________________ નારી ચરિત્ર ફરજ પર હતો. તે જ વખતે રાજાએ કેઈ સ્ત્રીના રડવાને અવાજ સાંભળ્યો. રાજા વિક્રમાદિત્યે અંગરક્ષક શતમતિને કહ્યું શતમતિ ! જઈને જુઓ, આ કઈ સ્ત્રી રડી રહી છે. મારા રાજયમાં કે રડવું જોઈએ નહીં. મારા પ્રાણ આપીને પણ હું પ્રજાનાં કષ્ટને દૂર કરીને તેને સુખી અને પ્રસન્ન કરવા માગું છું. આ રડતી સ્ત્રીના દુઃખનું કારણ પૂછી આવે.” શતમતિએ કહ્યું - “સ્વામી ! આપને એકલા મૂકીને કેવી રીતે જઉં ? જેમ રાજાના હજારો મિત્રો અને શુભચિંતકે હોય છે, તેમ સેંકડો દુશ્મને અને તકની રાહ જોનારા દુષ્ટ પણ હોય રાજાએ કહ્યું- . . - શતમતિ ! તમે મારી ચિંતા કરશો નહીં. તમે પાછા ફરશે ત્યાં સુધી હું જાગતે રહીશ. કારણ કે જેમ મહેનતુ માણસને ગરીબી સતાવતી નથી, જાપ કરતા રહેવાથી પાપ નથી લાગતું અને એ જ પ્રમાણે જાગતા રહેનારને કેાઈ ડર રહેતો નથી. તેની : રાજાની આજ્ઞા મેળવીને શતમતિ રુદનના અવાજને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust