Book Title: Nari Charitra
Author(s): Devendra Muni Shastri
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 39
________________ નારી ચરિત્ર બોલાવી અને તેને ઊંચા આસન પર એક પડદા પાછળ બેસાડી. મસ્ય-હાસ્યનું રહસ્ય સાંભળવા માટે રાજાની સાથે તેની રાણી તથા બીજા અમાત્ય પણ બેઠા. બાલ-પંડિતાએ રાજાને સંબોધીને કહ્યું - “રાજન ! તમે મત્સ્ય હાસ્યનું કારણ ના પૂછો તો સારું, કારણ કે શરીર અને ઘરનું રહસ્ય ઢંકાયેલું રહે એ જ સારું છે. આ શરીરની અંદર મળ-મૂત્ર, ઘૂંક, મજજા વિગેરે અનેક ઘણુલાયક વસ્તુઓ છે. પણ તે ઢંકાયેલી હેવાને કારણે શરીર તિરસ્કારવા લાયક લાગતું નથી. આ “તેનું ખુલ્લું થવું કેટલું ખરાબ છે, એ વિચાર કરીને મત્સ્ય હાસ્યના રહસ્યને રહસ્ય જ રહેવા દો, નહીં તો તમારે પણ એવી રીતે પસ્તાવું પડશે, જેમ ઠંડક કઠિયારાને પસ્તાવું પડયું હતું. - બાલપંડિતાની વાત સાંભળીને રાજાએ પૂછયું પહેલાં તમે એ જણાવો કે કંડક કોણ હતું અને તેને શા માટે પસ્તાવું પડયું હતું ?" . બાલપડિતાએ કહ્યું- . :: મંડકનો પશ્ચાત્તાપ | શ્રીપુર નામના નગરમાં કમલ નામને એક કઠિયારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48