Book Title: Jain Tirthmala
Author(s): Jain Sasti Vanchanmala
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 140
________________ ૧ર૭ ૧૫૮ ચંદ્રાવતી. સિંહપુરીથી ચાર ગાઉ અને બનારસથી સાત ગાઉ થાય છે. શ્રીમતી ગંગાજીના તટ ઉપર આ તીર્થ ચંદ્રપ્રભુના ઉદ્યાનમાં આવેલું છે. આઠમા ચંદ્રપ્રભુ સ્વામીનાં મેક્ષ સિવાયનાં ચાર કલ્યાણક અહિયાં થયાં છે. પંડિત ભાગ્યવિજયે આ તીર્થને ચંદ્રમાધવ નામ આપ્યું છે. દેરાસરમાં મૂળનાયકજી શાંતિનાથજી છે. અને ચંદ્રપ્રભુનાં પગલાં છે. એક સુંદર વાવ છે. તેમજ ત્યાં ધર્મશાળા પણ છે. ૧૫૯ પ્રયાગ (અલહાબાદ). મોગલસરાયથી મીરજાપુર થઈને રેલવે અલ્હાબાદ જાય છે. જેનું અપર નામ પ્રયાગ તીર્થ તરીકે ઓળખાય છે. શાસ્ત્રમાં તેને પુરિમતાલ તરીકે ઓળખાવેલ છે. પંડિત હંસસોમે અહિયાં અક્ષય વડની નીચે જીનેશ્વરનાં પગલાંની યાત્રા કરવાનું જણાવ્યું છે. કેટલાક કવિઓએ પગલાંની સ્થાપનામાં શિવલિંગ જોયું છે. અહિં જિન પાદુકાની સ્થાપનામાં શિવલિગની સ્થાપના કેણે કરી અને ક્યારે થઈ તે સંબંધમાં પં વિજયસાગર જણાવે છે કે, “સંવત ૧૬૪૮ માં જેને શ્રેષી રાયકલ્યાણ જે લાડવા હતો, તેણે પગલાને ઠેકાણે શિવલિંગ સ્થાપન કરેલું હતું. આ શિવલિંગને પાછળથી શહેનશાહ ઔરંગજેબે નાશ કર્યો હતો. આ વાતને પં સભા ચવિજય પણ ટેકો આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174