________________
૮e
* नानाचित्तप्रकरणम्
- ૩૬ गंगाए जउणाए उब्बुड्डा पुक्खरे पहासे वा। पुरिसा न हुंति चुक्खा जेसिं न चुक्खाई कम्माई॥४६॥
गङ्गायां यमुनायां पुष्करे प्रभासे वा तीर्थविशेषे उद्बुडिताः - कृतोन्मज्जनाः, तदविनाभावित्वाद्विहितनिमज्जनाश्च, पुरुषाः चुक्ख - इति देश्यशब्दः शुचिपर्यायः, पवित्रा इत्यर्थः, न भवन्ति। के पुरुषा इत्याह- येषां कर्माणि - मनोवाक्काययोगाः, पवित्राणि न भवन्ति। तदाह- सरस्सतिं पयागञ्च अथ बाहुमति नदि। निच्चम्पि बालो पक्खन्दो, कण्हकम्मो न सुज्झति - इति (मज्झिमनिकाये १-१-७९) मनःप्रभृतिपावित्र्यविरहे व्यर्थमेव
જે પુરુષોના કાર્યો ચોખા નથી તેઓ ગંગામાં, યમુનામાં, પુકરમાં કે પ્રભાસમાં ડૂબકી લગાવે તો પણ તેઓ ચોકખા થતાં નથી.il૪૬ll
ગંગા કે જમુના નદીઓમાં ડુબકી લગાવે, કોઈ તળાવ (પુષ્કર) માં સ્નાન કરે, અથવા તો પુષ્કર નામના તીર્થમાં સ્નાન કરે, કે પ્રભાસ તીર્થમાં સ્નાન કરે. અહીં ઉન્મજ્જન કરે તેમ કહ્યું છે. તેનો અર્થ ‘પાણીની બહાર આવવું થાય છે. બહાર આવવું એ અંદર જવાનું અવિનાભાવિ છે. અર્થાત્ અંદર ગયા હોય તો જ બહાર નીકળવાની વાત આવે, માટે ઉન્મજ્જન સાથે નિમજ્જન-ડૂબકી પણ સમજવાની છે. ગંગા આદિમાં ચાહે ગમે તેટલી ડૂબકીઓ લગાવી દે, પણ જેના કર્મ = મન-વચન-કાયાના યોગો પવિત્ર નથી, તે પુરુષો પવિત્ર થઈ શકતા નથી. બૌદ્ધ શાસ્ત્રમાં પણ કહ્યું છે - ‘સરસ્વતી હોય પ્રયાગ હોય કે પછી બાહુમતી નદી હોય. સદા માટે તેમાં પડ્યા રહે, તો ય અજ્ઞાની પાપકાર્યો કરનાર જીવ શુદ્ધ થઈ છે. - ૩ઘુત્રા પુ| ઘ - ૩ળુક્ત તર પુ. ૨. .ઘ - ય મારે 1 - પવારે વા, રૂ, ઘ - મા
- अहिंसोपनिषद् + गङ्गाजलादौ स्नानमित्याशयः। तत्साचिव्ये तर्हि तत्सार्थक्यं भविष्यतीति चेत् ? न, पवित्रस्य तत्करणाभावात्, भावे वाऽनवस्थानप्रसक्तिरिति निपुणं निभालनीयम्। अत एव भावशुद्धिमेव स्नानत्वेनाभिदधन्त्यभियुक्ताः, तथोक्तं भवदीयैरपि- नोदकक्लिन्नगात्रोऽपि स्नात इत्यभिधीयते। स स्नातो यो दमस्नातः स बाह्याभ्यन्तरं शुचिः- इति (स्कन्दपुराणे)। इतश्च बाह्यस्नानं व्यर्थमित्याह
चंडाला सोयरिया केवट्टा मच्छबंधया पावा।
तित्थसएसु वि ण्हाया न वि ते उदएण सुज्झंति ॥४७॥ શકતો નથી.’ આશય એ જ છે કે મન-વચન-કાયાની પવિત્રતા ન હોય તો ગંગાજળ વગેરેમાં સ્નાન કરવું વ્યર્થ જ છે.
પૂર્વપક્ષ :- અચ્છા, તો મન વગેરેની પવિત્રતા હોય, તો પછી તો ગંગાસ્નાન સફળ થઈ જશે ને ?
ઉત્તરપક્ષ :- ના, જે પવિત્ર જ છે, તે શા માટે ગંગા સ્નાન કરે ? ‘પવિત્ર થવા’ એમ કહો તો એ ઉચિત નથી. કારણ કે પવિત્ર હોય તેને પવિત્ર કરવાનો ન હોય. અને જો પવિત્રને પણ પવિત્ર કરવાનો હોય, તો અનવસ્થા થશે. અર્થાત્ હજુ ફરીથી પવિત્ર કરો, હજુ ફરીથી પવિત્ર કરો, એમ તેનો અંત જ નહીં આવે. આ વસ્તુનો સૂવિચાર કરવો જોઈએ. માટે જ નિપુણ વિચારકો ભાવશુદ્ધિને જ
સ્નાન તરીકે કહે છે. આ જ વાત તમારા સંતો પણ કહે છે - ‘જેનું શરીર પાણીથી ભીનું થયું છે, તેણે સ્નાન કર્યું છે, એવું ન કહેવાય, જેણે દમનરૂપી સ્નાન કર્યું છે, તેણે જ સ્નાન કર્યું છે. કારણ કે તે જ તન-મનના વિકારોથી મુક્ત હોવાથી બાહ્ય અને અત્યંતર બંને રીતે પવિત્ર છે.’ બાહ્ય સ્નાન વ્યર્થ છે, તેનું હજુ એક કારણ રજુ કરે છે -
ચંડાળો, કસાઈઓ, માછલી પકડનારા માછીમારો.. આવા ૨. - ફુI
40