Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 24
________________ પુદ્ગલોને સઘળાય કરણને અયોગ્ય બનાવે એટલે તે પુદ્ગલોમાં કોઇ કરણ લાગુ પડે જ નહિ. જેવા બાંધ્યા હોય તેવા અવશ્ય ભોગવવા જ પડે એવા બનાવે છે જે નિકાચીત બનાવેલા કહેવાય છે. આ નિકાચિત રૂપ જે પુદ્ગલો થાય છે તે શરૂઆતના પુદ્ગલો પણ એવા બની શકે થોડા કાળ પછીના પણ બની શકે. મધ્ય સ્થિતિવાળા પણ બની શકે અથવા છેલ્લી સ્થિતિવાળા પણ નિકાચિત બની શકે છે. પણ જેટલી સ્થિતિ બાંધેલી હોય તે બધી જ સ્થિતિ અને બધોય રસ કોઇ કાળે નિકાચિત થતો નથી. જો બધી બંધાતી સ્થિતિ નિકાચિત થતી હોય તો કોઇ કાળે કોઇ જીવનો મોક્ષ થઇ શકે નહિ. જ્યારે જીવો તો કર્મનો ક્ષય કરતાં કરતાં મોક્ષે જાય છે. આથી બંધાતી સઘળી સ્થિતિ નિકાચિત થતી નથી. જેમ તીર્થંકરના આત્માઓ ત્રીજા ભવે ઉત્કૃષ્ટ કોટીની આરાધના કરતાં કરતાં જિનનામ કર્મ નિકાચિત બાંધે છે તો તે બંધાતી સઘળી સ્થિતિ નિકાચિત કરે ? જ્ઞાની ભગવંતો ના કહે છે કારણ કે જે વખતે તે જીવો જિનનામ બાંધે છે તે અંતઃ કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ બાંધે છે. જો એ બધી સ્થિતિ નિકાચીત કરે તો ત્રીજા ભવે મુક્તિમાં જઇ શકે નહિ. કારણ કે પોતાનું ભોગવાતું આયુષ્ય વધારેમાં વધારે પૂર્વ ક્રોડ વરસનું હોય છે. અહીંથી કાળ કરી બીજો ભવ વધારેમાં વધારે તેત્રીશ સાગરોપમ જેટલા આયુષ્યવાળો હોય છે અને છેલ્લો ત્રીજો ભવ વધારેમાં વધારે ચોરાશી લાખ પૂર્વ વર્ષના આયુષ્યવાળો હોય છે તો આટલા કાળમાં અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ કાળ પૂર્ણ થઇ શકતો નથી માટે અધિક ભવો કરવા પડે. આથી નક્કી થાય છે કે બધી સ્થિતિ નિકાચીત કરતાં નથી. તો કેટલી સ્થિતિ નિકાચીત કરે ? જ્ઞાનીઓ કહે છે કે પોતાના છેલ્લા ભવમાં કેવલજ્ઞાન પામ્યા પછી જિનનામ કર્મનો ઉદય થાય તે ઉદય પોતાના આયુષ્ય જેટલા કાળ સુધી જે ભોગવાય તેટલી સ્થિતિ નિકાચિત રૂપે બાંધે છે. એટલે કે આ ન્યૂન । એક લાખ પૂર્વ વરસ સુધીની નિકાચીત બાંધેલી હતી અને છેલ્લા તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર અવસરપીણી કાળમાં પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને ત્રીજા ભવે જિનનામની સ્થિતિ એક હજાર વર્ષ સ્વામી ભગવાને ત્રીજા ભવે ત્રીશ વરસની જિનનામની સ્થિતિ નિકાચીત બાંધેલી હતી એથી અધિક સ્થિતિ એ જીવો જે બાંધે છે તે બધી જ અનિકાચીત સ્થિતિ રૂપે બાંધે છે. આથી આ જિનનામ કર્મનો બંધ જે જીવો કરે તેના અંતર્મુહૂર્ત પછી તેનો પ્રદેશોદય એટલે બીજી પ્રકૃતિ રૂપે તે જિનનામ કર્મના દલિકો સંક્રમ પામી ભોગવાતા જાય છે એટલે તે પ્રદેશોદય ચાલુ થઇ જ જાય છે. યવન-જન્મ-દીક્ષા આદિ કલ્યાણકો વખતે ઇન્દ્ર મહારાજાનું સિંહાસન ચલાયમાન થાય છે તે જિનનામનાં પ્રદેશોદયથી થાય છે. આ પ્રદેશોદયના પ્રતાપે ચ્યવન પામે ત્યારથી ત્રણે લોકને પૂજ્ય બને છે. તેઓનું વચન ગ્રાહ્ય બને છે. સુભગ નામકર્મ આદિ ઉત્કૃષ્ટ રસવાળું ઉદયમાં આવે છે. આ રીતે બાકીની પ્રકૃતિઓમાં એટલે કર્મમાં નિકાચીતપણું આ રીતે તીર્થંકર નામકર્મની જેમ થોડું સ્થિતિનું થાય એમ સમજવું. કોઇ પણ કાળે કોઇપણ જીવ બંધાતી બધી સ્થિતિને નિકાચીત કરી શકતો નથી એમ સમજવું. જે નિકાચીત થયેલ હોય તે અવશ્ય એવા રસે જ ભોગવવું પડે છે અને જે અનિકાચીત બાંધેલ હોય તે બાંધેલા એવા રસે પણ ભોગવી શકે અને બીજી પ્રતિપક્ષી પ્રકૃતિ રૂપે તે રસ બનાવીને પણ ભોગવી શકે છે એમ સમજવું. અનિકાચીત કર્મો મોટે ભાગે પ્રતિપક્ષી બીજી પ્રકૃતિઓ રૂપે વિશેષ રીતે ભોગવાય છે. જેમ અત્યારે મનુષ્યગતિનો ઉદય ચાલે છે. સત્તામાં નરકગતિ કે દેવગતિ કે તિર્યંચના દલિકો આત્મ પ્રદેશો ઉપર રહેલા છે તેઓની સ્થિતિ પૂર્ણ થયેલ છે તેઓને ઉદયમાં આવવું છે તો તે મનુષ્યગતિ સિવાયની બાકીની ગતિના દલિકો મનુષ્યગતિ રૂપે બનાવી બનાવીને મનુષ્યગતિના ઉદય કાળ રૂપે થઇને Page 24 of 126

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126