________________
ગણાય છે અને બાકીના લાલ-પીળો-સફ્ટ-સુરભિગંધ-તુરો-ખાટો અને મીઠો, લઘુ-ઉષ્ણ-મૃદુ અને સ્નિગ્ધ સ્પર્શ એમ ૧૧ ભેદો શુભ નામકર્મ રૂપે ગણાય છે.
નરકાનુપૂર્વી - જીવને મરણ પામ્યા પછી કર્મના ઉદયથી નરકગતિ તરફ લઇ જાય તેને નરકાનુપૂર્વી નામકર્મ કહેવાય છે. તેનું કામ જીવને નરકમાં પહોંચાડવાનું હોય છે. નરકગતિ જે રીતે બંધાય છે તે રીતે તેની સાથે નરકાનુપૂર્વી પણ બંધાય છે પણ નરકગતિનો ઉદય જ્યાં સુધી હોય ત્યાં સુધી નરકાનુપૂર્વીનો ઉદય રહેતો નથી. સન્ની પંચેન્દ્રિય જીવો સાતમી નારકી સુધી નરકાનુપૂર્વીથી જઇ શકે છે. અસન્ની પંચેન્દ્રિય જીવો પહેલી નારકી સુધી જઇ શકે છે.
નરકગતિમાં નરકાનુપૂર્વીનો ઉદય વધારેમાં વધારે ત્રણ સમય સુધી જીવોને હોય છે. ત્રણ સમયથી વધારે સમય સુધી એનો ઉદય રહેતો જ નથી.
આનુપૂર્વી એટલે જે સ્થાનમાં જવા માટે જીવન સાથેને સાથે ગતિ કરાવે તે પણ ક્રમસર કરાવે તે આનુપૂર્વી કહેવાય છે.
આપણે આનુપૂર્વી નામકર્મ જેવા રસવાળી બાંધીને ઉદયમાં લાવીને ગતિ કરીએ છીએ એ અપેક્ષાએ અહીંના વાહનોની કે યંત્રોની ગતિ કેટલી ?
(૧) રાજલોક = અસંખ્યાતા કોટાકોટી યોજનનું અંતર આટલું અંતર પણ જીવ સુષુપ્તાવસ્થામાં આનુપૂર્વી નામકર્મના ઉદયથી ઉદ્ગલોકથી અધોલોક, તિરસ્કૃલોકથી અધોલોક અથવા અધોલોકથી ઉર્ધ્વલોક એક સમયમાં ગતિ કરી શકે છે. સાતરાજની કે ચોદરાજની ગતિ.
એક સમયમાં ચોદરાજલોક પહોંચી શકે એવા અચેતન પગલો પણ જગતમાં છે એટલે જીવ અને પુદગલની ગતિ એક સમયની આટલી હોય તો પછી અત્યારે એકબીજા પુદ્ગલોનું મિશ્રણ કરીને સાધના બનાવે અને એની ગતિ સારામાં સારી હોય એમાં નવાઇ શું છે ? નરકાનુપૂર્વી બંધાય પહેલા ગુણસ્થાનકે અને ઉદય પહેલા અને ચોથા ગુણસ્થાનકે હોય છે. બીજું ગુણસ્થાનક લઇને જીવ નરકમાં જતો નથી માટે બીજા ગુણસ્થાનકે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી.
તિર્યંચાનુપૂર્વી - જે જીવ તિર્યંચાયુષ્યનો બંધ કરતાં જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવને વિષે ભોગવવાનું નક્કી કરેલ હોય તે ક્ષેત્રને વિષે લઇ જઇ પહોંચાડનાર કર્મ તે તિર્યંચાનુપૂર્વી નામકર્મ કહેવાય છે તે ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી ઉદયમાં રહે છે અને જઘન્યથી એક સમય ઉદયમાં રહે છે.
બસનાડીમાંથી મરીને બસનાડીમાં ઉત્પન્ન થવા માટે જીવને જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી ત્રણ સમય હોય. બસનાડીની બહારથી ત્રસ નાડીમાંઉત્પન્ન થવા માટે જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી ચાર સમય અને બસનાડીના બહારના ભાગમાંથી બીજી બાજુ ત્રસનાડીની બહાર ઉત્પન્ન થવા માટે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પાંચ સમય જીવને લાગે છે. એક સમય એટલે નાનામાં નાનો કાળનો અંશ જે એક આવલીકાનો અસંખ્યાતમો ભાગ રૂપે ગણાય છે. સિધ્ધશીલામાં જવા માટે માત્ર એક સમય જોઇએ છે. તિર્યંચાનુપૂર્વીનો બંધ પહેલા અને બોજા ગુણઠાણે થાય છે. ઉધ્ય પહેલા-બીજા અને ચોથા ગુણસ્થાનકે હોય.
છે.
અશુભ વિહાયોગતિ :- જે જીવની ચાલ હંસ આદિ કરતાં જુદા પ્રકારની હોય. ઉંટ અને ખર જેવી હોય તે અશુભ વિહાયોગતિ નામકર્મ કહેવાય છે.
પગ ઘસડીને ચલાય નહિ, ઠેકડા મારી મારીને કુદકા મારી મારીને ચલાય નહિ, દાડતા દોડતા ચલાય નહિ આનાથી અશુભ વિહાયોગતિ જોરદાર રસે બંધાય છે.
Page 113 of 126