________________
પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા-લોભ. પ્રત્યાખ્યાનીય સંજ્વલન ક્રોધ - માન - માયા-લોભ. સંજ્વલન અનંતાનુબંધિ ક્રોધ - માન - માયા-લોભ. સંજ્વલન અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા-લોભ. સંજ્વલન પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા-લોભ. સંજવલન સંજવલન ક્રોધ - માન - માયા-લોભ.
અનંતાનુબંધિ - અનંતાનુબંધિ કષાયનું વર્ણન
આ કષાયના ઉદયમાં રહેલા જીવોની મનોદશા રીદ્રધ્યાનવાળી હોય છે. કે જેના પ્રતાપે પાપને પાપ માનવા તૈયાર થતા નથી, પરલોકને માનતા નથી. પોતાને પુણ્યથી જે અનુકૂળ સામગ્રી મળેલી છે તે કેમ વધારવી, કેમ ભોગવવી અને ન ચાલી જાય તેની કાળજી રાખવા માટે ગમે તેવા પાપ કરવા પડે-કુટુંબને સુખી રાખવા માટે ગમે તેવા પાપ કરવા પડે તો તેને પાપ માનતો નથી. તીવ્ર ભાવે પાપ કરતો જાય છે અને અધિક પાપો કરવાની વિચારણામાં રહ્યા કરે છે. ધર્મ જેવી ચીજ જગતમાં છે જ નહિ કાંઇ દેખાય છે એતો જીવોને ભરમાવીને તેને મળેલ સુખોને છોડાવવા માટેની વાતો છે. આથી ધર્મનો દ્વેષી હોય છે. પોતે ધર્મ કરે નહિ અને જો કોઇને ધર્મ કરતાં જુએ તો તેને ખમાય નહિ. ધર્મથી કેમ પાડીને મારા જેવો બનાવું. એવી જ વિચારસરણી મગજમાં ચાલતી હોય છે. આ કારણોથી મંદિરમાં-ઉપાશ્રયમાં કોઇને જતાં જુએ તો વિચારે કે કોઇ કામ ધંધો લાગતો નથી. નવરા લાગે છે, માટે ત્યાં જાય છે. આવા વિચારોથી માત્ર આલોકમાં જે મળે તેમાં ખાવું-પીવું મોજ મજા કરવી, પરલોક છે જ નહિ. લગભગ નાસ્તિકની કોટીમાં તેની વિચારસરણી જઇ શકે. આથી મોટેભાગે દુર્જન માણસોની સોબત કરે - તેના જેવી પ્રવૃત્તિ કરે - તેવા વચનો બોલે, આથી. કૃષ્ણ લેશ્યાના વિચારો સદા માટે રહ્યા કરે. આવા જીવો પરભવના આયુષ્યનો બંધ કરે તો નિયમા નરકનું આયુષ્ય બાંધે છે. આ જીવો સામાન્ય રીતે અધમાધમ કોટીમાં આવે કે જેના પ્રતાપે પોતાથી અધિક સુખીને જોઇ શકે નહિ.
અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાન કષાય
આ કષાયના ઉદયવાળા જીવો આ લોકના સુખની આસક્તિવાળા હોય છે. તેને માટે પાપ કરવાનો વખત આવે તો કોઇ ન જુએ એવી રીતે કરવાની વૃત્તિવાળા હોય છે. પોતાને ધર્મની આચરણા કરવાનું મન ન થાય પણ જે કોઇ કરે તેને વિપ્ન ન કરે. ધર્મ કરવામાં સહાયભૂત થાય પણ સાથે પોતાની એટલી માન્યતા જરૂર હોય કે સંસારમાં રહ્યા છીએ તો સંસારમાં સોની અનુકૂળતા કર્યા બાદ અટલે બધાયની અનુકૂળતા સાચવીને પછી ટાઇમ રહેતો ધર્મ કરો. એમાં ના નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સંસારમાં પતિ-માતા-પિતા આદિની અનુકૂળતા સાચવવી એ પણ ધર્મ છે. એમ વિચારીને ધર્મ કરનારને વિઘ્નરૂપ ન થાય. કદાચ કોકવાર અનુકૂળતા પોતાની ન સચવાય તો પોતે તે અનુકૂળતાની જગ્યાએ પ્રતિકૂળતા વેઠીને પણ ધર્મ કરનારને અનુકુળતા કરી આપે. પણ પોતાને ધર્મ કરવાની વાત કરે તો કહે આપણાથી ના થાય. બહુ બહુ તો દાન દઇશું, મંદિરે જઇશું, કોક કોકવાર ટાઇમ મળશે તો સાધુ પાસે જઇશું, પણ વ્રત નિયમ પચ્ચકખાણ કરવાની વાત આવે તો કહે એ આપણાથી ન થાય. એ આલોકનાં સુખની આસક્તિના કારણે અઢાર પાપ સ્થાનકમાંથી કોઇપણ પાપનું સેવન કરવું પડે તો તીવ્ર ભાવે ન કરે પણ સંસારમાં બેઠા
Page 54 of 126