Book Title: Jain Tirthmala
Author(s): Jain Sasti Vanchanmala
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 162
________________ ૧૪૯ ૧૮૦ કુલપાકજી. નિઝામ હૈદ્રાબાદથી ને આલેર સ્ટેશનથી ત્રણ કેશ ઉપર કુલપાકજી તીર્થ આવેલ છે. ત્યાં બે હજાર વર્ષ ઉપર બંધાયેલું માણેકસ્વામી અથવા આદીશ્વરનું દેરાસર જાત્રા કરવા લાયક છે. અગાઉ આ દેરાસર વિશાળ હતું. આદીશ્વરની પ્રતિમા કેશરીયાજીની પ્રતિમાના બરાબર હોય તેમ લાગે છે. ત્યાંથી પગ રસ્તે ત્રણ ગાઉ ઉપર મહાવીરસ્વામીના પગમાં ખીર રાંધી, તેની પહાડ ઉપર સ્થાપના છે. ત્યાંથી ત્રણ કેશ દૂર પદ્માવતીનું મંદિર જોવા લાયક છે. ત્યાં કુલપાકજી તીર્થની સ્થાપના ફરીને થયેલી સંભવે છે, તેને લેખ નીચે મુજબ છે. સંવત ૧૭૬૭ વરસે ચૈત્ર સુદી ૧૦ પુષ્પાર્ક દિને વિજયમુહુર્તે શ્રી માણેકસ્વામી નામ આદીવર બીંબ પ્રતિષ્ઠિતમ, આદીશ્વર ઔરંગઝેબ બાદશાહ પુત્ર બહાદુરશાહ બીજરાજ સુબેદાર નવાબ મહમદ ઉસફખાં, બાદશાહ વખતે તપગચ્છ ભટ્ટારક શ્રી વિજયસૂરિશિષ્ય ભટ્ટારક શ્રી વિજય રત્નસૂરિ, પંડિત ધર્મકુશળગણિ શિષ્ય પંડિત કેશર કુશળગણિ ઉદ્ધારમ, ભાગાનગર દિવાનાત્ પ્રાકૃત શાકે ૧૬૩૩ એ રીતે વંચાય છે. ૧૮૧ તક્ષશીલા. આ શહેર હિંદુસ્તાનની બહાર કિનારા ઉપર આવેલું છે. તક્ષશીલા એ અસલ બહલી દેશની રાજ્યધાનીનું શહેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174