________________
જૈન સાહિત્યની હિતાવહ દિશા,
( ૨૧ )
આ
અને ચેાથીએ કહ્યું કે મારું પીયર ગાડાં મોકલી મગાવી હ્યા. ’’ પરથી સસરાએ પહેલી વહુને વાસીદા વાળવાનું સાંધ્યું; કારણકે તેને નાંખી દેતાં ઠીક આવડતું હતું અને તેનું નામ ઉર્જાઝતા રાખ્યું. બીજી વહુને રસોડાનુ કામ સોંપ્યું, કારણ કે જેને ખાતા આવડે તે કદાચ સારી રીતે ખવરાવી પણ શકે, અને તેનું નામ ભક્ષિકા રાખ્યું. ત્રીજીને સારી રીતે સાચવતા આવડ્યુ અટલે તેને પટારાની ચાવીઓ સોંપી, અને તેનું નામ રક્ષિતા રાખ્યું. ચેાથીને ઘરના મેાભા વધારનારી સમજી ઘરની ઉપરી નીમી અને તેનું નામ વર્ધિતા ( રહિણી ) પાડ્યુ.
પ્રતિજ્ઞા પાળવામાં ઉત્સાહ પ્રેરવા અર્થે આ કથા ઘણી ઉપયોગી ગણાય છે. વિધેતા નારીએ જેવી રીતે પાંચ દાણામાં અસંખ્ય ગણી વૃદ્ધિ કરી તેવી રીતે વ્રતી જીવેએ ક્રમે ક્રમે પેાતાના વ્રત–જપ-તપમાં પણ વૃદ્ધિ કરવી જોઇએ, એવા આ કથાના નિ છે. દીક્ષા લેનાર સ્ત્રી-પુરૂષને ખાસ કરીને આ કથાનુ વસ્તુ સમજાવવામાં આવે છે. અને ક્રમશ: સયમપાલનમાં આગળને આગળ વધવાની પ્રેરણા કરવામાં આવે છે.
ઉપમિતિ ભવ પ્રપ ́ચા કથા—આ એક રૂપક કથા છે અને પ્રોધ ચદ્રોદય નાટક અથવા Pilgrim's Progress ની સાથે રૂપક, રસ અને ભાપામાં સ્પર્ધા કરે તેવુ છે; તેનું ભાષાસાં કાદંબરીની સ્મૃતિ કરાવે છે. છતાં ખુબી એ છે કે તેમાં કલ્પનાનુ કે લાંબા લાંબા સમાસાનું કાઠિન્ય નથી. જીવસ્વભાવની હલકામાં હલકી સ્થિતિ-નિગાઢની સ્થિતિથી લઇને તે ૐ મેાક્ષની સ્થિતિએ શી રીતે પહોંચાય તેનું આમાં સુંદર વર્ણન છે. કથાની સાથે જૈનતત્ત્વ અથવા સિદ્ધાંતાની પણ ઘણી સુંદર રીતે ગુંથણી કરવામાં આવી છે. તેના ગુજરાતી તથા હિંદીમાં પણ ભાષાંતરે થયા છે, અને પ્રે. હુમ્હન જેકેાખીએ એકવાર તેને અંગ્રેજી અનુવાદ કરવાની તત્પરતા દર્શાવી હતી. કથાના કર્તા કલિકાળ કેવળીનું બિરૂદ ધરાવનાર શ્રી સિદ્ધષિ ગણિ છે. આને મળતી દ્રિગબર સાહિત્યમાં એક ચેતન કથા પણ મળી આવે છે, અને તેને અનુવાદ પણ થયા છે.
સમરાદિત્ય કેવળીના રાસ—આ રાસમાં બે મિત્રાના, જન્મજન્માંતરથી ચાલતા આવતા એકપક્ષી વૈરની વાર્તા છે. આખરે એ વેર શી રીતે ભાંગે છે તેના સરસ રીતે ખ્યાલ આપવામાં આવ્યા છે. રાસના વાંચનથી વાંચનારને કની કઠિનતાનું અને તેમાંથી છૂટવાનું સામર્થ્ય સ્ફુરે છે. મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org