જિનમંદિરોથી આખી પૃથ્વીને મઢી દે તેના કરતાં પણ આ વ્રતનો મહિમા વધુ મનાયો છે. આ વતને નિર્મળપણે પાળવું.
અહીં “શીલ'-પદ દ્વારા ચારિત્રધર્મને પોષક વિશિષ્ટ મર્યાદાઓના પાલન આદિની વાત પણ અત્રે પ્રાચીન શાસ્ત્રકાર ભગવંતો દ્વારા બનાવાય છે.
૧૩) ક્રિયાપદ – 'જ્ઞાન-શિયાભ્યાં નોક:”
એટલે કે જ્ઞાન અને ક્રિયાના તાલમેલ દ્વારા જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તીર્થકર ભગવંતોએ પ્રકારેલા વિશુદ્ધ ક્રિયા ધર્મનું સેવન તમામ શક્તિથી કરવું તે.
* ૧૦
Page #26
--------------------------------------------------------------------------
________________
અહીં ‘વત’ - પદ બતાવીને સંયમીઓને પાંચ મહાવ્રત અથવા ગૃહસ્થોને પાંચ અણુવ્રતની આરાધનાનો ઉલ્લેખ પણ પ્રાચીન શાસ્ત્રકારોએ કર્યો છે. ક્યાંક શીલવત ભેગું લઇ એક પદ બતાવ્યું છે.
૧૪) તપપદ – આત્મા પર લાગેલા તમામ કર્મોનો નાશ કરવા માટે સમર્થ હોય તો તપ છે. ઘોર અને ઉગ્રતપ દ્વારા કર્મો સામે બરાબરીનો જંગ ખેડી લેવો તે તીર્થંકર નામકર્મ બંધાવી શકે.
અહીં ‘ક્ષણલવ’ શબ્દ દ્વારા વૈરાગ્ય દ્વારા સમાધિમાં રહેવાની વાત પ્રાચીન શાસ્ત્રકારોએ બતાવી છે.
૧૫) ગૌતમ (દાન) પદ - પાંચ પ્રકારના દાનની નિષ્કપટપણે ઉલ્લાસથી પ્રવૃત્તિ કરવી જોઇએ. અહીં પોતાની પાસે નહોતું એવા પણ કેવળજ્ઞાનનું દાન પોતાના હાથે દીક્ષિત તમામ સાધુઓને આપનારા મહાદાનવીર ગૌતમસ્વામિજી ભગવંતનું સ્મરણ કરીને આરાધના થાય છે. બીજા શાસ્ત્રકારોએ અહીં તપસમાધિ નામનું પદ બતાવ્યું છે.
૧૬) જિનપદ - પોતાના આત્મામાં રહેલા રાગ-દ્વેષ અને મોહની વિશ્વવિજેતા ત્રિપુટીને જીતી લેનાર, ઇન્દ્રિયો અને મન પર વિજય મેળવનારા વીતરાગી તે જિન. સામાન્ય કેવળીઓ (અરિહંત પ્રભુ સિવાયના) પણ આમાં આવી જાય છે. તેમની ભક્તિ, પ્રશંસા અને સમર્પણ
અહીં પ્રાચીન શાસ્ત્રકારોએ ત્યાગસમાધિ નામનું પદ બતાવ્યું છે. દ્રવ્ય-ભાવ બે પ્રકારના ત્યાગમાં સૂત્રાનુસારે યથાશક્તિ સતત પ્રવૃત્તિ કરવી તે...
૧૭) સંયમપદ – આહારાદિ સંજ્ઞાઓ પર નિયંત્રણપૂર્વકનું સંયમી નિષ્પાપ જીવન જીવવાનો સતત પ્રયત્ન કરવો તે. અહીં અન્ય શાસ્ત્રકાર ભગવંતો વૈયાવચ્ચસમાધિ પદ બતાવે છે.
૧) આચાર્ય ૨) ઉપાધ્યાય ૩) વિર ૪) તપસ્વી ૫) ગ્લાન (બિમાર) ૬) શૈક્ષક (નૂતન દીક્ષિત) ૭) સાધર્મિક ૮) કુલ (એક આચાર્યની નિશ્રામાં રહેનાર) ૯) ગણ (એકજ પ્રકારની આચાર પરંપરા-તત્ત્વપરંપરા ધરાવતા આચાર્યોનો સમુદાય) ૧૦) સંઘ-જૈનધર્મને પાળનારા તમામ-આ દસેની ૧) અન્નદાન ૨) પાણીદાન ૩) આસનદાન ૪) ઉપકરણદાન ૫) પગપૂજવાસાફ કરવા ૬) વસ્ત્રદાન ૭) ઔષધદાન ૮) માર્ગમાં સહાય કરવી. ૯) દુષ્ટચોરોથી રક્ષણ કરવું ૧૦) વસતિમાં પ્રવેશ વખતે દાંડો લેવો ૧૧) માત્રાનું
Page #27
--------------------------------------------------------------------------
________________
વાસણ ૧૨) ઠલ્લાનું વાસણ ૧૩) શ્લેષ્મ-કફ કાઢવાનું વાસણ આપવું.
આ ૧૩ પ્રકારની વૈયાવચ્ચ (સેવા) માં સતત પ્રવૃત્તિ કરવી તે વૈયાવચ્ચે સમાધિ. ૧૨-૧૩ માં નંબરમાં બતાવેલ શીલવ્રતને એક માનનારા મહાપુરૂષોના મતે બધા ક્રમ એક-એક આગળ જતા અહીં ‘સમાધિ’ પદ બતાવેલ છે. દુર્ધ્યાનનો ત્યાગ કરવો અથવા ગુર્વાદિના વિનય કરવા દ્વારા તેમને માન
સિક સંતોષ આપવો તે સમાધિ...
૧૮) અભિનવ-શ્રુતગ્રહણ - સંવેગ અને વૈરાગ્યમાં ઝીલાવનારા નવા નવા શ્રુતજ્ઞાનનું અપ્રમત્તપણે ગ્રહણ કરવું તે... જ્ઞાન પ્રત્યેના અહોભાવ તથા અપ્રમત્તતાથી તીર્થંકરનામકર્મ બંધાય.
૧૯) શ્રુતબહુમાન શાસન સ્થપાય કેવળજ્ઞાનથી, સંચાલિત થાય શ્રુતજ્ઞાનથી... ૧૪ અથવા ૨૦ પ્રકારના ભેદથી યુક્ત શ્રુતજ્ઞાનની ભક્તિથી તીર્થંકર બનાય.
૨૦) તીર્થપ્રભાવના - જ્ઞાન, તપ, વ્યાખ્યાન, કવિતા, ધર્મવાદમાં વિજય આદિ દ્વારા તથા વિશિષ્ટ ઉદારતાપૂર્વક કરાતા તીર્થયાત્રા, છ'રીપાલક સંઘ, જિનાલય નિર્માણ, મહોત્સવો આદિ દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી શકાય છે.
-
આવા વિશિષ્ટ તપ, આપણને શુભતત્ત્વમાં ઝીલતા રાખનારા વીશેવીશ પદોની અથવા તેમાંના કોઇ પણ એક પદની આરાધના દ્વારા જીવ તીર્થંકર બની શકે છે. તીર્થંકર બનવાની પાત્રતા ધરાવનારા જીવમાં અનુરાગઆદર-બહુમાનભાવ-પ્રેમ-ભક્તિ ટોચ કક્ષાના હોય છે. તેમના જેવું ઉત્કૃષ્ટ વાત્સલ્ય અન્ય કોઇ જીવોમાં હોતું નથી. જેમકે શ્રીકૃષ્ણ, શ્રેણિક મહારાજા, સુલસા શ્રાવિકા આદિમાં જેવી તીર્થંક૨ભક્તિ હતી, તેવી બીજા જીવોમાં જોવા નહીં મળે... આ તીર્થંકર બનનારાની વિશેષતા છે.
આ વીશસ્થાનકો શાશ્વત = સર્વકાલીન છે. ત્રણે કાળમાં આ જ વીશતત્ત્વોની ઉત્કૃષ્ટ ભક્તિ-વિનય-બહુમાન- આસેવન દ્વારા તીર્થંકર નામકર્મ નિકાચિત થઇ શકે છે. જે પણ જીવો તીર્થંકર થયા છે, થાય છે કે થશે તે આ જ વીશસ્થાનકની આરાધનાથી...
તેથી આમાંના કોઇ પણ તત્ત્વ પ્રત્યે ઉત્કૃષ્ટ બહુમાન-ભક્તિ-વિનય આદિને અત્યારથી કેળવવાનો પ્રયત્ન કરવો તે તીર્થંકર બનવા તરફનો માર્ગ છે.
૧૨
Page #28
--------------------------------------------------------------------------
________________
' તીર્થકર કોણ બની શકે RAW-MATERIAL OF TEERTHANKAR
સંગીતકાર મોઝાર્ટ પાસે એક યુવાન સંગીત શીખવા માટે આવ્યો. મારે પણ તમારા જેવા સંગીતકાર થવું છે. તેના માટે કેટલો સમય લાગે ?' યુવાને પૂછયું.
મોઝાર્ટ જવાબ આપ્યો-“પહેલા બે વરસ સારેગમપધનીસાને લયમાં ગાતા શીખો. પછી ૫ વર્ષ રિયાઝ કરીને ગળું કેળવો. પછીના ૩ વર્ષ..” “આટલા બધા વર્ષ ?” યુવાન રાડ પાડી ઉઠ્યો ને ફરિયાદ કરી “પણ તમે તો ૫ વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કરી દીધેલું. તો મને આટલા બધા વર્ષ કેમ ?'
“હું કાંઈ તમારી જેમ કોઇને પૂછવા નહોતો ગયો કે સારું ગાવું હોય તો શું કરવું ?' ઠાવકા મોંએ જવાબ આપી- “સંગીત એ પોતાની નૈસર્ગિક પ્રતિભા છે.” એ મોઝાર્ટ સિદ્ધ કરી દીધું...
દુનિયામાં શક્તિ પ્રકૃતિનું પણ વરદાન હોઈ શકે છે તો પુરૂષાર્થનું પણ. પરંતુ તીર્થંકરપદ એ તો માત્ર અને માત્ર અનાદિકાલીન જીવની તેવા પ્રકારની પ્રાકૃતિક ભવ્યતાનું જ પરિણામ હોઇ શકે છે. પપુરૂષચરિત વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે કે અનાદિકાલીન અવ્યવહાર રાશિમાં (અનાદિ સૂક્ષ્મ નિગોદમાં) હોય ત્યારે પણ તેઓ (તીર્થકરના જીવો) અનેક વિશિષ્ટ ગુણોના કારણે બીજા જીવો કરતા ઉત્તમ હોય છે. ખાણમાં રહેલો હીરો જેમ પોતાની જ સાથે રહેલા પથ્થર-કોલસા આદિ કરતા ચડિયાતો હોય છે, તેમ અનાદિ નિગોદથી તીર્થકરનો આત્મા અન્ય જીવો કરતા ચડિયાતો હોય છે. પાત્રતાથી એટલે કે ગુણોથી-આત્મસ્વભાવથી-પુણ્યથી આ જીવ બીજા જીવો કરતા ચડિયાતો હોય છે.
ચૈત્યવંદનના સૂત્રો પર પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા “લલિતવિસ્તરા” નામક ટીકાગ્રંથમાં નમૂલ્યુ' સૂત્રમાં આવતા પૂરસુત્તમ’ પદના વિવેચનમાં તીર્થંકરદેવોના આત્મામાં રહેલી અનાદિકાલીન દશ વિશેષતાઓનું વર્ણન ક્યું છે. જેના પ્રભાવે તેઓ તમામ જીવો કરતા અનંતગણા ચડિયાતા સાબિત થાય છે. તે દશ વિશેષતાઓ આ પ્રમાણે છે.
૧) માનનેતે પરાર્થવ્યસનિનઃ :- અનાદિકાળથી આ તીર્થકરના જીવો અત્યંત પરોપકાર કરવાના વ્યસનવાળા હોય છે. હૃદયની કોમળતા, ઉદારતા અને પ્રેમાળતા વગર પરોપકારના વિશિષ્ટ કાર્યો થવા અસંભવ છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
અહીં પરોપકારકારિણઃ” ન લખતા પરોપકારવ્યસનિનઃ લખ્યું છે તે બતાવે છે કે જેમ વ્યસનીને વ્યસનના દ્રવ્ય વગર ન ચાલે, તેમ તીર્થકરના જીવોને અનાદિકાળથી પરોપકાર ર્યા વગર ચાલતું નહોતું... તક મળી જાય તો પરોપકાર કરવો એમ નહીં, પરોપકારની તકને સામે ચાલીને શોધવા નીકળે તે વ્યસની... તીર્થંકર પ્રભુ અનાદિકાળથી આવા હોય છે.
૨) ૩૫ર્નની તસ્વાર્થીઃ :- પોતાના લાભને, મહત્ત્વને કે પ્રતિષ્ઠાને જેમણે ગૌણ કરી નાંખ્યા છે... સ્વાર્થ સાચવીને પરોપકાર કરનારા હજી મળે, દેવાધિદેવના આત્મા તો પોતાના સ્વાર્થના ભોગે પરોપકાર કરનારા હોય છે. તેમના ચિત્તમાં પોતાની જરૂરિયાતો, ઇચ્છાઓ કે લાભોનું કોઇ મહત્ત્વ જ નથી હોતું. આવું નિર્મળ ચિત્ત અનાદિકાળથી આ ઉત્તમ આત્માઓને સાંપડેલું હોય છે.
રૂ) વિચિવન્તઃ - અનાદિકાળથી ક્ષુદ્રતા, તુચ્છતા, સ્વાર્થિતા કે મલિનતાનો ભોગ બન્યા વગર પોતાના સ્થાન, જાતિ, કુલ પરંપરા, ધર્મ કે નીતિને અનુરૂપ જ વર્તન કરનારા હોય છે. સ્વાભાવિક ઉત્તમતા અને જાગૃતિના કારણે લોકપ્રિયતા અપાવે તેવા ઔચિત્યનું પાલન તેમના જીવનમાં સહજ બની ગયું હોય છે.
૪) મરીનમાવ: :- સાત્વિકતા, સહિષ્ણુતા, સાહસિકતા કે ઘેર્યના અભાવમાં જ દીનતા આવે.
ત્રિલોકનાથ દીનબંધુ દેવાધિદેવનો આત્મા બધાજ ગુણોની મૂડીના બીજને આત્મામાં પ્રગટ કરી ચૂકેલો હોવાથી ક્યારેય હાયવોય, અકળામણ કે અજંપામાં સપડાય નહીં..બીજાના દુઃખે દુઃખી પ્રભુજી પોતાના દુઃખે હંમેશા સ્વસ્થ જ હોય...જ્યાં અપેક્ષા હોય ત્યાં દીનતા આવે... સત્ત્વશાલી પ્રભુએ અપેક્ષાઓને નબળી પાડી દીધી હોવાથી દીનતાની અસર પ્રાય: ન હોય.
) સત્તામિળ :-પોતાના શક્તિ-સમય-સંયોગો આદિને જોઇને જ પગલું ભરે.
અધમ જીવો હાથમાં લીધેલું કાર્ય મુશ્કેલીની કલ્પનાથી ચાલુ કરતા જ નથી. મધ્યમ જીવો હાથમાં લીધેલું કાર્ય મુશ્કેલી આવતા છોડી દે છે. ઉત્તમ જીવો ઘોરાતિઘોર અંતરાયો આવવા છતાં કાર્ય પાર પાડીને જ રહે છે.
અનાદિકાળથી દેવાધિદેવના આત્માઓ સત્ત્વસંપન્ન હોય છે તેથી લીધેલ કાર્ય પાર પાડીને જ રહે.
૬) મઢાનુશયા: :- પૂર્વગ્રહ કે કદાગ્રહની ગાંઠ કદાપિ મનમાં ન
Page #30
--------------------------------------------------------------------------
________________
રાખે... સહજ ઉદારતા, ક્ષમાશીલતા, ગંભીરતા આદિના પ્રભાવે અપકારી ૫૨ પણ દ્વેષની બુદ્ધિ લાંબો સમય ન રહે. જેમ પાણીને લાંબો સમય મેલુ રાખી ન શકાય તેમ આવા ઉત્તમોત્તમ આત્માઓના ચિત્ત પણ લાંબો સમય મલિન રહી શકતા નથી, આકાશને જેમ ખરડી શકાતું નથી તેમ ગમે તેવા અધમ સંયોગો પણ આવા મહાપુરુષોના મનને લાંબો સમય મલિન બનાવવા સમર્થ નથી થઇ શકતા.
૭) કૃતજ્ઞતાપતય: :- પોતાના દ્વારા થયેલા ઉપકારોને જેઓ ક્યારેય યાદ રાખતા નથી, પરંતુ અન્યના નાના પણ ઉપકારોને ખૂબ જ મહત્તાના દાનપૂર્વક યાદ રાખે છે અને ઉત્કૃષ્ટતમ-બદલો વાળી આપવા છતાં હરહંમેશ કૃતજ્ઞતાના ભાવથી ભીના ભીના રહે છે. નાનામાં નાના જીવના નાનામાં નાના ઉપકારને અનેકગણો બદલો વાળી આપવા છતાં જીવનભર યાદ રાખે તે તીર્થંકર પ્રભુ.
૮) અનુપતવિત્તાઃ :- દેવાધિદેવ પ્રલોભન કે પ્રતિકૂળતામાં પોતાની ઉત્તમતાથી જરાપણ ચલાયમાન થતા નથી. સત્ત્વ પર્વત જેવું અટલ હોય છે. ઉત્સાહ જેમનો ક્યારેય મોળો ન પડે, શ્રદ્ધા જેમની ક્યારેય કાચી ન પડે, ગુણવત્તા જેમની ક્યારેય નબળી ન પડે અને મલિનતા ક્યારેય જેમને ન સ્પર્શે તે આપણા રાજરાજેશ્વર તીર્થંકર ભગવંતો હોય છે.
,
૧) તેવ-ગુરુદ્ધદુમાનિનઃ :- ભવિષ્યમાં જેઓ દેવોના પણ દેવ અને વિશ્વસમગ્રના પરમગુરુ બનવાના છે, તેમના વૈરાગ્યની વિશિષ્ટતા, મોક્ષાભિલાષની તીવ્રતા અને દેવ-ગુરુ પ્રત્યેની ઉત્કૃષ્ટ શ્રદ્ધાશીલતાના કારણે વિશિષ્ટ અહોભાવ તેમના આત્મામાં સદાકાળ છલકાતો હોય છે. ત્રણલોકમાં-દેવાધિદેવોના આત્મામાં જે બહુમાન, અહોભાવ અને સમર્પણ હોય છે તેવો અન્ય કોઇમાં ક્યારેય હોતો નથી.
૧૦) શીરાશયાઃ :- મહાસાગર જેવી ગંભીરતાને ધારણ કરનારા હોવાના કારણે સુખ-દુઃખ ઇત્યાદિને પચાવી જાય, સ્વના દુઃખે દુઃખી નહીં, બીજાના દોષે દ્વેષી નહીં... સદાકાળ પરમસ્વસ્થતામાં જીવતા હોય... તેથી ઘણા બધાના વિશ્વાસપાત્ર શ્રદ્ધાસ્થાન બની જાય... સહજપણે જ સમાજમાં મુઠી ઊંચેરું સ્થાન મેળવી લે...
આ દર્શદશ ગુણો અન્યજીવોમાં ઓછાવત્તા અંશે હોઇ શકે છે પરંતુ દેવાધિદેવ પ૨મતા૨ક તીર્થંક૨ ભગવંતોના આત્મામાં આ ગુણો સર્વોત્કૃષ્ટ વિશિષ્ટતાસભર અને ઊંચાઇસભર હોય છે. તે પણ અનાદિકાળથી જ... ષટ્યુંરુષ ચરિતમાં જણાવ્યુ છે તેમ આ જ ગુણોના પ્રભાવે અનાદિ નિગોદમાંથી
૧૫
Page #31
--------------------------------------------------------------------------
________________
બહાર નિકળ્યા પછી પણ વિશિષ્ટ પુણ્યકર્મનો બંધ કરવાના કારણે એકેન્દ્રિયપણામાં પણ પૃથ્વીકાયના જીવોમાં જાય ત્યારે પારસમણિ-ચિંતામણિરત્નપારાગરત્ન આદિ ઉચ્ચ રત્નજાતિઓ, સોનુ-ચાંદી આદિ ઉત્તમ ધાતુઓ અને આરસ-ગ્રેનાઇટ આદિ ઉચ્ચ પાષાણોમાં જ કે તે જંતુરી જેવી ઉત્તમ માટીમાં જ ઉત્પન્ન થાય છે.
અપૂકાય (પાણી) ના ભવોમાં ગંગા-સરસ્વતી આદિ મહાન નદીઓ, તીર્થો આદિના જલ કે વરસાદના નિર્મલ જળ તરીકે જ ઉત્પન્ન થાય છે. તેલકાય (અગ્નિ)માં મંગલકારી દીપક વગેરેમાં ઉત્પન્ન થાય છે તો વાયુકાય (પવન)માં મલયાચલ પર્વતના શીતલ અને સુગંધી પવન વગેરેમાં ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયમાં ઉત્તમ કલ્પવૃક્ષ, આંબો, પારિજાત, ચંદન, ચંપો, અશોકવૃક્ષ આદિ ઉત્તમ વૃક્ષોમાં, તો ચિત્રાવેલ, નાગવેલ આદિ પ્રભાવશાલી વેલમાં, ગુલાબ, મોગરો, સોનચંપો આદિ ઉત્તમ પુષ્પોમાં તો શાલિચોખા આદિ ઉત્તમ ધાન્ય તરીકે ઉત્પન્ન થતા હોય છે. બેઇન્દ્રિયમાં દક્ષિણાવર્ત શંખ, મોતીની છીપ આદિમાં, તે ઇન્દ્રિયમાં કીડી વગેરે તે-તે જીવોમાં રાણી આદિ તરીકે, ચઉરિન્દ્રિયમાં મધમાખી વગેરેમાં પણ તેની રાણી આદિ તરીકે ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિયમાં કામધેનુ ગાય, ઉત્તમ જાતિવંત હાથી-અશ્વ આદિ તરીકે, પંખીઓમાં ગરુડ વગેરે જેવા પક્ષીરાજ તરીકે તથા જલચરમાં ઉત્તમ જાતિના માછલા-મગર ઇત્યાદિરૂપે ઉત્પન્ન થાય છે. દેવોમાં ઉત્તમ સામાનિક-ત્રાયન્ટિંશક આદિ રૂપે, મનુષ્યમાં આર્યદેશમાં ઉત્તમકુલના કુલીન પુરૂષ રાજા-મંત્રી-સેનાપતિ આદિ રૂપે જ ઉત્પન્ન થાય છે.
આમ કોઇ પણ ગતિ-જાતિ આદિમાં ઉત્તમોત્તમપણાને પ્રાપ્ત કરીને આગળ વધતા આ આત્માઓ-ક્રમશઃ સમ્યત્વ-દેશવિરતિ-સર્વવિરતિ આદિને પ્રાપ્ત કરી પૂર્વે કહેલા વીશસ્થાનકોની ઉત્તમ આરાધના કરીને તીર્થંકર નામકર્મ નિકાચિત કરી વચ્ચે દેવ-નરકમાંથી એક ભવ કરી તીર્થકર તરીકે ઉત્પન્ન થાય છે.
આમ ઉત્તમ દશ વિશેષતાને ધારણ કરનારો જીવ સમગ્ર સંસારપરિભ્રમણમાં ઉત્તમતા અને વિશેષતાને જ અનુભવતો, પુણ્યાનુબંધિ પુણ્યની હારમાળા સર્જતો, વિશ્વમાં સર્વત્ર પ્રેમ અને પરોપકારના આંદોલનને પ્રસરાવતો, સર્વ જીવોના સુખમાં સીધી કે આડકતરી રીતે કારણ બનતો તીર્થકર પદવી સુધી પહોંચે છે.
વિશ્વના તમામ જીવોમાં ઉત્તમોત્તમ (પુરિસુત્તમ) પણાને ધારણ કરનારા તીર્થકર ભગવંતોને અનંત અનંત વંદન..
૧૬
Page #32
--------------------------------------------------------------------------
________________
Cી તીર્થકર નામકર્મ એટલે શું ?
જીવોની શુભ-અશુભ પ્રવૃત્તિથી જે શુભ-અશુભ ફળદાયક તત્ત્વ ઉત્પન્ન થાય છે તે કર્મ કહેવાય છે. કર્મના આધારે જ સમગ્ર વિશ્વની વ્યવસ્થાઓ ચાલે છે. આવા કર્મો મુખ્યત્વે આઠ છે. તેમાંના એક નામકર્મના વિભાગમાં તીર્થકર નામકર્મ નામનું કર્મ આવે છે, જે જીવોએ સહજપણે અથવા ગુરુભગવંતના ઉપદેશથી સત્ય-અસત્ય, સ્વીકારવા લાયક-છોડવા લાયક, હિતકારી-અહિતકારી આદિના ભેદને વાસ્તવિકપણે જાણ્યા છે અથવા જાણનાર-બતાવનાર પ્રત્યે સમર્પણભાવપૂર્વકની શ્રદ્ધા ઊભી કરી છે તેવા સમકિતી જીવો જ તીર્થકરપણાથી આગલા ત્રીજા ભવમાં ઉત્કૃષ્ટ કરૂણા અને વીશસ્થાનક પ્રત્યેના ઉત્કૃષ્ટ અહોભાવ-બહુમાનભાવના બળે તીર્થંકરનામકર્મનો અતિ મજબૂત બંધ કરે છે. તીર્થકર નામકર્મ એટલે સર્વોત્કૃષ્ટ પુણ્ય, તીર્થંકર નામકર્મ એટલે સર્વોત્કૃષ્ટ એશ્વર્ય-સત્તા આદિને આપનારું પુણ્ય.. ગણધર-ચક્રવર્તી આદિ બધા આ જ તીર્થંકર નામકર્મના પેટાવિભાગો છે.
કોઇ પણ કર્મના ફળ બે રીતે મળે છે-પ્રદેશોદયથી અને વિપાકોદયથી..
વન-જન્મ-દીક્ષા આદિ વખતે ૧૪ સ્વપ્ન આવવા, ૬૪ ઇન્દ્રોનું નીચે આવવું, પ૬ દિક્કુમારિકા અને ૬૪ ઇન્દ્ર દ્વારા વિશ્વમાં અનન્ય એવો જન્મ મહોત્સવ-આ બધું જ તીર્થંકર નામકર્મનો પ્રદેશોદય છે. સમજવા માટે ઉદાહરણ લઇએ તો સૂર્યના ઉદય પહેલા “પહો ફાટવું-અરુણોદય જે થાય છે તેના તુલ્ય પ્રદેશોદય છે.
જ્યારે તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરી-સમવસરણના ત્રીજા ગઢ પર બેસી પરમકરૂણાપૂત રીતે અસ્મલિતપણે દેશના આપે ત્યારે તીર્થકર નામકર્મનો વિપાકોદય થયો કહેવાય.
પૂર્વના ત્રીજાભવમાં ભાવેલી “સવિ જીવ કરું શાસનરસી' ની ભાવનાથી બાંધેલ તીર્થકર નામકર્મ સહુને શાસનરસિક બનાવતી ધર્મદેશના આપવા દ્વારા ઉદયમાં આવે છે.
- ૧૭
Page #33
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર ભગવંતો ક્યાં હોઇ શકે ?
સર્વજ્ઞ ભગવંતના કથન મુજબ મનુષ્યોને રહેવાનું સ્થાન મધ્યલોકમાં છે, બે હાથ કમર પર રાખી બે પગ પહોળા કરી ઊભા રહેલા માણસ જેવો આકાર ધરાવતા ચૌદ રાજલોકમય Universe માં બરાબર મધ્યભાગે થાળા, જેવા આકારનો તથા અસંખ્ય દ્વીપ-સમુદ્રોથી બનેલો મધ્યલોક છે, તેના બરાબર મધ્યમાં અઢીદ્વીપ અને બે સમુદ્ર પ્રમાણનો ૪૫ લાખ યોજનના માપવાળો મનુષ્યલોક આવેલો છે. તેમાં કુલ ૪૫ પ્રકારના ક્ષેત્ર હોય. તેમાંથી ૧૫ પ્રકારની ભૂમિમાં જ ધર્મ-કર્મની વાતો સંભવી શકે છે. (આ બધાની વિશેષ સમજૂતિ માટે જૈન ભૂગોલવિજ્ઞાન પુસ્તક જોવું.) તેથી તેને કર્મભૂમિ કહે છે. જો તીર્થંકર ભગવંત હોય તો આ ૧૫ કર્મભૂમિમાં જ હોઇ શકે.
૫ ભરતક્ષેત્ર, ૫ એવત ક્ષેત્ર અને ૫ મહાવિદેહ ક્ષેત્ર મળીને આ ૧૫ કર્મભૂમિ બને છે. તેમાંથી ભરત અને ઐરવત ક્ષેત્રમાં ક્યારેક જ (અવસર્પિણીના ૩જા-૪થા આરામાં અને ઉત્સર્પિણીના પણ ૩-જા-૪થા આરામાં) તીર્થંકર ભગવંતો હોય છે. ૧૦ કોટાકોટી સાગરોપમના વિરાટકાળમાં તેવી ક્ષેત્રવ્યવસ્થાના કારણે માત્ર ૨૪-૨૪ તીર્થંકર ભગવંતો જ એ ૧૦ ક્ષેત્રમાં થાય છે. જ્યારે પાંચ મહાવિદેહ ક્ષેત્રની દરેકની ૩૨ એટલેકે કુલ ૧૬૦ વિજયોમાં સતત ક્યાંક ને ક્યાંક કેવળજ્ઞાની તીર્થંકર ભગવંતો વિદ્યમાન હોય જ છે. તેથી જઘન્યથી ૧૦ અથવા વીશ તીર્થંકર ભગવંતો મહાવિદેહ ક્ષેત્રમાં કાયમ હોય જ. તે સિવાય કેવળજ્ઞાન વિનાના તીર્થંકર ભગવંતો પણ વિદ્યમાન હોઇ શકે છે... તેથી વિશ્વમાં સતત કોઇને કોઇ તીર્થંકર ભગવંતો સદાય વિદ્યમાન હોય છે... તીર્થંક૨ ભગવંતોની હાજરીથી પાવન થતી અને થયેલી આ કર્મભૂમિને લાખ
લાખ વંદન...
કર્મભૂમિમાં પણ ૧-૧ ક્ષેત્રમાં ૩૨,૦૦૦ દેશ હોય છે તેમાંથી માત્ર ૨૫ ।। (સાડા પચ્ચીસ) દેશ આર્ય હોય છે, [આર્ય = જ્યાં કરુણાસભર ધર્મને લોકો સ્વીકારતા હોય] તેમાં જ તીર્થંકર પ્રભુ જન્મ લેતા હોય છે. તેમનું વિચરણક્ષેત્ર પણ આર્યભૂમિ જ રહે છે. માત્ર ક્યારેક કોઇક તીર્થંકર પ્રભુ શ્રીમહાવીરસ્વામી પરમાત્માની જેમ સાધનાકાળમાં પોતાના કર્મ ખપાવવા અનાર્યદેશોમાં વિચરે તે અલગ વાત. ધર્મબીજને ઉગવા માટે ફળદ્રુપ અને શ્રી તીર્થંકરોના પગલાથી પાવન એવી આર્યભૂમિને ક્રોડો વંદન...
૧૮
Page #34
--------------------------------------------------------------------------
________________
જ શ્રી તીર્થકર ભગવંતોના દેહ )
વિશ્વના વ્યવસ્થાતંત્ર મુજબ જીવોને પાંચ પ્રકારના શરીર હોઇ શકે છે, તેમાં મનુષ્ય અને તિર્યંચને સ્વાભાવિક શરીર ઔદારિકવર્ગણાના પુત્રલનું હોય છે. મનુષ્યરૂપે જન્મેલા તીર્થંકર ભગવંતોને પણ દારિક વર્ગણા નામના પુદ્ગલોથી બનેલું જ શરીર હોય છે પરંતુ તે પુગલો વિશ્વના તમામ પુદ્ગલો કરતાં ચડિયાતા હોય છે, તેથી પરમોદારિક વર્ગણાના પુગલ કહેવાય છે. પ્રભુજીનો અત્યંત રૂપવાન, અત્યંત તેજસ્વી, અત્યંત સુકોમળ તથા એકદમ સુવ્યવસ્થિત બંધારણ ધરાવતો દેહ પાંચમાંથી કોઇ એક રંગવાળો હોય છે. શુક્લ (સફેદ), સુવર્ણ (સોના જેવો), નીલ (લીલો), લાલા અને શ્યામ આ પાંચમાંથી કોઇ પણ એક વર્ણ(રંગ)વાળા પ્રભુજી હોય છે.
જન્મ વખતથી જ પરમાત્માના દેહ પર ૧,૦૦૮ લક્ષણો હોય છે. તે તમામને સૂચવવા વિરાટ કાર્ય બની જાય તેમ છે. તેથી ૩૨ લક્ષણોનો ઉલ્લેખ કરીને સંતોષ મેળવીએ... હાથ-પગ અને સમગ્ર દેહ પર રેખાઓ દ્વારા છત્ર, કમળ, ધનુષ્ય, રથ, વજ, કાચબો, અંકુશ, વાવડી, સાથિયો, તોરણ, સરોવર, સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કલશ, મહેલ, માછલું, જવ, યજ્ઞનો થાંભલો, સૂપ, પુષ્પમાળા, કમંડલ, પર્વત, ચામર, દર્પણ, બળદ, ધજા, અભિષેક કરાતી લક્ષ્મી, મોર.. આ ૩૨ લક્ષણો ઉત્તમ પુરુષોને હોય... તે સિવાય પણ ઉત્તમવસ્તુઓ, ઐશ્વર્યના પ્રતિક રૂપ વસ્તુઓ આદિ અનેક લક્ષણો રેખારૂપે પરમાત્માને હોય..
બીજી રીતે પણ ૩૨ લક્ષણો બતાવાયા છે. ૧) નખ, પગ, હાથ, જીભ, હોઠ, તાળવું અને આંખના છેવાડા-આ સાત સ્થાનો લાલ હોય. ૨) કાન, હૃદય, ડોક, નાક, નખ અને મોટું-આ છ સ્થાનો ઊંચા હોવા જોઇએ. ૩) દાંત, ચામડી, વાળ, આંગળીની રેખાઓ અને નખ-આ પાંચ એકદમ પાતળા હોવા જોઇએ. ૪) આંખ, હૃદય, નાક, હડપચી અને હાથ-આ પાંચ લાંબા હોવા જોઇએ. ૫) કપાળ, છાતી અને મોટું-આ ત્રણ પહોળા હોવા જોઇએ. ૬) ડોક, જાંઘ અને પુરુષચિન-આ ત્રણ નાના હોવા જોઇએ. ૭) નાભિ, અવાજ અને સત્ત્વ-ઊંડા-ગંભીર હોવા જોઇએ.
- ૧૯
Page #35
--------------------------------------------------------------------------
________________
આ ૩૨ બાબતોને પણ ઉત્તમ લક્ષણ ગણવામાં આવે છે. • આવા તમામ ઉત્તમ લક્ષણોથી-કુલ ૧,૦૦૮ લક્ષણોથી પ્રભુનો દેહ શોભતો
હોય છે. • તદુપરાંત મસ્તક પર ૧૨ આંગળ ઊંચી શિખા (પ્રાયઃ હાડકાની ઊંચાઇથી
ઉપર આવેલો મસ્તકનો ઊંચો ભાગ) હોય છે, જે માત્ર તીર્થકર ભગવંતોમાં જ હોય છે. • છાતી પર વાળના ગુંચળાથી શ્રીવત્સ જેવો આકાર બનેલો હોય છે જે કઠણ છતાં
અત્યંત સુશોભિત હોય છે. આ પણ તીર્થંકરપણાની જ અનન્ય ખાસિયત છે. જમણા પગની જાંઘ (સાથળ) પર પરમાત્માની ઓળખ સમું રેખાઓથી બનેલું એક ચિહન હોય છે જે લંછન તરીકે ઓળખાય છે, દરેક તીર્થંકર પરમાત્માના અલગ અલગ લંછન હોય છે. જેમકે ઋષભદેવ ભગવાનનું લંછનબળદ, શાંતિનાથ ભગવાન-હરણ, મહાવીર સ્વામી ભગવાન-સિંહ ઇત્યાદિ..
તીર્થંકર પ્રભુના દેહનું બળ.. સેંકડો માણસોને પહોંચી વળવાનું બળ – ૧ યોદ્ધામાં ૧૨ યોદ્ધાનું બળ
– ૧ આખલામાં (બળદ) ૧૦ બળદનું બળ
– ૧ ઘોડામાં ૧૨ ઘોડાનું બળ
૧ પાડામાં ૧૫ પાડાનું બળ
૧ હાથીમાં ૫૦૦ હાથીનું બળ
૧ સિંહમાં ૨૦૦૦ સિંહનું બળ
– ૧ અષ્ટાપદમાં
(તે નામનું એક પ્રાણી છે) ૧૦ લાખ અષ્ટાપદનું બળ
– ૧ બળદેવમાં ૨ બળદેવનું બળ
– ૧ વાસુદેવમાં ૨ વાસુદેવનું બળ
- ૧ ચક્રવર્તીમાં ૧૦ લાખ ચક્રવર્તીનું બળ
– ૧ નાગેન્દ્રમાં ૧ ક્રોડ નાગેન્દ્રનું બળ
– વૈમાનિક ઇન્દ્રમાં આવા અનંત ઇન્દ્રના બળ જેટલું બળ તીર્થકર પ્રભુની ટચલી આંગબીમાં હોય છે... આવા વિશ્વમાં અનન્ય તીર્થંકર પરમાત્માના ચરણે લાખ લાખ વંદન...
- ૨૦ -
| | | | | |
| |
Page #36
--------------------------------------------------------------------------
________________
તીર્થકર ભગવંતોના જીવનની સર્વસામાન્ય રૂપરેખા
પાંચ કલ્યાણક (ષટપુરૂષચરિત્રના આધારે)
જ્યાં સુધી જીવ મોક્ષમાં ન પહોંચે ત્યાં સુધી અવિરત જન્મમરણની પરંપરા ચાલુ જ રહે છે. ચારે ગતિમાં જીવોના જન્મમરણ Round the clock અનંતની સંખ્યામાં થયા જ કરે છે, પરંતુ તે તમામ જન્મમરણ આદિ અવસ્થાઓ મોટાભાગે સ્વપરને દુઃખી કરનારી હોય છે. જ્યારે દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા-પવિત્રતા, પાત્રતા અને પ્રકૃષ્ટ પુણ્યાઇનો સુમેળ લઇને અંતિમ ભવરૂપે જ્યારે ધરતીને મંગલમય બનાવે છે તે ક્ષણ પણ મંગલમય, મહોત્સવમય અને મહાઆશ્ચર્યજનક બની જતી હોય છે... વિશ્વના અનંતજીવોનું અનંત કલ્યાણ કરવાની ક્ષમતા પોતાનામાં રાખીને બેઠેલી આ ક્ષણોને કલ્યાણક કહેવામાં આવે છે. ચ્યવન (ગર્ભાવતરણ), જન્મ, દીક્ષા આદિ તો અનેકના જીવનમાં આવતા જ હોય છે. પરંતુ દેવાધિદેવના જ આ પ્રસંગો કલ્યાણકારી, કલ્યાણની પરંપરાને ઉત્પન્ન કરનારા હોવાથી તેમને જ કલ્યાણક કહેવામાં આવે છે.
ચ્યવનકલ્યાણક પૂર્વના ત્રીજા ભવમાં શ્રી તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરીને અનુત્તર વિમાન આદિ દેવલોકમાં (કે પૂર્વે બંધાયેલા આયુષ્યના પ્રભાવે ક્વચિત નરકમાં) ઉત્પન્ન થઈ ત્યાં વિરાગમય અવસ્થામાં આયુષ્ય પૂર્ણ કરી અંતિમ ભાવમાં સર્વોત્તમ અને વિશુદ્ધ જાતિ-કુલ-વંશમાં ઉત્પન્ન થાય છે. તેમના અવતરણના પ્રભાવથી તેમની માતાને અત્યંત તેજસ્વી અને દિવ્યપ્રભાવસંપન્ન ચૌદ મહાસ્વપ્ન દેખાય છે. તે ચૌદ સ્વપ્ન- ૧) ચાર દંતશૂળયુક્ત સફેદ હાથી, ૨) સફેદ વૃષભ, ૩) કેસરી સિંહ, ૪) દિશાગજો (દિશાઓના હાથીઓ) દ્વારા અભિષેક કરાતા લક્ષ્મીદેવી- ૫) પંચવર્ણના પુષ્પોથી બનેલી વિશિષ્ટ સુગંધમય પુષ્પમાલા, ૬) પૂર્ણચંદ્ર, ૭) વિશ્વને પ્રકાશથી ભરી દેતો સૂર્ય, ૮) સુવર્ણના દંડ પર શોભતો સિંહના ચિહ્નવાળો વિરાટ ધ્વજ, ૯) મુખભાગ પર પુષ્પની માળાથી શોભતો લક્ષ્મીના ઘર સમાન પૂર્ણકળશ, ૧૦) હારબદ્ધ કમળ અને પાણીના તરંગોથી શોભતું પાસરોવર, ૧૧) મત્સ્ય-મગર આદિ જલચરોથી
* ૨૧
Page #37
--------------------------------------------------------------------------
________________
ભરેલો, મોજાની થપાટથી પાણીના ફીણને પ્રસરાવતો મહાસાગર, ૧૨) અત્યંત તેજસ્વી દિવ્ય દેવવિમાન અથવા નયનરમ્ય ભવન [દેવલોકમાંથી પધારતા પ્રભુજીની માતા દેવવિમાન જુએ, નરકમાંથી પધારનાર પ્રભુજીની માતા ભવન], ૧૩) વિવિધ પ્રકારના અને વિવિધરંગી બહુમૂલ્ય રત્નોનો આભને આંબતો વિરાટ ઢગલો અને ૧૪) સતત ઘી અને મધથી સિંચાઇ રહેલા ધુમાડા વિનાની પીળી જ્વાળાઓવાળો અગ્નિ...
આવા ચૌદ મહાસ્વપ્નો દ્વારા પોતાની પધરામણીનો સંકેત આપનાર પ્રભુને ઉત્તમ પ્રકારના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન પહેલેથી હોય છે. પ્રભુજી જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે બીજા ગર્ભોની જેમ તેઓને વેદના હોતી નથી કે અતિબિભત્સ અશુચિ(ગંદકી)માં આળોટવાનું હોતું નથી. માતાને પણ ગર્ભધારણની કોઇ વેદના કે પેટ ઉપસવારૂપ વિકૃતિ હોતી નથી. ગૂઢગર્ભા માતાના રૂપ, સૌભાગ્ય, તેજ, બુદ્ધિ, બલ આદિમાં અનેકગણી વૃદ્ધિ થાય છે, સર્વ શુભ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે, મન-વચનકાયાના યોગો શુભ થઇ જાય છે, ગુણોમાં ખૂબજ વૃદ્ધિ થાય છે, સહજ ઔચિત્યપાલન આદિના પ્રભાવે માતા સહુને પ્રિય બને છે, સહુ સ્વજનો તરફથી પુષ્કળ બહુમાન પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયના અનુકૂળ વિષયોની પ્રાપ્તિ થાય છે.
ગર્ભકાળના છઠ્ઠા માસે ઉત્તમ મનોરથો (દોહલાઓ) ઉત્પન્ન થાય છે જેને રાજા તરફથી સર્વ રીતે પૂર્ણ કરવામાં આવે છે.
પ્રભુના પિતાજીની પણ સર્વઉત્તમ વસ્તુઓની પ્રાપ્તિથી, સંપત્તિના સમાગમથી અને વિપત્તિઓના નિવારણથી બધી જ રીતે ઉન્નતિ થાય છે. ક્યાંય પરાભવ થતો નથી, બધા જ રાજાઓ આશાસ્વીકારપૂર્વક નમે છે તેથી ચારે દિશામાં યશકીર્તિ ફેલાવા માંડે છે. પ્રભુજીના મહાન પુણ્યોદયથી પ્રેરાયેલા તિર્ય ́ભક નામના કુબેરદેવતાના સેવકો ઇન્દ્ર મહારાજાના આદેશથી પૃથ્વીમાં દાટેલા માલિક વિનાના મહાનિધાનો ભગવંતના ગૃહમાં વરસાવે છે તેથી પિતૃકુલની સમૃદ્ધિ અકલ્પનીય રીતે વૃદ્ધિ પામે છે. સમગ્ર રાજ્યમાં પણ પ્રકૃતિ (કુદરત) સાનુકૂળ થઇ જાય છે. બધી જ નિષ્ફળતાઓ સફળતામાં, વિપત્તિઓ સંપત્તિમાં પલટાવા માંડે છે અને સર્વત્ર આનંદ આનંદ છવાઇ જાય
૨૨
Page #38
--------------------------------------------------------------------------
________________
છે. ધરતીના રસકસ વધે છે. વાંઝિયા વૃક્ષો ફળવા લાગે છે. ગાયોના દૂધ, વૃક્ષોની અને છોડોની ફળદ્રુપતા આદિ વધવા લાગે છે. લોકમાનસ પણ નિર્મળ થવા લાગતા અપરાધો ઘટવા લાગે છે.
જન્મકલ્યાણક
ઉત્તમ-શુભ દિને મધ્યરાત્રિએ સર્વશુભગ્રહો ઉચ્ચસ્થાનમાં હોય ત્યારે માતા સુખપૂર્વક પ્રભુને જન્મ આપે છે. જન્મસમયે લોહી વગેરેની અશુચિ હોતી નથી અને સહજ શુદ્ધ જન્મ થાય છે. ત્રણે લોકમાં બધે અજવાળા ફેલાય છે. અંતર્મુહૂર્ત સુધી નરકના જીવોને પણ સુખની અનુભૂતિ થાય છે. આનંદિત થયેલા દેવતાઓ ભગવંતના ગૃહાંગણમાં રત્નોના, સોનાના અને રૂપાના આભરણોની, ઉત્તમ વસ્ત્રોની, પુષ્પોની અને સુગંધી જલની વૃષ્ટિ કરે છે. જયજયકારના નાદથી ભરાતી દિશાને હાથ વગર જ વાગતી દેવદુંદુભી મીઠો સાથ આપે છે. સર્વ દિશાઓ પ્રસન્ન થાય છે. સુગંધી અને શીતલ વાયુ વાય છે. પંખીઓ પ્રદક્ષિણા કરતા જયજયકારનો નાદ કરે છે.
[ ત્રિષષ્ટિ પ્રથમ પર્વના આધારે ]
૫૨માત્માનું સૂતિકર્મ કરવા અધોલોકવાસિની ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિન્દિતા નામની આઠ દિશાકુમારિકાઓ સિંહાસન ચલાયમાન થવાથી અવધિજ્ઞાન દ્વારા પ્રભુજીનો જન્મ થયો જાણી આનંદથી આવી ત્રણ પ્રદક્ષિણા કરી સ્તુતિપ્રાર્થના કરી ‘અમે પ્રભુના પ્રભાવથી તેમનો મહિમા કરવા આવ્યા છીએ તેથી ગભરાયા વિના અમને અનુજ્ઞા આપો'-એમ અનુજ્ઞા માંગી પૂર્વદિશાસન્મુખ ૧૦૦૮ થાંભલાવાળું પ્રસૂતિગૃહ બનાવી-તેની આસપાસના એક યોજનની ભૂમિમાંથી સંવર્તવાયુ દ્વારા કાંટા-કાંકરા વગેરે દૂર કરી દે છે. ત્યારબાદ ઊર્ધ્વલોકની મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિષેણા અને બલાહિકા નામની આઠ દિશાકુમારીઓ સુગંધી પાણીની વૃષ્ટિથી બધી ધૂળને શાંત કરી દે છે. અને ઢીંચણ સુધીનો પગ ખૂંચી જાય તેવી પંચવર્ણના સુગંધી પુષ્પોની વિવિધ રચનાઓવાળી વૃષ્ટિ કરી ધન્ય બની જાય છે. ત્યારબાદ રુચકપર્વતના પૂર્વભાગથી-નન્દા, ઉત્તરનન્દા (નન્દોત્તરા), આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયન્તી, જયંતી અને અપરાજિતા નામની આઠ દિશાકુમારીઓ
૨૩
Page #39
--------------------------------------------------------------------------
________________
હાથમાં દર્પણ લઇ મંગલ ગીતો ગાતી પૂર્વમાં ઊભી રહે છે. રુચકપર્વતના દક્ષિણભાગથી સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા નામની આઠ દિશાકુમારીઓ હાથમાં કળશ લઇ દક્ષિણમાં ઊભી રહે છે. રુચકપર્વતના પશ્ચિમ ભાગમાંથી ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા નામની આઠ દિક્કુમારિકાઓ હાથમાં પંખો લઇ પશ્ચિમ દિશામાં ઊભી રહે છે. ઉત્તરરુચક પર્વતથી-અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વારૂણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને ડ્રી નામની દિશાકુમારિકાઓ હાથમાં ચામર લઇ ઉત્તર દિશામાં ઊભી રહે છે. વિદિશાના-રુચકપર્વતથી ચિત્રા, ચિત્રકનકા, સતેરા અને સૌત્રામણિ નામની ચાર દિશાકુમારી આવી ચાર વિદિશામાં હાથમાં દીપક લઇ ઊભી રહે છે. ત્યારબાદ રુચક દ્વિપથી આવેલી રુપા, રુપાશિકા, સુરુપા અને રુપકાવતી નામની ચાર દિશાકુમારીઓ આવી પ્રભુજીની નાળ છેદી ખાડામાં દાટી વજ૨ત્નથી ખાડો ભરી ઉપર દૂર્વા દ્વારા પીઠિકા બનાવે છે. ત્યારબાદ પ્રભુના જન્મગૃહથી પૂર્વ-દક્ષિણ-ઉત્તર દિશામાં સિંહાસનયુક્ત ચાર પરસાળવાળુ કદલીઘર [કેળનું ઘર] બનાવે છે. પ્રથમ દક્ષિણ ઘરમાં પ્રભુજી અને માતાજીને લઇ જઇ સિંહાસન પર બેસાડી લક્ષપાક તેલથી માલિશ અને દિવ્ય ઉબટન દ્વારા શરીર ચોળે છે. પૂર્વના કદલીગૃહમાં સિંહાસને બેસાડી નિર્મળજળથી આભિષેક કરી દિવ્યવસ્ત્રોથી અંગ લૂછી ગોશીર્ષ ચંદનથી વિલેપન ક૨ી દેવદૂષ્ય વસ્ત્ર અને અતિકિંમતી આભૂષણો પહેરાવે છે, ત્યારબાદ ઉત્તરદિશામાં લઇ જઇ સિંહાસન પર બેસાડી સેવક દેવતાઓ પાસે લઘુહિમવંત પર્વત પરથી મંગાવેલા ગોશીર્ષચંદનના લાકડાઓનો હોમ કરી તેની રાખથી રક્ષાપોટલી બનાવે છે. પ્રભુના કાન પાસે બે પાષાણગોળાઓ અથડાવી ‘પર્વત જેવા દૃઢ આયુષ્યવાળા થાઓ' આવી ભાવભરી લાગણી વ્યક્ત કરે છે. અને છેલ્લે મૂળ પ્રસૂતિગૃહમાં પ્રભુજી અને માતાજીને લાવી માંગલિક ગીતો ગાય છે.
તેજ વખતે સિંહાસન ચલાયમાન થવાથી પ્રભુના જન્મને જાણી ચોસઠ ઇન્દ્રો પોતાના પરિવાર સાથે મેરુપર્વત પર આવે છે. પ્રથમ દેવલોકનો માલિક, ઉત્કૃષ્ટ ભક્તિ અને ભાવનો સ્વામી સૌધર્મેન્દ્ર પ્રભુના જન્મગૃહે જઇ પ્રણામપ્રદક્ષિણા-સ્તુતિ કરી, માતાજીની અનુજ્ઞા લઇ એક રૂપથી છત્ર, બે રૂપથી ચામર ધારણ કરતા, એકરૂપથી વજને રમાડતા એક રૂપથી પ્રભુજીને પોતાના
૨૪
Page #40
--------------------------------------------------------------------------
________________
હાથમાં લે છે. આ રીતે પાંચ રૂપ કરી મેરૂપર્વત ૫૨ પ્રભુજીને પાંડકવનમાં લઇ જઇ તે-તે શિલારૂપ સિંહાસન ૫૨ સૌધર્મેન્દ્ર પોતાના ખોળામાં લઇ બેસે છે. બાકીના બારમા દેવલોકના ઇન્દ્ર અચ્યુતેન્દ્રથી માંડી ૬૩ ઇન્દ્રો સુવર્ણના, ચાંદીના, રત્નના, સોના-ચાંદીના, સોના-રત્નના, ચાંદી-રત્નના, સોનુચાંદી-રત્નના અને માટીના-એમ આઠ પ્રકારના વિરાટ ૧૦૦૮-૧૦૦૮ કલશોથી ક્ષીરોધિ નામના સમુદ્રના ૩/૪ ઉકાળેલા દૂધ જેવા પાણીથી પરમાત્માનો અભિષેક કરે છે. અત્યંત ભવ્યતાથી, અતિભક્તિસભર ભાવે, દેવેન્દ્રોઅસુરેન્દ્રો અને જ્યોતિષ્મેન્દ્રો દ્વારા કરાતો અભિષેક પ૨મદર્શનીય દૃશ્ય હશે. અસંખ્ય દેવી-દેવતાઓની હાજરી, ઉત્કૃષ્ટ વાજિંત્ર આદિનો નાદ, અભિષેક આદિ માટે લવાયેલી ઉત્કૃષ્ટ સામગ્રી આદિનું વર્ણન પણ એક વિશિષ્ટ ગ્રંથ જેટલી જગ્યા રોકી શકે છે. ૬૩ ઇન્દ્રો દ્વારા મનુષ્યની કલ્પનાના પ્રદેશથી ૫૨ એવો અભિષેક પૂરો થતા બીજા દેવલોકનો ઇન્દ્ર પોતાના ખોળામાં પ્રભુને લે છે અને સૌધર્મેન્દ્ર સ્ફટિકરત્નના ચાર મહાકાય બળદ વિકુર્તી તેના આઠ શિંગડામાંથી ઉછળી વચ્ચે ભેગી થઇ જતી ક્ષીરોદધિના જળની ધારાથી પ્રભુજીનો અભિષેક કરે છે. દરેક ઇન્દ્ર પોતાના-અભિષેકના અંતે દેવદૃષ્યથી (ગંધકાષાયવસ્ત્રથી) પ્રભુના અંગને લૂછવું, ગોશીર્ષ ચંદનનું વિલેપન, ધૂપથી ધૂપાવવુ, છત્ર-ચામર આદિ ધારણ કરવા ઇત્યાદિ ભક્તિ કરતા હોય છે.
આવો જન્માભિષેક મહોત્સવ વિશ્વમાં અન્ય કોઇ ઈશ્વરનો ક્યારેય ક્યાંય થતો નથી, અન્ય કોઇનો આવો જન્માભિષેક નથી થઇ શકતો કારણ કે તેના માટે જરૂરી પ્રકૃષ્ટ ગુણના અને પુણ્યના સ્વામી માત્ર અને માત્ર તીર્થંકર ભગવંતો જ હોય છે. આવા જન્મકલ્યાણકનું ધ્યાન-ચિંતન-મનન પણ આત્માના અનંત પાપકર્મોનો નાશ કરી દેવા સમર્થ હોય છે.
પ્રભુના જન્મના પ્રભાવે દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોના પરસ્પ૨ના વે૨ શમી જાય છે. લોકમાં ક્ષુદ્ર ઉપદ્રવો શમી જાય છે. દુષ્ટ મંત્રો અને તંત્રો પ્રભાવ વિનાના થઇ જાય છે. ગ્રહો શાંત થઇ જાય છે. ભૂત-પ્રેત-ડાકિનીશાકિની આદિ કોઇનું કાંઇ પણ અનિષ્ટ કરી શકતા નથી. પૃથ્વીમાં દૂધ-દહીંઘી-તેલ-ઇક્ષુરસ આદિની, વનસ્પતિમાં પુષ્પ-ફળોની, મહાન ઔષધિઓમાં પોતપોતાના પ્રભાવની, રત્નો-સોનું-રૂપુ આદિ ધાતુઓની ખાણોમાં તે-તે વસ્તુઓની ખૂબ જ વૃદ્ધિ થાય છે. પૃથ્વીમાં રહેલા નિધાનો ઉપર આવે છે.
૨૫
Page #41
--------------------------------------------------------------------------
________________
વિદ્યા-મંત્રની સિદ્ધિ સુલભ બને છે. લોકોના હૃદયમાં સબુદ્ધિ અને સગુણોની વૃદ્ધિ થવાથી ન્યાય-નીતિ અને સુખમયતાનું વાતાવરણ સર્વત્ર વ્યાપી જાય છે.
રાજ્યમાં પણ પરમાત્માનો જન્મ મહોત્સવ ઉદારતાથી, ભવ્યતાથી અને વાત્સલ્યભાવના ઉછાળાપૂર્વક ઉજવાય છે. ઇન્દ્રએ જમણા હાથમાં અંગુઠામાં પૂરેલા અમૃતથી વૃદ્ધિ પામતા દેવાધિદેવ (ક્યારેય માતાનું સ્તનપાન કરે નહીં)ની સેવા દેવાંગનાઓ કરે છે. દેવકુંવરો ક્રીડા કરવા વારંવાર આવે છે. શિશુપણામાં પણ પ્રભુ અચપલ સ્વભાવવાળા અને ત્રણલોકને આનંદ પમાડનારા હોય છે. બાળવયમાં પણ અમાપ પરાક્રમવાળા, ઉત્તમ સ્વભાવવાળા અને પરમશક્તિના ભંડાર હોય છે. ભણ્યા વિના જ વિદ્વાન, શિક્ષણ વિના તમામ કળામાં કુશળ અને અલંકારાદિની શોભા વિના પણ પરમશોભાને ધારણ કરનારા હોય છે.
અત્યુત્કૃષ્ટ રૂપ અને સૌભાગ્યના ભંડાર પ્રભુજીની યૌવનકાળની રૂપશોભા એવી તો અદ્ભુત હોય છે કે દેવેન્દ્રો અને અસુરેન્દ્રોના મનમાં પણ પરમચમત્કાર પેદા થાય છે. તમામ દેવો ભેગા મળીને એક અંગુઠા પ્રમાણ નવું રૂપ બનાવે તો ય પ્રભુના તેજોવલય શા દેહની સામે બુઝાયેલા અંગારા જેવું તેજહીન લાગે છે. એક હજાર આઠ બાહ્ય લક્ષણોથી યુક્ત પ્રભુના શરીરનું બંધારણ (સંઘયણ), શરીરની રચના તથા અવયવોની ગોઠવણ (સંસ્થાન), રૂપ, ચાલ, સૌંદર્ય, લાવણ્ય, વચન, દર્શન, સ્પર્શન બધું જ અનુપમ અને અલૌકિક હોય છે. પરમાત્માના પ્રભુતા, પ્રશાંતપણું, ઇન્દ્રિયજય, સૌમ્યતા, નિર્ભયતા, ઉદારતા, ગંભીરતા, ધીરતા, દયાળુતા, સદાચારિતા, મર્યાદાસપન્નતા, વિવેકિતા, ઔચિત્યપાલન આદિ ત્રણે લોકમાં સૌથી ચડિયાતા ગુણસમુહના કારણે મહાન યશકીર્તિને પ્રાપ્ત કરે છે.
દીક્ષા કલ્યાણક નિકાચિત ભોગાવલી કર્મના ઉદયે વિવાહજીવન અનુસરવા છતાં કે વિરાટ સામ્રાજ્યના અધિપતિ બનવા છતાં તેલથી પાણી અલિપ્ત રહે તેમ પ્રભુ વૈરાગ્યમાં મગ્ન રહે છે. સંસારમાં એવી કોઇ વસ્તુ નથી જે પ્રભુના મનને વાસ્તવિક રીતે આકર્ષી શકે. તેઓ સહજપણે વૈરાગ્યતરબોળ હોવા છતાં, અવધિજ્ઞાનના કારણે હવે પોતાને મોક્ષપુરુષાર્થ સાધવાનો સમય આવી ચૂક્યો
Page #42
--------------------------------------------------------------------------
________________
છે તેમ જાણતા હોવા છતાં શાશ્વત આચાર પ્રમાણે પાંચમાં દેવલોકમાં રહેલા એકાવનારી (હવે છેલ્લો જ ભવ સંસારનો બાકી છે તેવા) લોકાંતિક દેવો આવીને ધર્મતીર્થની સ્થાપના કરવા વિનંતિ કરે ત્યારે દીક્ષાની તૈયારી કરે છે.
એક વર્ષ સુધી રોજ સવારે સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી ગામો-નગરોમાં પડહ વગાડવાપૂર્વક “વરવરિકા'-“દરેકને ઇચ્છિત અપાય છે માટે આવો, પધારો અને ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત કરો” એવી સાંવત્સરિક મહાદાનની ઉદ્ઘોષણાપૂર્વક સોનું, ચાંદી, રત્નો, વસ્ત્રો, આભૂષણો, હાથીઓ, અશ્વો વગેરે દ્વારા સાંવત્સરિક મહાદાન કરાય છે.
[ ઉપદેશપ્રાસાદના કથન પ્રમાણે પ્રભુના પિતા ચાર દ્વારવાળી દાનશાળા બનાવડાવે છે. પ્રથમ હારથી આવનારને જમાડે, બીજા દ્વારથી આવનારને વસ્ત્ર આપે, ત્રીજા દ્વારથી આવનારને આભૂષણ આપે, ચોથા દ્વારથી આવનારને રોકડ નાણું આપે. ભગવાનના હાથે દાન માત્ર માનવો માટે જ છે, છતાં ૬૪ ઇન્દ્ર માટે છૂટ છે, કારણ કે પ્રભુના હાથે મળેલા દાનનો મહિમા એવો છે કે તેમને બે વરસ સુધી કલહ ઉત્પન્ન ન થાય. ચક્રવર્તી રાજાના ભંડારમાં પ્રભુના હાથથી આવેલા સોનેયા જાય તો બાર વરસ સુધી ભંડાર અક્ષય બને. રોગીઓને બાર વરસ સુધી નવા રોગ ઉત્પન્ન ન થાય.
પ્રભુ વર્ષીદાન આપે ત્યારે સૌધર્મેન્દ્ર પ્રભુને દ્રવ્ય અર્પણ કરે. ઇશાનેન્દ્ર યાચકનું જેવું ભાગ્ય તેવું તેટલું પોતાની શક્તિથી ગોઠવે. ચમરેન્દ્ર અને બલી આ બે, ભાગ્ય મુજબ વધારો-ઘટાડો કરે, એટલે કે ઇચ્છાથી વધારે ન મળે ને ઓછું પણ ન મળે. ભવનપતિ લોકોને દાન લેવા ખેંચી લાવે. વાણથંતરો દાન લઇ જનારાને સ્વસ્થાને સલામત પહોંચાડે, જ્યોતિષ્ક દેવો વિદ્યાધરોને વરસીદાનનો સમય જણાવે. ].
તે વખતે અન્યગ્રંથોના મત પ્રમાણે રોજ ૧ ક્રોડ ૮ લાખ સોનામહોર, વર્ષ દરમ્યાન ૩૮૮ ક્રોડ ૮૦ લાખ સોનામહોરનું (૩૨ લાખ ૪૦ હજાર મણ સોનાનું) દાન કરવામાં આવે છે. તે પછી સંપૂર્ણ પૃથ્વીને ઋણથી મુક્ત કરવામાં આવે છે અને સર્વત્ર યશ-કીર્તિનો સૂચક પટલ વગાડવામાં આવે છે. ત્યારબાદ ચોસઠ ઇન્દ્રો પરિવાર સહિત આવી સર્વસમૃદ્ધિ વડે આઠ દિવસનો મહોત્સવ કરે છે. પ્રભુજીનો ભવ્ય અભિષેક થાય છે. ત્યારબાદ સર્વ રીતે અલંકૃત પ્રભુ શિબિકામાં બેસી દીક્ષા માટે પ્રયાણ કરે છે. સ્વયં ઇન્દ્રો અને દેવો પ્રભુજીને શિબિકાને ઉચકી આજુબાજુ ચામર વીંઝે છે.
- ૨૭
Page #43
--------------------------------------------------------------------------
________________
આવી અનુપમ સત્તાનો ત્યાગ કરી પ્રભુ સ્વયંબુદ્ધ થઇ દીક્ષા ગ્રહણ કરે છે. સર્વ શિક્ષાઓના રહસ્યને તથા જે-જે કાળે જે જે ઉચિત કરવું જોઇએ તે જાણતા હોઇ પૃથ્વી પર અપ્રતિબદ્ધપણે વિચરે છે. પરિષદો અને ઉપસર્ગોને સહન કરી કર્મ ખપાવવાના અને આત્મશુદ્ધિના ઘોર પરાક્રમને આચરે છે.
કેવળજ્ઞાન કલ્યાણક જ્ઞાન-દર્શન-ચારિત્રની અનુપમ સાધના, આત્મરમણતા, તત્ત્વચિંતન તથા પુદ્ગલસ્વરૂપનું ચિંતન, મત્યાદિ ભાવનાઓ તથા ફાજ્યાદિ દશવિધ ધર્મથી સતત આત્મશુદ્ધિની પ્રક્રિયામાં રમમાણ પરમાત્મા છેવટે શુક્લધ્યાન પર આરુઢ થાય છે અને ક્ષપકશ્રેણિ દ્વારા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મ રૂપ ચાર ઘાતકર્મોનો ક્ષય કરી સર્વદ્રવ્યો અને તેની બધી જ અવસ્થાઓ(પર્યાયો)નું સાક્ષાત્કાર કરતું કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જ ક્ષણે તીર્થકર નામકર્મનો વિપાકોદય (સફળ ઉદય-સંપૂર્ણ ઉદય) થાય છે જેના પ્રભાવે એક યોજન પ્રમાણ પીઠબંધ પર રચેલા ચાંદી, સોના અને રત્નના ત્રણ ગઢવાળા સમવસરણ પર બેસી અસંખ્ય ભાવિકોને દેશના આપી વિશ્વનું ભાવદારિશ્ય દૂર કરે છે. અષ્ટ મહાપ્રાતિહાર્ય, ૩૪ અતિશય, વાણીના ૩૫ ગુણ આદિ વડે દેવો, અસુરો અને મનુષ્યોને આનંદિત કરતા, સ્વયં કૃતાર્થ હોવા છતાં પરોપકાર માટે જગત પર વિચરી અનાદિકાલીન પ્રબલ મિથ્યાત્વનો નાશ કરે છે, કુમતરૂપ અંધકારને દૂર કરી સુમતરૂપ પ્રકાશને પાથરે છે.
કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલા તીર્થકર ભગવંતો અનંતજ્ઞાન (સર્વજ્ઞતા), અનંતદર્શન, અનંતવીર્ય(શક્તિ) અને વીતરાગતા ગુણથી યુક્ત બને છે. તેથી તેઓ નિરંજન, પરમાત્મા કહેવાય છે. વિશ્વોપકારી પરમાત્મપણું અહીંથી પ્રગટ થાય છે.
નિર્વાણ કલ્યાણક તીર્થકર ભગવંતો આયુષ્યકર્મની સમાપ્તિના સમયે વિશિષ્ટ આત્મિક પ્રક્રિયાઓ દ્વારા બાકીના કર્મોને ઝડપથી ખપાવી સંસારમાં જકડી રાખનારા વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યકર્મનો ક્ષય કરી એક જ સમયમાં સીધી ગતિથી લોકના અગ્રભાગ ક્ષેત્રરૂપ મોક્ષમાં ચાલ્યા જાય છે. હવે સાદિ અનંતકાળ માટે તેઓ અનંતદર્શન, જ્ઞાન, વીર્ય અને સુખમાં લીન રહે છે. તીર્થક
* ૨૮
Page #44
--------------------------------------------------------------------------
________________
રપણાની જ્યોતિ સંસારમાંથી વિલીન થઇ અને પરબ્રહ્મરૂપ મોક્ષની મહાજ્યોતિમાં ભળી ગઇ તે નિર્વાણ કહેવાય છે. જન્મમરણમાંથી મુક્તિ એટલે પણ નિર્વાણ કહેવાય.
ચોસઠ ઇન્દ્રો ભગવંતના નિર્વાણને જાણી ગોશીર્ષ ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી ભગવંતના દેહના અંતિમ સંસ્કાર કરે છે. અને શાશ્વત ચૈત્યોમાં મહોત્સવ કરે છે. અનાદિકાળથી સંસારના બીજા જીવો કરતાં વિશિષ્ટ તીર્થકર પરમાત્માનું ચ્યવન, જન્મ, ગૃહવાસ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ વગેરે બધું જ અલૌકિક-અદ્ભુત હોય છે. આ પાંચે કલ્યાણક સમયે તો વિશ્વના જીવોનું કલ્યાણ થાય જ છે, આજે પણ તેનું ધ્યાન વગેરે ધરતા જીવો કર્મનિજેરા, ગુણવૃદ્ધિ અને પુણ્યપુષ્ટિનો ખૂબ જ મોટો લાભ મેળવી શકે છે.
“તીર્થંકર પરમાત્માના બાહ્ય રૂપ-કાંતિ-સૌભાગ્ય-ઐશ્વર્ય બધું જ એટલું અનુપમ હોય છે કે તે જ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરનારા ચરમશરીરી જીવોને પણ પરમાત્માના દર્શન બાદ એવી ઇચ્છા થાય છે કે આવું તીર્થંકરપણું તો એકવાર મેળવવા જેવું છે. ભલે કદાચ સંસારમાં ભાવો વધે, તીર્થકરપણું મળતું હોય તો હું મારા ભાવ વધારવા તૈયાર છું.” આવું મહાનિશીથ સૂત્રમાં જણાવેલ છે.
અનન્ય ગુણના ભંડાર તીર્થંકર પરમાત્માના અનંત અભ્યતર ઐશ્વર્યને ઓળખવા માટે, જાણવા માટે અને ગાવા માટે જન્મજન્માંતર પણ ઓછા પડે અને ખુદ કેવળજ્ઞાની પણ જાણી શકે, પણ એક ભવમાં વર્ણવી ન શકે... કહ્યું છે કે
'यदि त्रिलोकी गणनापरा स्यात्, तस्याः समाप्तिर्यदि नायुषः स्यात् । पारे परायं गणितं यदि स्यात्, निःशेषगणेयगुणोऽपि स स्याद् ।'
જો ત્રણે લોકના તમામ જીવો ગણવા બેસી જાય, તેમના આયુષ્ય અનંત થઇ જાય, ગણિતની પણ તમામ મર્યાદાઓને ખુલ્લી કરી દેવામાં આવે તો...તો...કદાચ...કદાચ તેમના બધા ગુણોને ગણી શકાય.
આવી અભ્યતર સમૃદ્ધિની ઓળખ માટે તો કેવળજ્ઞાનયુક્ત ભવની જ રાહ જોઇએ, હાલ બાહ્ય પુણ્યસમૃદ્ધિને ઓળખવાનો પ્રયત્ન કરીએ..
{ ૨૯
Page #45
--------------------------------------------------------------------------
________________
અરિહંતની અનન્યતા - ૧૨ ગુણ છે
અષ્ટ પ્રાતિહાર્ય + ૪ મૂલ અતિશય વિશ્વમાં ધર્મસ્થાપકો તો અસંખ્ય છે, પરંતુ પરમતારક તીર્થંકર પરમાત્માની ધર્મસ્થાપના સત્ય છે એ જાણવા માટે તીર્થકર ભગવંતની અનન્યતા જાણવી જોઇએ. યોગસાધનાના પ્રભાવે લબ્ધિઓ-સિદ્ધિઓ તો ઘણા, ઘણી જાતની મેળવી શકે છે, પરંતુ ત્રિલોકપૂજ્ય દેવાધિદેવમાં અતિશયોની અનન્યતા જે જણાય છે, તે બીજે ક્યાંય નથી. તેનાથી જ ગુણભંડાર પરમાત્માની પરમસત્યતા સાબિત થઇ જાય છે. ચાલો, તેને માણવાનો પ્રયત્ન કરીએ.
જિનશાસનનો સાર નવકાર છે, નવકારનો સાર અરિહંત પરમાત્મા છે અને અરિહંત પરમાત્માનો સાર તેમનામાં રહેલા ૧૨ ગુણો છે. આ ૧૨ ગુણો માત્ર અરિહંતમાં જ હોય છે. તેમના સિવાય બીજા કોઇનામાં ક્યારેય રહી શકતા નથી. તેથી જ તેમની ઓળખ આ ૧૨ ગુણથી અપાય છે. આ બાર ગુણો છે
આઠ મહાપ્રાતિહાર્ય અને ચાર મૂલાતિશય
આ ૧૨ ગુણ માત્ર અરિહંતોમાં જ હોય છે. સહુ પ્રથમ ચાર મૂલાતિશયનું વર્ણન જોઇએ..
અનેકગ્રંથોમાં આ ચાર અતિશયથી ભગવંતની સ્તુતિ કરવામાં આવેલી છે. તેથી આ ચાર અતિશયો અરિહંત પરમાત્માનું યથાર્થ સ્વરૂપ કહેવા માટે સમર્થ છે. આ ચાર અતિશયમાં પ્રભુના બાકીના અતિશય-પ્રાતિહાર્ય-વાણીના ગુણ ઇત્યાદિ સમાઇ જાય છે તેથી આ ચાર અતિશયનું ખૂબ ચિંતન-મનન કરવું જોઇએ. અતિશય એટલે શું ? जगतोऽपि अतिशेरते तीर्थंकरा एभिरित्यतिशयाः
(અભિધાન ચિંતામણિ સ્વોપજ્ઞ ટીકા) જેનાથી તીર્થકર ભગવંતો જગતના બધા જ જીવો કરતા ચડિયાતા | ઉત્કૃષ્ટ સાબિત થાય તે અતિશય કહેવાય..
આ શબ્દમાં ઘણા બધા રહસ્યો સમાયેલા છે. આનું ઊંડાણથી ચિંતન કરવાથી તીર્થંકર પરમાત્માનું વાસ્તવિકરૂપ ધ્યાનમાં આવે છે. પરમાત્માના
એ ૩૦
જ
Page #46
--------------------------------------------------------------------------
________________
તમામ અતિશયોના મૂળમાં તીર્થકર નામકર્મ નામના પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય હોય છે. આવું પુણ્ય વિશ્વના બીજા કોઇ જીવ ક્યારેય બાંધી શકતા નથી, તેનું કારણ પરમાત્માનું શ્રેષ્ઠ સમ્યક્ત (વરબોધિ) અને ઉત્કૃષ્ટ ભાવના હોઇ શકે... તીર્થકર ભગવંત જેવું નિર્મળ સમ્યગ્દર્શન, તેવા ઉત્કૃષ્ટ શમ-સંવેગ-નિર્વેદઅનુકંપા-આસ્તિક્યના ભાવો, તેવી જીવોને તારી લેવાની ઉત્કૃષ્ટ ભાવના બીજે ક્યાંય જોવા ન મળી શકે... આમ ગુણાતિશય, ભાવનાતિશય અને પુણ્યાતિશયથી યુક્ત પરમાત્મામાં અતિશયોનું દિવ્ય સામ્રાજ્ય ફેલાય છે.
૧) જ્ઞાનાતિશય - તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાન દ્વારા લોક અને અલોકના ત્રણે કાળના તમામ ભાવોને હાથમાં રહેલા આમળાની જેમ સાક્ષાત્ નિહાળી શકે છે. તે પરમાત્માનો જ્ઞાનાતિશય.. અતિશય એટલા માટે કે અનુત્તર દેવલોકમાં રહેલા દેવોના તત્ત્વ વિશેના સંશયો કે સમીપ આવનારા તમામ જીવોના તમામ સંશયો એક સાથે છેદાઈ જાય છે. આવું સામર્થ્ય અન્ય તીર્થ-સ્થાપકોમાં તો નથી જ, પરંતુ સામાન્ય કેવળીઓમાં પણ આવું સામર્થ્ય નથી હોતું. માટે જ તેને અતિશય કહેવામાં આવે છે.
૨) વચનાતિશય - “પરમાત્માની સર્વ જીવોને અભયદાન આપવામાં સમર્થ અને સર્વ ભાષાઓમાં પરિણમતી, સાતસો નય અને સપ્તભંગીર્થ યુક્ત જે ધર્મદેશના, તે પરમાત્માનો વચનાતિશય છે.' એક સાથે દેવ-મનુષ્યોતિર્યચો પ્રતિબોધ પામી શકે છે તે પ્રભુનો વચનાતિશય છે. પરમાત્માનું વચન આગળ કહેવાનારા ૩૫ ગુણોથી સહિત હોય છે. સતત છ મહિના સુધી દેશના ચાલે તો પણ ભૂખ-તરસ ન લાગે, થાક ન લાગે, ઉંઘ ન આવે, ઉપરથી પરમતૃપ્તિનો અનુભવ થયા જ કરે. પ્રભુજીની આવી વાણી તે વચનાતિશય છે. અન્ય તીર્થસ્થાપકોમાં આવો વચનપ્રભાવ જોવા નથી મળતો. સામાન્ય કેવળીમાં પણ નહીં, માટે પ્રભુનું વચન માત્ર વચન નથી, વચનાતિશય છે.
૩) અપાયાપગમાતિશય - રાગ-દ્વેષ-મોહ આદિ દોષો જીવને હાનિકારક હોવાથી તે અપાય કહેવાય છે. તેનો અપગમ = નાશ. રાગાદિનો નાશ થવાથી પરમાત્માને આત્મસ્વરૂપનો લાભ થયો હોવાથી આ અપાયાપગમ કહેવાય છે. ભગવંત જ્યાં વિચરતા હોય ત્યાંથી ચારે દિશાઓમાં ૨૫-૨૫ યોજન, ઊર્ધ્વ (ઉપર) અને અધો (નીચે-પાતાલ) દિશામાં સાડા ૧૨-સાડા ૧૨ યોજનએમ કુલ ૧૨૫ યોજન સુધી લોકોમાં દુષ્કાળ-રોગ-શોક-મારી આદિ ઉપદ્રવો
૩૧
Page #47
--------------------------------------------------------------------------
________________
ટળી જાય છે. આવી અપાય(દારૂણ નુકશાન)નાશક શક્તિ જગતમાં કોઇમાં હોતી નથી તેથી આને અપાયાપગમ અતિશય કહેવામાં આવે છે. અહીં અપાય કષ્ટ સમજવું. પરમાત્માના કર્મક્ષયજન્ય અતિશયો પ્રાયઃ આમાં સમાય છે, જેનું વર્ણન ૩૪ અતિશયના વર્ણનમાં લઇશું...
=
કર્મો અને કુસંસ્કારોનો સમૂળગો નાશ ર્યો હોવાથી-પોતાનું કોઇ નુકસાન હવે થવાનું નથી, અને પૂર્વભવની પરોપકારી ભાવનાથી વિશિષ્ટ પુણ્યબંધ કરેલો હોવાથી અન્યના-કષ્ટો-નુકસાનને દૂ૨ ક૨વાની વિશિષ્ટ શક્તિ પ્રગટ થઇ છે ! આમ સ્વ-૫૨ ઉભયને કલ્યાણકારી આ અતિશય માત્ર અને માત્ર તીર્થંકર ભગવંતોમાં જ શક્ય છે.
૪) પૂજાતિશય - ૫૨માત્માના પાંચે કલ્યાણકોમાં જગતમાં શક્તિસત્તા-ઐશ્વર્ય આદિમાં સૌથી ચડિયાતા ગણાતા ચોસઠ ઇન્દ્રો પણ ભગવંતની અત્યંત નમ્રભાવે ઉલ્લાસપૂર્વક પૂજા-ભક્તિ કરે છે. આવી પૂજા કોઇને પણ પ્રાપ્ત થતી નથી પણ પ્રભુને સહજ મળે છે તે પ્રભુનો અતિશય છે. દેવો અને અસુરો દ્વારા રચાતા અતિશયો આમાં સમાય છે. આવું અદ્ભુત સર્જન અને સમર્પણ વિશ્વમાં કોઇ પ્રત્યે ક્યારેય કોઇને જાગતું નથી... એક એકના વર્ણન મહાગ્રંથોના સર્જન કરે એવા છે. અહીં સંક્ષેપમાં જોઇશું... પરંતુ ત્રિલોકીનાથ દેવાધિદેવને જોતાં જ હૃદયનો જે ઉમળકો જાગે છે, એવો તો કોઇના પ્રત્યે કોઇને ક્યારેય જાગતો નથી. આ પ્રભુનો પૂજાતિશય છે.
આ અતિશયો માત્ર અને માત્ર અરિહંત પરમાત્માને હોય છે માટે જ તેને તેના ગુણ તરીકે બતાવ્યા છે. બીજા આઠ ગુણ છે અષ્ટ મહાપ્રાતિહાર્ય... ૧) અશોકવૃક્ષ - શ્રી કેવળજ્ઞાની જિનેશ્વર ભગવંતની ઉપર સદાકાળ અશોકવૃક્ષ રહેલું હોય છે. પ્રભુજી સિંહાસન પર બેઠા હોય ત્યારે પણ તે છાયા કરીને ઉભું રહે છે અને વિહારમાં પણ પ્રભુને છાયો કરતું ઉપરના ભાગે સાથે ને સાથે ચાલે છે. તે અશોકવૃક્ષ અત્યંત ગાઢ સુકોમળ રાતા વર્ણના પલ્લવોના ગુચ્છાઓ, સર્વ ઋતુઓના વિકસિત પુષ્પો આદિથી અત્યંત શોભાયમાન હોય છે. તે પુષ્પોની સુગંધથી ચારેબાજુથી ભમરાઓ ખેંચાઇ આવી રણઝણ નાદ કરતા હોય છે. અત્યંત ગાઢ છાયા હોવાથી સૂર્યના કિરણો ક્યારેય અંદર પ્રવેશી શકતા નથી. મોતીની માળા-તોરણ, ઘંટાઓના સમુહ,
૩૨
Page #48
--------------------------------------------------------------------------
________________
ધજાઓ વગેરે લાગેલી હોય છે. નીચે વેદિકા અને ઉપર એક યોજનનો ફેલાવો હોય છે. આ અશોકવૃક્ષ એટલું બધું સુંદર હોય છે કે તે જોયા પછી ઇન્દ્રનું ચિત્ત પોતાના ઉદ્યાનમાં પણ ઠરતું નથી. તેને બનાવનાર દેવતા જ હોવા છતાં સૌંદર્ય વગેરે ગુણોની આટલી પરાકાષ્ઠા આવવી પરમાત્માનો અતિશય છે.
અશોકવૃક્ષ તે-તે તીર્થંકર પરમાત્માથી બાર ગણું ઊંચું હોય છે. તેના પર દેવતાઓ ચૈત્યવૃક્ષ = કેવળજ્ઞાનની ઉત્પત્તિ જે વૃક્ષ નીચે થાય તેને સ્થાપિત કરે છે. ૨૪ તીર્થકરોના કેવળજ્ઞાનોત્પત્તિ વૃક્ષો-ન્યગ્રોધ (વડ), સપ્તપર્ણ, સાલ, પ્રિયક, પ્રિયાંગુ, છત્રાધ, સરિસ, નાગવૃક્ષ, માલીક, પીલકું, હિંદુગ, પાડલ, જંબૂ, અશ્વત્થ, દધિપર્ણ, નંદી, તિલક, અંબ, અશોક, ચંપક, બકુલ, વેડસ (વેતસ), ધવ અને સાલ. પરમાત્મા જ્યારે સમવસરણમાં અશોકવૃક્ષ પાસે પધારે છે ત્યારે સૌથી પ્રથમ ચૈત્યવૃક્ષ સહિતના અશોકવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપી પછી જ સિંહાસન પર બેસે છે. અશોકવૃક્ષનો મહિમા એવો બતાવ્યો છે કે જગતના સર્વ જીવોનો શોક દૂર કરે છે.
૨) પુષ્પવૃષ્ટિ – દેવતાઓ જમીન પર કે પાણી પર ઊગતા કે વૈક્રિયલબ્ધિ વડે વિદુર્વેલા પાંચ વર્ણના અતિસુગંધી સુવિકસિત પુષ્પોની સતત વૃષ્ટિ એવી રીતે વરસાવે છે કે પુષ્પોના ડીંટીયા નીચે હોય અને ખીલેલો મુખભાગ ઉપર હોય. ઢીંચણપ્રમાણ થઇ જતો આ થર એક યોજન સુધી ફેલાયેલો હોય છે અને પરમાત્માના પ્રભાવે ગમે તેટલા લોકો તેના પરથી આવ-જા કરે તો પણ તે ફુલોને સહેજ પણ પીડા થતી નથી, ઉપરથી પરમાત્માના અતિશયના પ્રભાવે તેના મન સમુલ્લસિત થાય છે. તેથી જ સાધુ ભગવંતોને પણ તેના પરથી જવા-આવવામાં સચિત્તની વિરાધનાનો દોષ નથી લાગતો. પુષ્પવૃષ્ટિમાં માત્ર ઢગલા નથી કરવામાં આવતા પરંતુ સ્વસ્તિક, શ્રીવત્સ આદિ વિવિધ મંગલમય રચનાઓ પણ કરવામાં આવે છે, આવનારા-જનારાના પગ લાગવા છતાં તે પુષ્પો દબાતા ન હોવાથી સપાટી કાયમ એકસરખી જ રહે છે. પરમાભાના વિહારમાં પણ પુષ્પવૃષ્ટિ સતત થાય છે. તેથી પરમાત્મા જેમ નવ સુવર્ણકમળ પર વિહાર કરે છે તેમ સાથે રહેનારને પણ જમીન પર ચાલવાનું હોતું નથી. એકસરખી પુષ્પવૃષ્ટિ પર જ વિહાર કરવાનો હોય છે.
પુષ્પવૃષ્ટિમાં કલ્પવૃક્ષના, પારિજાતના આદિ દિવ્યપુષ્પો તેમજ મચ
Page #49
--------------------------------------------------------------------------
________________
કુંદ, કુંદ, કમલ, માલતી.. આદિ વિશિષ્ટ પુષ્પો હોય છે. દેવવિમુર્વિત પુષ્પો અચિત્ત હોય, બાકી બધા સચિત્ત હોય છે. આને અતિશય કહેવાનું મુખ્ય કારણ-ડીંટીયા નીચે, મુખભાગ ઉપર એવી વૃષ્ટિ, પુષ્પોને જરા પણ ત્રાસ નહીં અને તેની અતિશય સુંદરતા છે.
૩) દિવ્યધ્વનિ - વિશ્વના તમામ મધુર પદાર્થો કરતાં પણ અતિશય મધુરતાભરી વાણી વડે પ્રભુ જ્યારે માલકૌંશ આદિ રાગમાં દેશના ફરમાવે છે, ત્યારે બન્ને બાજુ રહેલા દેવતાઓ વેણુ, વીણા વગેરેના ધ્વનિ વડે પરમાત્માના ધ્વનિમાં અતિમધુરતાની વૃદ્ધિ કરે છે અને પરમાત્માના અવાજને વધુ ફેલાવાવાળો બનાવી એક યોજન સુધી ફેલાવે છે. તેથી તેમાં બેઠેલા બધા એકતાન થઇ સાંભળે છે.
દેવતાના સંગીતમાં પણ અતિ-અતિમધુરતા પેદા થવી, પ્રભુના અવાજને એક યોજન સુધી ફેલાવવાની શક્તિ આવવી તે પરમાત્માનો જ અતિશય જાણવો. અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ આ ત્રણે પ્રાતિહાર્ય યોજનવ્યાપી છે.
૪) ચામર શ્રેણિ – પ્રભુજીના વિહાર વખતે આકાશમાં ઉપર અને દેશના વગેરે માટે બેસે ત્યારે બન્ને બાજુ ચામર વીંઝાય છે. તે ચામરમાં લાગેલા ચમરી ગાયના વાળ અત્યંત સફેદ અને તેજસ્વી હોય છે. અત્યંત તેજસ્વી શ્રેષ્ઠ રત્નો જડેલા સુવર્ણદંડ ચામરોને હોય છે. તેમાંથી પણ તેજસ્વી કિરણો ચારેબાજુ ફેલાતા હોય છે. ત્રણે લોકમાં આવા તેજસ્વી અને પ્રભાવશાળી ચામરો ક્યાંય હોતા નથી. તીર્થકરના પ્રભાવે સામાન્ય દેવતા પણ અનુત્તરવાસી દેવના વૈભવમાં ન હોય તેવું સર્જન કરી પરમાત્માની ભક્તિનો લાભ મેળવી લે છે.
પ્રભુ સમવસરણમાં ચતુર્મુખ બેસે ત્યારે ચારે રૂપ પાસે બે-બે યક્ષો ચામર વીંઝે છે એટલે કે આઠ ચામર વીંઝાય છે. * ૫) સિંહાસન - અત્યંત નિર્મલ આકાશ સ્ફટિકમય પાદપીઠ સહિત સિંહાસન વિહાર સમયે આકાશમાં ચાલે, બેસવાના સમયે નીચે ગોઠવાઇ જાય. સિંહાસનનો પીઠ ટેકવવાનો ભાગ અત્યંત તેજસ્વી લાલવર્ણનો હોય છે, દાઢાથી વિકરાળ અને સાક્ષાત્ જીવંત હોય તેવા સિંહની આકૃતિ પર તે
૩૪
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠિત હોય છે અને ઉત્તમ રત્નોથી જડેલું હોવાના કારણે સતત તેજકિરણોનો પુંજ તેમાંથી નીકળતો હોય છે. પાદપીઠ પણ ઉત્તમ રત્નજડિત અને તેજસ્વી હોય છે.
કેટલાક ગ્રંથોમાં સુવર્ણમય સિંહાસન બતાવ્યું છે. આ સિંહાસનની બરોબરી કરી શકે તેવું સિંહાસન વિશ્વમાં ક્યાંય હોતું નથી.
) ભામંડલ - ભગવંતના મસ્તકની બહુ જ નજીક હેજ પાછળના ભાગે બારસૂર્યના તેજને પણ જીતી લેતું અતિતેજસ્વી તેજોવલય હોય છે જે અંધારામાં પણ દશેદિશાને અજવાળે છે. ભગવંતના અતિતેજસ્વી રૂપનું દર્શન દુર્લભ ન થઇ જાય તે માટે જાણે તે તેજ બહાર ભેગું થઇને એક ઠેકાણે રહયું હોય અને સર્વજીવોને દર્શન સુખકારી બની જતું હોય એવી કલ્પના કવિઓએ કરી છે તો ક્યાંક પરમાત્મામાં પ્રગટેલી અનંતજ્યોતિ અંદર ન સમાઇ શકવાથી તેનો વધારાનો પિંડ બહાર આવ્યો હોય તેવી કલ્પના કરવામાં આવી છે. ઘાતિકર્મના ક્ષયથી પરમાત્માને આ અતિશય હોય છે.
આવું તેજોવલય વિશ્વમાં બીજા કોઇને ન હોવાથી તે પ્રભુની ઓળખ રૂપ છે.
૭) દેવદુંદુભિ - ઉંચે આકાશમાં દેવતાઓ દ્વારા વગાડાતો અથવા સ્વયં વાગતો વિશ્વવ્યાપી દુંદુભિનાદ થાય છે. દુંદુભિને ભેરી અથવા મહાઢક્કા પણ કહેવાય છે. તેનો નાદ ઘણો ગંભીર, ભયહર અને ઉલ્લાસકર હોય છે. સ્વયં વાગવું, દૂર સુદૂર સુધી ફેલાતો તેમજ અત્યંત ગંભીર અને મધુર અવાજતે અતિશય છે.
૮) ત્રણ છત્ર - શ્રેષ્ઠ ઉજ્જવલ મોતીઓથી શોભતા એક ઉપર એક એમ રહેલા ત્રણ છત્ર પરમાત્માની ઉપર શોભે છે. વિહારમાં પણ પ્રભુની ઉપર રહે છે અને સમવસરણમાં ચાર દિશાના ચાર પ્રભુ પર ત્રણ-ત્રણ અને ઊર્ધ્વદિશામાં ત્રણ એમ પંદર છત્ર પરમાત્માની ઉપર શોભે છે. મોતીની માળાથી યુક્ત આ છત્રત્રય જાણે પ્રભુનું ત્રણ લોક પરનું આધિપત્ય સૂચવતા હોય તેવું લાગે છે.
મોતીની ઉજ્વલતા, દિવ્યતા અને તેજસ્વિતા આ ત્રણ છત્રમાં જેવી હોય છે, તેવી બીજે ક્યાંય હોતી નથી, તેથી જ તે પરમાત્માના અતિશય રૂપ છે.
આ આઠે પ્રાતિહાર્ય શ્રી તીર્થંકર પરમાત્માના પ્રભુતા અને દેવાધિદેવ
-
૩૫
Page #51
--------------------------------------------------------------------------
________________
તાના પ્રતીક છે. આ પ્રાતિહાર્યોને જોઇને જ ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ જેવા કટ્ટર દ્વેષી બ્રાહ્મણો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ પ્રાતિહાર્યોની લક્ષ્મી જોઇને જ મરૂદેવા માતાને ક્ષપકશ્રેણિ પર આરૂઢ થવા ઉચિત ભાવધારા ઉત્પન્ન થઇ હતી. મહાનિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે પ્રભુનું પરમરૂપ, ઉત્કૃષ્ટ લક્ષણો અને પ્રાતિહાર્યાદિ અતિશય જોતાં જ દેવ-દાનવ-ગંધર્વ-કિન્નર-વિદ્યાધર આદિના મુખમાંથી શબ્દો સરી પડે છે કે “અહો ! અહો !! અહો !!! કદી ન જોયેલું અભૂતપૂર્વ દશ્ય આજે અમે નિહાળ્યું... મહાન, અચિંત્ય, વિશિષ્ટ અને અતુલ્ય એવા પરમાશ્ચર્યોનો સમુહ જાણે એક સાથે ભેગો થયેલો અમે જોયો. ધન્ય ! ધન્યાતિધન્ય !!!
અને પરમ આનંદના આવેગમાં તેઓ પરસ્પર એકબીજાને કહે છેખરેખર આ મહાનતમ મહામહોત્સવ છે. મહાન ! મહાન !!!”
તે જ ભવમાં મોક્ષે જનારા ચરમશરીરીઓ પણ આનંદ અને આશ્ચર્યના ભરવેગમાં તણાતા આવું તીર્થંકરપણું પ્રાપ્ત કરવા સંસારની વૃદ્ધિને પણ સ્વીકારવા તૈયાર થઇ જાય છે. મહાવૈરાગી જીવો પણ આ અતિશયોની અભુતતા જોઇ પરમભક્તિના રસમાં તરબોળ બની જાય છે.
આવા આ ૧૨ લક્ષણરૂપ ગુણોથી યુક્ત તે જ દેવાધિદેવ કહેવાય. તે જ વિશ્વને માર્ગ દેખાડવા સમર્થ હોય. તેમના દર્શાવેલા માર્ગ પર જ આપણે ગતિ કરાય..
0 ૩૬
Page #52
--------------------------------------------------------------------------
________________
'તીર્થકર ભગવંતનું અપૂર્વ પુણ્યસામ્રાજ્ય
-૩૪ અતિશય —
| તીર્થંકરના ગુણો, તીર્થંકરની વિશેષતાઓ તથા તીર્થંકરના અતિશયો તો અનંત છે. તેમની સાથે સંકળાયેલી પ્રત્યેક ઘટના, પ્રત્યેક વસ્તુ અનુત્તર, અનુપમ અને અલૌકિક હોય છે, છતાં બાળજીવો સહેલાઇથી સમજી શકે તે માટે ૩૪ અતિશયની અહીયાં સંખ્યા નિર્ધારિત કરવામાં આવે છે. આ પ્રત્યેકના જેવી ચીજ દુનિયામાં ભેગી કરવામાં આવે તો પણ અનંતમા ભાગે માંડ ઊભી રહી શકે. અતિશયનો અર્થ જ એ છે કે વિશ્વના તમામ પદાર્થોના સમુહ કરતા અનંતગુણ ચડિયાતાપણું.
આ ૩૪ અતિશયોના, ઉત્પત્તિના આધારે ત્રણ વિભાગીકરણ કરવામાં આવ્યા છે. (૧) જન્મની સાથે ઉત્પન્ન થતા ૪ અતિશય.
(૨) કર્મક્ષયથી ઉત્પન્ન થતા ૧૧ અતિશય. (૩) કેવળજ્ઞાન બાદ દેવતાઓએ ભક્તિથી બનાવેલા ૧૯ અતિશય.... ક્રમશઃ આપણે બધાને માણવાનો પ્રયત્ન કરીએ.
૧) ચાર સહજ = જન્મથી જ સાથે ઉત્પન્ન થતા અતિશયો... (a) અદ્ભુત રૂપ, અદ્ભુત સુગંધ, રોગ, પરસેવા અને મેલથી રહિત શરીર...
અહીં પ્રભુદેહના પાંચ વિશેષણો દર્શાવ્યા..
i) પ્રભુનો દેહ અભુત રૂપવાળો હોય છે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે દુનિયાના વિશિષ્ટતમ રૂપવાન વ્યક્તિ કરતાં મહામાંડલિક રાજાનું રૂપ અનંતગુણ ચડિયાતું. મહામાંડલિક રાજા કરતાં બલદેવનું રૂપ અનંતગુણ ચડિયાતુ, તેનાથી વાસુદેવ, તેનાથી ચક્રવર્તી, તે પછી વ્યંતર, ભવનપતિ, જ્યોતિષ, પ્રથમ દેવલોકાદિ ક્રમથી બાર દેવલોક, નવ રૈવેયક અને અનુત્તર દેવના રૂપ ક્રમશઃ અનંત અનંતગુણ ચડિયાતા, તેનાથી આહારક શરીરવાળાનું રૂપ અનંતગુણ, તેનાથી ગણધર ભગવંતનું રૂપ અનંતગુણ અને તેનાથી તીર્થકર ભગવંતોનું રૂપ અનંતગુણ ચડિયાતું હોય છે.
શાસ્ત્રો લખે છે કે તમામ દેવો આદિ ભેગા મળીને પરમાત્માનો એક અંગુઠો પણ બનાવવા બેસે તો પણ અનંતમા ભાગે આવે. વિશ્વના તમામ
- ૩૭
-
Page #53
--------------------------------------------------------------------------
________________
દેવ-દેવી-વિદ્યાધરો-મનુષ્યો આદિના રૂપ-સૌભાગ્ય-કાંતિ-લાવણ્ય-દીપ્તિ આદિનો ઢગલો એકબાજુ રાખવામાં આવે અને બીજી બાજુ પ્રભુના પગના અંગુઠાનો અગ્રભાગ મૂકો તો પણ રાખનો ઢગલો કંચનગિરિની બાજુમાં શોભા ન પામે તેવો લાગે છે.
વિશ્વના તમામ જીવો ભેગા થઇને પરમાત્માના રૂપનું વર્ણન કરવા બેસે તો પણ સર્વાગ સંપૂર્ણ વર્ણન ન થઇ શકે. તે તે વર્ણના પરમાત્મા પાસે તે તે વર્ણના સર્વોચ્ચ લેવલના મણિ-રત્નો પણ ઝાંખા પડી જાય તેવી અનંતગુણ તેજસ્વિતા અને ઉત્તમતા પરમાત્મામાં હોય છે. ૧,૦૦૮ લક્ષણ, મસ્તક પર શિખા, છાતી પર શ્રીવત્સ તથા અત્યંત નિયોજિત દેહાવયવોના કારણે પરમાત્માનો દેહ પરમસૌભાગ્યવંત હોય છે.
ii) લોકોત્તર સુગંધવાળો પ્રભુનો દેહ હોય છે-પરમાત્માનો દેહ કમળના સુગંધથી અનંતગુણ સુગંધ ધરાવતો હોય છે. વિશ્વના તમામ સુગંધી તત્ત્વના અર્કના ઢગલા પણ પ્રભુના દેહ સામે નબળા પુરવાર થયા વિના ન રહે. આત્મામાં રહેલી અનંત ગુણોની સુગંધનું સુચક દેહસુગંધ છે.
અહીં ઉપલક્ષણથી પાંચ ઇન્દ્રિયોની પરમતૃપ્તિનું કારણ પરમાત્માનો દેહ જાણવો, વર્ણ-ગંધની જેમ સ્પર્શ-શબ્દ આદિ પણ અનુત્તર હોય છે.
ii) રોગરહિત શરીર – પૂર્વના ભવમાં ભાવેલી ઉત્કૃષ્ટ કરુણારૂપ ભાવદયાના પ્રભાવથી પરમાત્માની કાયા આજીવન કોઇ પણ પ્રકારની ખોડખાંપણ કે રોગના અંશમાત્ર પણ ચિહ્ન વિનાની અત્યંત આરોગ્યયુક્ત હોય છે. આજીવન નિરોગી દેવતાઓ કરતાં પણ પરમાત્માનું આરોગ્ય અનંતગુણ ચડિયાતું હોય છે. આજન્મ ક્યાંય ક્યારેય કોઇ જ રોગ પરમાત્માને થતા નથી.
V) પરસેવારહિત શરીર – ગમે તેવી ગરમી કે તડકામાં પણ પરમાત્માને સ્ટેજ પણ પરસેવો થતો જ નથી. આ પ્રભુની કાયાની સહજ વિશેષતા છે. તેથી સદાકાળ પ્રભુની કાયા એવી ને એવી તરોતાજા જ રહે છે.
v) એલરહિત શરીર - ગમે તેવા સંયોગોમાં પરમાત્માની કાયાને મેલ લાગે જ નહીં, ચોંટે જ નહીં તેવી પરમાત્માની કાયા હોય. અનાર્યદેશના વિચરણ વખતે અજ્ઞાની જીવો ધ્યાનસ્થ પ્રભુના દેહ પર ધૂળના ઢગલા કરી નાખતા છતાં લેશમાત્ર પણ ધૂળ ચોંટતી નહીં..
* ૩૮
Page #54
--------------------------------------------------------------------------
________________
1860% अमानवीनती जनावार 89a9e
વીશાદશાવાથવા પદો
सिद्धपदर
प्रवचनपद ३
विंशतिस्थानकचित्र
उपाध्यायपद
स्थविरपद
माधुपद
जंजिर्णाह पवइयं तमेव निर
दर्शनपद
-विनयपद २०
अवधि ज्ञान
जानपद
चारित्रपद४४
तपपद
क्रियापद
बह्मवर्यपट
अभिनवपद १४
यमपट१७
जिनपद६
पर्व जन्म मे तीर्थकर माने सर्वोतमकोटिकावरीयपन प्राप्ति में
Page #55
--------------------------------------------------------------------------
________________
સમગ્ર વિશ્વની દુ:ખમુક્તિ અને સુખપ્રાપ્તિનો એકમાત્ર ઉર્જાસ્રોતા
આહત્ય
Page #56
--------------------------------------------------------------------------
________________
અરિહંતના ૧૨ ગુણ
મૂલ ૪ અતિશય, ૮ મહાપ્રાતિહાર્ય
पूजातिशय
जानातिशय
तीन
अशोकवृक्ष
टुटुभि
ROOOOOOOOT
LOOOOOOOOOZ
दिव्य
ध्वनि
आभा मंडल
नमो-अरिहंताणं
सिंहासन
चंवर
अपाया पगमातिशय
वचनातिशय
Page #57
--------------------------------------------------------------------------
________________
કgel] GDલી પ્રાળુની થતી &ઉનાળી ઉપEાઓ૦૦૦
સારી રીતે હોમાયેલા અગ્નિની જેમ તેજથી જ્વલંત
પદ્મપત્ર જેવા નિર્લેપ
સાગર જેવા ગંભીર
પંખી જેવા વિપ્રમુક્ત
ચંદ્રની જેમ સૌમ્યલેશ્ય
સરોવરના જલની જેમ શબ્દ હૃદયવાળા
સૂર્ય જેવા દિપ્ત તેજોમય.
પૃથ્વીની જેમ સર્વસહ
મેરૂ જેવા નિપ્રકંપ
ગગનની જેમ નિરાલંબન
શંખ જેવા નિરંજન
વાયુ જેવા અપ્રતિબદ્ધ
Page #58
--------------------------------------------------------------------------
________________
-
૨) કમળ સમાન સુગંધી શ્વાસ – પરમાત્માના ઉચ્છ્વાસ અને નિઃશ્વાસબન્નેમાં વિશ્વના ઉત્તમોત્તમ કમળ કરતાં અનંતગણી વધારે સુગંધ હોય છે. તેથી જ પર્રમાત્માના વિહાર સમયે આસપાસના પુષ્પોની પરાગરજને છોડી ભમરાઓ ૫૨માત્માના શ્વાસોચ્છ્વાસની સુગંધને અનુસરે છે.
૩) ગાયના દૂધની ધારા સમાન શ્વેત અને દુર્ગંધ વિનાના સહજસુંદર માંસ અને લોહી - પરમાત્માના રક્ત અને માંસ પરમ સુવાસથી સમૃદ્ધ હોય છે. જોતા જરાય નફરત તો ન જ થાય, પરંતુ જોવા ગમે તેવા અને અહોભાવયુક્ત આશ્ચર્ય પેદા કરે તેવા હોય છે... જેમ ચંડકૌશિકને પરમાત્માનું શ્વેત રક્ત જોતાં જ અહોભાવયુક્ત આશ્ચર્ય પેદા થયું હતું...
અહીં શ્વેતતા (સફેદાઇ) માટે ગાયના દૂધની ધારાની ઉપમા આપી છે તે દોહતી વખતે ગાયના સ્તનમાંથી નીકળતી દૂધની ધારા જાણવી. તે વખતે દૂધ એકદમ સફેદ હોય છે. ત્યારબાદ વાસણનો સ્પર્શ થતા નિર્મળતા ઘટવા લાગે છે. હકીકતમાં ગાયના દૂધ કરતાં પણ અનંતગુણ સફેદ લોહી અને માંસ હોય છે.
૪) આહાર અને નિહારની ક્રિયા અદશ્ય હોય છે-ભોજન, પાણી અને મળ-મૂત્રના ત્યાગની ક્રિયા ચર્મચક્ષુથી જોઇ શકાતી નથી. અવધિજ્ઞાનવાળા વગેરે અતિશયજ્ઞાની જોઇ શકે છે.
આ ચારે ચાર અતિશયો જન્મની સાથે જ થઇ જતા હોય છે. માત્ર તીર્થંકર ભગવંતના જીવનમાં જ આ શક્ય બને છે.
૩૯
Page #59
--------------------------------------------------------------------------
________________
ઘાતીકર્મના ક્ષયથી ઉત્પન્ન થતા ૧૧ અતિશય
૧) યોજનમાત્ર સમવસરણમાં મનુષ્યો, દેવો અને તિર્યંચોની કોડાકોડી સંખ્યાનો સમાવેશ -
ઘાતીકર્મનો ક્ષય અને રાગદ્વેષનો ક્ષય તો બધા જ શુક્લધ્યાની સાધકો કરીને વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરે છે. વીતરાગતા અને સર્વજ્ઞતાની દ્રષ્ટિએ આ બધા જ મહાપુરુષો સમાન હોય છે. પરંતુ તીર્થંકર ભગવંતના કર્મક્ષય અને દોષક્ષયને અતિશય કહેવાય છે, કારણ કે પરમાત્માના સાન્નિધ્યમાં બીજાના પણ અપાયો દૂર થાય છે. અહીં પણ પરમાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતા કરાતી સમવસરણની રચના જે એક યોજનના માપવાળી હોય છે. [ ૧ યોજન = ૪ ગાઉ = ૮ માઇલ ૧૩ કિ.મી. - દરેક વખતનું માપ તે-તે ભગવાનના સમયની કાયાના માપ મુજબ જાણવું. ] તેમાં ય ચારેબાજુ ૨૦,૦૦૦-૨૦,૦૦૦ પગથિયા જેટલી જગ્યા તો નીકળી જાય, તેથી બેસવા માટેની બચતી અલ્પ જગ્યામાં કોટાકોટી [ આવશ્યક હારિભદ્રીયવૃત્તિ પ્રમાણે અસંખ્ય કરોડ દેવતાઓ પણ ક્યારેક આવી શકતા હોય છે ] સંખ્યામાં રહેલા દેવતા, મનુષ્યો અને તિર્યંચો સમાઇ જાય છે, કોઇને પણ સંકોચાઇને બેસવું પડતું નથી, વધારે પડતી ભીડના કારણે થતી અકળામણ-દબાણ-એકબીજાના શરીરસ્પર્શજન્ય ત્રાસ વગેરે કશું જ થતું નથી અને સહુ સુખે સુખે પ્રભુજીની ધર્મદેશના સાંભળી શકે છે... આવી ઘટના માત્ર તીર્થંકર પરમાત્મામાં જ ઘટી શકે માટે જ તે અતિશય કહેવાય છે.
જે પરમાત્મા પોતાના હૃદયમાં વિશ્વના તમામ જીવોને સમાવી શકે તેઓના (કેવળજ્ઞાની બન્યા પછી) સમવસરણમાં કરોડો જીવો કેમ ન સમાઇ શકે ?
=
૨) એક યોજન ફેલાતી અને સર્વભાષારૂપે પરિણમતી પરમાત્માની દેશના - તીર્થંકર બન્યા પછી પરમાત્માનો મુખ્ય ઉપકાર સવાર-સાંજ ૧-૧ પ્રહર = ૩ કલાક ધર્મોપદેશ આપવાનો હોય છે. તેઓ વિશ્વને આત્મકલ્યાણનો માર્ગ દેખાડે છે. પરાણે હાથ પકડીને ધર્મમાર્ગમાં ચલાવતા નથી, પરંતુ હિંસાત્યાગ, પાપત્યાગ અને આત્મોદ્ધારની પ્રક્રિયાઓ તાર્કિક રીતે, દ્રષ્ટાંતોથી, તાજી જ બનેલી-સમવસરણમાં જ બેઠેલા જીવોના આગળ-પાછળના
૪૦
Page #60
--------------------------------------------------------------------------
________________
ભવો બતાવવા દ્વારા વિશ્વાસપાત્ર બનતી ઘટનાઓના વર્ણન દ્વારા બતાવે છે. પરમાત્મા આ બધું કથન અર્ધમાગધી ભાષામાં જ કરે છે પરંતુ પ્રભુના અતિશયના પ્રભાવે દેવોને દૈવી ભાષામાં, આર્યને આર્યભાષામાં, અનાર્યને અનાર્યભાષામાં, તિર્યંચોને તેમની ભાષામાં પ્રભુ બોલતા હોય તેવું લાગે છે. તેથી તેઓ પ૨મઆનંદ અનુભવે છે. આ અતિશયના પ્રભાવે જ પરમાત્મા એકસાથે અનેક જીવો પર ઉપકાર કરી શકે છે. UNO-ની મહાસભા વગેરેમાં આજે એક ભાષામાં કરાતું ભાષણ અનેક ભાષામાં સંભળાય તેવી મશીનો દ્વારા વ્યવસ્થા થાય છે. ત્યાં તો તે-તે ભાષાના અનુવાદકો શીઘ્ર અનુવાદ કરી માઇકમાં બોલે છે, તે સંભળાય છે. જ્યારે અહીં માત્ર પ્રભુના ઘાતિકર્મના ક્ષયના પ્રભાવે ઉત્પન્ન થયેલા અતિશયમાં આવો મહિમા હોય છે. UNOમાં માત્ર અમુક જ ભાષામાં Translation છે, અહીં તો દેવી, પિશાચી, તિર્યંચી આદિ બધી જ ભાષાઓમાં પરિણમન હોય છે. વિશ્વના પૌદ્ગલિક જથ્થાઓ પરના અદ્ભુત પ્રભુત્વ વગર પુદ્ગલોને અનુકૂળરૂપે પરિણમાવવાનું સામર્થ્ય ક્યાંથી આવે ? સામાન્ય વક્તાના વચન પાછળ બેઠેલા શ્રોતાઓને સાંભળવામાં તકલીફ જ્યારે પડે છે, કારણ કે અવાજ જેમ દૂર જાય તેમ ધીમો પડતો જાય છે, પરમાત્માની સભામાં એક યોજન સુધીના વિસ્તારમાં બધા જ જીવોને એકસરખી રીતે સંભળાય છે. આ પરમાત્માનો મહાન અતિશય છે.
૩) ભામંડલ - આનું વર્ણન આઠ મહાપ્રાતિહાર્યમાંથી જોઇ લેવું... • ૪થી ૧૧ :- પ૨માત્મા વિચરે ત્યાં ચાર દિશામાં ૨૫-૨૫ યોજન, ઊર્ધ્વ દિશામાં ૧૨ ।। અને અધોદિશામાં ૧૨।। એમ કુલ ૧૨૫ યોજનમાં - ૪) તાવ વગેરે રોગો ન હોય... છ માસ પૂર્વે ઉત્પન્ન થયેલા બધા (અનિકાચિત કર્મના બળે થતા) રોગો શમી જાય અને છ મહિના સુધી નવા ઉત્પન્ન થતા નથી....
૫) વૈર એટલે લોકોમાં એકબીજા સાથે વિરોધ ન હોય - આ ભવમાં બાંધેલા કે પરલોકથી સાથે લઇને આવેલા અથવા જન્મજાત વે૨ી-ઉદર-બિલાડી, સાપ-નોળિયો જેવા પ્રાણીઓ પણ ભગવંતની પર્ષદામાં હોય ત્યારે સ્વસ્થ મનવાળા થઇને દેશના સાંભળે છે. ભવોભવ સુધી ચાલે તેવા દુર્ધ૨ સ્ત્રીજમીન-ગામ-નગર વગેરેની માલિકી, કૌટુંબિક કારણો વગેરે કોઇ પણ કારણોથી ઉત્પન્ન થયેલા વેરના અનુબંધો પણ પ્રભુના પ્રભાવે તત્કાલ શમી જાય
૪૧
Page #61
--------------------------------------------------------------------------
________________
છે. અતિતીવ્ર વૈરવૃત્તિવાળા દેવો અને દાનવો આદિના વૈર પણ અત્યંત શમી જાય છે.
પરમાત્માની ગેરહાજરીમાં પરમાત્માની દાઢાનું સ્નાત્રજળ પણ દેવલોકમાં બે ઇન્દ્રો કે મહÁિક દેવો વચ્ચેના વે૨ અને ક્લેશની પરંપરાને શાંત પાડી દે છે, આ પરમાત્માએ હાડોહાડ આત્મસાત્ કરેલા ક્ષમા-પ્રશાંતતા આદિ ગુણોનું જ પરિણામ છે. .
૬) ઇતિ = અનાજ-પાક વગેરેને પુષ્કળ પ્રમાણમાં હાનિ પહોંચાડનાર ઉંદર, તીડ, લાલ કીડી, પોપટ, જીવાત આદિ પ્રાણીસમુહનું આક્રમણ ન થાય... એકસાથે અનાજના નાશમાં અનેક લોકોને ઘો૨ નુકસાન-ભૂખમરોઅકાળ આદિ થવાની સંભાવના હોવાથી પરમાત્માના વિચરણના સવાસો યોજનમાં આવા ઉપદ્રવ ન થાય. ૭) મારિ = દુષ્ટ દેવતા વગેરે દ્વારા ચારે બાજુ કરાયેલ ગૂઢ રોગચાળાનો ઉપદ્રવ, ન સમજી શકાય, ન ટાળી શકાય તેવા ઉપદ્રવ-ઉત્પાત વગેરે ટળી જાય છે, અને તેનાથી થતી પુષ્કળ જાનહાનિ બચાવી શકાય છે. ૮) અતિવૃષ્ટિ = સતત પુષ્કળ વરસાદ-જેનાથી પાક સડી જાય, રોગચાળો ફાટી નીકળે, પૂરજન્ય જાનહાનિ-માલહાનિ ઇત્યાદિ સંભવિત અપાયો થાય-તેવો અતિવરસાદ ન થાય.
૯) અવૃષ્ટિ = સંપૂર્ણ વરસાદનો અભાવ, યોગ્ય કાળે વરસાદ ન થવો ઇત્યાદિથી થતું નુકશાન ન થાય...
૧૦) સ્વ-પરચક્રભય = સ્વદેશમાં બળવો-હુલ્લડ-વિનાશકક્રાંતિ વગેરે ન થાય, તેવી જ રીતે અન્ય રાજા સાથે યુદ્ધ વગેરે ન થાય, થયા હોય તો શાંત થઇ જાય...
૧૧) દુર્ભિક્ષ - જૂનો દુષ્કાળ નાશ પામે છે, અને નવો દુષ્કાળ થતો
નથી...
આમ પરમાત્માના પ્રભાવે અતિશય પીડાકારી કોઇ ઉપદ્રવો લોકોને પીડતા નથી. કર્મક્ષયજન્ય અતિશય બધા જ લોકસુખાકારિતા માટે થાય છે તે સ્પષ્ટ જણાય છે.
૪૨
Page #62
--------------------------------------------------------------------------
________________
Gી દેવકૃત ૧૯ અતિશયો કે
અહીંથી દેવતાઓએ ભક્તિ નિમિત્તે આયોજેલા અતિશયોનો પ્રારંભ થાય છે. કરે છે દેવતાઓ, પરંતુ થાય છે ભગવાનના પ્રભાવથી, અતિશયથી. દેવતાઓ પરમાત્માની હાજરી વિના જો આ અતિશયો બનાવવા જાય તો અનંતમા ભાગના પ્રભાવશાળી જ બને... આ બધા અતિશયો અત્યંત ઉત્કૃષ્ટ અને વિશ્વાતિશાયી બને છે તે માત્ર અને માત્ર તીર્થંકર પરમાત્માનો જ પ્રભાવ
૧) ધર્મચક્ર – અત્યંત દેદીપ્યમાન ૧૦૦૮ આરાવાળું ધર્મચક્ર પરમાત્માની સાથે આકાશમાં ચાલતું હોય છે. દશે દિશામાં અજવાળા પાથરતા આ અત્યંત તેજસ્વી ધર્મચક્રને જોઇ મિથ્યાત્વીઓની આંખે અંધારા છવાઇ જાય છે. પરમાત્મા જ્યારે સમવસરણમાં ચતુર્મુખ બિરાજમાન હોય છે, ત્યારે દરેક સિંહાસનની આગળ સુવર્ણકમળ પર પ્રતિષ્ઠિત એવું એકેક ધર્મચક્ર હોય છે, જે તેજમાં સૂર્ય કરતા પણ અનેકગણું તેજસ્વી હોય છે. આ ધર્મચક્ર અત્યંત મહિમાવંત હોય છે. તેથી શાસ્ત્રમાં તેના અંગે ઘણા મંત્રો અને વિદ્યાઓ બતાવેલ છે, જેના ધ્યાન અને સાધનાથી સાધક અપરાજિત = બીજાથી ક્યારેય ન જીતાય તેવો બને છે.
૨) ચામર ૩) સિંહાસન ૪) ત્રણ છત્ર અષ્ટ મહાપ્રાતિહાર્યના વર્ણનમાં જોઇ લેવું.
૫) રત્નમય ઇન્દ્રધ્વજ - પરમાત્મા વિહાર કરે ત્યારે પ્રભુજીની આગળ જમીનથી અદ્ધર એક હજાર યોજન ઊંચો વિરાટ ઇન્દ્રધ્વજ ચાલતો હોય છે. હજારો નાની ધજાઓથી શોભતા આ ધ્વજમાં મણિમય નાની ઘંટડીઓ પણ લગાડેલી હોય છે. જેનો અતિસુંદર ધ્વનિ કર્ણપ્રિય બને છે. વિશ્વમાં આવો શ્રેષ્ઠ ધ્વજ બીજે ક્યાંય ન હોઈ શકે. તેથી જ તેને ધ્વજોમાં ઇન્દ્ર = ઇન્દ્રધ્વજ કહેવામાં આવે છે. ક્યાંક તે ધર્મધ્વજ પણ કહેવાય છે.
૬) પગ મૂકવા માટે સોનાના કમળ - કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી પ્રભુજીના ચરણ મનુષ્યો દ્વારા ખરડાયેલી ભૂમિ પર ન પડે તે માટે દેવતાઓ
Page #63
--------------------------------------------------------------------------
________________
ભક્તિસભર હૈયે સતત નવ કમળોની રચના કરે છે. નવે કમળ સુવર્ણના બનેલા હોવા છતાં સ્પર્શમાં અત્યંત કોમળ-માખણ જેવા મૃદુ હોય છે. આગળના બે કમળ પર પ્રભુજી પગ સ્થાપે છે. બાકીના સાત કમળ પાછળ હોય છે. જેવું પ્રભુ પગલું ઉંચકે કે એક કમળ આગળ આવીને ગોઠવાઇ જાય છે.
વિશ્વના તમામ સુવર્ણનો ઢગ એક બાજુ અને બીજી બાજુ પ્રભુજીના પગ નીચેનું માત્ર એક કમળ મૂકવામાં આવે તો પણ તેનું મૂલ્ય અને તેજ અનંતગણા ચડિયાતા સાબિત થાય છે. આ પ્રભાવ માત્રને માત્ર અરિહંત પરમાત્માનો છે.
૭) ત્રણ ગઢ – પરમાત્માને દેશના આપવા માટે દેવતાઓ સમવસરસમય ત્રણગઢની રચના કરે છે. ભગવાનની સૌથી નજીકનો રત્નનો ગઢ વૈમાનિક દેવતાઓ બનાવે છે. બીજો સોનાનો ગઢ (સૂર્ય-ચંદ્ર આદિ) જ્યોતિષી દેવતાઓ બનાવે છે અને તે પછી સૌથી નીચેનો ચાંદીનો ગઢ ભવનપતિ દેવતાઓ બનાવે છે. આ રત્નો-સોનુ-ચાંદી વિશ્વમાં ઉપલબ્ધ કે દેવલોકમાં ઉપલબ્ધ રત્ન-સુવર્ણાદિ કરતા અનંતગણા ચડિયાતા હોય છે. તેનું સૌદર્યનજાકત પણ અપ્રતિમ હોય છે. - સૌ પ્રથમ વાયુકુમાર દેવતાઓ યોજન પ્રમાણ ભૂમિમાંથી કચરો વિ. દૂર કરીને ભૂમિને શુદ્ધ કરે છે. ત્યાર પછી વ્યંતર દેવતાઓ ભૂમિથી સવાગાઉ = ૨૫૦૦ ધનુષ્ય = ૧૦,૦૦૦ હાથ = ૧૫,૦૦૦ ફુટની ઊંચાઇવાળુ, એક યોજન = ૧૩ કિ.મી. પ્રમાણ-સુવર્ણ-રત્ન-મણિમય પીઠ[સાદી ભાષામાં ઓટલો - plinth ] બનાવે છે. આટલે ઉપર ચડવા ભુવનપતિ દેવતાઓ ૧ હાથ ઊંચા અને ૧ હાથ પહોળા ૧૦,૦૦૦ પગથિયા બનાવે છે. અને તે પગથિયા પૂરા થતા મોટો સોનાના કાંગરાવાળો ચાંદીનો ગઢ તે જ ભુવનપતિ દેવતાઓ બનાવે છે. આ ગઢની ભીંતો ૫૦૦ ધનુષ્ય = ૨૦૦૦ હાથ = ૩૦૦૦ ફુટ ઊંચી અને ૩૩ ધનુષ્ય + ૩૨ અંગુલ = ૨૬૫ ૧/૪ વેંત (લગભગ ૨૦૦ ફુટ) પહોળી હોય છે. આ ગઢને રત્નના ચાર દરવાજા-તેના ઉપર સુંદર પૂતળીઓ તથા મગરના ચિહ્નથી અંકિત ધજાવાળા મણિમય તોરણ હોય છે. દરેક દ્વારે અષ્ટમંગલ, કળશાઓ, ફુલોની માળા, ધજાઓ અને દિવ્ય સુગંધવાળી ધૂપઘટી હોય છે. આ ગઢના ખૂણે ખૂણે મીઠા પાણીવાળી મણિમય પગથિયાવાળી વાવડીઓ હોય છે. આ ગઢની સમતલ ભૂમિ- [Plain Surface)
૪૪ /
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૦ ધનુષ્ય = ૩૦૦ ફુટના ગોળાકાર વર્તુળમાં હોય છે. આ ગઢમાં વાહનો હોય છે. તથા આવતા જતા દેવો-મનુષ્યો-તિર્યંચોની અવરજવર હોય છે.
તે ૩૦૦ કુટનું circle પુરું થાય ત્યાંથી બીજા ગઢના એક હાથ પહોળાઊંચા પાંચ હજાર પગથિયા શરૂ થાય છે. એટલે કે ત્રીજા-બીજા ગઢ વચ્ચે પગથિયા સિવાયનો ભાગ open space હોય છે. આમ બધા જ ગઢ હવામાં અદ્ધર હોય છે. પગથિયા પૂરા થયા પછી બીજો ગઢ જ્યોતિષી દેવતાઓ દ્વારા ઉત્તમોત્તમ સુવર્ણ દ્વારા બનાવાયેલો અને રત્નમય કાંગરાઓથી સજાવાયેલો આવે છે. તેનું વર્ણન પણ પ્રથમ ગઢ મુજબ જાણી લેવું.... અહીં Plain Surface પર પશુ-પક્ષીઓ (જાતિવૈરીઓ પણ એકમેકના ગળામાં માથુ નાખીને) બેસે છે. આ ગઢમાં ઇશાન ખૂણે અતિશય નયનરમ્ય દેવછંદો-(પરમાત્મા માટે વિશ્રામસ્થાન) દેવતાઓ રચે છે. પ્રથમ પ્રહરના દેશનાના અંતે દેવોથી પરિવરેલા પ્રભુજી ત્યાં આવીને બેસે છે.
બીજા ગઢના વર્તુળના અંતેથી ત્રીજા ગઢના પાંચ હજાર પગથિયા શરૂ થાય છે અને તેના અંતે વૈમાનિક દેવોએ બનાવેલો અતિ ઉજ્જવલ મણિમય કાંગરાવાળો રત્નમય ગઢ શરૂ થાય છે. તેના centre માં એક ગાઉ ૬૦૦ ધનુ = ૧૦૪૦૦ હાથ = ૧૫૬૦૦ ફૂટ લાંબી પહોળી Plinth આવે. તેની મધ્યમાં અશોકવૃક્ષ આવે અને તેની નીચે પ્રભુજીને બેસવાના ચાર સિંહાસન ઇત્યાદિ વ્યવસ્થા આવે જેના પર બિરાજી ત્રિભુવનપ્રકાશ પરમાત્મા વિશ્વહિતકર દેશના ફરમાવે છે.
આ ગોળાકાર સમવસરણ રૂપ ત્રણ ગઢની વાત થઇ. આ જ રીતે શાસ્ત્રમાં ચોરસ સમયસરણનો પણ ઉલ્લેખ આવે છે...
ચાર સિંહાસન રત્નજડિત સુવર્ણના, પાદપીઠ પણ રત્નમય, સિંહાસનની આગળ સુવર્ણકમળ પર પ્રતિષ્ઠિત તેજોમય ધર્મચક્ર હોય છે. ચારે દિશાઓમાં એક એક હજાર યોજન ઊંચા ચાર મહાધ્વજ (ઇન્દ્રધ્વજ જેવા) હોય છે.
તેમના નામ-પૂર્વ દિશા-ધર્મધ્વજ, દક્ષિણદિશા-માન ધ્વજ પશ્ચિમ દિશા-ગજધ્વજ, ઉત્તર દિશા-સિંહ ધ્વજ
ઉપરનું બધું વ્યંતરો રચે છે. ક્યારેક આખું સમવસરણ સહિત બધું જ એક જ મહર્તિક દેવ પણ રચે છે. ત્રણે લોકમાં આવું અદ્ભુત સ્થાપત્ય બીજે ક્યાંય હોતું નથી. આ બધી રચના પરમાત્માના અચિંત્ય પુણ્યપ્રભાવથી જ થાય છે.
{ ૪૫
Page #65
--------------------------------------------------------------------------
________________
૮) ચતુર્મુખાંગતા - સમવસરણમાં પરમાત્મા ચાર દેહ અને ચાર મુખવાળા હોય છે. સમવસરણમાં પ્રભુજી સ્વયં પૂર્વદિશાના સિંહાસને બેસે છે. બીજી ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓ સિંહાસન સહિત પ્રભુજીના પ્રતિબિંબ રચે છે. ત્રણે લોકના દેવોમાં ભેગા થઇને પણ પ્રભુજીનો એક અંગુઠો પણ બનાવવાની ક્ષમતા નથી હોતી, જ્યારે અહીં એક વ્યંતર દેવ પણ પ્રભુજી જેવા જ ત્રણ ત્રણ આખા રૂપ વિકર્વી લે તે પરમાત્માનો અચિંત્ય મહિમા જ છે. ત્રણે પ્રતિબિંબ પરમાત્મા જેવા જ હોય, સજીવન જેવા જ લાગતા હોય, જેવી પરમાત્મા દેશના આપે તે પ્રમાણે મુખ આદિનું હલનચલન થતું હોય તેથી સહુને એમ જ લાગે છે કે સાચા પ્રભુજી મારી સામે જ બેઠા છે. અને મને જ દેશના આપે છે.
પ્રભુજી ચતુર્મુખ હોવા છતાં દરેક જીવને ભગવંતનું એક જ મુખ દેખાય છે. બે-ત્રણ કે ચાર ન દેખાય. આ પણ પરમાત્માનો અતિશય જ છે.
૯) અશોકવૃક્ષ – અષ્ટપ્રાતિહાર્યમાંથી જાણી લેવું.
૧૦) કાંટાઓ ઉધા થઇ જાય – પ્રભુજીના વિહારમાર્ગમાં આવતા કાંટાઓ ઉંધા એટલે અણીનો ભાગ નીચે થઇ જાય છે. તેથી તે કોઇને પણ વાગે નહીં.
૧૧) વૃક્ષોનું નમન - પરમાત્મા સપરિવાર જે માર્ગેથી વિહાર કરે તે માર્ગની બન્ને બાજુના વૃક્ષો નમે છે જેથી એમ લાગે કે તેઓ પ્રભુજીને પ્રણામ કરે છે.
૧૨) દુંદુભિનાદ – અષ્ટ મહાપ્રાતિહાર્યમાંથી જાણી લેવું.
૧૩) વાયુની અનુકૂળતા - પરમાત્મા જ્યારે વિહાર કરે ત્યારે શીતલ, સુગંધી અને મંદમંદ વાયુ પાછળથી વહે છે, જેથી સહુને અનુકૂળતા રહે.
૧૪) પક્ષીઓની પ્રદક્ષિણા - વિહાર સમયે પંખીઓ આકાશમાંથી પસાર થતા હોય તો પરમાત્માને દક્ષિણાવર્ત પ્રદક્ષિણા આપતા આગળ જાય છે. શુકનશાસ્ત્રમાં પોપટ, ચાસ, મોર આદિની દક્ષિણાવર્ત પ્રદક્ષિણા ખૂબ જ ઉત્તમ શુકન ગણાયું છે.
૧૫) સુગંધી જલની વૃષ્ટિ - પરમાત્માના વિચરણસ્થળ અને નિવાસ સ્થળની આસપાસ ધૂળને સમાવવા માટે ઘનસાર વગેરે ઊંચા સુગંધી દ્રવ્યોથી યુક્ત જલની વર્ષા વાદળો દ્વારા મેઘકુમાર દેવો કરે છે.
૪૬
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૬) પંચવર્ણ પુષ્પોની જાનુ પ્રમાણ વૃષ્ટિ - અષ્ટપ્રાતિહાર્યમાંથી જાણી લેવું.
૧૭) કેશ, રોમ, દાઢી અને નખનું કદી ન વધવું – પરમાત્મા જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે જ દેવેન્દ્ર સ્વયં આગળ આવી વજ વડે વાળ, રૂંવાટી દાઢી અને નખ વગેરેમાં વધવાની શક્તિને કુંઠિત કરી દે છે. એક હજામનું કાર્ય ઇન્દ્ર સ્વયં કરે, આ પ્રભુના મહિમા અને ઇન્દ્રની અદ્ભુત ભક્તિનું દ્યોતક છે.
ચાર અતિશય જન્મથી હોય છે, બાકીના કેવળજ્ઞાન સમયથી થાય છે, આ એક જ અતિશય પરમાત્માના દીક્ષા સમયથી હોય છે. તેમજ બધા અતિશયો બહારથી ભક્તિના છે, આ એક જ અતિશય સીધો પરમાત્માની કાયા સાથે સંબંધ ધરાવે છે. પરમાત્માના ત્રણ રૂપ કરવા તે પણ દેવતા સીધેસીધા બહારથી કરે છે. ફક્ત અહીં પ્રભુના શરીર સાથે જોડાયેલા કેશાદિની વૃદ્ધિને સ્થિર કરવાની વાત છે.
૧૮) ઓછામાં ઓછા એક કરોડ દેવતાનું સદા સાથે હોવું - કેવળજ્ઞાન ઉત્પન્ન થતાંની સાથે જ પ્રભુજીની સેવામાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ સાથે જ રહે છે. તે સિવાય સમ્યગ્દર્શનની નિર્મલતા માટે અને સંશયોના નિરાકરણ માટે દેવતાઓની આવનજાવન સતત ચાલુ જ હોય છે.
તેવી જ રીતે તે-તે પ્રદેશના વિશિષ્ટ બુદ્ધિમાન, અગ્રગણ્ય ગણાતા પુરુષો પણ પરમાત્માની પાસે સદા આવ-જા કરતા હોય છે. કેટલાક ભક્તિવંત વ્યક્તિઓ તો પરમાત્માને કાયમ હાથ જોડીને જ સાથેને સાથે બેસતા હોય છે.
દિગંબર પરંપરામાં તો “ગાઢ ભક્તિમાં આસક્ત, હાથ જોડેલા, વિકસિત મુખકમળવાળા જનસમૂહો પ્રત્યેક તીર્થકરને વીંટળાઇને ઘેરીને રહેલા હોય છે. તેને ચતુર્થ મહાપ્રાતિહાર્ય ગણાવવામાં આવ્યો છે (તિલોયપણત્તિ)
૧૯) ઋતુઓ અને ઇન્દ્રિયોની અનુકૂળતા - વસંત વગેરે છ એ છે ઋતુઓ પોતપોતાની ઉત્તમ સામગ્રીથી સદા અનુકૂળ થાય છે. તેવી જ રીતે મનોહર રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને વર્ણરૂપ ઇન્દ્રિયની સામગ્રીઓ જ આવી મળે છે અને અણગમતા રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને વર્ણ રૂપ ઇન્દ્રિયની સામગ્રીઓનો અભાવ થાય છે. એટલે કે શબ્દના ક્ષેત્રે વીણા-વેણુ-મૃદંગના શબ્દો-“જય પામો, ઘણું જીવો' વગેરે પ્રશસ્ત ઉચ્ચારો જ સંભળાય પરંતુ રૂદન વગેરેના કરૂણ તથા
- ૪૭
Page #67
--------------------------------------------------------------------------
________________
કાગડો-ગધેડો-ઊંટના કર્કશ શબ્દો ન જ સંભળાય.
રૂપના ક્ષેત્રે વનખંડ-ઉદ્યાન-જલ ભરેલા સરોવરો વગેરે દેશ્ય જ સામે આવે પરંતુ મેલા શરીરવાળા, રોગીઓ, મૃતદેહ ઇત્યાદિ ન જ દેખાય.
રસના ક્ષેત્રે કડવો-તૂરો વિગેરે અણગમતા રસવાળા દ્રવ્યો ન જ આવે પરંતુ ઉત્તમ મધુર વગેરે દ્રવ્યો જ સંપર્કમાં આવે.
| સ્પર્શના ક્ષેત્રે મુલાયમસ્નિગ્ધ-શીતલ વગેરે સ્પર્શવાળા દ્રવ્યો જ આસપાસમાં હોય, પરંતુ કર્કશ-કઠણ-ઉષ્ણ સ્પર્શવાળા દ્રવ્યો આસપાસમાં ન આવે.
કસ્તુરી-ચંદન-પારિજાત ઇત્યાદિની ઉત્તમ સુગંધ જ આસપાસ રેલાતી હોય. મૃત કલેવર આદિની દુર્ગધ આસપાસમાં ન જ હોય.. • આ વિષયમાં પ્રવચન સારોદ્ધારમાં બે અલગ અલગ અતિશય બતાવ્યા છે.
૧) ઋતુઓની અનુકૂળતા અને ૨) ઇન્દ્રિયના વિષયોની અનુકૂળતા. • શ્રી સમવાયાંગ સૂત્રમાં આ જ વિષયના ત્રણ અલગ અલગ અતિશય બતાવેલ છે. ૧) સર્વ ઋતુઓ અનુકૂળ સુખ સ્પર્શવાળી થાય. ૨) અણગમતા ઇન્દ્રિયવિષયોનો અભાવ થાય.
૩) મનગમતા ઇન્દ્રિયવિષયો પ્રગટ થાય. • આ સિવાય સમવાયાંગ સૂત્રમાં બીજા કેટલાક અતિશય બતાવવામાં આવ્યા
છે. જે મતાંતર તરીકે ગણવામાં આવ્યા છે. ૧) પ્રભુ જે પ્રદેશમાં વિદ્યમાન હોય તે ભૂમિપ્રદેશ એકદમ લીસો (અનુકૂળ) અને રમણીય થાય છે. ૨) અન્ય ધર્મોના સંન્યાસીઓ પણ ભગવાન પાસે આવીને નમન કરે છે. ૩) અન્ય ધર્મોના તે સંન્યાસીઓ પ્રભુની દેશના સાંભળી એકદમ નિરુત્તરનિસ્તેજ થઇ જાય છે. ૪) ભગવંત અર્ધમાગધી ભાષામાં જ દેશના આપે. તે સિવાય તે જ સૂત્રમાં બીજા મતાંતર તરીકે બે અતિશય બતાવ્યા છે. ૧) પરમાત્મા બિરાજતા હોય ત્યાં કાલાગુરુ, કન્દરુ (ચીડા), તુરુક (શીલ્ડક) નામના ઊંચા અને અત્યંત શ્રેષ્ઠ ધૂપોની મઘમઘતી સુગંધ ફેલાય છે. ૨) પ્રભુની બન્નેબાજુ અત્યંત મૂલ્યવાન બાજુબંધ પહેરેલા બે યક્ષો ચામર વીંઝે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
દિગંબર માન્યતામાં પણ ઘણા મતાંતર છે જેને વિચારવાનું આપણે જરૂરી નથી તેથી તેને આપણે અહીં લીધા નથી.
| વિશ્વમાં આવી શ્રેષ્ઠ અતિશયની ઋદ્ધિ ધરાવનાર એકમાત્ર અને એકમાત્ર તીર્થકર ભગવંતો જ છે. માટે જ તે આપણા માટે શ્રદ્ધેય, વિશ્વાસ્ય અને શરણ્ય બને છે. આવી અદ્ભુત ઐશ્વર્યની સમૃદ્ધિ વચ્ચે પણ પરમાત્મા સર્વથા નિર્લેપ-અનાસક્ત હોય છે. તેથી જ પ્રભુનું આ ઐશ્વર્ય વંદનીય બને છે. અહંકારથી આત્માના પ્રદેશ પ્રદેશ ઘેરાઇ જાય તેવા મહાશ્વર્યની વચ્ચે પરમાત્મા માત્ર સ્વભાવમગ્ન, કરુણાબાપ્ત, પરોપકારેકરસિક બની વિશ્વકલ્યાણ કરતા રહે છે. આ અતિશયની સમૃદ્ધિ રહે કે જાય, પરમાત્મામાં જરા પણ ચિંતાતુરતા, ભયભીતતા કે હર્ષ-શોક નથી હોતા. અતિશયની સમૃદ્ધિ કરતાં આ અત્યંતર સમૃદ્ધિ એથી પણ વધુ મહાન છે. આવા, બાહ્ય-અત્યંતર ઐશ્વર્યશાલી પરમાત્માને ક્રોડ ક્રોડો વંદન...
wage repe
Page #69
--------------------------------------------------------------------------
________________
વીર વિશ્વોપકારી મોક્ષમાર્ગદર્શક ,
'વાણીનાં ૩૫ ગુણ ૧) સંસ્કારવન્ડ - સભ્યતા, વ્યાકરણશુદ્ધિ આદિ વાણીના ઉત્તમ સંસ્કરણથી યુક્ત વચન બોલે. પરમાત્માની વાણીમાં આભિજાત્ય-ઉત્તમતા હોય.
૨) ઔદાર્ચ - ઉચ્ચસ્વરે બોલાતું હોય. તંદુરસ્ત પુરુષ અને પોતાના કથન પ્રત્યે વિશ્વાસપૂર્વક વચન બોલાય તે મોટાસ્વરે બોલાય. શંકિત વચન કે રોગીના શબ્દો ઢીલા નીકળે.
૩) ઉપચારોપેત - ગામડીયા માણસ જેવું “મનમાં આવ્યું તે બોલી નાખવું” કે “એક ઘા ને બે કટકા જેવું વચન નહીં પણ ખાનદાનીથી શોભતું અને અનેક પ્રકારની વિશિષ્ટતાથી શોભતું વચન.
૪) મેઘગંભીરઘોષત્વ - વાદળના ગંભીર અવાજ જેવા ધીરગંભીર સાદે બોલાતું વચન.
૫) પ્રતિનાદવિધાયિતા - બોલ્યા બાદ પડઘા પડવાના કારણે અત્યંત પ્રભાવક અસર ઊભી થાય.
૬) સરલ - સહુ કોઇ સમજી શકે તેવા સરલ શબ્દોમાં પ્રભુજી દેશના આપે, વિદ્વત્તા દેખાડવા સાદી વાતને ભારે ભરખમ શબ્દોથી રજુ કરવાની છેતરપિંડી કે દેખાડો ન હોય. લોકવ્યવહારમાં વપરાતા શબ્દોમાં જ રજુઆત
થાય.
૭) ઉપનીતરાગત - વૈરાગ્યાદિ ભાવો ઉત્પન્ન કરવા માટે ઉપયોગી માલકૌંશ આદિ વિવિધ રાગોમાં પરમાત્મા દેશના આપે...
અત્યાર સુધીના અતિશયો શબ્દની અપેક્ષાએ બતાવ્યા. હવે અર્થની અપેક્ષાએ બતાવે છે.
૮) મહાર્ણતા - ઘણું કહ્યા પછી સાવ મામૂલી અર્થ નીકળે તેવું નહીં, પરંતુ એક શબ્દના અનંત અર્થ થાય તેવા મહાન અર્થવાળું વચન ફરમાવે.
૯) અવ્યાહતત્વ- પૂર્વે કહેવાયેલા અને અત્યારે કહેવાઇ રહેલા અર્થોમાં ક્યાંય પરસ્પર વિરોધીપણું ન હોય. પોતાની જ વાત પોતાના જ અન્ય શબ્દો દ્વારા ખંડિત થાય | જૂઠી ઠરે તેવું વચન પ્રભુ ન બોલે.
{ ૫૦
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૦) શિષ્ટત્વ - પોતાને ઇષ્ટ એવા સિદ્ધાંતનું સુવ્યવસ્થિત પ્રતિપાદન કરનાર તથા વક્તાની શિષ્ટતાનું સૂચક વચન. સ્પષ્ટ જ્ઞાન, સરલતા, ઉદારતા, ધીરતા, ગંભીરતા, સજ્જનતા, કષાયાદિની અપરાધીનતા આદિ ગુણોથી યુક્ત પુરૂષ શિષ્ટપુરૂષ કહેવાય. તેનું વચન પણ શિષ્યવચન કહેવાય.
૧૧) અસંદિગ્ધ – પદાર્થનો એકદમ સ્પષ્ટ બોધ કરાવનારું હોવાથી સાંભળનારને ક્યાંય પદાર્થના વિષયમાં શંકા ન રહે...
૧૨) અપહતાન્યોત્તર - બીજાઓ જેને પડકારી ન શકે કે દૂષણ ન બતાવી શકે તેવું વચન.
૧૩) હૃદયંગમતા - સાંભળતા હૃદયને અપૂર્વ મીઠાશ અને આનંદનો અનુભવ થાય.
૧૪) અન્યોન્યપ્રગૃહીત – પદ, વાક્ય, ફકરા આદિ પરસ્પર એકબીજાને અનુકૂળ અનુસરનારા હોય. ઘણાના અલગ અલગ શબ્દો ખૂબજ અલંકારિક, સારા હોય પણ એકબીજાની સાથેની વ્યવસ્થિત ગુંથણી ન ફાવે તો વાક્ય બગાડી મૂકે.
૧૫) પ્રસ્તાવોચિત્ય (દેશકાલાવ્યતીત) - દેશ અને કાળ = પરિસ્થિતિપ્રસંગ આદિને અનુરૂપ જ વચન નીકળે. લગ્ન વખતે રામ બોલો ભાઈ રામ ન શોભે અને મરણ વખતે ગણેશાય નમ: ન શોભે. તેમ યોગ્ય કાળે અને તે-તે ક્ષેત્રની વ્યવસ્થા, સંસ્કારિતા-સભ્યતાને અનુરૂપ વચન નીકળે..
૧૬) તત્ત્વાનુરૂપ - જે તત્ત્વનું વર્ણન ચાલી રહયું છે તેને અનુરૂપ વચન..
૧૭) અપ્રકીર્ણપ્રસૃત્વ - વધારે પડતા વિસ્તાર વગરનું, વારંવાર વિષયાંતર દ્વારા રસહીન ન બનતું અને પ્રતિપાદનનો ઉત્તમ પ્રભાવ પાડતું વચન..
૧૮) પરનિન્દાઆત્મોત્કર્ષવિયુક્ત – પ્રતિપાદનમાં ક્યાંય પોતાની જાતે પોતાની પ્રશંસા નહીં કે પોતાના વિરોધીઓની નિંદા ન હોય. વ્યક્તિકેન્દ્રિત નહીં, વિષયકેન્દ્રિત જ વચન નીકળવું જોઇએ.
૧૯) આભિજાત્ય - વક્તા અથવા બતાવાઇ રહેલા વિષયના ગૌરવને અનુરૂપ વચન.
૨૦) અતિસ્નિગ્ધ મધુરત - ઘી-ગોળ વગેરેની જેમ એકદમ જ સ્નેહ (વાત્સલ્ય-કરુણા)થી સભર અને મીઠાશસભર વચન..
Page #71
--------------------------------------------------------------------------
________________
૨૧) પ્રશસ્યતા - ઉપ૨ના તથા અન્ય અનેક ગુણોના કારણે વિશ્વમાં પ્રશંસનીય વચન હોય.
૨૨) અપરમર્મવેધિ - બીજાઓના ગુપ્ત રહસ્યોને, દુઃખતી નસને નહીં દબાવનારું અને તેથી તેમના હૃદયને નહીં વિધનારું વચન. જાહે૨માં બીજાની નબળાઇ, મલિનતાઓ કે અપરાધોને ખુલ્લા પાડવાનું કાર્ય પ્રભુ ન કરે. સર્વજ્ઞતાથી બધું જાણવા છતાં વ્યક્તિના ગૌ૨વને સાચવીને જ વચન બોલાય.
૨૩) ઉદાર - સુંદર ભાવોને-રહસ્યોને બતાવનારું / જગાડનારું વચન બોલે.
૨૪) ધર્માર્થપ્રતિબદ્ધતા - ધર્મની પ્રેરણાઓ અને જીવનના તમામ પુરૂષાર્થના રહસ્યોને પ્રકટ કરનારું વચન બોલાય.
૨૫) કારકાદિઅવિપર્યાસ - વ્યાકરણની દૃષ્ટિએ કારક, કાલ, વચન, લિંગ વગેરેના ઉલટસુલટ વગેરે વચનદોષ વગરનું વચન બોલે.
૨૬) વિભ્રમ-વિક્ષેપ-કિલિન્કિંચિતાદિવિમુક્ત - વિભ્રમ = વક્તાના મનની ભ્રમણા / ગેરસમજણ. વિક્ષેપ = જે કહેવાનું છે તેના પ્રત્યે વક્તાનો પ્રમાદ-તૈયારીનો અભાવ. કિલિકિંચિત = રોષ, ભય, ઇચ્છા વગેરે ભાવોનું મનમાં એકસાથે રહેવું અથવા અલગ અલગ સમયે રહે અને તેનાથી પ્રભાવિત થયેલા વચન વક્તા બોલે. આવું બધુ ન હોવું અને સ્વસ્થ ચિત્તથી સ્વસ્થ બાબતોને પ્રકાશવી તે વિભ્રમ-વિક્ષેપ-કિલિકિંચિતાદિરહિતતા.
૨૭) ચિત્રકૃત્ત્વ - કહેવાના વિષય અંગે શ્રોતાઓના મનમાં સતત આતુરતા-જિજ્ઞાસા-૨સને ઉત્પન્ન કરાતું વચન બોલાય.
૨૮) અદ્ભુત – જેના ગુણો હૃદય-મનમાં આશ્ચર્ય પેદા કરનારા હોય. ૨૯) અનતિવિલંબિતા - બે અક્ષર-શબ્દ-પદ કે વાક્ય વચ્ચે વધારે વિલંબ થાય તો શ્રોતાને સાંભળવામાં મુશ્કેલી પડે. આવો વૃદ્ધજન-મંદબુદ્ધિજન ઉચિત વિલંબ ન હોય.
૩૦) અનેકજાતિવૈચિત્ર્ય - કહેવાઇ રહેલી ઘટના, પ્રસંગ, પ્રદેશ, ઋતુ-નાયક-નાયિકાના હાવભાવ... આદિ વક્તવ્યને અનુરૂપ અનેક વિષયોના રસાળ વર્ણનોથી યુક્ત વચન...
૫૨
Page #72
--------------------------------------------------------------------------
________________
૩૧) આરોપિતવિશેષતા - પ્રત્યેક વાક્ય-ફકરા આદિમાં કાંઇક ને કાંઇક ચમત્કૃતિપૂર્ણ, આશ્ચર્યકારી વાતોથી યુક્ત વચન બોલે અથવા બીજા વચનોની અપેક્ષાએ વિશિષ્ટતર વચન બોલાય.
૩૨) સર્વપ્રધાનતા - સત્ત્વ = સાહસ.... સાહસને પ્રેરતું-પોષતું વચન બોલાય. સત્ત્વ ખીલવવા અંગેની જબ્બર પ્રેરણા જેમાં હોય.'
૩૩) વર્ણ-પદ-વાક્ય-વિવિકતતા - અક્ષર-પદ અને વાક્યોમાં સ્પષ્ટ સમજી શકાય તેવું વ્યવસ્થિત અંતર જોઇએ, તેટલું અંતર જાળવીને બોલવું..
૩૪) અવ્યુચ્છેદિ - કહેવાઇ રહેલા અર્થની સંપૂર્ણપણે સુંદર રીતે સિદ્ધિ ન થાય ત્યાં સુધી અખંડ રીતે | ધારાબદ્ધપણે બોલવું...
૩૫) અપરિદિત - વધારે પડતો શ્રમ કે ખેદ ન થાય તેમ સહજપણે સુખપૂર્વક બોલવું...
મહાનુભાવોએ આવા ગુણવાળું વચન બોલવું જોઇએ. વિશ્વના તમામ મહાનુભાવોના સ્વામી તીર્થકર છે તેથી પરમાત્મામાં આ બધા ગુણો તમામ મહાનુભાવો કરતાં અનંતગુણ અધિક હોય છે, અને તેથી જ તેમનું વચન ધર્મી-પાપી બધાને ખૂબ અસરકારક બને છે. પ્રભુની વાણીના આ ૩૫ અતિશય થયા...
-
૫૩
Page #73
--------------------------------------------------------------------------
________________
'આત્માને મલિન બનાવતા * અઢાર દોષથી રહિત તે જ પરમાત્મા છે?
અતિશયોનું વર્ણન આપણે જોયું, આ બધી બાહ્ય ઐશ્વર્ય અને પુણ્યપ્રભાવની વાત થઇ. પરમેશ્વરપણું જેમ ઐશ્વર્યને આધીન છે. તેમ વિશ્વતારકતા કે જગદુદ્ધારકતા માટે અઢાર દોષોથી રહિતપણું જોઇએ.
- એક દ્રષ્ટાંત જોઇએ. કવિ ધનપાલે સનાતન ધર્મમાંથી જૈનધર્મ અંગીકાર કર્યાના સમાચાર મળતા રાજા ભોજે પૂજાનો થાળ આપી દેવની પૂજા કરવા જવાનું કહ્યું... ક્યા દેવ ? કોની પૂજા ? કશો ફોડ પાડ્યો ન હોતો. કવિ પણ બધા મંદિરમાં ફરી છેલ્લે જિનાલયમાં જઇ બડા ઠાઠથી પૂજા કરી પાછા ફર્યા અને રાજાના પ્રશ્નના સમાધાનમાં જણાવ્યું કે “પહેલા વિષ્ણુમંદિરમાં ગયો, પતિ-પત્નીને સાથે જોઇ પડદો કરી બહાર નીકળ્યો.” “રામના ખભે ધનુષ્યગભરાઇને પાછો વળ્યો” “મહાદેવના મંદિરમાં ગયો. લિંગની સ્થાપના હતી. માથું જ નહીં-પૂજા ક્યાં કરું ? “અંબિકા દેવીએ ત્રિશુલ તાણેલું ને વાઘ પર સવારી કરેલી’ આ બધું જોઇને ગભરાઇ ગયો... છેલ્લે જૈનમંદિરમાં ગયો, ત્યાંના ભગવાન પાસે ન સ્ત્રી, ન શસ્ત્ર, ન રાગનું નિમિત્ત, ન Àષનું નિમિત્ત. હૈયે એટલી બધી ટાઢક વળી કે શાંતિથી બે કલાક ત્યાં પૂજા કરી.” ભગવાન તરીકે, સંસારતારક તરીકે કે આત્મોદ્ધારક તરીકેની પ્રતિતિ ક્યાં થાય તેનું આ સચોટ ઉદાહરણ છે. પરમાત્મતત્ત્વ કાંઇ આપણા પર જાદુઇ છડી નથી ફેરવી દેવાનું કે પારસમણિ લોખંડને સ્પર્શ દ્વારા સોનામાં ફેરવી દે તેમ ભક્તિના માધ્યમથી ભગવાન આપણા આત્માને પરમાત્મા બનાવી દેવાનો ચમત્કાર સર્જી દેશે, એવી વાત નથી. અહીં વિચારણા આલંબનની છે. સતત ધ્યાનભાવન-પરિણમનના ક્રમથી Process ચાલે છે અને આત્મા પરમાત્મા બનવા તરફ આગળ વધે છે. પરમવિશુદ્ધ તત્ત્વનું જ આલંબન ઉપકારી બની શકે, તેથી જ આવા શુદ્ધ તત્ત્વની ખોજ કરવાનો મહિમા શાસ્ત્રમાં બતાવ્યો છે. એવા શુદ્ધ પરમાત્મતત્ત્વને પ્રાપ્ત કરતાં જ જીવ અહોભાવથી, આનંદથી અને ઉત્સાહથી ભરાઇ જાય છે અને સાધનાનું જોમ તેના આત્મામાં પ્રગટે છે. આ બહુ જ ગહન તત્ત્વને યોગીપુરૂષો પાસેથી સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.
Page #74
--------------------------------------------------------------------------
________________
અત્યારે આપણે શુદ્ધ પરમાત્મતત્ત્વ ક્યા અઢાર દોષોથી રહિત હોય છે તે શાસ્ત્રમાં મળતા વચનોના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ... બે અલગ અલગ વિધાનો દ્વારા આ વાત મળે છે. ક્રમશઃ બન્નેને આપણે જાણીએ... 'अन्तराया दानलाभवीर्यभोगोपभोगगाः ।
हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ।। कामा मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाऽप्यमी । '
૧-૫) દાન કરવામાં ઉત્સાહ ન થવો. લાભની પ્રાપ્તિ (મહેનત કરીને કે મહેનત વગર કાંઇ મળવું તે) માં વિઘ્ન, બળવાન-નિરોગી તથા યુવાન વયમાં પણ યોગ્ય પ્રવૃતિ કરી ન શકવી તે વીર્યંતરાય, ભોગ = જે ભોજન-પાણી-ક્ -ફૂલ વગેરે એકવા૨ જ ભોગવી શકાય તે ભોગ અને ઘર-વસ્ત્રઆભૂષણ આદિ વારંવાર ઉપયોગમાં લઇ શકાય તે ઉપભોગ-આ ભોગ અને ઉપભોગની સામગ્રી હાજર હોવા છતાં તેનો ભોગવટો ન કરી શકાવો તે ક્રમશઃ ભોગાંતરાય અને ઉપભોગાંતરાય. આ પાંચે અંતરાયના નાશ થવાથી આત્મામાં પાંચ પૂર્ણશક્તિ પ્રગટ થાય છે. આવી પાંચ પૂર્ણશક્તિ જેને પ્રગટ થાય તે જ પરમાત્મા કહી શકાય... ૬) હાસ્ય કાંઇક ન જોયેલું, ન સાંભળેલું, ન અનુભવેલું પહેલીવાર જોવાથી, સાંભળવાથી કે અનુભવવાથી કે તે યાદ આવવાથી હસવું આવી શકે છે. જે સર્વજ્ઞ છે તેને તો દુનિયામાં કશું જ નવું, નહીં જોયેલું-જાણેલું નથી કે જે જોઇને આશ્ચર્યના ભાવપૂર્વક હાસ્ય પેદા થાય. વળી હાસ્ય એ મોહનીયકર્મના ઉદયરૂપ છે. તેનાથી બીજાની નબળાઇ-નુકસાન આદિ જોઇને કે અન્ય રીતે હાસ્ય પેદા થાય છે. વીતરાગને તો મોહનીય કર્મનો ક્ષય થઇ ચૂક્યો છે, તેથી તેમને હાસ્ય કેમ સંભવે ? અહીં સાહજિક પ્રસન્નતાનો વિરોધ નથી, તે તો આત્મપરિણામરૂપ છે. પરંતુ મોઢાના અને ભાવોના વિકારૂપ હાસ્યનો નિષેધ છે. હસનારો હંમેશા અસર્વજ્ઞ અને મોહયુક્ત જ હોય. તે પરમાત્મા કેમ કહેવાય ?
-
૭) રતિ - ભોગ્ય પદાર્થ પર લાલસા હોય તેનેજ સુંદર રૂપ-૨સગંધ-સ્પર્શ-શબ્દ આદિને પ્રાપ્ત કરીને ‘રતિ' સુખની અનુભૂતિ થાય. આવી
૫૫
Page #75
--------------------------------------------------------------------------
________________
લાલસાવાળો મોહનીય કર્મને આધીન જ હોય, વળી જ્યાં લાલસા છે, ત્યાં દુઃખી થવાની સંભાવના પૂરેપૂરી છે માટે આવી રતિવાળા ક્યારેય પરમાત્મા હોઇ શકે નહીં.
૮) અરતિ - અણગમતા રૂપ-રસ-ગંધ-સ્પર્શ આવતા જ અકળામણબેચેની-ગુસ્સો આદિના જે ભાવ મનમાં આવે છે તે સહજપણે જ જીવની અંદર બેઠેલા શ્વેષભાવ-અસહિષ્ણુતાભાવ આદિનું સૂચક છે. આવા દોષ પરમાત્મામાં કેમ હોય ?
૯) ભય - નિર્બળ-અસાહસિક અને અસહિષ્ણુ વ્યક્તિ જ ભયભીત હોઇ શકે. સત્ત્વશાલી વ્યક્તિમાં આ બધા દોષો ન હોય... પરમાત્મા પરમસત્વના ભંડાર છે તેથી તેમનામાં ભય આદિ દોષો ન હોય.
૧૦) જુગુપ્સા - સડેલી-બગડેલી-ઉતરેલી વસ્તુ કે વિલાઇ ગયેલા (વૃદ્ધ-કદરૂપા-રોગીષ્ટ-લોહી-પર્યુક્ત આદિ) સજીવના રૂપને જોઇને મનમાં ધૃણાભાવ-તિરસ્કારભાવ જાગે ! આ વસ્તુસ્વરૂપના અજ્ઞાનનું સૂચક છે. જગતના “આજ સુધરા કલ બિગડા” અને “આજ બિગડા કલ સુધરા” જેવા પદાર્થોની પરિવર્તનશીલ અવસ્થાઓની સાથે સંવેદનાઓ પલટાતી રહે તો પરમાત્મા તો સર્વજ્ઞ હોવાના કારણે વિશ્વની બધી જ વસ્તુઓ દેખાય છે. સતત
ક્યાંય કાંઇક તો સડેલું-બગડેલું-ઉતરેલું રહેવાનું છે. તો તો ભગવાન સતત દુઃખી રહેવાના... આવા દોષવાળા ભગવાન કેવી રીતે હોઈ શકે ?
૧૧) શોક – અનુકૂળ અને ગમતી વસ્તુ ચાલી જવાથી મનમાં દુઃખ આઘાત-વલવલાટનો ભાવ પેદા થાય તે દુઃખી જ હોય... સમગ્ર વિશ્વને પોતાના જ્ઞાનમાં જોતા ભગવાનનો કોઇ ભક્ત દુઃખી થવાનો, તો કોઇ ભક્ત મરી જવાનો-આવું સતત ચાલવાનું. તેના કારણે તેમને સતત દુઃખી થવું પડે... માટે શોક નામનો દોષ પરમાત્મામાં ન હોય.
૧૨) કામ - પુરુષને-સ્ત્રીને કે બન્નેને ભોગવવાની ઇચ્છા... લોકવ્યવહારમાં પણ આ બાબત નિંદનીય ગણવામાં આવી છે. જો તે પરમાત્મામાં હોય તો ઉત્તમતા ક્યાં રહેશે ? માટે પરમાત્મામાં આ દોષ ન હોય.
૧૩) મિથ્યાત્વ - વિપરીત વિચારધારા તે મિથ્યાત્વ...
તેનાથી તો જીવ ખોટે માર્ગે ભમે છે અને સંસારમાં અથડાય છે. પરમાત્મામાં એ દોષ કેમ સંભવી શકે ?
* ૫૬
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૪) અજ્ઞાન - સારાસારનો વિવેક, પદાર્થની વાસ્તવિક સમજ વગેરે જ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાનનો જ અભાવ હોય તે તો મૂઢ વ્યક્તિ કહેવાય. તેને ભગવાન કેમ મનાય ?
૧૫) નિદ્રા - ઉઘના સમયમાં જીવ સ્વનો બોધ પણ ભૂલી જાય છે. પરમાત્મા સદાકાળ સર્વજ્ઞ છે તો તેમને નિદ્રા કેવી રીતે સંભવી શકે ?
૧૬) અવિરતિ - બધા વિષયોના ભોગવટાની ઇચ્છાવાળો જ વિરતિ વિના રહી શકે. આવી ઉત્કટ લાલસાવાળામાં પરમાત્મપણું કેમ મનાય ? . ૧૭-૧૮) રાગ-દ્વેષ - આ બન્ને Positive or Negative- ઝુકાવરૂપ છે. જીવ કોઇ પણ તત્ત્વને અનુકૂળ અથવા પ્રતિકૂળ તરીકે ગણે છે ત્યાં મધ્યસ્થતા નથી રહેતી. સર્વજ્ઞ ભગવાન તો વીતરાગ, સમસુખ-દુઃખ, સમશત્રુમિત્ર, પ્રશમરસનિમગ્ન હોય છે. આવી કરૂણામયવૃત્તિ રાગી-દ્વેષીમાં સંભવી જ ન શકે. રાગી-દ્વેષી તો કોઇકને સુખી કરે તો કોઇકને દુઃખી.. પરમાત્મા તો જગન્નાથ હોય-સમગ્ર જીવરાશિને સુખી કરવાની ભાવનાવાળા હોય. તેઓ રાગ-દ્વેષી ન જ હોઇ શકે...
બીજી રીતે પણ અઢાર દોષ બતાવેલા છે. વસ્તુસ્થિતિ આ જ છે. નામોનું નિરૂપણ જુદી રીતે થયેલ છે તે બે શ્લોક નીચે પ્રમાણે છે.
'अन्नाणकोहमयमाणलोहमाया रई अरई य । निद्दासोअ अलियवयण चोरीया य मच्छर भया य ।।' पाणिवह पेमकीला पसंगहासा य जस्स इअ दोसा | अट्ठारस वि पणठा नमामि देवाहिदेवं तं ॥ ૧) અજ્ઞાન - આવી ગયું છે. ૨) ક્રોધ - પોતાની ઇચ્છાથી વિપરીત થવાથી ધમધમાટ આવી જવો.
૩) મદ - મળી ગયેલા વિશિષ્ટ સંયોગોથી પોતાને ઊંચા-શ્રેષ્ઠ-ઉત્તમ માનવું તે..
૪) માન - સ્વયં પોતાના માટે જ ઊંચો-વિશિષ્ટ અભિપ્રાય ધરાવવો તે.
૫) લોભ - વધુ ને વધુ પદાર્થ-ધન-ધાન્ય આદિનો સંગ્રહ કરવાની ઇચ્છા...
» ૫૭
Page #77
--------------------------------------------------------------------------
________________
૬) માયા પોતાના સ્વાર્થ માટે બીજાને ઠગવા-નુકસાનમાં ઉતા૨વા-છેતરવાની વૃત્તિ...
૭-૮-૯-૧૦-૧૪) - રતિ-અરતિ, નિદ્રા, શોક, ભય-પૂર્વે આવી
-
ગયા છે.
૧૧) જૂઠવચન – વસ્તુસ્થિતિ કરતાં સંપૂર્ણપણે / આંશિકપણે વિરુદ્ધ/ ગેરસમજ પેદા કરતું વચન બોલવું તે.
૧૨) ચોરી - અન્યની માલિકીની વસ્તુ તેની સંમતિ વગર પોતે માલિકીમાં લઇ લેવી...
૧૩) મત્સર
જાગવી.
-
બીજાને આગળ વધતા જોઇ તેને પછાડવાની વૃત્તિ
૧૫) પ્રાણિવધ - જાણીને કે અજાણતા બીજા જીવને મારી નાખવા / ખૂબ ત્રાસ આપવો...
૧૬) પ્રેમક્રીડા - રાગસૂચક ચેષ્ટાઓ કરવી તે.
૧૭) પ્રસંગ - વિષયભોગનું સેવન. પૂર્વે કામ તરીકે બતાવેલ છે. ૧૮) હાસ્ય – પૂર્વે આવી ગયું છે.
આ અઢારે દોષો કર્મસંયોગથી ઉત્પન્ન થનારા છે. તેથી જેનામાં આ દોષ હોય, તેનામાં કર્મનો મેલ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તેને પરમાત્મા કહી શકાય જ નહીં... પરમાત્મા તો એ છે, જેનામાં સર્વથા કર્મનો નાશ થઇ ચૂક્યો છે અને દોષો પણ નિર્મૂળ નાશ પામી ચૂક્યા છે. તેથી જેનામાં આ અઢાર દોષ ન હોય, તેને જ ભગવાન માનવા, બીજાને નહીં... તીર્થંકર ભગવંતો કેવળજ્ઞાન પામતી વખતે અઢારે દોષોથી રહિત બની જાય છે. તેથી જ કૈવલ્યની પ્રાપ્તિ બાદ જ તીર્થંકર ભગવંત દેશના આપે છે અને મોક્ષમાર્ગ દર્શાવે છે. ભવ્યજીવો પણ તે દેશના સાંભળ્યા બાદ ચારિત્ર-દેશવિરતિ કે સમ્યક્ત્વ આદિ સ્વીકારે છે. આમ અઢાર દોષરહિત બનનાર જ સાચો આત્મકલ્યાણનો માર્ગ બતાવી શકે. તેથી તે જ પરમાત્મા તરીકે સ્વીકાર્ય બને છે.
૫૮
Page #78
--------------------------------------------------------------------------
________________
વાર કલ્પસૂત્રમાં બતાવેલ તીર્થકરના કે
' અત્યંતર ઐશ્વર્યની વાતો..
૧) વસા = કુરતો : કાંસાના વાસણ પર પાણી રેડવા છતાં તે કોરું જ રહે છે તેમ પરમાત્મા પણ બીજાના સ્નેહ-રાગથી જરાપણ લેવાતા નથી. પ્રભુની નિર્લેપતા | અનાસક્તિ સૂચિત થાય છે.
- ૨) સંવે રૂંવ નિરંનો : શંખને જેમ કોઇ કલરની અસર થતી નથી તેમ પરમાત્માને પણ બહારના નિમિત્તોથી કોઇ રાગ વગેરે ભાવો જાગતા નથી. પ્રભુની વીતરાગતા આનાથી સૂચિત થાય છે.
૩) ની ફુલ ગપ્પડિહયડુ : ભવાંતર જતા જીવને ગતિ કરતાં જેમ કોઇ પણ સ્થાપત્ય-પર્વત વગેરે નડતા નથી તેમ પરમાત્માને અનુકૂળતા કે પ્રતિકૂળતાની કોઇ ગણત્રી મનમાં હોતી નથી, પ્રભુ બધી જ જગ્યાએ સમાન ભાવે વિચરે છે. પ્રભુની સાધનામાં અસ્મલિતતા ગુણ બતાવ્યો.
( ૪) || નિત નિરસંવ : આકાશ જેમ કોઇ પણ પ્રકારના આધાર વગર રહેલું છે, તેમ પરમાત્માને પણ કોઈ પણ આધારની અપેક્ષા ન હોવાથી નિશ્ચિતપણે બધે જ વિચારી શકે છે. અહીં પ્રભુનો ધર્મદઢતાગુણ જણાય છે.
૬) વાવ = અધ્વહિવટ્ટે : પવન જેમ એક જ જગ્યાએ નથી રહેતો તેમ પરમાત્માને ક્યાંય રાગ ન હોવાથી કોઇ એક જગ્યાએ ન રોકાતા બધે જ અપ્રમત્તપણે વિહાર કરે છે. પ્રભુની અપ્રમત્તતા અને નિરપેક્ષતા ગુણ પ્રગટ થાય છે.
૬) સારસંતિનં ૪ સુદ્ધફિયણ : શરદઋતુમાં જેમ નદી-તળાવસરોવર આદિનું પાણી એકદમ જ શુદ્ધ હોય છે તેમ પરમાત્માનું હૃદય પણ કોઇ પણ જાતની મલિનતા વિનાનું એકદમ જ નિર્મળ હોય છે. પરમાત્માની અકલુષિતતા-નિર્મળતા અત્રે સૂચિત થાય છે. ( ) TRપત્ત નિરુવ : કમળની પાંદડીઓ પર પાણી જેમ ટકતું નથી તેમ પરમાત્મામાં કુસંસ્કારોની ચિકાશ ન હોવાના કારણે કર્મ લાગતા નથી. અહીં પરમાત્માની નિરાગીતા સૂચિત થાય છે.
૮) લુખ્ખો રૂ4 પુત્તિવિ : કાચબો જેમ પોતાની ઇન્દ્રિયોને સતત ઢાલ નીચે છુપાવી રાખે છે, તેમ પરમાત્મા પણ વિવેક અને વૈરાગ્યની ઢાલમાં પોતાની ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી વિષય-કષાયના નિમિત્તમાં આગળ વધવા દેતા ન હતા. પ્રભુમાં ઉત્કૃષ્ટતમ ઇન્દ્રિયદમન ગુણ હતો.
૫૯
Page #79
--------------------------------------------------------------------------
________________
૧) શિવિસાનું વ ાનાપુ : ગેંડાના માથા પર એક જ શિંગડુ હોય છે તેમ પ્રભુ પણ વિકલ્પરહિત એકલા હોય છે. પ૨માત્માને પોતાને વ્યસ્ત રાખવા રાગ-દ્વેષજન્ય સંકલ્પ-વિકલ્પોની જરૂર નથી પડતી... માણસ એકલો પડે ત્યારે ઘણા બધા તરંગ-તુક્કા લડાવવા, ભૂતકાળનું પ્રિય-અપ્રિય ઘટનાનું સ્મરણ કરી તે-તે લાગણીઓમાં વહેવું વગેરે કરતો હોય છે અને તે રીતે જ તે એકલતાથી બચી શકે છે. પરમાત્મા તો આત્મરમણ (આત્મગુણોનું આસ્વાદન / સંવેદન કરતા ) હોવાથી પ્રભુને એકાંત પ્યારું લાગે છે. પ્રભુની આધ્યાત્મિકતાની ઊંચાઇ આમાં જણાય છે.
૧૦) વિા વ વિખમુ : પંખી પોતાનું આવાસ બદલતું હોવાથી ઘરની માયા નથી હોતી, અને બચ્ચા મોટા થાય ત્યાં સુધી જ ચિંતા, અને કદાચ કોઇ ઉપાડી જાય-ખાઇ જાય તો 'ય ક્ષણવાર જ ચિંતા, પછી પાછું પોતાની ઘટમાળમાં લાગી જાય છે. આમ ક્યાંય વિશેષ રાગની પક્કડ નથી તેમ ૫૨માત્માને પણ ક્યાંય રાગનું બંધન કે પક્કડ હોતા નથી. અહીં પરમાત્યાનું નિર્મમત્વ તથા નિર્ગન્ધત્વ સૂચવાયું છે.
૧૧) માડપવિ વ અપ્પમત્તે : ભારડ પક્ષીને શરીર એક, ડોક બે અને પગ ત્રણ હોય છે. જો બન્ને મસ્તકથી અલગ અલગ દિશામાં જવાની ઇચ્છા અને મહેનત કરે તો ત્યાં જ મોત આવી જાય. તેથી સતત અપ્રમત્તપણે જીવવું પડે છે. કોઇપણ ઇચ્છા મનમાં પેદા થાય તો પણ બીજા સાથીદારને ધ્યાનમાં લઇને જ વર્તવું પડે... તેમ પરમાત્માના જીવનમાં અખંડ અપ્રમત્તતા હતી. બોલવા-ઉંઘવા અને ખાવા પર પરમાત્માનું નિયંત્રણ ગજબનાક હતું. તમામ તીર્થંકર ભગવંતો સતત સાધના-ધ્યાન અને કર્મનિર્જરામાં જ પ્રયત્નશીલ હોય છે. પ્રભુજીનો અપ્રમત્તતા ગુણ અહીં સુંદર રીતે ઉપસી આવે છે. ૧૨) ખરો ફવ સોડીરે : હાથી જેમ પોતાના દુશ્મન સામે શૂરવીર બની લડે છે તેમ પરમાત્માએ પણ અચિંત્ય અને અપૂર્વ શૌર્ય કર્મશત્રુનો ઉચ્છેદ કરવા માટે વાપર્યું છે. સાક્ષાત્ શૌર્ય-સાહસ અને સત્ત્વનો ભંડાર એટલે તીર્થંકર ભગવંતો. અહીં દેવાધિદેવનું પરમ અત્યંતર શૌર્ય પ્રકટ થાય છે.
૧રૂ) વસદ્દો વ નાચથાને : બળદ પોતાના પર મૂકેલા મહાભા૨ને પણ યોગ્ય સ્થાને પહોંચાડવા માટે સંપૂર્ણ શક્તિ લગાડે છે, તેમ પરમાત્મા પણ સ્વીકારેલી પાપત્યાગ અને મહાવ્રતોની મહાપ્રતિજ્ઞાના પાલન-વહન માટે
૬૦
Page #80
--------------------------------------------------------------------------
________________
સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરે છે અને અત્યુત્કૃષ્ટ રીતે મહાવ્રતો પાળે છે. પરમાત્માની પરમશક્તિ અને પરમપુરૂષાર્થ પ્રગટ થાય છે.
૧૪) સો રૂવ ટુરિસે : કાયાથી નાનો હોવા છતાં સિંહ બીજાઓથી અપરાજેય છે, તેમ મારણાંતિક-મરણ સુધી લઇ જઇ શકે તેવા હોવા છતાં ઉપસર્ગો અને પરિષદોની સામે ઝૂકી જઇને પરમાત્મા પોતાની સાધના છોડતા નથી. ભયંકરમાં ભયંકર દેવો, દાનવો કે તિર્યંચો પણ પરમાત્માને પોતાના લક્ષ્યથી ચલાયમાન કરી શકતા નથી. અહીં પરમાત્માના મહાપરાક્રમીપણાને સૂચવવામાં આવું છે.
૧૬) સંતો ફુલ મMp3 : પ્રલયકાલીન ઝંઝાવાતો પણ મેરૂપર્વતને ચલાયમાન ન કરી શકે તેમ ઘોરાતિઘોર કષ્ટો-પ્રતિકૂળતાની વણઝારો પણ પ્રભુને લીધેલા વ્રતો અને ધારેલા નિશ્ચયમાંથી ચલાયમાન કરી શકતા નથી. પ્રભુની અડગતા અને દઢતાને લાખો વંદન.
૧૬) સTIો રૂવ મારે : પોતાના પેટાળમાં રત્નો ભર્યા હોય કે મોટી મોટી પરવાળાની ખંડીય છાજલીઓ ભરી હોય, સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદા ચુકતો નથી. પોતાની આપબડાઈ હાંકતો નથી તેમ પરમાત્મા પણ ક્યારેય વિશ્વકલ્યાણકર તરીકેની પોતાની મર્યાદા ક્યારેય ચૂકતા નથી કે પોતાનામાં અનેકાનેક વિશિષ્ટ ગુણો હોવા છતાં સ્વપ્રશંસાની ભૂમિકામાં ક્યારેય આવતા નથી, એટલું જ નહીં, ગમે તેટલા હર્ષ કે શોકના કારણમાં પણ પ્રભુ સ્વસ્થ રહે છે. પોતાનો સ્વભાવ ક્યારેય છોડતા નથી. અહીં પરમાત્માની ગંભીરતા, સ્વસ્થતા અને મહાનતા સ્પષ્ટ થાય છે.
૧૭) વંતો રૂવ સોનસે : ચંદ્ર જેમ શીતળ ચાંદની બધે રેલાવે છે તેમ પરમાત્મા પણ પરમશાન્તિના ધારક હોય છે. પ્રભુજીની શીતલતાને લાખો વંદન..
૧૮) સુર ડુત વિત્તર : સૂર્ય જેમ અત્યંત તેજસ્વી હોય છે, તેમ દ્રવ્યથી શરીરના વિશુદ્ધ તેજ દ્વારા અને ભાવથી સર્વજ્ઞતાના ઉત્કૃષ્ટ જ્ઞાનના પ્રકાશ દ્વારા સર્વત્ર તેજોમય પ્રભાને ફેલાવનારા તીર્થંકર પરમાત્મા હોય છે. પ્રભુની તેજસ્વિતા અને મહાજ્ઞાનિતા સહુનું કલ્યાણ કરો.
૧૨) નવ્યવUT વ ગાયે : જેમ ઉત્તમજાતનું સોનું-અગ્નિમાં પોતાના મલને બાળીને એકદમ વિશુદ્ધ થઇ જવાના કારણે અત્યંત દેદીપ્યમાન
Page #81
--------------------------------------------------------------------------
________________
હોય છે તેમ પરમાત્માના કર્મમલ પણ નષ્ટ થઇ જવાથી તેમનું આત્મસ્વરૂપ અત્યંત ઉજળું હોય છે. અહીં પ્રભુની પવિત્રતા વ્યક્ત થઇ રહી છે.
૨૦) વસુંધરા ફવ સવ્વાસવિષદે : જેમ પૃથ્વી ઠંડી-ગરમી, ખેડૂતોના હળ, ખાણિયાના વિસ્ફોટ, પર્વતોના ભાર આદિ બધું સહન કરે છે, તેમ ભગવાન પણ તમામ પ્રકારના કષ્ટોને સમતાથી સહન કરી આત્મદ્રવ્યને એકદમ વિશુદ્ધ બનાવનારા છે. અહીં તીર્થંકર દેવોની સર્વોત્કૃષ્ટ સહિષ્ણુતા ઉદાહરણીય બની છે.
૨૧) સુયયાસને વ તેયસા નબંર્ત : સારી રીતે ઘી વગેરે આહુતિ દ્વારા સીંચાયેલો અગ્નિ એકદમ તેજસ્વી હોય છે, તેમ પરમાત્મા જ્ઞાનથી, પ્રભાવથી, પરાક્રમ આદિથી અત્યંત દેદીપ્યમાન હોય છે. અહીં પણ દેવાધિદેવની ઉત્કૃષ્ટતા, શ્રેષ્ઠતા અને દેદિપ્યમાનતા વ્યક્ત થઇ રહી છે.
આમ આવી ૨૧ ઉપમાઓ દ્વા૨ા પરમાત્માના ગુણોને પ્રકટ ર્કા પછી કેટલીક ખૂબ અર્થગંભીર બાબતો પરમાત્મા અંગે તે જ કલ્પસૂત્રના આગળના સૂત્રમાં બતાવવામાં આવી છે.
૨૨) વાસીદંવાસનાળષ્મે : કોઇ પોતાને સુથારના ધંધાથી / વાંસડાથી છોલી નાખે કે ચંદનનું વિલેપન કરે. પરમાત્માના મનમાં બન્ને પ્રત્યે સમાનભાવ હોય છે એટલે કે ૫૨માત્મા શત્રુ-મિત્રભાવથી પર બની ગયા છે. જેમ આકાશમાં ખૂબ ઊંચે ઉડતા પક્ષીને મહેલ અને જેલ બધું સરખું જ લાગે તેમ પ્રભુને કષ્ટ આપનારો કે કષ્ટ કાપનારો બન્ને સરખા જ લાગે છે. અહીં પ્રભુનું સમત્વ વ્યક્ત થાય છે.
૨૩) સમતિમળિનેદુવળે : સામે તણખલું હોય કે દુર્લભતમ ને મહાકિંમતી મણી હોય, માટીનું ઢેકું હોય કે સોનાનો પાટ હોય, પરમાત્માને ભૌતિક પદાર્થોમાં હવે કોઇ મૂલ્યવત્તાની બુદ્ધિ રહી જ નથી. જેઓ ભૌતિકતાથી પર થઇને આધ્યાત્મિકતાની ટોચે પહોંચી ગયા છે અને જેઓ કર્મ સામે આત્મસામ્રાજ્યની ખૂંખાર લડાઇ લડી રહ્યા છે તેમને આવા ભૌતિક પદાર્થનું મૂલ્ય અને મહત્તા શું હોય ?
૨૪) સમઝુલુù : શરીરસાપેક્ષ, સામગ્રીસાપેક્ષ, સંબંધ-સાપેક્ષ કે સગવડસાપેક્ષ સુખ-દુઃખની વિચારણા જેમના અંતરમનમાં હવે રહી જ નથી તેવા પરમાત્માને સુખ કે દુઃખ બધું સમાન જ ભાસતું હતું.
૬૨
Page #82
--------------------------------------------------------------------------
________________
ર૬) રૂહનોન-પરનો ૩Mહિદ્દે ઃ આજકાલની ચિંતા કરે તે ફેરિયો છે, સાત પેઢીની ચિંતા કરે તે વેપારી છે, આલોક-પરલોકની ચિંતા કરે તે ધર્મી છે પરંતુ ફિકરની ફાકી કરી સ્વમાં મસ્ત રહે તે ભગવાન છે. પોતાના આત્મગુણોની અજબની મસ્તી પ્રભુને એવી લાગી ગઈ છે કે આલોક કે પરલોકની પણ ચિંતા-ફિકર-મમત્વ બધુ ઉતરી ગયું છે.
૨૬) નાવિયમરને નિરવવંશવે : પોતાના અતિનિકટના ગણાતા શરીર કે શરીરનો સાથ જેના કારણે છે તે આયુષ્યકર્મને પણ પરમાત્માએ સાવ ગૌણ ગણી લીધું છે. એટલી ઉત્કૃષ્ટ નિરપેક્ષવૃત્તિ આત્મામાં જાગી ગઈ છે કે જીવન કે મોતનો ય ભેદ હવે પરમાત્માને મન રહ્યો નથી. તેથી જીવનની યાદ નથી, મોતની પરવા નથી.
૨૭) સંસારપાર ITન : વેદોમાં આવતા “અહં બ્રહ્માડસ્મિ' ના નાદ જેવી પારગામિતા હવે પ્રભુ પામી ચુક્યા છે. સંસારના વલણ, સંસારના બંધન અને સંસારના ચકરાવામાંથી પ્રભુ બહાર નીકળી ચૂક્યા છે.
૨૮) Hસત્તનધાયાકાર ભુટ્ટણ : કર્મ મહાશત્રુના નાશ માટે શત્રુપક્ષના બલાબલની, પોતાના બલાબલની, યુદ્ધના સચોટ વ્યુહની જાણકારી જરૂરી હોય છે. જેઓ હવે જીવસટોસટની લડાઇ માટે સજ્જ થઇ ગયા છે. ટૂંક સમયમાં કર્મનો ઘડોલાડવો થઈ જ જવાનો.
૨૬) સાધનાકાળમાં જ પરમાત્મા પાસે વિશ્વમાં અનન્ય એવું જ્ઞાન (અનુત્તર જ્ઞાન) અનુપમ શ્રદ્ધા અને વિલક્ષણ-વિચક્ષણ-સંપૂર્ણ સત્ય દ્રષ્ટિકોણ (અનુત્તર વર્ણન) ઉત્કૃષ્ટતમ પાપત્યાગ અને કર્મનાશની સાધના (અનુત્તર વારિત્ર) એકદમ જ નિર્જન અને આત્મગુણને અબાધક સ્થાનમાં રહેવું (મનુત્તર માન) ઘોર-ઉગ્ર-વિશુદ્ધ પદયાત્રા-વિહાર (નુત્તર વિહાર) મહાપરાક્રમ (નુત્તર વય), અદ્ભુત સરળતા-માયાનો અભાવ (અનુત્તર ભાર્ગવ) ઉચ્ચતમ-નિરાભિમાનિતા (અનુત્તર માર્વત) , પરમાતિપરમ અનાસક્તિ | લઘુતા (અનુત્તર તાધવ) વિશ્વાતિશયી ક્ષમા (નુત્તર વંતી) ઉત્કૃષ્ટ નિર્લોભિતા (નુત્તર મુત્તિ) અનન્ય મન-વચન-કાયાની શુદ્ધિ (મનુત્તર ગુતિ), અદ્ભુત ચિત્તપ્રસન્નતા (નુત્તર તુરિ) અને અદ્ભુત સત્ય-સંયમ-તપ આદિના વિશુદ્ધતમ આચરણ દ્વારા મોક્ષપ્રાપક રત્નત્રયીની આરાધના (નુત્તર વ્ય-સંગતવ-સુરિયસોવિયત્ન-પરિનિવાઈ7) હતી. આવા તીર્થકર જ વિશ્વમાં પરમાત્મા કહેવાને લાયક છે, આવું નથી લાગતું ?
આ ૬૩
Page #83
--------------------------------------------------------------------------
________________
૪. મહાવિશેષણ વિથોદ્ધારક ત્રિભુવનશિરતાજ શ્રી તીર્થકર ભગવંતો વિશ્વના જીવો પર જે અનન્ય ઉપકારની હેલી વરસાવતા હોય છે તેને સંક્ષેપમાં જાણવા માટે ખૂબ સુંદર ચાર વિશેષણ આપવામાં આવ્યા છે. એ ચાર વિશેષણને જાણીએ...
૧) મહાગોપ - ગોવાળનું કાર્ય પશુઓને નિર્ભય સ્થાનમાં આરોગ્યપ્રદ ચારો ચરાવવાનું, રોગ આદિને પારખી તેની સારવાર કરાવવાનું અને હિંસક પશુઓ આદિ જોખમોથી બચાવી જીવનને સુખી અને સુરક્ષિત બનાવવાનું છે. તેમ તીર્થકર ભગવંતો પણ આપણા જેવા જીવોને પાપરહિત નિર્ભય જીવન જીવવાની પદ્ધતિ શીખવાડવાનું, આત્માના ભાવરોગોને પારખી તેના ઉપચાર કરવાનું અને ભાવશત્રુઓથી બચાવવાનું કાર્ય કરી આત્મિક રીતે સુખી અને સુરક્ષિત બનાવવાનું કરે છે. આમ ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવન-બન્ને દૃષ્ટિએ તીર્થકર ભગવંતો મહાઉપકારી છે તેથી તેમને મહાગોપ કહેવાય છે.
૨) મહાનિર્ધામક – નિર્યામક = ખલાસી | નાવિક.. અફાટ સમુદ્રમાં તરતી મૂકેલી હોડીને પોતાના જ્ઞાન, અનુભવ અને આવડત દ્વારા વમળ, વાવાઝોડા કે તોફાની જલચર પશુઓના વિઘ્ન વચ્ચેથી પણ સહીસલામત પાર પમાડી દે છે, તેમ તીર્થકર ભગવંતો પણ મનુષ્ય જીવનની નાવને કર્મોદયના વાવાઝોડા, કુસંસ્કારોના વમળ કે નિમિત્તોના તોફાની વિદ્ગો વચ્ચેથી સહિસલામત પાર પમાડી સિદ્ધશિલાના સદા સુરક્ષિત સ્થાનમાં પહોંચાડી દે છે. સમુદ્રના વમળ, વાવાઝોડા કે વિપ્ન તો દેખાય એવા છે. બધા જ તેનાથી દૂર રહેવા માંગે છે અને ખલાસીને સહાય પણ કરે છે જ્યારે સંસારના વમળાદિત્રિક તો દેખાતા નથી, દેખાય છે તો ય મનગમતા લાગતા હોવાથી જીવ સ્વયં તેની નજીક જાય છે, તેમને આવકારે છે અને ઉપરથી અટકાવનાર બચાવનાર પ્રભુ અળખામણા લાગે છે તેથી પ્રભુનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. છતાં પ્રભુ તેને સુપેરે પાર પાડે છે. દુન્યવી ખલાસી ક્યારેક Fail જાય અને મધદરિયે નાવ ડૂબી પણ જાય તે શક્ય છે, જ્યારે પ્રભુને નાવિક બનાવ્યા પછી તેઓ તો સંસારસાગરથી પાર પમાડીને જ રહે છે માટે તેમને મહાનિર્યામક કહ્યા.
- ૩) મહામાહણ - ભરત ચક્રવર્તીએ પોતાની ચક્રવર્તીપણાની અમર્યાદ સત્તા અને સમૃદ્ધિમાં મદહોશ ન બની જવાય તે માટે ૬૦,૦૦૦ ધર્મ
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રેમી ગૃહસ્થોને રાખેલા-જે રોજ રાજસભામાં આવીને કહેતા- નિતો નવીન , વર્ધતે મીઃ, ત ન્મ ઇન ! RT ન !' તમારા પર કર્મરાજે, મોહરાજે અને યમરાજે વિજય મેળવેલો છે, તમારા માથા પર સતત ભય ઝળુંબી રહ્યો છે. તેથી કોઇને હણશો નહીં, હણશો નહીં,'-વારંવાર આવું કહેતા હોવાથી તે ગૃહસ્થો “માહણ' નામથી ઓળખાવા લાગ્યા. “મા” = કોઇને હણશો નહીં આવો ઉપદેશ આપનાર...
શ્રી તીર્થકર ભગવંતોએ વિશ્વમાં જીવોનું સૌથી સૂક્ષ્મ-સચોટ અને વિશાલ જ્ઞાન ઉપદેશેલું છે. હજી આજનું વિજ્ઞાન પણ જ્યાં સુધી પહોંચ્યું નથી તે સ્થાવર (પોતાની ઇચ્છાથી એક જગ્યાએથી બીજા જગ્યાએ નહીં જઇ શકતા જીવો-પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ) જીવોમાં પણ જીવત્વ બતાવ્યું છે અને તેઓને પણ બચાવવાના ઉપાયો અને ઓછામાં ઓછી હિંસાથી જીવન જીવવાની વ્યવસ્થા બતાવી છે. સૂક્ષ્મ જીવવિજ્ઞાન, સૂક્ષ્મ જીવદયા અને હિંસાવિહીન જીવનવ્યવસ્થા માત્ર ને માત્ર જિનેશ્વર ભગવંતોએ જ બતાવી છે માટે તેઓને મહામાહણ કહેવાય.
૪) મહાસાર્થવાહ – વિરાટ માલસામાનને વેચાણ અર્થે પર્વત-ખીણજંગલની વસમી વાટને સહીસલામત ઓળંગી સમૃદ્ધ નગર તરફ લઇ જનાર સાર્થવાહ કહેવાય. જ્યારે કોઇ નિર્બળ કે નિર્ધન વ્યક્તિને તેવા વિકટ રસ્તાને પસાર કરવો હોય ત્યારે આવા સાર્થવાહનો આશરો લે છે. સાર્થવાહ તેને સાથ તો આપે જ છે, ઘણીવાર જરૂરિયાતવાળાને ગાડું, સામાન, ધન-ધાન્ય વિ. આપી રસ્તામાં પણ અટવાય નહીં, ભટકે નહીં, ચોર-લૂંટારૂઓથી લૂંટાય નહીં તેની કાળજી રાખે છે. ઠંડી-ગરમી-ચોમાસુ આદિમાં પણ સહાય કરે છે.
તેવી જ રીતે સંસારરૂપી અટવીને ઓળંગી મોક્ષનગરમાં પહોંચવા માંગતા જીવને પરમાત્મા તમામ પ્રકારની સહાય આપે છે. રાગ-દ્વેષ, આર્તધ્યાનાદિ સામે સમતા અને સમાધિ દ્વારા રક્ષણ પણ આપે છે. અને નબળાદુબળા જીવને પણ મોક્ષનગરમાં પહોંચાડે છે. તેથી પ્રભુ મહાસાર્થવાહ કહેવાય છે.
આમ સંસારમાં સાચી જીવનવ્યવહાર પદ્ધતિ, વિચારવ્યવહાર પદ્ધતિ અને સાધનાવ્યવહાર પદ્ધતિનું સચોટ અને સૂક્ષ્મ દિગ્દર્શન કરાવનાર પરમાત્મા આ વિશ્વમાં અનન્ય છે.
-
૬૫
Page #85
--------------------------------------------------------------------------
________________
અનંત ઇન્દ્રોએ અનંત પરમાત્માની કરેલી Jસ્તવના શકસ્તવના માધ્યમે પ્રભુની ઓળખ|
૧) રિહંતાdi : જેઓ ત્રણે લોકના દેવો-મનુષ્યો અને તિર્યંચો દ્વારા કરાતી પૂજાના અધિકારી (હકદાર) છે.. ઉપાર્જલા પ્રચંડ પુણ્ય અને વિશ્વકલ્યાણની કરેલી ઉત્કૃષ્ટ ભાવના અને સાધનાના પ્રતાપે જેઓ વિશ્વોત્કૃષ્ટ પૂજાને પામવા હકદાર બન્યા છે.
૨) માવંતા : ભગ = ઉત્કૃષ્ટ રૂપ-એશ્વર્ય-યશ-લક્ષ્મી-ધર્મ-પ્રયત્ન... તે જેમની પાસે છે તે ભગવાન કહેવાય. એટલે ઉત્કૃષ્ટ રૂપ, અજોડ એશ્વર્ય, ત્રણલોકવ્યાપી યશ-(પ્રતિષ્ઠા-કીર્તિ) અનુપમ એવી દેહશોભા, સમવસરણાદિની બાહ્ય શોભા, અલોકિક એવી ધર્મસાધના અને તેમાં કરેલો ઉત્કૃષ્ટ પુરુપાર્થ-આ સહુના ધારક માત્રને માત્ર તીર્થંકર પરમાત્મા છે માટે તેમને ભગવાન કહે છે.. આ ૬ ઉત્કૃષ્ટની પ્રાપ્તિ માત્ર તીર્થકર ભગવંતોને જ હોય.
) માફRUT : પોતપોતાના ધર્મશાસનનો જ્ઞાન અને આચારની વ્યવસ્થા આપવાપૂર્વક પ્રારંભ કરાવનાર, ધર્મહીન અથવા તો ધર્મચુસ્તતાહીન પરિસ્થિતિમાં શુદ્ધધર્મની વ્યવસ્થાનો પ્રારંભ કરાવનાર. શ્રી તીર્થંકર પરમાત્મા જ સર્વજ્ઞતાના બળે આવો પ્રારંભ કરાવી શકે છે.
૪) તિસ્થયરા : જગતના કોઇ પણ જીવને સાધનાનો માર્ગ સુલભ અને સરળ બને તે માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપી ચતુર્વિધ શ્રી સંઘની, દ્વાદશાંગી રૂપ આગમશાસ્ત્રોની, સૌથી પ્રથમ ગણધરરૂપ ઉત્તરાધિકારીની સ્થાપના કરનાર તીર્થકર કહેવાય છે. સંસારસાગરથી તારનારા તમામ તારક તત્ત્વોના સ્થાપનારા, બતાવનારા તે તીર્થકર...
૧) સયંસંધુલ્લા : તીવ્રતમ વૈરાગ્યભાવના કારણે તે જ સંસારનું વાસ્તવિક સ્વરૂપ ઓળખી લેનાર તથા આત્મકલ્યાણનો સાચો માર્ગ જાણી લેનાર તે સ્વયંસંબુદ્ધ. ગુરુના ઉપદેશ કે શાસ્ત્રવચનના આધાર વગર સ્વય સાચો રાહ જાણનારા માત્ર તીર્થકર ભગવંતો જ હોઇ શકે.
૬) પુરસુના : ખાણમાં રહેલા શ્રેષ્ઠ જાતિવંતરત્નની જેમ અના'દિકાળથી દશ-દશ વિશિષ્ટ ગુણોને લીધે વિશ્વના તમામ જીવોમાં ઉત્તમોત્તમપ
Page #86
--------------------------------------------------------------------------
________________
ણાને ધારણ કરનારા.. છેક અનાદિ નિગોદમાં હોય ત્યારે પણ પ્રભુ અન્ય જીવો કરતાં ઉત્કૃષ્ટ ગુણવાન હોય છે.
૭) પુરિ લીલા' : સિંહ જેમ કૂર, પરાક્રમી, ઉદ્યમવંત હોય છે તેમ પરમાત્મા પણ કર્મો પ્રત્યે ક્રૂર, ઉપસર્ગ અને પરિસતો સહવામાં પરાક્રમી, રાગ-દ્વેષ-મોહને જરા પણ નહિં ચલાવી લેનારા, પ્રતિકૂળતા વચ્ચે પણ નિર્ભય, એકલવીર, ઇન્દ્રિયના વિષયોની ઇચ્છા માત્ર પણ નહીં રાખનારા અને ધર્મધ્યાન આદિમાં અત્યંત નિષ્પકમ્પ હોય છે. તેથી પ્રભુ ભવ્યજીવોમાં સિંહ જેવા જાણવા..
૮) પુરિવરકુંડરિયા : કમળ જેમ કાદવમાં ખીલે છે અને પાણીથી વધે છે, છતાં તે બધાથી અલિપ્ત રહે છે, તેમ તીર્થકર ભગવંતો પણ કર્મરૂપી કાદવમાં ઉગવા છતાં અને પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપી ભોગો વડે ઉછરવા છતાં ઉત્કૃષ્ટતમ વેરાગ્યભાવના કારણે આ બધાથી પ્રભુ અલિપ્ત રહે છે, અથવા જેમ કમળ એ શ્રીલક્ષ્મીદેવીનું નિવાસસ્થાન છે તેમ કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીના નિવાસસ્થાનરૂપ કમળ જેવા તીર્થકર ભગવંતો છે.
8) પુરિવર હસ્થી : વિશિષ્ટ પ્રકારના હાથી-ગંધહસ્તીના શરીરમાંથી ઝરતા મદ (એક જાતનું ચીકણું પ્રવાહી) ની ગંધના પ્રભાવે સામાન્ય પ્રકારના હાથીઓ દૂર દૂર ભાગી જાય છે. તેમ તીર્થંકર પ્રભુની પધરામણીથી ૧૨૫ યોજનમાં મારી-મરકી, દુષ્કાળ-પૂર-તીડ-આદિ બધા ઉપદ્રવો દૂર થઈ જાય છે અને લોકોમાં આનંદોત્સવનું વાતાવરણ છવાઈ જાય છે. પોતાની હાજરી માત્રથી ૧૬૨૫ K.M. ક્ષેત્રમાં રહેલા લોકોના દુઃખ-દર્દ-સંતાપને દૂર કરવાની શક્તિ એક માત્ર તીર્થંકર પરમાત્માઓમાં જ જોઇ શકાય છે.
૧૦) વૃત્તાન : તમામ ભવ્ય જીવોમાં જેઓ પોતાના તથાભવ્યત્વના પ્રભાવે | ગુણોની સમૃદ્ધિના પ્રભાવે ઉત્તમોત્તમ છે.
૧૧) નો નાદાનું : હવે જેઓનો સંસાર માત્ર એક પુદ્ગલપરાવર્ત જેટલો જ બાકી રહ્યો છે, તેવા ચરમાવર્તી જીવોને આત્મકલ્યાણ માટે જરૂરી મોક્ષમાર્ગ, ધર્મસાધના, ગુણોના બીજ આદિ પ્રાપ્ત કરાવનારા તથા જેઓને તે સર્વે પ્રાપ્ત થયેલા છે, તે સર્વની સુરક્ષા કરાવનારા હોવાથી તેઓ તે જીવોના નાથ કહેવાય છે. આવા લોકનાથ પરમાત્માને નમસ્કાર થાઓ.
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૨) નોહિયાળ : વિશ્વના યથાવસ્થિત નિરૂપણ દ્વારા તમામ જીવોનું હિત ક૨ના૨ા તીર્થંકર ભગવંત છે. Where to live, Why to live અને How to live આ ત્રણનું જ્ઞાન આપી પરમાત્મા જીવનને સફળ, સાર્થક અને સાનુકૂળ બનાવવાની વ્યવસ્થા સૂચવે છે.
૧રૂ) તોાપવાળું : પરમાત્માના વચનથી સાચી સમજ અને સાચી શ્રદ્ધા પામી શકનારા સંજ્ઞી જીવો માટે ૫રમાત્મા દીવા સમાન છે, દીવો થોડા પ્રકાશ દ્વારા થોડાક ભાગને અજવાળે છે, તેમ સામાન્ય કક્ષાના જીવોને પ્રભુ પાસેથી પોતાની પાત્રતા મુજબની સબુદ્ધિ, સશ્રદ્ધા પ્રાપ્ત થાય છે અને આત્મકલ્યાણના ક્ષેત્રે આગળ વધે છે.
૧૪) લોાપખ્તોમારાળું : અતિતીવ્ર જ્ઞાનશક્તિ ધરાવનારા ગણધર ભગવંતો, પૂર્વધર મહર્ષિઓ આદિ મહાપુરુષોને જ્ઞાનનો ઉત્કૃષ્ટ પ્રકાશ (સૂર્ય જેમ ઉત્કૃષ્ટ પ્રકાશ આપે છે તેમ) આપનારા તીર્થંક૨ ભગવંત છે.
૧૧) સમયવ્યાનું : અહીં ઇન્દ્ર મહારાજાએ સુંદર કલ્પના કરી છે. જંગલમાં લૂંટારાઓ પ્રવાસીને લૂંટી આંખે પાટા બાંધી ખૂબ ભયભીત દશામાં રખડતા કરી દે. ત્યાં કોઇ દયાળુ પહેલા નિર્ભયતાનું આશ્વાસન આપે પછી પાટા ખોલી દ્રષ્ટિ આપે, રસ્તો દેખાડે અને શક્ય હોય તો ખોવાયેલો માલ પાછો મેળવી આપી સધિયારો આપે, તેમ તીર્થંક૨ ૫રમાત્મા પણ રાગ-દ્વેષમોહ આદિ લુંટારાઓથી લુંટાયેલા જીવોને પણ ક્રમશઃ દરેક શુભભાવોનું દાન કરે છે તે પાંચ પદ દ્વારા બતાવે છે.
સૌ પ્રથમ ચિત્તની સ્વસ્થતા આપી સાત ભયોથી મુક્તિ આપી તીર્થંક૨ ભગવંતો જીવને નિર્ભય બનાવે છે. સંસારની આત્મવિડંબક ત્રાસદાયક વિટંબણાઓ વચ્ચે પણ જીવને સ્વસ્થતા કેળવવા માટે જરૂરી સમાધિ આદિ પ્રભુ આપે છે.
૧૬) ચપ્પુયાળ : મોક્ષમાર્ગને જાણવા, સ્વીકારવા અને તેમાં આકર્ષિત થવા જરૂરી ધર્મદ્રષ્ટિ (Vision of Salvation) પરમાત્મા આપે છે. ૧૭) માયાળું : મોક્ષે જવા માટે જરૂરી માર્ગ અને માર્ગમાં આગળ વધવા જરૂરી સ૨ળ ચિત્તની પ્રાપ્તિ વિશ્વના તમામ જીવોને પરમાત્માના પ્રભાવે થાય છે.
૬૮
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૮) શરદયાdi : પાપપ્રવૃત્તિ અને ભોગસામગ્રીના આકર્ષણથી વૈરાગ્ય પમાડવા દ્વારા પ્રભુ સહુ જીવોમાં તત્ત્વની જિજ્ઞાસા પેદા કરે છે. આ જ સાચું શરણ છે, કારણ કે તત્ત્વજિજ્ઞાસાના પ્રભાવે ઉત્તમગુરુનો સંયોગ, તે માટે જરૂરી વિનયાદિ ગુણો પ્રાપ્ત થાય છે, અને તેનાથી જીવ ધર્મક્ષેત્રે આગળ વધે છે.
૧૬) વોદિયાdi : ગમે તેવા સંયોગોમાં પણ ધર્મતત્ત્વ પરની જ અવિચલ શ્રદ્ધા, ધર્મમાર્ગનું જ અનુસરણ, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અને ભવાંતરમાં જૈનધર્મની પ્રાપ્તિરૂપ બોધિનું દાન તીર્થકર ભગવંતો જ વિશ્વના જીવોને આપી તેમની મોક્ષપ્રાપ્તિને નિશ્ચિત બનાવી દે છે.
૨૦) ઘર્મયાdi : સંસારથી તારનારા, પાપોથી બચાવનારા અને વિશ્વના તમામ જીવોના એકમેવ હિતકારી ચારિત્રધર્મની તીર્થંકર પરમાત્મા પ્રાપ્તિ કરાવે છે અને તેના દ્વારા સંસારના સાગરને ખાબોચિયા જેવો બનાવી દેવાની શક્તિ આપે છે.
૨૧) ઘમ્મસયા : આ સંસાર ચારેબાજુથી સળગતા ઘર જેવો છે. માત્ર ધર્મરૂપી વરસાદ જ તેને ઠારી શકે. તેથી સહુએ ધર્મને જ પોતાનો મુખ્ય આધાર બનાવવો જોઇએ ! આવો ધર્મનો ઉપદેશ આપી સહુને ધર્મ તરફ પ્રેરવાનું કાર્ય તીર્થકર ભગવંતો કરે છે.
૨૨) ઘમ્પનાયTIf : સ્વયં ઉત્કૃષ્ટતમ ધર્મની આરાધના કરીને, સિદ્ધ કરીને પછી જ લોકોને ઉપદેશ આપવાના કારણે સ્વયં ધર્મના નાયક (અગ્રણી-નેતા-leader) બનેલા છે. ભગવાન માત્ર ઉપદેશક (પોતે કરવું કાંઇ નહીં ને બીજાને માત્ર ઉપદેશ આપવો) નથી પરંતુ સ્વયં તેનું પાલન કરી આદર્શ ઊભો કરે છે.
૨૩) ઘમ્મસારી : સારથિ જેમ ઘોડાને પાળે-પોષે, training આપે, તોફાને ચડે તો તેને ઠેકાણે લાવે, ખોટા રસ્તે જતો હોય તો સાચા રસ્તે લાવે, તેવી જ રીતે તીર્થકર ભગવંતો ભવ્ય જીવોમાં ધર્મના રસને, બુદ્ધિને, શ્રદ્ધાને પોષે છે, ધર્મ કરવાનું સાચું શિક્ષણ આપે છે. ધર્મના માર્ગથી આડાઅવળા જાય તો વળી પાછા મોક્ષમાર્ગમાં સ્થિર કરે છે. વિષય-કષાયમોહના મહાતોફાનમાં અટવાય તો પણ તેમને નુકસાન-ફળ આદિ દેખાડી સ્વસ્થ કરે છે. તેથી તીર્થકર ભગવંતો ધર્મસારથિ કહેવાય છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
૨૪) ઘમ્મવવાનાંતવવવટ્ટીનું : ત્રણ બાજુ સમુદ્ર, એક બાજુ પર્વત, એમ ચાર છેવાડાથી યુક્ત પૃથ્વીનું એકછત્ર સામ્રાજ્ય ભોગવનાર ચાતુરંત ચક્રવર્તી કહેવાય છે. તેમ ચારગતિના સંસાર સામ્રાજ્યમાં તમામ જીવોમાં શિરજોર બની જના૨ તેમજ તે સંસાર-મોહ-કર્મના સામ્રાજ્યને ધર્મના ચક્રથી છેદી સહુને સિદ્ધશીલાનું અખંડ સામ્રાજ્ય અપાવનાર તીર્થંકર ભગવંતો છે, ધર્મરૂપી ચક્રના સ્વામી, ધર્મચક્રના અતિશયથી યુક્ત અને ચારગતિને છેદનારા હોવાથી ધર્મચક્રવર્તી કહેવાય છે.
૨૧) અપ્પત્તિયવરનાળવંસધરાનું : કોઇ પણ પ્રકારના અંતરાયો જેને નડી શકતા નથી તેવા, અનંત, અસ્ખલિત, અખંડ કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધા૨ણ ક૨ના૨ા આ તીર્થંકર ભગવંતો હોય છે. સંપૂર્ણ બ્રહ્માંડ = ચૌદ રાજલોક તથા અનંત અલોકને હાથમાં રહેલ આમળાની જેમ સંપૂર્ણપણે અને સત્યપણે જાણી શકે તેવા જ્ઞાન અને દર્શનને તેઓ ધારણ કરે છે.
૨૬) વિયટ્ટછડનાળું : છદ્મ = જ્ઞાન-દર્શન આદિને અટકાવનાર આવરણભૂત કર્મ... તેવા કર્મ જેમણે સંપૂર્ણપણે નાશ કરી નાખ્યા છે, તે... આત્માની લબ્ધિઓ, શક્તિઓ અને ગુણોને ઢાંકી દેનાર, છાવરનાર તમામ કર્મોને નષ્ટ કરી દઇ નિરવધિ મહાસાગર જેવી વિરાટ જ્ઞાનાદિ શક્તિઓના સ્વામી બની જનાર પરમાત્મા છે.
૨૭) નિબાનું ખાવયામાં : અનાદિકાળથી આત્માની બેહાલી કરના૨, ઘો૨ દુઃખોની અને દુર્ગતિઓની પરંપરામાં ધકેલનારા, સતત સંતાપ અને સંક્લેશની આગમાં સળગતા રાખનારા રાગ અને દ્વેષ પર પોતાની ઘો૨ સાધના, અનુપમ પરાક્રમ અને વિશુદ્ધ ધ્યાનના બળે વિજય મેળવનારા અને પોતાના શરણમાં આવનારા દરેકના તથાભવ્યત્વનો પરિપાક કરાવી આપી, સત્ત્વ અને ઉલ્લાસને ઉછાળી ઘોર સાધના કરાવી વિજય મેળવી આપનારા તીર્થંક૨ પરમત્મા છે.
૨૮) તિાનું તાયામાં : અનંતજીવોના દુઃખનું એકમાત્ર કારણ એવા અતિગહન, ભયાનક, સંસારસાગરથી જેઓ સ્વયં પોતાની ઉત્તમતાથી, નિર્મલતાથી, તેજસ્વિતાથી અને અપ્રમત્તતાથી તરેલા અને પોતાના પર શ્રદ્ધા રાખનારા અનુયાયીઓને તારનારા છે.
૭૦
Page #90
--------------------------------------------------------------------------
________________
૨૧) વુદ્ધાળું વોયાળું : આત્મગુણોનો નાશ કરનારા એવા ઘાતીકર્મોનો ક્ષપક શ્રેણિના ઉત્કૃષ્ટ અધ્યવસાયની અત્યુગ્ર ધ્યાન સાધનાથી નાશ કરી અનંત અખંડ-અવ્યાબાધ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને સમવસરણમાં બેસી સત્યપંથ બતાવી વિશ્વના અનેક જીવોમાં જ્ઞાનના અજવાળા પાથરી તેમને પણ કેવળજ્ઞાની બનવાનો રસ્તો દેખાડે છે.
રૂ૦) મુત્તાનું મોસાળું : સ્વયં તમામ કર્મોથી મુક્ત થનારા, સંસા૨ના બંધનથી મુક્ત થનારા, જન્મ-જરા-મરણના ચકરાવાથી મુક્ત થનારા, મન-વચન-કાયાના યોગોથી મુક્ત થનારા હોય છે અને તેમનું શરણ સ્વીકા૨ના૨ને આત્મકલ્યાણક૨ માર્ગ દેખાડી પોતાની જેવા જ મુક્ત બનાવી મોક્ષમાં પહોંચાડે છે.
રૂ૧) સવ્વખ્ખાં સવવરિસીનું : વિશ્વના તમામ પદાર્થોને, તેની તમામ અવસ્થાઓને જે જાણે છે અને જુએ છે.
રૂ૨) સિવ-મયન-મગ-મળત-મÜય-મપુરાવિત્તિ-સિદ્ધિ જ્ઞનામઘેય વાળું સંવત્તાનું : કોઇ પણ પ્રકારના ઉપદ્રવથી રહિત, જ્યાંથી ખસવાનું નથી એવા સ્થિર, જ્યાં કોઇ રોગ આદિ નથી તેવા, જેનો ક્યારેય અંત નથી આવતો તેવા અક્ષય, પીડારહિત, જ્યાંથી સંસારમાં પાછા ક૨ીને પાછા જવાનું નથી હોતું તેવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરનારા આ તીર્થંકર ભગવંત હોય છે.
રૂરૂ) નો નિખાનું નિસમયાનું : સાત પ્રકારના ભયને જીતી લેનારા જિનેશ્વર ભગવંતોને નમસ્કાર થાઓ.
૭૧
Page #91
--------------------------------------------------------------------------
________________
અનેકાનેક ગ્રંથોમાં આવતા વિશેષણોમાંથી પરમાત્મપણાની સચોટ ઓળખ આપતા કેટલાક વિશેષણ.
૧) Hઘળમુવ - કર્મના આવરણથી મુક્ત થયેલા...
૨) માનત્તાળઞાવાસં - ઇષ્ટની પ્રાપ્તિ-વિઘ્નનો નાશ = : મંગલ, હિતની પ્રાપ્તિ = કલ્યાણ. મંગલ અને કલ્યાણના ઘર સમાન... રૂ) મહાયજ્ઞ - મહાન યશને ધારણ ક૨ના૨.
૪) નયસિરીફ વાયાર્ં - વિજયલક્ષ્મીનું દાન કરનારા...
૬) પસંતસવાયપાનં - બધામાં રહેલ પાપને / બધે ફેલાયેલ પાપને દૂર કરનારા...
૬) અવ્યય - ક્યારેય નાશ નહીં પામનારા...
૭) વિમ્મુ - સર્વવ્યાપી...
૮) સવિત્ત્વ - અતિવિરાટ સ્વરૂપને ધારણ કરતા હોવાથી જેનું ચિંતન કરી શકાય તેમ નથી...
૧) સસંસ્થ્ય - સંખ્યા = ગણિત, ગુણ, શક્તિ, લબ્ધિ આદિ જેના ગણી શકાય તેમ નથી તેવા...
૧૦) આદ્ય - જ્ઞાનપ્રાપ્તિ-તત્ત્વપ્રખ્યાતિના ક્ષેત્રે જેઓ સૌ પ્રથમ છે... ૧૧) ર્કુન્નુર - ઉત્કૃષ્ટ ઐશ્વર્યથી યુક્ત...
૧૨) મનાતુ - કામદેવનો નાશ કરી વિજયધજા લહેરાવનારા... ૧૩) ચોરીનાશ્વ - મોક્ષપ્રાપ્તિની સાધના કરી રહેલા યોગીઓના અધિપતિ... ૧૪) પરમપુમાર્ - સર્વશ્રેષ્ઠ પૌરુષ = સત્ત્વને ધા૨ણ ક૨ના૨... ૧૧) ત્રિમુવનાર્તિહર - ત્રણ લોકની પીડાને દૂર કરનારા... ૧૬) ક્ષિતિતનામનમૂષળ - પૃથ્વીના પવિત્ર શણગાર... ૧૭) મોધિશોષણ - સંસારસાગરને સૂકવી દેનારા... ૧૮) પરમળ્યોતિર્ - કેવળજ્ઞાનમય શ્રેષ્ઠ જ્ઞાનજ્યોતથી દેદિપ્યમાન... ૧૧) પરમવેધમ્ - સર્વવિદ્યાદિના પરમ જ્ઞાતા...
૨૦) પરમયોગી - સર્વોત્કૃષ્ટ યોગી...
૨૧) તમસઃ પસ્તાત્ - અજ્ઞાનરૂપ અંધકાર પાર પામેલ... ૨૨) સવોવિતાવિત્યવર્ગ - સદાય ઉદય પામેલા સૂર્ય જેવી કાંતિવાળા...
૭૨
Page #92
--------------------------------------------------------------------------
________________
૨૩) સમૂનોભૂતિતાનાતિસવત્તાજેશ - અનાદિકાલીન સર્વકલશોનો મૂળ સહિત નાશ કરનાર...
ર૪) મૂર્ભુવઃસ્વયીશાન - પાતાલ (અધો) લોક, મધ્ય (તિર્જી લોકપૃથ્વીલોક) લોક અને સ્વર્ગ (ઊર્ધ્વ) લોકરૂપ ત્રણે લોકના જે માલિક છે...
૨૫) સતપુરુષાર્થયોનિવિદ્યાપ્રવર્તનૈવીર - બધા જ પ્રકારના પુરુપાર્થના ઉત્પત્તિસ્થાન એવી નિર્દોષ વિદ્યાઓને પ્રવર્તાવવામાં અજોડ વીર...
૨૬) મવમવિભૂતાવાવમાલી - વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળના સર્વભાવોને પ્રકાશિત કરનાર..
૨૭) ત્રિપાણનાશી - મૃત્યુના બંધનનો નાશ કરનાર... ૨૮) સર્વ-
ઉત્તમોગુણાતીત -સત્ત્વ-રજો અને તમોગુણથી પાર પામેલા...
૨૨) અનન્તપુ - અનંતગુણના ભંડાર...
રૂ૦) વાક્યનોડોવરરિત્ર :- વાણી અને મનથી અગમ્ય અદ્ભુત ચરિત્રના ધારક...
૩૧) તાત્ત્વિનાવિત - તત્ત્વમય જીવન જીવનારા...
રૂ૨) નિન્યપરબ્રહ્મય - ગ્રંથિઓથી રહિત વિશુદ્ધ આત્મરૂપના રહસ્યને પ્રાપ્ત કરનારા...
રૂ૩) યોદ્રકાનાથ - ઉત્કૃષ્ટ યોગીઓને પણ ભાવપ્રાણ પ્રાપ્ત કરાવનાર તથા રક્ષણ કરનાર....
૩૪) વિજ્ઞાનાનન્દ-પરબ્રોન્ચિ - ભ્ય-સમાધિ - વિશિષ્ટ જ્ઞાન અને આનંદમય વિશુદ્ધ આત્મસ્વરૂપ (સિદ્ધસ્વરૂપ) સાથે એકરૂપ થયેલ આત્મહિતકર સમાધિવાળા...
૩૧) રિદિગ્યામંકિતેવતાSMરિત્રિતસ્વરુપ - વિષ્ણુ, શંકર, બ્રહ્મા આદિ દેવતાઓ દ્વારા પણ જેમનું સ્વરૂપ જાણી શકાતું નથી તેવા ગહન સ્વરૂપને ધારણ કરનાર..
૩૬) પારંપાત - સંસારસાગરને પાર પામેલા. રૂ૭) નિપૂન • આઠ કર્મોને મૂળ સહિત નષ્ટ કરનાર.... ૨૮) શમ્ - સર્વ જીવોને હિતકારી....
- ૭૩
૭૩
૪
Page #93
--------------------------------------------------------------------------
________________
રૂ૫) સ્વયમ્ - પોતાની મેળે સાધનાપંથ અને મોક્ષમાર્ગને ઓળખીજિનેશ્વર થનાર... (૪૦) ચઠ્ઠિાવાલી - સાદ્વાદના સિદ્ધાંતની પ્રરૂપણા કરનાર.. ૪૧) સર્વ - સર્વ જીવોને હિતકારી... ૪૨) સર્વતીર્થોપનિષદ્ - સર્વ તીર્થોના રહસ્યભૂત... ૪૩) સર્વપSાહનોથી - તમામ મિથ્યામતોની પકડમાંથી છોડાવનારા. ૪૪) સર્વચનાત્મા - સર્વ પૂજનોના ફળરૂપ. ૪૬) પરમાપ્ત - શ્રેષ્ઠ | ઉત્કૃષ્ટ હિતકારી આત્મા.. ૪૬) પરમDિ - ઉત્કૃષ્ટ કરુણાવંત.. ૪૭) સુત - સારા જ્ઞાનવાળા અથવા સારી ગતિ પામેલા.. ૪૮) તથાતિ - વિશિષ્ટ જ્ઞાનવાળા... ૪૨) મહદંત - મહાન સંયમી | વિવેકી.. ૧૦) રંજન - સંયમીઓના | વિવેકીઓના સ્વામી... ૧૧) મહાક્ષત્ત - મહાસત્ત્વશાળી.. ૬૨) શિવ - મહામંગલકારી. ૧૩) મદીવો - ઉત્કૃષ્ટતમ બોધ આપનાર. ૬૪) માત્ર • સર્વોત્કૃષ્ટ મૈત્રી ધારણ કરનારા... ૧૬) વિગત - હર્ષ-શોક, સુખ-દુઃખ આદિ દ્વન્દ્રોથી પર... ૧૬) નિતHIRવન - કામદેવના સૈન્યને જીતનાર... ૧૭) સનાતન - શાશ્વત સ્થિતિને પામેલા.. ૧૮) ઉત્તમસ્તી - ઉત્તમ યશને પામેલા... ૧૨) મુ ન્દ્ર- જ્ઞાનાદિ ગુણરત્નોના ભંડાર અથવા મનુષ્યોમાં રત્નસમાન... ૬૦) ગોવિન્દ્ર - છ કાયનું રક્ષણ કરનારા મહાગોપ... ૬૧) વિષ્ણુ - મુક્તિરૂપી લક્ષ્મી માટે વિષ્ણુ સમાન.. દર) નિષ્ણ - સર્વત્ર જય પામનારા...
૩) ૩બુત - પોતાના સ્વરૂપથી ક્યારેય પતિત નહીં થનાર.. ૬૪) શ્રીપતિ - અષ્ટમહાપ્રાતિહાર્યાદિ લક્ષ્મીના સ્વામી...
દ૬) વિશ્વ - કેવલી સમુદ્ધાત સમયે ૧૪ રાજલોકવ્યાપી સ્વરૂપને ધારણ કરનારા...
૭૪ -
Page #94
--------------------------------------------------------------------------
________________
દ૬) હૃષીકેશ - ઇન્દ્રિયોના માલિક
૬૭) ભૂર્ભુવ: સ્વ:સમુત્તારાય પાતાલ, પૃથ્વી અને સ્વર્ગના લોકોને સારી રીતે પાર પમાડનાર...
૬૮) માનંર્નર - અહંકારનો નાશ કરનાર... ૬૧) તંનર - મૃત્યુનો નાશ કરનાર.. ઉ૦) ધ્રુવ - શાશ્વત મોક્ષપદને પ્રાપ્ત કરનાર.. ઉ૧) મનેય - કોઇનાથી પણ જીતી ન શકાય તેવા ૭૨) વિમુ - પોતાના ઉત્કૃષ્ટ ગુણોથી સર્વવ્યાપક... ઉ3) સંધ્યેય - સંખ્યાતીત ગુણોવાળા... ઉ૪) ગારિફંરક્ય - શ્રેષ્ઠીઓમાં પ્રથમ.... ઉ૫) સાવિશ - પરમેષ્ઠીઓમાં અગ્રણી... ઉ૬) માવિશિવ - કલ્યાણકારીઓમાં મુખ્ય
ઉ9) મFIબ્રહ્મ - તપસ્વીઓમાં અથવા સંપૂર્ણપણે તત્ત્વને જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ...
ઉ૮) ચત્તાવ્યાસ્વરૂપ - આકાર અને નિરાકાર રૂપવાળા અથવા સર્વજ્ઞ માટે સ્પષ્ટ રૂપવાળા અને છાસ્થ માટે અસ્પષ્ટ (અજ્ઞાત) રૂપવાળા..
| ૭૨) ૩ નારિષ્યનિધન - આદિ-મધ્ય અને અંતથી રહિત એટલે કે અનંત ગુણવાળા..
૮૦) મુલત્તીશ્વર - મુક્તિના સ્વામી... ૮૧) કુત્તિરૂપ - મોક્ષ એ જ જેમનું સ્વરૂપ છે એવા.. ૮૨) નિરાત • સર્વ ભય અને પીડાથી રહિત... ૮૩) નિઃસ૬ - સર્વ સંયોગો-સગથી મુકાયેલા. ૮૪) નિ:શ - સર્વ શંકાઓથી પર અથવા સર્વને માન્ય... ૮૬) નિતરક - વિકલ્પોથી રહિત | ક્ષોભ-ઉત્સુકતા આદિથી રહિત.. ૮૬) નિરામય - દ્રવ્ય-ભાવ સર્વ રોગોથી રહિત... ૮૭) નિષ્ણન - કલંકથી રહિત. ૮૮) પરવત - દેવતાઓમાં અગ્રેસર | શિરોમણિ. ૮૧) લાશિવ - સદા માટે કલ્યાણમય... ૧૦) મહાવ - સર્વથી મહાન દેવ..
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૧) શĚર - સુખ=ભૌતિક, દિવ્ય અને આત્મિક સુખને ક૨ના૨... ૧૨) મહેશ્વર - મહાન ઐશ્વર્યને ધારણ કરનાર...
૧રૂ) મહાવ્રતી - મહાવ્રતોને ધારણ કરનાર અથવા વ્રતધારીઓમાં મહાન... ૧૪) મહાયોગી - મહાન યોગ (મોક્ષ સાથે અવશ્ય જોડી આપનાર) ને ધરનાર અથવા યોગીઓમાં મહાન...
९५) पञ्चमुख
જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્યરૂપી પાંચ મુખને
ધારણ કરનાર...
-
૧૬) મૃત્યુાય - મૃત્યુ પર વિજય મેળવનાર...
૧૭) અષ્ટમૂર્તિ - અનંતજ્ઞાન, અનંતશક્તિ આદિ આઠ ગુણોવાળા... ૧૮) ભૂતનાથ - જગતના જીવોના પાલન-પોષણ-સંરક્ષણ કરનારા... ९९) जगदानन्दद જગતના જીવોને આનંદ આપનારા... ૧૦૦) નાષિતામF - જગતના દાદા-સૌથી અગ્રણી... ૧૦૧) ખાદેવાધિવેવ - વિશ્વના તમામ દેવોના પણ અગ્રણી દેવ... ૧૦૨) નારીશ્વર - જગતમાં સર્વોત્કૃષ્ટ ઐશ્વર્ય ધારણ કરનાર... ૧૦૩) ખાવાવિન્દ્વ - વિશ્વની તમામ વ્યવસ્થાઓને ઉત્પન્ન ક૨વામાંપ્રથમ અંકુરા સમાન...
=
-
૧૦૪) નાÇાવાન્ · સંસારના સ્વરૂપને અજવાળવામાં સૂર્યસમાન... ૧૦૬) નાત્વર્નસાક્ષી - વિશ્વના સર્વ કાર્યમાં સાક્ષીભૂત... ૧૦૬) ખાધુ - સમગ્ર દુનિયાની આંખ સમા... ૧૦૭) ત્રયીતનુ - જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શરીરવાળા... ૧૦૮) અમૃતર - અમ૨પણુ (મોક્ષ) ને અપાવનારા... ૧૦૬) શીતર - સંક્લેશ અને સંતાપથી બળતા જીવોને સમાધિ અને પ્રસન્નતાની ઠંડક આપનારા...
૧૧૦) જ્યોતિશ્રૃવી - તેજસ્વી પદાર્થોના સમુહમાં સૌથી અગ્રેસર અથવા જ્યોતિષચક્ર સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારા આદિના માલિક / પોતાનો
પ્રભાવ પાથરનાર...
૧૧૧) મહાતમ પારે સુપ્રતિષ્ઠિત - મહામોહના મહાઅંધકારની સામે પાર સુસ્થિર થયેલા...
૧૧૨) સ્વયં ર્તા - પોતના જ પુરુષાર્થથી આત્મકલ્યાણ સાધનાર/ મોક્ષમાર્ગને કરનાર...
૭૬
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૧૩) સ્વયં દર્તા - પોતાના જ પુરુષાર્થથી આત્મશત્રુ = કર્મનો નાશ કરનાર..
૧૧૪) સ્વયંપાન - પોતાની જાતે સ્વ-પરનું પાલન કરનાર...
૧૧૬) માત્નેશ્વર - સ્વયં પોતાના માલિક એટલેકે કર્મની ગુલામીથી મુક્ત થયેલા..
૧૧૬) વિશ્વાત્મા - જગતના જીવોને પોતાના આત્માની જેમ જ જોનારા.. ૧૧૭) સર્વવનય - તમામ દેવોમાં રહેલા દેવપણાથી યુક્ત... ૧૧૮) સર્વધ્યાનમય - બધાજ પ્રકારના ધ્યાનના ઉત્તમ ગુણોથી યુક્ત... ૧૧૨) સર્વજ્ઞાનમય - સર્વ પ્રકારના જ્ઞાન સ્વરૂપ ૧ર૦) સર્વર્તનોમય • બધા જ પ્રકારના તેજ = પ્રભાવથી યુક્ત.. ૧૨૧) સર્વમંત્રમય - બધા જ પ્રકારના મંત્રોના સારમય સ્વરૂપવાળા. ૧૨૨) સર્વરચય - બધા જ રહસ્યોના ભંડાર..
૧૨૩) સર્વમાવામાનવનીતેશ્વર - બધા જ અસ્તિત્વ, અભાવ, જીવ તથા અજીવના સ્વામી.. ૧ર૪) મરચ-
રચ - જેમનાથી કાંઇ છૂપું નથી તેવા યોગીઓ માટે પણ રહસ્યભૂત વ્યક્તિત્વવાળા.
૧૨૬) પૃ-ઋEાય - ઇચ્છારહિત વ્યક્તિઓ દ્વારા પણ ઇચ્છનીય...
૧ર૬) વિજ્ય-પિત્તનીય - જેમને વિચારવાનું કાંઇ બાકી નથી તેવા મહાજ્ઞાનીને પણ ચિંતવવા યોગ્ય.
૧૨૭) ગામ-વામઘેનુ - સ્વયં ઇચ્છાઓથી રહિત હોવા છતાં બીજાની ઇચ્છાપૂર્તિ કરનાર કામધેનુ સમા...
૧૨૮) અલંન્વિત- ટ્ટમ - સંકલ્પ ર્યા વિના જ કલ્પવૃક્ષની જેમ ફળ આપનાર..
૧૨૧) રિન્ય-વિજ્ઞાન - વિચાર્યા પહેલા જ ચિંતામણીની જેમ ઇચ્છિત ફળ આપનાર.
૧૩૦) પુરુષાર્થનાથ - તમામ પુરુષાર્થોની (ધર્મ-અર્થ-કામ-મોક્ષની) સફળતાના એકમાત્ર આધારસ્તંભ....
૧૩૧) પરમાર્થનાથ - પરમાર્થ = મોક્ષના સ્વામી, અથવા પરમાર્થ = વાસ્તવિક્તામાં સ્વામીપણાને યોગ્ય...
૭૭
Page #97
--------------------------------------------------------------------------
________________
અનાથ જીવોના પણ સુખના કારણભૂત...
१३२) अनाथनाथ १३३) जीवनाथ
જીવમાત્રના નાથ...
૧રૂ૪) નિઅન - રાગ-દ્વેષના રંગથી રહિત શુદ્ધ સ્વરુપી... ૧રૂ૬) અનન્તાત્યાળ-નિòતન-હીર્તન - અનંત કલ્યાણના સ્થાન
(ઘર) સમાન મોક્ષને બતાવનારા...
-
૧રૂ૬) મમિાનય - ઉત્કૃષ્ટ માહાત્મ્યને ધારણ ક૨ના૨... ૧રૂ૭) સર્વગત - સંપૂર્ણ વિશ્વમાં ફેલાયેલા પ્રભાવવાળા... ૧૩૮) સર્વસમર્થ - બધા પ્રકારના સામર્થ્યથી યુક્ત... ૧રૂ૧) સર્વપ્ર૬ - બધી જ ઇષ્ટ વસ્તુઓ આપનાર.... ૧૪૦) સર્વતિ - સર્વ જીવોના હિતને ક૨ના૨... ૧૪૧) યોગાચાર્ય - યોગમાર્ગના પ્રવર્તક...
૧૪૨) વાદસ્પતિ - બધી જ પ્રકારની વાણીના અધિપતિ.
૧૪રૂ) માઽત્ય - મંગલ કરનારા અથવા બધા જ મંગલોનું ઉત્પત્તિ
સ્થાન....
૧૪૪) સર્વાત્મનીન - બધા જ પ્રાણીનું હિત કરનારા...
૧૪૬) સર્વાર્થ - બધી જ ઇષ્ટ સિદ્ધિઓના / કાર્યોની સફળતાના કારણ
ભૂત...
૧૪૬) અમૃત - અમ૨૫ણું પામેલા...
૧૪૭) તાયી - રક્ષણ કરનારા...
૧૪૮) વૃક્ષિીય - દાક્ષિણ્યવંત એટલેકે કોઇની પ્રાર્થનાનો ભંગ નહીં
કરનાર...
૧૪૬) નિર્વિનર - વિકારોથી-અયોગ્ય પ્રતિભાવોથી રહિત... ૧૬૦) તત્વવર્શી - ૫૨મસત્યને જોના૨ અથવા બતાવનાર... ૧૬૧) પારવર્શી - તમામ પરિસ્થિતિના પરિણામને જોનાર... ૧૬૨) પમવર્શી - દ્રષ્ટાઓમાં સર્વશ્રેષ્ઠ...
૧૬૩) નિરુપમ-જ્ઞાન-વલ-વીર્ય-તેન-શસ્ત્ય-શ્ચર્યમય - અનુપમ કોટીના જ્ઞાન-બળ-પરાક્રમ-તેજ-શક્તિ અને ઐશ્વર્યથી યુક્ત હોય... ૧૬૪) માખ્યોતિસ્તત્ત્વ - મહાજ્યોતિ સ્વરૂપ... ૧૬૬) મહાર્વિર્ધનેશ્વર - મહાન તેજસ્વી ધનના અધિપતિ...
૭૮
Page #98
--------------------------------------------------------------------------
________________
૧૬૬) મહામોહíારી - અત્યંત ગાઢ મોહનો પણ સંપૂર્ણ નાશ કરનાર...
૧૬) મહાસ - ઉત્કૃષ્ટ પવિત્રતા અને શક્તિને ધારણ કરનાર.. ૧૧૮) મહાજ્ઞા-મહેન્દ્ર - મોટી આજ્ઞા કરવામાં મોટા ઇન્દ્ર સમાન..
૧૧૨) માત્મય - ગુણોના સમુહ માટે મોટા ઘરસમાન અથવા મહાન લય = સમાધિથી યુક્ત.
૧૬૦) નીશાન્ત - અત્યંત વિશિષ્ટ શાંતિને પામેલા... ૧૧) મહાયોગીન્દ્ર - મહાયોગીઓમાં પણ પરમશ્રેષ્ઠ...
૧૬૨) નયન - મન-વચન-કાયારૂપ યોગ(પ્રવૃતિશીલતા)થી રહિત અવસ્થાને પામેલા...
૧૬૩) મામડીયાન - મહાપુરુષોથી પણ મહાન.. ૧૪) મસિદ્ધ -- મહાસિદ્ધિને વરેલા અથવા સિદ્ધપુરુષોમાં પણ સર્વથી મહાન..
૧૬૧) વરાયરમવતે - ચાલી શકનારા (ત્રણ) અને સ્થિર (સ્થાવર) જીવમય વિશ્વના રક્ષક.. ૧૬) વનિ - સર્વોત્કૃષ્ટ જ્ઞાન = કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી લેનારા...
૧૭) મત્તિમાયો - ભક્તિમાર્ગમાં ઉત્કૃષ્ટ રીતે જોડાયેલા અથવા ભક્તિમાર્ગથી મોક્ષે લઇ જનારા...
૧૬૮) વિજ્ઞાનશાસન - જેમનું આજ્ઞા સામ્રાજ્ય વિશાલ છે.. ૧૨) સર્વશ્વસમ્પન - સર્વલબ્ધિઓથી યુક્ત...
૧૭૦) ઉત્પનાતીત - મનની કલ્પના જેનો પાર ન પામી શકે તેવા ગહન વ્યક્તિત્વવાળા...
૧૭૧) નાનાપત્રિત - કળાઓના સમૂહથી મનોહર...
૧૭૨) વિપુકુરુશુધ્યાના નિર્મલીન - અત્યંત દેદિપ્યમાન મહાન શુક્લધ્યાનરૂપી ધ્યાનાગ્નિ દ્વારા કર્મબંધનના બીજને સંપૂર્ણ બાળી નાખનાર..
૧૭૩) પ્રાપ્તીનત્તવતુષ્ટય- અનંત જ્ઞાન, અનંત નિરાકાર જ્ઞાન (દર્શન), વીતરાગતા અને અનંતશક્તિરૂપ ચાર અનંતને પ્રાપ્ત કરનાર..
૧૭૪) મજાવશોષરહિત - અઢાર દોષોથી રહિત..
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૭૫) માનવવાય - મંગલ વરદાન આપનારા... ૧૭૬) સંવૃત્તવિશ્વસમીતિ - સર્વ જીવોના મનવાંછિત પૂરનારા... ૧૭૭) સર્વવિઘ્નહર - બધા જ પ્રકારના વિઘ્નનો નાશ કરનારા... ૧૭૮) સર્વસિદ્ધિપ્રવાય∞ - બધા જ પ્રકારની સિદ્ધિઓને આપનાર... ૧૭૬) શ્રીર - બધા જ પ્રકારની ભૌતિક-આધ્યાત્મિક લક્ષ્મીને / શોભાને
કરનારા...
१८०) श्रीनिवास બધા જ પ્રકારની ભૌતિક-આધ્યાત્મિક લક્ષ્મીનું
નિવાસસ્થાન...
૧૮૧) વિવાનન્તમય - જ્ઞાન અને આનંદમય સ્વરૂપવાળા... ૧૮૨) નિત્યધર્મ - નિત્યતા એ જેનો સ્વભાવ છે અથવા શાશ્વતધર્મને બતાવનારા / પાળનારા...
૧૮૩) સુધાર્ણવ - જ્ઞાનામૃતના / કરુણામૃતના મહાસાગર જેવા...
૧૮૪) ખાદુ - સમગ્ર જગતના અજ્ઞાનાંધકારનો નાશ કરી મોક્ષનો સાચો રાહ દેખાડનાર...
૧૮૬) યોગાત્મા - યોગ = આત્મકલ્યાણક૨ વિચારો, જેમનો સ્વભાવ બની ગયો છે તે...
૧૮૬) વિશ્વવિશ્વેશ - સમગ્ર વિશ્વના અધિપતિ...
૧૮૭) વિશ્વવિશ્વોપરી - સંપૂર્ણ વિશ્વ પર સતત ઉપકાર કરનાર... ૧૮૮) અનાદંતસહાય - નહીં બોલાવ્યા છતાં સહાય કરવામાં તત્પર... ૧૮૬) મારળવત્સલ - વિના કારણે વાત્સલ્યભાવ ધરનારા... ૧૬૦) અનમ્યર્થિતસાધુ - વિનંતિ વિના પણ સજ્જનતા (સહાયકતા)
ધરનારા...
१९१) असम्बन्धबान्धव સંબંધ વિના પણ સ્વજનથી અધિક સ્નેહ
આપનાર...
-
१९२) अनक्तस्निग्धमनः
રાગ વિના સ્નેહાળ મનવાળા... ૧૬૩) અમૃખોખ્ખનવાપથ - માંજ્યા વિના પણ એકદમ નિર્મળ વાણીપથવાળા...
૧૬૪) ગૌતામનશીન - નહીં ધોવા છતાં નિર્મળ સદાચાર ધારણ
કરનાર...
-
८०
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૬૬) સ્વયંત્રમ - પોતાના જ ગુણોથી પ્રકાશિત થનારા... ૧૬૬) નાષ્વિન્તામ।િ - જગતની ચિંતાને ચૂરવા ચિંતામણિરત્ન
સમાન...
१९७) जगद्- रक्षण જગતનું રક્ષણ કરવામાં સમર્થ...
૧૬૮) ખાત્સાર્થવાદ - વિશ્વના જીવોને મોક્ષની અજાણી ભુમિકાએ સહિસલામત લઇ જવા સાર્થવાહ સમાન...
૧૬૬) મતિહતશાસન - જેમની આજ્ઞા વિશ્વમાં કોઇનાથી ખંડિત થઇ શકતી નથી તેવા...
-
૨૦૦) અક્ષર - સ્વરૂપથી કદી નાશ નહીં પામનારા...
૨૦૧) વિશ્વમાં - સમગ્ર વિશ્વને અલ્પહિંસાથી આજીવિકા માટે લોકવ્યવહા૨ની બધી જ પ્રવૃત્તિઓ બતાવનારા...
૨૦૨) અનીશ્વર - જેમના માથે કોઇ સ્વામી નથી, સ્વયં પોતાના અનુ
શાસક...
૨૦રૂ) અનંતનિમ્ - અનંત સંસાર, અનંત કર્મસંબંધ, અનંત મોહ અને અનંત મિથ્યાત્વને જીતી લેનાર...
૨૦૪) સબંધન - કર્મના બંધનથી જેઓ મુક્ત થયા છે...
૨૦૧) પંચબ્રહ્મમય - પંચ પરમેષ્ઠીરૂપ પાંચ બ્રહ્મના ગુણોથી યુક્ત... ૨૦૬) પરંતર - સર્વથી શ્રેષ્ઠ-સર્વોત્કૃષ્ટ...
૨૦૭) સૂક્ષ્મ - ઇન્દ્રિયો દ્વારા જાણી ન શકાય તેવા અતિસૂક્ષ્મ (ગહન) સ્વરૂપવાળા...
२०८) प्रजापति સમગ્ર જનસમૂહનું રક્ષણ કરવા દ્વારા સ્વામી... ૨૦૧) અક્ષોભ્ય - કોઇ પણ રીતે, કોઇ પણ તત્ત્વથી ક્ષોભ નહીં પામ
નાર...
·
ર૧૦) દસ્ય - પોતાના સ્વભાવમાંથી જરાય ચલિત નહીં થના૨, વિકૃતિ નહીં આવવા દેનાર.
૨૧૧) વિયાર્મ - જેમના ગર્ભ (અંતરંગ આત્મા)માં અનંત ચતુચ્ રૂપી લક્ષ્મી પ્રકાશી રહી છે...
૨૧૨) શુચિશ્રવા - જેમની વાણી તથા જેમનું ચરિત્ર શ્રવણને પવિત્ર કરે
છે...
૮૧
Page #101
--------------------------------------------------------------------------
________________
=
ર૧૩) બ્રહ્મયોનિ - બ્રહ્મ = જ્ઞાન, જ્ઞાનના તમામ ભેદોનું ઉત્પત્તિ સ્થાન... २१४) दयाध्वज દયા છે ધ્વજ જેમનો... એટલે કે વિશ્વમાં દયાનો સર્વોત્કૃષ્ટ ઉપદેશ દેવાના કારણે જે દયાથી જ ઓળખાય છે...
૨૧૬) સહિષ્ણુ - ક્ષમાગુણના ભંડાર હોવાથી બધું જ સહન કરનાર... ૨૧૬) અદ્યુત - જ્ઞાનાદિગુણોથી કદી નહીં ચ્યવનારા/રહિત થનારા... ૨૧૭) વિવ્યમાષાપત્તિ - દિવ્યભાષાના સ્વામી...
૨૧૮) Íશાન - અનંત સામર્થ્યથી યુક્ત...
૨૧૬) સ્નાત∞ - ઘાતીકર્મના નાશથી પવિત્રાત્મા... સ્નાનથી શરીર શુદ્ધ થાય તેમ વીતરાગતાથી શુદ્ધાત્મસ્વરૂપી...
૨૨૦) શ્રેષ્ઠ - સર્વને અતિશય પ્રિય...
૨૨૧) સ્પેઇ - સ્વસ્વભાવમાં / સમતામાં અત્યંત સ્થિર...
૨૨૨) વીતમત્સર - ઇર્ષ્યા-અદેખાઇથી સંપૂર્ણપણે મુક્ત... ૨૨રૂ) તનૃત્ય - બધા જ કાર્યો સંપન્ન થઇ ગયા હોવાથી-સંપૂર્ણપણે
નિશ્ચિત...
૨૨૪) પ્રસન્નાત્મા - કષાયરહિત હોવાના કારણે સદા પ્રસન્ન રહેનારા... રર૬) અશો∞ - સ્વયં શોકરહિત અને બીજાને પણ શોકમુક્ત કર
નારા...
-
૨૨૬) મુળાવર - ગુણોની ખાણ સમા...
૨૨૭) નિર્ગુન - અજ્ઞાન-મોહજન્ય ગુણોથી રહિત...
२२८) अगण्य ગણના ન કરી શકાય તેટલા અમાપ ગુણોના ધા૨ક... ૨૨૬) નિર્મલ - તમામ પ્રકારના મદથી રહિત...
રરૂ૦) નિાસ્રવ - કર્મને સંપૂર્ણપણે આત્મામાં આવતા અટકાવનાર... રરૂ૧) સુસંવૃત્ત - સારી રીતે અને સંપૂર્ણપણે આત્માને સુરક્ષિત રાખ
નાર...
-
૨૩૨) સુનયતત્ત્વવિદ્ - સારી રીતે અલગ અલગ વિચારધારારૂપ નયોના યથાર્થ સ્વરુપને જાણકાર...
રરૂરૂ) તિ - તમામ પુરુષાર્થ વડે પણ પ્રાપ્ત કરવા યોગ્ય... રરૂ૪) વરવોધિ - ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન-ચારિત્રને ધારણ કરના૨ / સમ્યગ્દર્શનને ધારણ કરનાર...
૮૨
Page #102
--------------------------------------------------------------------------
________________
૨૩૫) યુITધાર - સમગ્ર યુગના | કાળના આધાર... ૨૩૬) અવતાર - જગતના જીવોને સંસારથી તારનારા.. ૨રૂ9) મનન્તર્લિ - અનન્ત, અમાપ, અચિંત્ય ઋદ્ધિવાળા. ૨૩૮) માતા - અત્યંત વિરાટ, મહાન, ઉગ્ર તપશ્ચર્યા કરનાર.. ૨૩૨) મહાતેના - દિવ્ય અને નવ્ય મહાન તેજના ધારક..
૨૪૦) મહોર - જેમને મહાન ફળ પ્રાપ્ત થયું છે અથવા જેઓ સાધકને મહાન ફળ આપનારા છે...
૨૪૧) મણીયા - ચારેબાજુ ફેલાયેલા મહાન યશવાળા. ૨૪ર) મહાસન - અપાર સત્ત્વશાળી-શક્તિશાળી ર૪રૂ) માર્ચ - મહાન ધરતા - (ધીરજ-સહશીલતા)થી યુક્ત.. ર૪૪) માનીતિ - અતિશય ન્યાય-નીતિવંત... ર૪૫) મહાક્ષાંતિ - વિશ્વમાં અનન્ય ક્ષમાના ધારક.. ૨૪૬) મહાય - અનંત-અતિશયવંત દયાથી યુક્ત...
ર૪૭) મહાવાની - અત્યંત વૈરાગ્ય-ઉદારતાના યોગે દ્રવ્ય-ભાવ બન્ને પ્રકારના ઉત્કૃષ્ટ દાનના આપનાર..
ર૪૮) મરાયો - મોક્ષ સાથે જોડી આપનાર વિશિષ્ટ સાધનામાર્ગથી યુક્ત. મન-વચન-કાયાનું ઉત્કૃષ્ટ ફળ પામી તેનાથી અલિપ્ત રહેનાર.
૨૪૬) મહાપ્રભુ - ત્રણે લોક અને સકલ વિશ્વના તમામ રાજા-મહારાજા ઇન્દ્રો-અસુરેન્દ્ર-ગણધરોના સ્વામી.
ર૧૦) મહામત્ર - જેમના નામમાત્રમાં મહાનમાં મહાન મંત્રો સમાયેલા છે...
ર૧) મહાધ્યાની - અન્યો માટે અગમ્ય એવા શુક્લધ્યાન જેવા મહાન ધ્યાનને કરનારા તથા બતાવનારા..
૨૬૨) મહાશીત - અઢાર હજાર શીલાંગના અખંડ ધારક તથા ઉપદેશક ૨૬૩) મહાનાર - આસપાસ વિશિષ્ટ દિવ્યધ્વનિના ધારક..
૨૬૪) મહાપોષ - એક યોજન સુધી પ્રસરતી મહાધીર-ગંભીર વાણીના ધારક..
૨૬૬) મહામુનિ - જગતના સત્યતત્ત્વને માનવામાં અનન્ય મહાસાધક, મહાન મૌનને ધારણ કરનાર..
- ૮૩ ૪
••••
Page #103
--------------------------------------------------------------------------
________________
૨૬૬) મહાદેવ - દેવોના પણ દેવ એટલે કે દિવ્યતાનું સર્વોચ્ચ સ્થાન..
૨૫૭) પ્રHIT - કેવલજ્ઞાનમય હોવાથી કોઇ પણ તત્ત્વનિર્ણયમાં પ્રમાણભૂત...
ર૧૮) પ્રણવ - કાર-અનાહતનાદ અને મહામંત્રધ્વનિરૂપ.. ર૬૨) નિતવનેશ - બધા જ કલેશોને જીતનાર. ૨૬૦) નિરુત્સુ - જાણવાનું બધું જાણેલુ હોવાથી ઉત્સુકતા રહિત...
૨૬૧) ચતુરવ - સમવસરણમાં ચાર મુખે દેશના આપતા હોવાથી ચાર મોઢાવાળા...
૨૬૨) સત્યાગી - ધર્મલાભરૂપ જેમના આશિર્વાદ જ સાચા આત્મકલ્યાણકર આશિર્વાદ છે....
૨૬૩) સત્ય - પરમ સત્યસ્વરૂપ... ૨૬૪) સામો - સદા આનંદના ભોક્તા..
૨૬૧) સાતૃપ્ત - શુદ્ધ આત્મસ્વરૂપની અત્યંત નિકટ હોવાથી સદા તૃપ્તિને પામેલા..
૨૬૬) વાક્ય - સદા સુખરૂપ... ૨૬૭) સવાતિ - સદાકાળ, સર્વત્ર, સર્વભાવે જ્ઞાનથી વિચારનાર...
૨૬૮) સુહૃત - ત્રણે લોકના જીવો નિઃશંકપણે જેમની પાસે આવી શકે તેવા સહૃદયી મિત્ર.
૨૬૨) રપતિ - સર્વ પ્રકારની વાણીના સ્વામી..
૨૭૦) સુદર્શન - દર્શનથી આનંદ આપનાર, અથવા ઉત્તમ સમ્યગ્દર્શન ધારણ કરનાર...
૨૭૧) મીરશાસન - જેમનું શાસન-આજ્ઞા અતિગંભીર રહસ્યોવાળી છે...
ર૭૨) ઘર્મનિ - ધર્મરૂપી રથની ચક્રધારા જેવા..
ર૭૩) મનોદશાસન - કર્મથી | મોહથી રક્ષણ કરવામાં જેમનું શાસન નિષ્ફળ નહીં જનારું છે.
૨૭૪) સ્વાથ્યમા - દ્રવ્યથી અને ભાવથી ઉત્કૃષ્ટ આરોગ્યયુક્ત... ર૭૬) અધ્યાત્મમાર્ચ - અધ્યાત્મના પરિશીલન દ્વારા જ જાણી શકાય
તેવા.
* ૮૪
Page #104
--------------------------------------------------------------------------
________________
ર૭૬) ત્રિનેત્ “ મનોય - ત્રણે લોકના મંગળને પ્રગટ કરનારા...
૨૭૭) નાતીત - બાહ્યકળાથી પાર થયેલા નું શરીરરહિત... ૨૭૮) પુષ્ટિક - ગુણોની | પુણ્યની પુષ્ટિ કરનારા... ૨૭૨) શાન્તિવૃત્ - શાંતિના કરનારા.. ૨૮૦) અનન્તન - અનંત પરાક્રમ અને પ્રતાપથી યુક્ત ૨૮૧) શીતસાર - શીલ = ઉત્તમ આચાર તથા ગુણોના સાગર. ૨૮૨) વિMવિનાય5 - વિજ્ઞ = અંતરાયનો નાશ કરનાર... ૨૮૩) બારુ - સદાકાળ જાગૃતિમાં રહેનાર.. ૨૮૪) ઘર્મરાન - ધર્મવિષયમાં રાજા સમાન..
૨૮૬) પ્રનાહિત - વિશ્વના રહેવાસીઓના હિત અને કલ્યાણના કરનારા...
૨૮૬) પ્રજ્ઞાપારમિત - બુદ્ધિની પરાકાષ્ઠાને પામેલા.
૨૮૭) નોવેવ - વિશ્વને સાચા માર્ગ પર દોરવાના કારણે વિશ્વના ચક્ષુ જેવા.
૨૮૮) અસ્વપ્ન - સતત જાગૃત હોવાના કારણે ક્યારેય સ્વપ્ન ન આવે અસુ = પ્રાણીના પ્રાણ, અપૂ = પાલક.. અભયદાન દ્વારા જગતના જીવોના પાલક
૨૮૨) ૩ નંવિન - આંતરિક અને બાહ્ય બન્ને રીતે અનંત પરાક્રમના સ્વામી..
૨૨૦) માત્રામ-ઉત્કૃષ્ટ આત્મગુણોની પ્રાપ્તિરૂપ મહાલાભને કરાવનારા... ૨૬૧) મદારવર - વિદ્વાનોમાં શિરોમણિ પૂજ્ય પુરુષ... ૨૨૨) શ્રુતિપતિ - તમામ શાસ્ત્રોના સ્વામી... ૨૨૩) જિરીશ - વાણીના અધિપતિ... ર૬૪) ત્રિમાશ - ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રિભંગીના માલિક...
૨૨૬) ત્રાજ્યમંત્ર - ત્રણે લોકના પાપનો નાશ કરનાર તથા સુખને લાવી આપનાર....
૨૨૬) ત્રિનાન્નિમ - ત્રણે લોકને અતિપ્રિય.. ૨૨૭) પરમસંવર - ઉત્કૃષ્ટ સંવરને આત્મસાત્ કરનાર...
Page #105
--------------------------------------------------------------------------
________________
૨૧૮) નિઃપતાનન્તપર્યાય - બધા જ દ્રવ્યોના અનન્ત પર્યાયોને કેવળજ્ઞાન દ્વારા આત્મસાત્ કરનાર...
૨૬૨) સિદ્ધિસ્વયંવર - આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ સિદ્ધિને સ્વયં આત્મબળથી વરનાર..
રૂ૦૦) વિડિતાવિવરપુર - વિશ્વની તમામ વસ્તુઓના સારને જાણનાર..
રૂ૦૧) યથાસ્થિત વસ્તુવારી - જે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જ બતાવનાર...
રૂ૦૨) પત્તશરષ્ય - એકાંતે શરણ કરવા યોગ્ય...
રૂ૦૩) મનુત્તરપુરમાર - સર્વોત્કૃષ્ટ (જનાથી ચડિયાતું કોઇ નહીં તેવા) પુણ્યના સમુહથી યુક્ત..
રૂ૦૪) શાન્તિવિઘાયી - શાન્તિ કરનાર.. રૂ૦૬) ટુરિઝનવત્સસ - દુઃખી જીવો પર વાત્સલ્ય ધરનાર.. રૂ૦૬) ભુવનપાવન - સંપૂર્ણ વિશ્વને પવિત્ર કરનાર...
૩૦૭) નિc -મોહજન્ય દોષોના કાંટાઓથી રહિત, શરણે આવેલાના સાધનાપથના વિઘ્નો દૂર કરનાર
રૂ૦૮) વિધ્વસ્તવશ્વવ્યસનપ્રવન - જગતની તમામ પીડાઓની જાળનો નાશ કરનારા...
રૂ૦૧) ચાલાલામૃતનિચન્દી - સ્યાદ્વાદના તત્ત્વરૂપી અમૃતને વહાવનાર...
રૂ૧૦) નિઃશ્રેયસીરમ આત્મકલ્યાણ / મુક્તિરૂપી લક્ષ્મીને ભોગવનારા.
૩૧૧) સતિશયપ્રધાન - બધા જ અતિશયોથી એકદમ ચડિયાતા..
તારક દેવાધિદેવોની ૧,૦૦૦ થી પણ વધારે વિશેષણોથી સ્તુતિ થઇ છે. અહીં તેમાંના કેટલાક વિશેષણ એટલા માટે બતાવ્યા છે, જેથી તેમનું સ્વરૂપ આપણી સામે સ્પષ્ટ થાય.
અનંત ગુણોના ભંડાર, અનંત જ્ઞાન-દર્શન-વીર્ય-આનંદના સ્વામિ. અનંતાનંત ઐશ્વર્યશાલી તીર્થંકર ભગવંતો આપણા સહુનું કલ્યાણ કરો....
Page #106
--------------------------------------------------------------------------
________________ नाणं पयासगं શ્રી ભુવનભાનું પદાર્થ પરિચય શ્રેણિ ysteis જૈનમ્ પરિવાર SHUBHAY