Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 64
________________ અને ત્રણ ડગલામાં શી રીતે રહી શકીએ ? માટે થોડો વિચાર કરી વધારે જગ્યા રહેવા માટે આપો પણ નમુચિએ ના પાડી. એટલે વિષ્ણુકુમાર મુનિ તે વખતે સંજ્વલન અનંતાનુબંધિ કષાયનો ઉદય પેદા કરી વક્રીય લબ્ધિ વડે લાખ યોજનની કાયા કરી એક પગ ઉત્તરના છેડે અને બીજો પગ દક્ષિણના છેડે એમ છ ખંડની બન્ને બાજુ મુકી નમુચિને લોહી વમતો સિંહાસન ઉપરથી નીચે પાડી બોલ્યા કે બોલ ત્રીજો પગ ક્યાં મુકુ ? એમ જણાવ્યું. ત્યારે ત્યાં લોકો ભેગા થઇ ગયા માફી માગી. પણ વિષ્ણુકુમાર મુનિને તો ખબર નથી. આથી તેમનો ગુસ્સો શાંત પાડવા માટે દેવતાઓ નગારા તેમના કાન પાસે વગાડે છે અને મહાત્મા શાંત યા. આ રીતે આ કષાય પેદા કરી સાધુ સમુદાયની રક્ષા કરી. આ વખતે જો ત્રીજો પગ નમુચિ રાજાની છાતી ઉપર મુકી દીધો હોત અને તે જો મરણ પામ્યો હોત તો તે વખતે અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાય પેદા થઇ જાત. એટલે છઠ્ઠા ગુણસ્થાનકમાંથી તે સીધા પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી દેત. સંજ્વલન અપ્રત્યાખ્યાનીય કષાય આ કષાયનો ઉદય છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. આ ઉદયકાળમાં જીવોને સર્વવિરતિમાં અતિચાર લગાડે છે. કાંઇક અંતરમાં કષાયના કારણે વિરતિમાં બળતરા પેદા થયા કરે તથા જે વ્રત-નિયમ-પચ્ચખાણ કરેલ હોય તેનાથી આગળ વધવાની ભાવના થવા દે નહિ. બીજા નથી કરતાં તેના કરતાં આટલું કરીએ છીએ એય ઘણું છે એવી ભાવના રહ્યા કરે. સાતિચાર ચારિત્રનું પાલન એટલે કે સંયમ જીવનમાં અતિચાર પૂર્વકનું ચારિત્ર આ કષાયથી જીવો આચરે છે અને તે વખતે આયુષ્યનો બંધ પડે તો વૈમાનિક દેવલોકનું પણ કિબ્લિષીયા દેવોનું આયુષ્ય બાંધી શકે છે. મોટેભાગે કિલ્બિપીયા દેવોમાં ઉત્પન્ન થયેલા જીવો જે હોય છે તેઓનું સમકીત દુર્લભ થાય છે. મહામુશીબતે પછી સમકીત પામી શકે છે. માટે જીવનમાં આ કષાય ન આવી જાય તેની સતત કાળજી રાખવા જેવું છે. સંજવલન પ્રત્યાખ્યાનીચ કષાયા આ કષાયનો ઉદય પણ જીવોને છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. સંયમનો પરિણામ પ્રાપ્ત કર્યા પછી પોતાની શક્તિ મુજબ તે પરિણામની વૃદ્ધિ કરવા માટે, તેમાં સ્થિરતા લાવવા માટે, તપ-જપ વગેરે વિશેષ રીતે કરવાનું મન થયા કરે છે. અને તે જીવો તે તપ વગેરે સારી રીતે કર્યા કરે છે. આ કષાયના ઉદયકાળમાં જીવ સાવધ ન રહે તો અપ્રશસ્ત કષાય બની જાય અને આત્માને નુક્શાન કરનારો પણ બને છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામમાં અપ્રશસ્ત કષાયના ઉદયથી જીવોને જે શુભ પ્રકૃતિઓ સારા રસે બંધાય છે. તે બંધાયેલો રસ સત્તામાં રહેલી અશુભ પ્રવૃતિઓમાં સંક્રમ પામીને એટલે અશુભ પ્રકૃતિ રૂપે તે રસ બની નિકાચીત પણ બની શકે છે. જેમકે શ્રી મલ્લીનાથ તીર્થકર બન્યા તેમાં ત્રીજા ભવે જ્યારે જિનનામ નિકાચીત કરતા હતા ત્યારે તેમના જીવે પોતાની સાથે બીજા પાંચ મિત્રોને પ્રતિબોધ કરીને સંયમની ભાવના પેદા કરાવી. સંયમ અપાવેલ એમ બધા સાથે સુંદર રીતે સંયમનું પાલન કરે છે. તેઓ સાથે તપ કરે છે તેમાં ગુરૂ ભગવંત બીજા મિત્રોના તપની પ્રશંસા કરે છે. પણ પોતાના તપની પ્રશંસા કરતા નથી તેથી અંતરમાં વિચાર આવે છે કે હું જેઓને પ્રતિબોધ કરીને લાવ્યો તેમની પ્રશંસા થાય છે મારી નહિ. આથી પોતાની પ્રશંસા કરાવવા માટે પારણાના દિવસે કોઇપણ વ્હાનું કાઢીને ગુરૂ મહારાજ પાસે રજા લઇ તપ કરતા હતાં. તેમાં વિશેષ તપ થતો હોવાથી ગુરૂ ભગવંત તેમની પ્રશંસા કરવા લાગ્યા આ રીતે માયા સેવીને તપ કરતાં અને પ્રશંસા સાંભળી Page 64 of 126

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126