Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 119
________________ આ ભવમાં પણ ઉદયમાં આવે છે. અને ભોગવવું પડે છે. આજનાં કાળમાં લગભગ મોટા ભાગે માનવના જીવન જોઇએ તો બાપ દાદાની ચાલી આવતી નીતિ આદિનો નાશ કરીને જીવન જીવતા થયા છે. તેના પ્રતાપે પોતાનાથી બીજાને સુખી જુએ એટલે ગમે તેમ કરીને પણ તેના જેવો અથવા તેનાથી અધિક સુખી કેમ થાઉ. એ ભાવના રહ્યા જ કરે છે અને તે ભાવનાને પુરૂષાર્થથી સળ કરવા નીતિ આદિનો નાશ કરી જીવન જીવતાં થાય છે. એટલે આજે આ પાંચમા આરામાં જ્ઞાની ભગવંતોએ કહેલી વ્યાખ્યા મુજબ ઉચ્ચ ગોત્રના ઉદયવાળા શોધવા હોય તો જવલ્લે જ મલે એમ લાગે છે. ભલે વ્યવહારમાં લેતી દેતી આદિના. કારણે સારૂ કુળ અને સારી જાતિ ગણાતી હોય પણ જે રીતનું વર્તન ચાલે છે તે ખુબ જ વિચારણીય છે. આજ ભાવના અને પરિણામ એટલે વિચારોના કારણે જે ધર્મ હોય તે ધર્મની પ્રવૃત્તિ જીવનમાં ચાલુ રહે છે. પણ અંતરમાં ધર્મ પેદા કરવા મને ધર્મ કેટલો સ્પર્યો. અંતરમાં કેટલો પેદા થયો અને હું અંતરના ધર્મથી કેટલો આગળ વધી રહ્યો છું. એ જોવાની, જાણવાની દરકાર લગભગ નષ્ટ થતી જાય છે. માટે આ વ્યાખ્યા મુજબ એક પ્રકારનો નીચ ગોત્રનો ઉદય ગણાય છે. નીચગોત્રનો બંધ નરકગતિની સાથે અવશ્ય થાય તથા નરકગતિના ઉધ્યની સાથે નિયમો નીચગોત્રનો જ ઉદય હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસન્ની, સન્ની પંચેન્દ્રિય તિર્યચોમાં એટલે એ તિર્યંચ ગતિના બંધની સાથે નિયમો નીચ ગોત્ર જ બંધાય છે. તેમજ એ તિર્યંચ ગતિના ઉદયની સાથે પણ નિયમાં નીચગોત્રનો જ ઉદય હોય છે. દેવગતિની સાથે બંધમાં નિયમા ઉચ્ચગોત્ર બંધાય છે. એવી જ રીતે દેવગતિના ઉદયની સાથે પણ નિયમાં ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય છે. જ્યારે મનુષ્ય ગતિના બંધની સાથે ઉચ્ચગોત્રનો બંધ હોય અને નીચગોત્રનો બંધ પણ હોય છે. એવી જ રીતે મનુષ્યગતિના ઉદયની સાથે ઉચ્ચ ગોત્રનો ઉદય પણ હોય છે અને નીચગોત્રનો ઉદય પણ હોય છે. અસન્ની અપર્યાપ્તા મનુષ્યોની સાથે તથા સન્ની અપર્યાપ્તા મનુષ્યોની સાથે નિયમ નીચ ગોત્રનો જ બંધ અને ઉદય હોય છે. આ ગોત્રકર્મની વિશેષતા છે. ઉચ્ચગોત્રનો બંધ એકથી ૧૦ ગુણસ્થાનક સુધી હોય છે. તેમાં પહેલા ગુણસ્થાનકે ચારે ય ગતિ પરાવર્તમાન રૂપે બંધાતી હોવાથી ઉચ્ચગોત્ર અને નીચગોત્ર પરાવર્તમાન રૂપે બંધાય છે. - બીજા ગુણસ્થાનકે નરકગતિ સિવાય ત્રણ ગતિ પરાવર્તમાન રૂપે બંધાય છે માટે ત્યાં પણ ઉચ્ચગોત્રા અને નીચગોત્ર પરાવર્તમાન રૂપે બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકથી સન્ની પર્યાપ્ત રૂપે મનુષ્યગતિ અને દેવગતિ બંધાતી હોવાથી તેની સાથે નિયમા. ઉચ્ચગોત્ર બંધાય છે. ઉચ્ચગોત્રનો ઉદય ચૌદમા ગુણસ્થાનકના અંત સુધી હોય છે. નીચગોત્રનો બંધ પહેલા અને બીજા ગુણસ્થાનકે હોય છે અને ઉદય પાંચમાં ગુણસ્થાનક સુધી હોય તિર્યંચ ગતિનો ઉદય પાંચમાં ગુણસ્થાનક સુધી હોવાથી ત્યાં સુધી નીચ ગોત્રનો ઉદય જણાવેલ છે. મનુષ્યગતિમાં રહેલો જીવ દાનાદિ ધર્મની આચરણા કરે અને કોઇ વિશિષ્ટ વ્રત નિયમ આદિના પચ્ચક્ખાણ Page 119 of 126

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126