Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ - अहिंसोपनिषद् * नानाचित्तप्रकरणम् - यदि न भवति पापमनाः, एतत्फलमेव दर्शयति- स्वजने च जने च समः, समश्च मानापमानयोः। एतदेव स्पष्टयति नत्थि अ सि कोइ वेसो पिओ य सव्वेसु चेव जीवेसु। एएण होइ समणो एसो अन्नो वि पज्जाओ॥१७॥ नास्ति च तस्य कश्चिद् द्वेष्यः प्रियो वा सर्वेष्वेव जीवेषु, तुल्यमनस्त्वात्, एतेन भवति सममनाः, समं मनोऽस्येति सममनाः, एषोऽन्योऽपि पर्याय इति गाथार्थः। દ્રવ્ય મનને આશ્રીને જે સારા મન વાળા હોય અને ભાવ મનને આશ્રીને જો પાપયુક્તમનવાળા ન હોય, તો જ તેમને શ્રમણ કહી શકાય. શ્રમણની આ ચિત્તવૃત્તિનું ફળ કહે છે - સ્વજન = સગાસંબંધી, મિત્ર વગેરે અને જન = સ્વજન સિવાયના લોકો. તે બંનેમાં તે સમભાવવાળા હોય. આ જ વાતને સ્પષ્ટ કરે છે - સર્વે ય જીવોમાં તેને કોઈ દ્વેષપાત્ર કે પ્રેમપાત્ર નથી. આનાથી તે સમમના થાય છે. આ પણ અન્ય પર્યાય છે. ll૧૭ll તે ભાવભ્રમણને સર્વ જીવોમાં પણ કોઈ દ્વેષ કરવા યોગ્ય નથી. અથવા કોઈ પ્રિય પણ નથી. કારણ કે તેમને મન ઉપસર્ગ કરનાર અને સેવા કરનાર, નિંદા કરનાર અને સ્તુતિ કરનાર સરખા જ હોય છે, બંનેના પ્રતિ સમાન મનોવૃત્તિ હોય છે. આનાથી તે સમયના બને છે. જેનું સમાન મન છે, તે સમયના કહેવાય. આ પણ એક અન્ય પર્યાય છે. અર્થાત્ મુનિ અને શ્રમણ એ જેમ પર્યાયો છે એમ સમમના એ પણ એક પર્યાયશબ્દ છે. અથવા તો તુલ્યચિત્તવૃત્તિ એ શ્રમણનું એક અતિમહત્ત્વનું પાસુ છે એવો પણ અર્થ થઈ શકે. પૂર્વપક્ષ :- આટલી બધી આંટીઘૂંટીનું સર્જન કેમ કરો છો ? આ રીતે તો બાળજીવો સાચા શ્રમણને કદી ઓળખી જ નહીં શકે. ૬. .હું... - ચા ૨. - પિય વ્ર સં૦ || ननु च ब्राह्मणकुलोत्पन्ना चतुर्दशविद्या- पारगामिन एव श्रमणा इत्येवोच्यतामिति चेत् ? अत्राह जाई वि अप्पमाणा कुलववएसो विसुद्धओ जम्मो। पंडिच्चं पि पलालं, सीलेण विसंवयंतस्स ॥१८॥ जातिरपि - ब्राह्मणाधुच्चवर्णविभाग उत्पत्तिरपि, अप्रमाणा - श्रमणादिव्यपदेशे पुष्टालम्बनं भवितुमनीं, कुलव्यपदेशः - अयममुकोज्ज्वलयशसि कुले सञ्जात इति गौरवावह उल्लेखः, सोऽप्यप्रमाणम्। यद्वा जाति: - मातृसत्का, कुलम् - पितृसत्कम्, एते च प्रथितयशस्यप्रमाण इत्यर्थः। जन्मापि विशुद्धकम् - જુઓ, અમે તમને સરસ મજાનું લક્ષણ બનાવી આપીએ – “જે બ્રાહમણ કુળમાં ઉત્પન્ન થયા હોય અને ચૌદ વિધાના પાણામી હોય, તે જ શ્રમણ' આટલું જ કહેવાનું. હવે ન તો નટડામાં અતિવ્યાતિ આવે કે ન તો શિયાળમાં કે ભીલમાં અતિવ્યાતિ આવે, બરાબર ને ? ઉત્તરપક્ષ :- ના, આવું લક્ષણ બરાબર નથી. એનું કારણ પણ પરમર્ષિના મુખે જ સાંભળો – જે શીલથી વિસંવાદ કરે તેની જાતિ, કુલવ્યપદેશ અને વિશુદ્ધ જન્મ આપ્રમાણ છે, અને પંડિતાઈ પણ ફોતરા સમાન છે. II૧૮II વ્યક્તિ ભલે બ્રાહાણ વગેરે ઉચ્ચ વર્ણવિભાગરૂપ જાતિમાં ઉત્પન્ન થયો હોય, છતાં પણ તેની જાતિ પ્રમાણ નથી. અર્થાત્ તેની જાતિ તેને શ્રમણ વગેરેનો વ્યપદેશ કરવામાં પુણાલંબન બની શકે તેમ નથી. કુલનો વ્યપદેશ એટલે આ વ્યક્તિ અમુક ઉજ્જવળ યશવાળા કુળમાં જન્મ્યો છે એવો ગૌરવદાયક ઉલ્લેખ. એ પણ અપ્રમાણ છે. અથવા તો જાતિ માતાસંબંધી અને કુળ પિતાસંબંધી. એ બંને પ્રસિદ્ધ યશવાળા હોય તો પણ અપ્રમાણ છે. એવો પણ ૬. વ - વિશુદ્ધs fઉંમતો ઘ - વિ સુંદો મંદો ૨ - વિમુદ્રો મુંબો

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69