Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 126
________________ આવી રીતે વ્રત, નિયમ કરનારા કેટલા ? આના કારણે વ્રતનું જે ધ્યેય જોઇએ તે અત્યારે રહ્યું નથી. લક્ષ રાખે કે આ ચીજ પણ છોડવાની જ છે, ધીરે ધીરે ઓછું કરવાનું છે એવું લક્ષ્ય ખરૂં? વ્રત, નિયમ કરાવતાં કરાવતાં એની કિંમત સમજાવવાની છે. અન્યથા વ્રત, નિયમ કરાવનારને પણ દોષ લાગે. વ્રત પ્રત્યે બહુમાન-નિયમ પ્રત્યે આદર ભાવ-પાપની ભીરતા અંતરમાં રહેવી જોઇએ. આજના કાળમાં વ્રત વગેરે કરનારા પાપની વૃદ્ધિ કરતાં થઇ ગયા છે. પાપથી પાછા ક્રવાનું લક્ષ્ય જાણે અજાણે બંધ થઇ ગય છે. વંકચેલે પોતાના જીવનમાં સામાન્ય નિયમો ચાર એવા પ્રાણ કરતાં અધિક રીતે પાળ્યા કે જેથી ત્રીજા ભવે મુક્તિ નક્કી કરી નાંખી છે. એ નિયમોમાં વિચારીએ તો આપણને એ નિયમ જેમ લાગે નહિ. (1) ક્રોધ ચઢે ત્યારે સાત ડગલા પાછા ફ્રી જે કરવું હોય તે કરવું, (2) અજાણ્યા ફળ ખાવા નહિ, (3) રાજાની રાણી પ્રત્યે માતાનો વ્યવહાર કરવો અને (4) કાગડાનું માંસ ખાવું નહિ. આ ચાર નિયમથી પોતાના આત્માનું કલ્યાણ કરી ગયો. વ્રત, નિયમ વગેરે પાપનો ડર પેદા કરવા માટે છે. અભવ્ય, દુર્ભવ્ય જીવોને મોક્ષની એલર્જી હોય છે. આપણે તો એક ઉપવાસ કરીએ તો પોતાની જાતને મહાન ગણીએ છીએ પણ હાશ ! મને આ ખાવા પીવામાંથી છૂટકારો મલ્યો એવી ભીરુતા અંતરમાં વધે છે ખરી ? આપણે વ્રત નિયમ કરતાં અણાહારી પદનો આનંદ કેટલો ? ભગવાનનું જન્મ કલ્યાણક આપણે અજન્મા બનવા માટે ઉજવીએ છીએ. આપણો આનંદ અજન્મા બનવા માટેનો હોવો જોઇએ, જન્મ પાપ છે માટે અજન્મા બનવાનું છે. પંડિત વીર્યવાળા, મલે તો સંયમપુષ્ટિ ન મલે તો તપોવૃધ્ધિ એ ભાવ રાખી વીર્યનો ઉપયોગ કરી રહ્યા છે. આ ત્રણે પ્રકારમાંથી જેમાં પણ વીર્યનો ઉલ્લાસ વધારતો જાય તેનાથી સકામ નિર્જરા સાથતો જાય આ ત્રણે પ્રકારના વીર્યનો ઉપયોગ સાવધ વ્યાપારથી છૂટવા માટે કરવાનો છે. જો એ માટે ઉપયોગ ન કરે અને પ્રતિપક્ષી માટે ઉપયોગ કરે તો જન્મ મરણની પરંપરા વધારતો જાય છે. તેનાથી સંખ્યાતા. અસંખ્યાતા કે અનંતા ભવોને પણ જીવ વધારતો જાય છે. માટે આપણે પાપનો ભય રાખતાં જીવીએ તો વીર્યંતરાયનો ક્ષયોપશમ ભાવ ઉપયોગી બની પુદગલની સહાયથી આત્માની શક્તિને ખીલવી શકે. અન્યથા આત્માની શક્તિને દબાવી દેશે, તો તે શક્તિ આત્માની ન દબી જાય તેની કાળજી રાખી એવી. રીતે ઉપયોગ કરતાં થઇએ કે જેથી આત્માનું અનંત વીર્ય પેદા થાય. આ રીતે પાપતત્વના વ્યાસી ભેદોને જાણીને તેનાથી છુટી વહેલામાં વહેલા અનંત વીર્યને પ્રાપ્ત કરનારા થાઓ એ અભિલાષા. ..t....iATMt cbtke huFtu ...gyo. ...t... iO E{to. Page 126 of 126

Loading...

Page Navigation
1 ... 124 125 126