Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 74
________________ વિચારણા કર્યા કરવી તે તૃષ્ણા કહેવાય છે. (૭) બિદ્યા – વિષયોનું ધ્યાન કરવું. પાંચ ઇન્દ્રિયનાં જે જે અનુકૂળ પદાર્થો હોય તેની વિચારણાઓ કરીને તેમાં સ્થિર થવું તે ભિધ્યા. (૮) અભિદ્યા – ચિત્તની ચલાયમાન સ્થિતિ. પાંચ ઇન્દ્રિયનાં અનુકૂળ પદાર્થોમાં જીવની જે ચંચળતા એટલે મળેલા પદાર્થો ટકશે કે નહિ નવા મળશે કે નહિ તેને વધારવા પ્રયત્ન કરતાં મારી પાસે વધશે કે નહિ ઇત્યાદિ જે વિચારણાઓ તે ચિત્તની ચલાયમાન સ્થિતિ કહેવાય છે. (૯) કામાશ - ઇષ્ટ શબ્દાદિની આશા. પાંચ ઇન્દ્રિયનાં અનુકૂળ પદાર્થો જે કહ્યા છે તે મેળવવાની આશાઓમાં રહ્યા કરવું તે કામાશા. (૧૦) ભોગાશા - ઇષ્ટ ગંધાદિની આશા. મળેલા પદાથો ભોગવાશે કે નહિ ભવિષ્યમાં કામ લાગશે એવી જે આશાઓ તે. (૧૧) જીવિતાશા - જીવવાની આશા. હજી વધારે જીવાય તો સારું. હમણાં મારૂં મરણ ન આવે તો હવે શાંતિથી જીવાય તેવી આશા. તે જીવિતાશા કહેવાય છે. (૧૨) મરણાશા - મરણની ઇરછા. અનેક પ્રકારના રોગો પેદા થયેલા હોય, પીડાથી રીબામણ વધતી જતી હોય તો તે પીડાથી છુટકારો મેળવવા માટે મરણની આશા રાખીને મરણને ઇરછયા કરવું તે મરણ આશા કહેવાય છે. (૧૩) નન્દી - સમૃદ્ધિમાં આનંદ. પોતાના પુણ્યોથી મળેલી સામગ્રી અને સમૃદ્ધિમાં આનંદ માની માનીને જીવવું તે નન્દી રૂપે લોભનો પ્રકાર કહેલો છે. (૧૪) રાગ - સ્નેહ. તે સમૃદ્ધિના પદાર્થોને વારંવાર જોતાં તેમાં આસક્તિ મૂચ્છ વગેરે પેદા થતાં થતાં તે પદાર્થોમાં રાગ કર્યા કરવો તે રાગ. આ રીતે લોભના ૧૪ ભેદો કહ્યા છે. આ રીતે જ્ઞાની ભગવંતો કહે છે કે જગતમાં રહેલા જીવો ક્રોધાદિ કષાયને આધીન થઇને આ બાવન પ્રકારના જુદા જુદા ભેદમાં ગુંથાયેલા દુ:ખ પામતાં પામતાં પોતાનો સંસાર સંખ્યાત કાળનો-અસંખ્યાત કાળનો કે અનંત કાળનો વધારતાં જાય છે. જે જીવોને પોતાનો દુઃખમય સંસાર વધારવો ન હોય તો આ કષાયના સ્વરૂપને ઓળખીને તેનાથી સાવધ રહેવાનો અભ્યાસ કરી અથવા તે જ કષાયનો સહાય રાગાદિ પરિણામ નાશ કરવાના ઉપયોગમાં લઇને તે કષાયના ઉદયને પ્રશસ્ત બનાવીને તે કષાયોનો નાશ કરતો જાય તેમ તેમ પોતાનું શુધ્ધ સ્વરૂપ પેદા થતું જાય અને એમ કરતાં એકવાર સંપૂર્ણ કષાયનો નાશ થતાં જ જીવ પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકે છે. અને જીવો સિધ્ધિ ગતિને પ્રાપ્ત કરે છે. ઠાણાંગ સૂત્રમાં આઠ મદ કહેલા છે. (૧) જાતિ મદ, (૨) કુલ મદ, (૩) બલ મદ, (૪) રૂપ મદ, (૫) તપો મદ, (૬) ચૂત મદ, (૭) લાભ મદ, (૮) ઐશ્વર્ય મદ. મદ એટલે જેનાથી અહંકાર પેદા કરી બીજાની અવજ્ઞા કરવી તે. Page 74 of 126

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126