Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 73
________________ (૧૩) અનાચરણતા – વંચના માટે આચરણ કરવું. એટલે બીજાને ઠગવા માટે અનેક પ્રકારના અનાચારના આચરણો કરવા તે. (૧૪) ગૂહનતા - સ્વરૂપ છુપાવવું તે પોતાનું સાચું સ્વરૂપ છૂપાવી ખોટા સ્વરૂપો બતાવવા તે ગૃહનતા કહેવાય. (૧૫) વંચનતા - છેતરપિંડી. વાત વાતમાં બીજાને છેતર્યા કરવું તે. (૧૬) પ્રતિ કંચનતા - છલ. એવી માયા રમે કે સામા માણસને મજેથી છેતરી શકાય તે છલ. (૧૭) સાતિ યોગ - ઉત્તમની સાથે હલકાની મિલાવટ. પોતાના વિશ્વાસના કારણે ઉત્તમ માણસની સાથે નીચ માણસની સોબત કરાવી આપવી અથવા નીચની સાથે ઉત્તમની સોબત કરી આપવી તે સાતિ યોગ કહેવાય. જેમ કે કજોડું બનાવવું તે. આ રીતે માયા અનેક પરિણામોથી જીવો આચરે છે. સ્થલ દ્રષ્ટિથી આ સત્તર ભેદો કહ્યા છે. બાકી પરિણામની ધારાથી માયાનાં અસંખ્ય ભેદો પ્રાપ્ત થઇ શકે છે. આ માયાના પરિણામને આધીન થઇને જીવો પોતાનો દુઃખમય સંસાર સંખ્યાત-અસંખ્યાત કે અનંત કાળ સુધીનો વધારી શકે છે. લોભ કષાયના ૧૪ ભેદો કહેલા છે. (૧) લોભ - તૃષ્ણા. જેમ જેમ જીવોને અનુકૂળ પદાર્થોનો સંયોગ થતો જાય તેમ તેમ અધિક અધિક અનુકૂળ પદાર્થો મેળવવા માટેનો જે લોભ પેદા થાય તે તૃષ્ણા. આ તૃષ્ણાના પરિણામે જીવના અંતરમાં સંતોષા પેદા થતો નથી. અસંતોષની આગ ચાલુ જ રહે છે. (૨) ઇચ્છા - અભિલાષા. અનાદિ કાળથી અનાદિ કર્મના સંયોગવાળા અનંતા જીવો રહેલા છે. એ અનાદિ કર્મના સંયોગના કારણે રાગ-દ્વેષ આદિ પરિણામ પણ અનાદિ કાળથી છે. તેના કારણે જીવોને આહારાદિ સંજ્ઞાનો અભિલાષા ચાલુ જ રહે છે. માત્ર વચમાં એક ભવમાંથી બીજા ભવમાં જતાં આહારના પગલો જીવને ન મલે તેટલા કાળ સુધી એ આહારનાં અભિલાષવાળો હોવા છતાંય અનાહારી કહેવાય છે. એ જે આહારાદિ પુદ્ગલોનો અભિલાષ તે ઇચ્છા કહવાય છે તેને લોભ ગણાય છે. આ પણ લોભનો પ્રકાર છે. (૩) મૂરછેં – મોહ. જેમ જેમ જીવોને ઇચ્છા મુજબ આહાર આદિના પુદ્ગલો મળતાં જાય છે તેમ તેમ તેનો લોભ વધે છે અને તે લોભના કારણે મૂચ્છ પેદા થાય છે એટલે તે પૂજુગલો પ્રત્યે મોહ પેદા થાય છે. (૪) કાંક્ષા - અપ્રાપ્ત પદાર્થોની ઇરછા. ઇરછાના અભિલાષથી પદાર્થોની પ્રાપ્તિ થતી જાય તેમ તેમ નહિ પ્રાપ્ત થયેલ પદાર્થોની ઇચ્છાઓ. જીવોને પેદા થયા કરે તે કાંક્ષા. જગતમાં રહેલા પદાર્થોનું સ્વરૂપ જ્ઞાની ભગવંતોએ એ જ જણાવેલ છે કે જે પદાર્થો પ્રાપ્ત થયા કરે તેનાથી અપ્રાપ્ત પદાર્થોની ઇચ્છાઓ પેદા થયા કરે છે. માટે જ તે પદાર્થો સુખકારક ગણાતા નથી પણ પરિણામે દુ:ખરૂપ કહ્યા છે. (૫) ગૃદ્ધિ - પ્રાપ્ત થયેલ પદાર્થોમાં આસક્તિ પેદા થયા કરવી. જેમ જેમ અનુકૂળ પદાર્થો પેદા થતા જાય છે તેમ તેમ જીવને તે પ્રાપ્ત થયેલ પદાર્થોમાં આસક્તિ થયા કરે છે તે પણ એક લોભનો પ્રકાર છે. તે ગૃદ્ધિ કહેવાય છે. (૬) તૃષ્ણા – પ્રાપ્ત પદાર્થોનો વ્યય ન થાય એવી ઇચ્છા. જે અનુકૂળ પદાર્થો પ્રાપ્ત થયેલ હોય તે વાપરતા ખલાસ ન થઇ જાય. ખર્ચાઇ ન જાય તેવી ભાવના રાખીને લાંબા કાળ સુધી ચાલ્યા કરે તેવી. Page 73 of 126

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126