________________
આ ચાર પ્રકૃતિઓ દેશઘાતી રસવાળી હોય છે. એટલે આ પ્રવૃતિઓ દેશઘાતી ગણાય છે. આ કારણથી જીવોને જ્યારે મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મનાં દેશઘાતીનાં અધિક રસના પુદ્ગલો ઉદયમાં હોય છે ત્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમભાવ જીવોને પેદા થવા દેતો નથી પણ તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ઉદયભાવ પેદા થાય છે. એ કાળમાં જીવો જ્ઞાન ભણે તો જ્ઞાન આવડતું નથી. ભણેલું યાદ પણ રહેતું નથી અને થોડા કાળ પછી ભૂલી જવાય છે. જ્યારે દેશઘાતી અભરસવાળા, પગલોનો ઉદય જીવોને ચાલતો હોય ત્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ક્ષયોપશમ ભાવે જીવોને પેદા થઇ શકે છે. ભણેલું યાદ રહે છે નવું નવું ભણવાનું મન પણ થાય છે. અને તેનાથી જ્ઞાન ક્ષયોપશમ ભાવે વધે છે.
અત્યારે આ કાળમાં જીવો પુરૂષાર્થ કરે તો અવધિજ્ઞાન પેદા થઇ શકે છે. પણ મન:પર્યવજ્ઞાન પેદા થતું નથી. અવધિજ્ઞાનાવરણીયનો હાલ જીવોને દેશઘાતીના અધિક રસવાળા પગલોનો ઉદય ભાવ ચાલે છે માટે અવધિજ્ઞાન પેદા થતું નથી. પણ જીવ પુરૂષાર્થ કરીને અવધિજ્ઞાનાવરણોયના દેશઘાતી પુદ્ગલોનો અલ્પરસ કરીને ઉદયમાં લાવે તો અવધિજ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. જ્યારે આ પાંચમા આરામાં જન્મેલા જીવોને તથાસ્વભાવથી મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી અધિક રસવાળા પૂગલો ઉદયમાં રહેલા હોય છે તે પુરૂષાર્થ કરવા છતાં પણ અત્યરસવાળા પુદ્ગલો થઇ શકે એમ ન હોવાથી જીવોને મન:પર્યવજ્ઞાન ઉદય ભાવે રહેલું હોય છે પણ તે મન:પર્યવજ્ઞાન ક્ષયોપશમ ભાવે પેદા થઇ શકતું નથી.
જ્યારે કેવલજ્ઞાનાવરણીય પ્રકૃતિનો રસ સર્વઘાતી રસ રૂપે ઉદયમાં રહેલો હોવાથી તેનો રસ ઉદયમાંથી સંપૂર્ણ નાશ પામે ત્યારે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય બાકી નહિ. આથી જીવોને કેવલજ્ઞાનાવરણીય ઉદયભાવ રૂપે ગણાય છે.
જ્ઞાનાવરણીયની આ પાંચ પ્રકૃતિઓ સતત એકથી બારમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં રહેલી હોય છે. આથી ધ્રુવોદયી પ્રકૃતિઓ કહેવાય છે. આ પાંચમાં જે પહેલી ચાર પ્રકૃતિઓ દેશઘાતી રસે ઉદયમાં રહેતી હોવાથી જ્યારે અત્યરસવાળા દલિકા (પુગલો) ઉધ્યમાં આવે ત્યારે ક્ષયોપશમ ભાવે તે તે જ્ઞાન પેદા કરાવવામાં સહાયભૂત થાય છે. આથી જ્ઞાની ભગવંતોએ આ ચાર પ્રકૃતિઓને ઉદયાનુવિધ્ધ ક્ષયોપશમ ભાવે ઉદયમાં હોય છે એમ જણાવેલ છે.
આથી નિશ્ચિત થાય છે કે જીવોને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પેદા કરવું હોય તો તે જ્ઞાનનો પુરૂષાર્થ કરતાં કરતાં અધિક રસવાળા પુદ્ગલોને અભરસંવાળા બનાવતો જાય અને અત્યરસવાળા પુગલોને ઉદયમાં ચાલુ રાખતો જાય તો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ જીવોને પેદા થાય અને તે પેદા થયેલું જ્ઞાન ટકી શકે અને સ્થિરતાને પામે આથી દેશઘાતી અધિક રસવાળા પુગલોનો ઉપશમ કરવો પડે. એમાં જો એ અધિકરસવાળા પુદ્ગલો ઉદયમાં આવી જાય તો ભણેલું જ્ઞાન તે વખતે યાદ આવતું નથી અને તે ભણેલું જ્ઞાન પછી ભૂલાઇ જવાય છે. આથી જ્યારે કોઇ વ્યક્તિનું નામ આપણને પૂછે તો તરત જ યાદ આવતું નથી તો તે વખતે અધિકરસવાળા પુદ્ગલોનો ઉદય ચાલે છે માટે યાદ આવતું નથી. અને થોડાક ટાઇમ પછી એ વ્યક્તિ હાજર ન હોય છતાં યાદ કરતાંની સાથે તેનું નામ યાદ આવી જાય છે તો તે વખતે અલ્પ રસવાળા પુગલોનો ઉદય ચાલે છે એમ સમજવું. આ રીતે આખા દિવસમાં જ્યારે જ્યારે જે પદાર્થો માટે આવું બનતું હોય તેમાં જ્ઞાનાવરણીય એટલે મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીયમાં ઉદય અને ક્ષયોપશમ ભાવ રૂપે આ રીતે જ સમજવું એમ જ્ઞાનીઓ કહે છે.
જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓ દર્શનાવરણીયની નવ પ્રકૃતિઓ, મોહનીયની છવ્વીશ પ્રકૃતિઓ અને અંતરાયની પાંચ પ્રકૃતિઓ એમ બંધાતી પીસ્તાલીશ પ્રકૃતિઓ ઘાતી પ્રકૃતિઓ કહેવાય છે. તે દરેકનો
Page 33 of 126