________________
-: પરિચય :
આ નાના ગ્રન્થને જે આમુખ મુ. શ્રી રામપ્રસાદ. પ્રે. બક્ષીએ લખ્યા છે તે પછી કશા પરિચયની અપેક્ષા રહેતી નથી. પરંતુ કેવળ ગુજરાતી ભાષાના વિશેષ અભિન્ન હોય એવા વાચકા માટે આ પરિચય આવશ્યક માન્યા છે.
વાઙમયમાં કેટલાક સામાન્ય ગ્રન્થા હોય છે જેમાં સહુ વાંચનારને રસ પડે અને તે વાંચવા માટે કઈ પૂર્વ અધિકારની અપેક્ષા પણ નથી હોતી. આ ગ્રન્થ આવા સામાન્ય પ્રકારના નથી. આ ગ્રન્થના વાચકને વ્યાકરણ શાસ્ત્રમાં રસ હોય એ તે આવશ્યક છે જ. પણ તે ઉપરાંત આચાર્ય હેમચંદ્રસૂરિના શબ્દાનુશાસનને પરિચય હોય એ પણ આવસ્યક છે. એવા પરિચય વગર પણ સંસ્કૃત ભાષાનું સારૂં જ્ઞાન હશે તે! પ્રહેલિકા તરીકે લક્ષણવિલાસના શ્લેાકેા રસપ્રદ નીવડશે.
પૂ. ૫. ધુરંધરવિજયજીએ જૈનધમ ના આચાર્યો, સાધુએ અને મુનિએની વિદ્યોપાસનાની પરંપરા સજીવ રાખી છે. તેમાં પણ જે ઉત્સાહથી એમણે ધાર્મિક સાહિત્યની ઉપાસના કરી છે તેવા જ ઉત્સાહથી તેમણે ભાષા અને વ્યાકરણની ઉપાસના કરી છે. તે એમની વિદ્વત્તાની સદેશીયતાની આપણને પ્રતીતિ કરાવે છે.
સૉંસ્કૃત ભાષામાં પ્રહેલિકાએ મનેારજન અને વિનાદ માટે રચાઈ છે, તે ઉપરાંત તેમાં ફૂટતા મુકીને કવિએ બુદ્ધિને ઉત્તેજવાને પણ પ્રયાસ કર્યો છે. આવી રચનાઓમાં બુદ્ધિની ચમત્કૃતિને માટે ઘણા અવકાશ છે. એટલે આ બધા શ્લોકાને આપણે કાવ્યરચનાએ કહીએ તે તે વિચારગર્ભકાળ્યા કહી શકાય. ઉર્મિના