Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 67
________________ * नानाचित्तप्रकरणम् - तस्माद् यावन्तो यूयं समागताः - अहिंसासमाराधनसमुत्सुकतया मदात्मपरिणामसामीप्यमागतास्तावन्तः सर्वान् युष्मान् भणामि। मम वक्ष्यमाणं वचनं शृणुत, एतेन सविशेषेण सम्बोधनेन निजामूढदृष्टिता ज्ञापिता, परलोकहितकम् - पारलौकिककल्याणनिबन्धनम्, अहिंसालक्षणम् - दयात्मकम्, धर्मं वृणुत - सर्वात्मना कर्तव्यतया प्रतिपद्यत, अन्यस्यामुत्रिकसहायस्याभावात्, उक्तं च- नैवामुत्र सहायार्थं पिता माता च तिष्ठतः। न पुत्रदार तज्जाति - धर्मस्तिष्ठति केवलम्॥ तस्माद्धर्मं सहायार्थं नित्यं માટે તમે જેટલા મારી પાસે આવ્યા છો, ઉપસ્થિત થયા છો, તેટલા હું હવે જે કહું છું તે મારું વચન સાંભળો. હું તમને સર્વને કહું છું. પૂર્વપક્ષ :- જેટલા આવ્યા હશે, એટલા જ સાંભળવાની હતાં ને ? તો પછી ફોગટ આવું કહેવાની શું જરૂર હતી ? ઉત્તરપક્ષ :- પરમર્ષિનો આશય ઘણો ગંભીર છે. ‘મારી પાસે આવ્યા અર્થાત્ અહિંસા પ્રત્યે મારો જે આત્મપરિણામ છે, તે પરિણામની સમીપ જેટલા આવી ગયાં છે. મારું આ પ્રકરણ સાંભળીને જેમને અહીંસાના પાલનની ઉત્કંઠા જાગી ગઈ છે, તેઓ અત્યંત યોગ્ય શ્રોતા છે અને તેથી હું તેમને જ હવેનો ઉપદેશ આપવા માંગુ છું. એ એક જ વચન મોક્ષ સુધી પહોંચાડવાની શક્તિ ધરાવે છે, પણ જો સુપાત્રને કહ્યું હોય તો ?' તેથી પરમર્ષિએ સવિશેષણ સંબોધન કરીને પોતાનું અમૂઢદૃષ્ટિપણે જણાવ્યું છે. મહાપુરુષો નિષ્ફળ જાય એવી પ્રવૃત્તિ કરતા નથી. તેથી યોગ્ય આત્માને ઉપદેશ આપવા દ્વારા પરમર્ષિએ મહાપુરુષોની એ વૃત્તિ જેને અમૂઢષ્ટિ કહેવાય છે, તેને સિદ્ધ કરી છે. પરમર્ષિ હવે પોતાનો સારભૂત ઉપદેશ આપે છે - ‘જે પરલોકમાં કલ્યાણ કરનારો છે, એવા દયામય અહિંસા ધર્મને - अहिंसोपनिषद् सञ्चिनुयाच्छनैः। धर्मेण हि सहायेन तमस्तरति दुरस्तरम् - इति (મનુસ્મૃતિૌ) 1. धर्मस्य प्रेत्यहितावहतामेव प्रमाणयति - तो अरयविरयविमले सयंपहे देवदुंदुहिनिनाए । सग्गम्मि चिरं वसिहह सुचरियचरणा चरह धम्मं ॥८॥ तस्मात् - अहिंसासमाराधनात्, सुचरितचरणाः - शोभनमनुष्ठितचारित्राः सन्तः, चिरम् - अनेकसागरोपमप्रमाणायुष्ट्वेन તમે વરો. આ જ ધર્મ કર્તવ્ય છે, સર્વ પ્રયત્નોથી તેની જ આરાધના કરવી ઉચિત છે, એવો તમે અંગીકાર કરો.” કારણ કે ધર્મ સિવાય બીજું કોઈ પરલોકમાં સહાયક થતું નથી. મનુસ્મૃતિમાં કહ્યું છે - “પરલોકમાં સહાય કરવા માટે માતા અને પિતા ઊભા રહેતાં નથી. પુત્ર કે પત્ની પણ ઊભા રહેતાં નથી. ને સગાં-સંબંધીઓ પણ નથી ઊભા રહેતાં. માત્ર અને માત્ર ઘર્મ જ પરલોકમાં સહાય કરે છે. તેથી સહાય માટે ઘીમે ઘીમે હંમેશા ધર્મનો સંચય કરવો જોઈએ. ધર્મરૂપી સહાયથી જ દુર એવા પણ અંધકારને તરી જવાય છે.” ધર્મ પરલોકમાં કલ્યાણ કરે છે - એ જ વાતનું સમર્થન કરે છે – તેથી સારી રીતે ચાઅિધર્મનું પાલન કરીને અરજ-વિરજનિર્મળ, સ્વયંપ્રભાસ્વર, દેવદુંદુભિઓના નાદવાળા, એવા સ્વર્ગમાં ચિરકાળ સુધી રહેશો. માટે ધર્મનું પાલન કરો. llcoll અહિંસાધર્મની સમ્યક્ આરાધનાથી સારી રીતે ચારિત્રધર્મનું પાલન કરનારા એવા તમે અનેક સાગરોપમોના આયુષ્યવાળા થઈને દીર્ઘકાળ સુધી દેવલોકમાં સુખોને ભોગવશો. 9. . - અર૦ | ૨. નૈ - વિમતા રૂ. - સયંમો g.T. - સચંપમા ૪. - ટુમિ | . .T. - સોનુ ૬. શું - વસિ૩|

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69