Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 35
________________ ત્યારે તે જીવોને કેવલજ્ઞાનનો જ ઉપયોગ હોય છે. કેવલદર્શનના ઉપયોગમાં કોઇ જીવ સિદ્ધિ ગતિમાં જતો નથી. સિદ્ધિગતિમાં ગયા પછી કેવલદર્શનનો ઉપયોગ થઇ શકે છે. અને સમયે સમયે કેવલજ્ઞાન-કેવલદર્શનનો ઉપયોગ અનંતકાળ સુધી ચાલ્યા જ કરે છે. (૩) આ બે કારણો ક્ષાયિક ભાવે જે જીવોને જ્ઞાન થાય છે અને આશ્રયીને કહ્યા. હવે છબસ્થ જીવોને આશ્રયીને કહે છે. સામાન્ય રીતે છપ્રસ્થ જીવોને પહેલા દર્શનનો ઉપયોગ હોય છે. અને પછી જ્ઞાનનો ઉપયોગ થાય છે. અને એ દર્શન-જ્ઞાનનો ઉપયોગ અસંખ્યાત સમયવાળા અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તનો હોય છે. છતાંય જ્ઞાનીઓ કહે છે કે એ છદ્મસ્થ જીવોને જ્યારે કોઇપણ પ્રકારની લબ્ધિ પેદા થાય ત્યારે તે જ્ઞાનના ઉપયોગમાં જ થાય છે પણ દર્શનના ઉપયોગમાં થતી નથી. અહીં લબ્ધિ તરીકે શું ગ્રહણ કરવું ? તો જણાવે છે કે સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવો ગ્રંથી દેશે આવીને પોતાની ગ્રંથીને ઓળખીને તેને કાઢવા માટેનો. જે પ્રયત્ન કરવાની ઇચ્છા પેદા કરે અને તેનાથી સાવચેત રહીને જે પ્રવૃત્તિ થાય તેને અપુનબંધક અવસ્થાનો પ્રયત્ન કહેવાય છે. એવો જે પરિણામ જીવ પુરૂષાર્થથી પેદા કરે તે ક્ષયોપશમ ભાવની લબ્ધિ કહેવાય છે. આ ક્ષયોપશમ ભાવની લબ્ધિને લઘુ કર્મી ભવ્યાત્મા જીવો જ પેદા કરી શકે છે અને તે લબ્ધિ સાકાર ઉપયોગમાં એટલે જ્ઞાનનાં ઉપયોગમાં શુભ લેશ્યાના પરિણામમાં એટલે તેજો-પદ અને શુકલ આ ત્રણ લેગ્યામાંથી કોઇ લેશ્યાના ઉપયોગમાં અને જાગ્રત અવસ્થામાં આ પેદા થાય છે. આ પરિણામ આત્મિક સુખના પરિણામની આંશિક અનુભૂતિ કરાવે છે અને સામાન્ય દર્શન પણ થાય છે અને આ પરિણામમાં રહેલા જીવોને સુખમય સંસાર પ્રત્યે રાગ રહેતો નથી. તીવ્રભાવે પાપ કરવાના. પરિણામો પણ રહેતા નથી અને ઉચિત વ્યવહારના પાલન માટેનાં પરિણામો પેદા થતાં જાય છે. આથી આ પરિણામને લબ્ધિ કહેવાય છે. આ ત્રણ કારણોને આશ્રયીને અહીં જ્ઞાનાવરણીય કર્મ પહેલું જણાવેલું છે. જ્ઞાનાવરણીય કર્મ પછી વેદનીય મોહનીય આદિ કર્મો બીજા ક્રમમાં ન મૂકતાં દર્શનાવરણીય કર્મ શા માટે કહ્યું? તો જણાવે છે કે જીવ હંમેશાં ઉપયોગ પરિણામવાળો હોય છે. એ ઉપયોગ જ્ઞાન અને દર્શનનો હોય છે. એક એક અંતર્મુહૂર્ત જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ચાલ્યા જ કરે છે. આથી જ્યારે જીવ જ્ઞાનનાં ઉપયોગમાંથી આવે એટલે જ્ઞાનના ઉપયોગનો કાળ પૂર્ણ થાય ત્યારે દર્શનના ઉપયોગવાળો બને છે. જ્યાં સુધી જીવ પદાર્થના વિશેષ બોધવાળો હોય ત્યારે તે જ્ઞાનના ઉપયોગવાળો ગણાય છે. અને જ્યારે જીવ સામાન્ય બોધવાળો હોય ત્યારે તે દર્શનનો ઉપયોગ કહેવાય છે. આથી દર્શનનાં ઉપયોગમાં જીવ ટકતો હોવાથી જ્ઞાનાવરણીય કર્મ પછી બીજું દર્શનાવરણીય કર્મ કહેલું છે. | દર્શનાવરણીય કર્મ પછી મોહનીય કર્મ ન મુકતાં વેદનીય કર્મ શાથી કહ્યું? જણાવે છે કે જે જીવોને જ્ઞાનનો ઉદય ભાવ વર્તતો હોય એટલે કે મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મના અધિક રસવાળા દેશઘાતીના પુદ્ગલોનો ઉદય ચાલતો હોય ત્યારે મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થતો નથી. જેનાથી જીવને જ્ઞાન પેદા થતું નથી પણ જ્ઞાનનો ઉદયભાવ રહેલો હોય છે અને બીજા જીવોને જ્ઞાન પેદા થતું જુએ તો પોતાને જ્ઞાન ન થતાં અંતરમાં ગ્લાનિ પેદા થાય. દુ:ખ પેદા થાય છે. એવી જ રીતે દર્શનાવરણીય કર્મના ઉદય ભાવથી સામાન્ય બોધ કોઇ પદાર્થોનો ન થાય અને બીજાને તે બોધ થતો એ એટલે અંતરમાં ગ્લાનિ પેદા થાય. દુ:ખ પેદા થાય અને ખેદ પેદા થાય તે ગ્લાનિ વગેરે થવું તે અશાતા. વેદનીય રૂપે ગણાય છે અને જ્યારે જીવને મતિ અને શ્રુત જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ ભાવથી, અલ્પ રસવાળા દેશઘાતી પુદગલોનાં ઉદયથી જ્યારે વિશેષ બોધરૂપ જ્ઞાન પેદા થાય અને બીજાને ન થતું હોય તો Page 35 of 126

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126