Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 102
________________ તીર્થંકર થવાવાળા વર્તમાનમાં નરકગતિમાં અસંખ્યાતા આત્માઓ વિધમાન છે. જિનનામ નિકાચીત કરીને ગયેલા ત્યાં અસંખ્યાતા અત્યારે પણ છે. નરકગતિ પહેલા ગુણસ્થાનક સુધી જ બંધાય છે અને ચાર ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. તિર્યંચગતિ - જીવને તિર્યંચપણા રૂપે ગતિ પેદા કરાવે તે તિર્યંચગતિ નામકર્મ કહેવાય. તિર્યંચો હંમેશા તેઢાં ચાલે, તીરછું જોઇને ચાલે તેઓ સીધા ચાલે જ નહિ માટે તેમની ગતિ પણ વાંકી જ હોય છે. તેવી ગતિમાં જીવને લઇ જાય તે તિર્યંચગતિ નામકર્મ કહેવાય. તિર્યંચોની સંખ્યા અસંખ્યાતી હોય છે. આર્તધ્યાનથી આ ગતિ બંધાય છે. પહેલે બીજે બંધાય અને પાંચમા સુધી ઉદયમાં હોય છે. જીવનમાં દેશવિરતિનું પાલન કરીને જીવનારા અસંખ્યાતા તિર્યંચો અત્યારે પણ વિદ્યમાન છે. જાતિ સ્મરણ જ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણી પાપનો પશ્ચાતપ કરીને પોતાની શક્તિ મુજબ વ્રત નિયમનું પાલન કરી રહ્યા છે. અકર્મ ભૂમિના ક્ષેત્રોમાં અને અંતરદ્વીપના ક્ષેત્રોમાં જન્મેલા તિર્યંચોને પાંચમા ગુણસ્થાનકનો પરિણામ આવે નહિ. તિર્ધ્યાલોકમાં અસંખ્યાતા તિર્યંચો છે. પુણ્યથી મલતી સામગ્રીમાં જીવન જીવવાની શૈલી બદલવી પડે તોજ આ ગતિના બંધથી બચી ઇન્દ્રિયનું સ્વરૂપ શકાય. સામાન્ય રીતે ઇન્દ્રિયના ૫ ભેદ છે. (૧) સ્પર્શેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ધ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરીન્દ્રિય, (૫) શ્રોત્રેન્દ્રિય. ઇન્દ્રિયના મુખ્ય ભેદ-૨ : (૧) દ્રવ્યેન્દ્રિય, (૨) ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે. (૧) નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, (૨) ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. નિવૃત્તિ = આકાર. તેના બે ભેદ છે. (૧) બાહ્ય નિવૃત્તિ, (૨) અત્યંતર નિવૃત્તિ. ઉપકરણ ઇન્દ્રિયના બે ભેદ (૧) બાહ્ય ઉપકરણ, (૨) અત્યંતર ઉપકરણ. ભાવેન્દ્રિય બે પ્રકારની છે. (૧) લબ્ધિ ભાવેન્દ્રિય - આત્માનો ક્ષયોપશમ ભાવ તે. (૨) ઉપયોગ ભાવેન્દ્રિય - વ્યાપાર (ક્ષયોપશમ ભાવનો). બાહ્ય નિવૃત્તિ ભિન્ન ભિન્ન જાતિના જીવોને ભિન્ન ભિન્ન આકારવાલી હોય છે અને અત્યંતર નિવૃત્તિ દરેક જીવોને એક જ આકારવાલી હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય - શરીરનો વિષય સ્પર્શ છે. પહોળાઇ શરીર પ્રમાણ છે. બહાર તેમજ અંદરના પોલાણના ઉપરના ભાગમાં છે. (૨) રસનેન્દ્રિય - જીભ. ખરપડા (અસ્ત્રાના) આકારે છે. રસ તેનો વિષય છે. (૩) ધ્રાણેન્દ્રિય - નાક. વિષય ગંધ છે. અતિમુક્ત પુષ્પ કે મૃદંગ એટલે પડઘમ આકારની છે. (૪) ચક્ષુરીન્દ્રિય - આંખ. વિષય રૂપ છે. મસુરની દાળ અથવા ચન્દ્રાકારે છે. (૫) શ્રોત્રેન્દ્રિય - કાન. વિષય શબ્દ છે. કદમ્બ પુષ્પાકારે છે. પાંચેની જાડાઇ અંગુલના Page 102 of 126

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126