________________
સંખ્યાતા ભવોમાં મોક્ષે જાય જાય ને જાય જ. બોલો આ પ્રયત્ન કરવો છે ?
અશાતા વેદનીય એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે છઠ્ઠા ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે એટલે શાતા વેદનીયની સાથે બંધાયાજ કરે છે. તેમાં જો ચિત્તની પ્રસન્નતા પેદા કરીને અશાતા બાંધતા જઇએ તો. અભરસે અશાતા વેદનીય બંધાય છે અને બંધાતી શાતાવેદનીય તીવ્રરસે અને લાંબાકાળ સુધી બંધાયા કરે છે.
અશાતા વેદનીયનો ઉદય ચોદમાં ગુણસ્થાનક સુધી હોય છે. તેરમા ગુણસ્થાનકે ભૂખ લાગે તે અશાતાનો ઉદય ગણાય છે. કેવલી ભગવંતો પણ પોતાના આયુષ્યના ઉદયકાળ સુધી શરીર ટકાવવા માટે આહાર લે છે.
સમ્યફ પૂર્વકની દુકૃત ગહ કરે અને સુકૃતની અનુમોદના કરે તેનાથી સકામ નિર્જરા થાય છે. જ્યારે સમ્યફ વગરની દુકૃત ગહ અને સુકૃતની અનુમોદના પણ જીવને અકામ નિર્જરા કરાવે છે.
આખી જીંદગીમાં આટલા બધા તીર્થોની યાત્રા કરી તેમાં કોઇ તીર્થમાં ચિત્તની પ્રસન્નતા પેદા થઇ હોય કે જેથી ફ્રી ફ્રીને તે તીર્થની વારંવાર યાત્રા કરવાનું મન થયા કરે એવું બને છે કારણ કે એ જીવને લાગે કે મારા માટે આ તીર્થ જરૂર તારનારૂં છે એમ લાગે છે એવું કાંઇ બન્યું છે?
તીર્થમાં જઇને પણ ચિત્તની પ્રસન્નતા પેદા નહીં કરીએ, પેદા થયા પછી ટકાવી ન રાખીએ તો. કલ્યાણ નહિ થાય.
આમ કલ્યાણકારી રસ્તા ઉપર ચઢવા માટેનું બળ પેદા કરવાનું છે. બળ પેદા થયા પછી વાંધો નહિ આવે કારણ કે એ બળને ટકાવવાનો પ્રયત્ન પછી ચાલુ જ રહેવાનો છે.
સુખમાં લીન થઇને ન જીવે અને દુ:ખમાં દીન થઇને ન જીવે આવો અનુભવ થવા માંડે અને જીવન જીવાય ત્યારે ચિત્તની પ્રસન્નતા થઇ કહેવાય.
દા.ત. બહુ તરસ લાગી અને ગરમા ગરમ પાણી પીવા મલે તો મોટું જરાય ન બગડે પ્રસન્નતા પૂર્વક પીવાય ત્યારે સમજવું ચિત્તની પ્રસન્નતા પેદા થઇ કહેવાય. એવી જ રીતે સુખના કાળમાં સુખના પદાર્થોમાં પણ લીનતા ન આવે અને ભોગવાય એ પણ ચિત્તની પ્રસન્નતા કહેવાય છે. જ્યારે આપણા આત્માનું કલ્યાણ કરવું હશે ત્યારે આ રીતે ચિત્તની પ્રસન્નતા પેદા કરી એને ટકાવવાની શરૂઆત કરવી જ પડશે.
આ રીતે અત્યાર સુધીમાં
જ્ઞાનાવરણીયના પાંચ ભેદ, દર્શનાવરણીયના નવ ભેદ અને વેદનીય કર્મનો ૧ ભેદ એમ ૧૫ ભેદો પાપ પ્રકૃતિનાં જોયાં.
મોહનીય કર્મનાં - ૨૬ ભેદો અથવા ૨૮ ભેદો પાપ પ્રકૃતિ રૂપે ગણાય છે. મિથ્યાત્વ, અનંતાનુબંધિ આદિ ૧૬ કષાયો.
હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ એમ ૨૬ ભેદો થાય છે. અનું વર્ણન હવે શરૂ થાય છે.
મોહનીય દમ
આ કર્મ સર્વ કર્મોમાં મુખ્ય કર્મ છે. આખું જગત આ કર્મના ઉદયથી એમાં ઓતપ્રોત થયેલું હોય છે. કે જેથી તેનો સંસાર વધારતા જાય છે. માટે જ્ઞાની ભગવંતોએ આ કર્મને સઘળા કર્મોમાં રાજા સમાન કર્મ કહેલ છે. આ કર્મના ઉદયને આધીન થયલા જીવો પોતાના આત્મામાં ગુણરૂપે રહેલ વિવેક દ્રષ્ટિને પેદા થવા
Page 48 of 126