Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 163
________________ જૈનવિભાગ શ્રીમદ્દે સંસ્કૃત, પ્રાકૃત, ગુર્જર, તથા હિન્દી ભાષાના રચેલા ગ્રંથૈાપરથી તેમની ભાષા સબંધી વિદ્વત્તાના ખ્યાલ સહેજે આવે તેમ છે. બાળ જીવેાને સમજાવવા માટે તેમણે સંસ્કૃત ભાષામાં બહુ સરળતાએ રચના કરી છે. જેમ બને તેમ ભાષામાં કિલતા પ્રૌઢતા, દુરવગાહતા આવવા દીધી નથી. દ્રવ્યાનુયાગના વિષયમાં સામાન્ય સંસ્કૃત જાણનારા પણ રસ લ શકે તેવા પ્રયત્ન તેમાં સ્પષ્ટ જણાય છે. જ્ઞાનમજરી ટીકા તથા વિચારસાર ટીકાદિથી તેમણે સસ્કૃત ભાષામાં ગ્રંથ રચવા માટે યથાયેાગ્ય પ્રવૃત્તિ કરી જૈન કામની અને સંસ્કૃત સાહિત્યની ભારે સેવા ઉડાવી છે. કેટલાક આધુનિક સંસ્કૃત ભાષાન મુનિવરોના એવા મત છે કે શ્રીમદ્ સંસ્કૃત ભાષાના પ્રૌઢ વિદ્વાન નહાતા પશુ અમે એમાં એટલું સુધારીશું કે-શ્રીમદ્રે દ્રવ્યાનુયાગાદિ ગહન વિષયાને સાદી સંસ્કૃત ભાષામાં બાળજીવને સમજાવવાપર ખાસ લક્ષ દીધું તેથીજ તેઓએ પ્રૌઢ સંસ્કૃત ભાષા વાપરી નથી. તેમજ ભાષા દ્વારા વિદ્વત્તા દેખાડવા તરફ તેમનું બીલકુલ લક્ષ નહેાતું તેજ તેમાં કારણ છે. આત્મજ્ઞાની મહાત્માએ ભાષાને શણુગાર સજાવવા તરફ લક્ષ દેતા નથી. તેઓ તે। ભાષા દ્વારા હૃયના આત્મિક ભાવ જણાવે છે. કવિમાં અને જ્ઞાની ભક્તમાં ભાષાના શણગાર પરત્વે તફાવત રહ્યાજ કરે છે. કવિ ભાષાને શણુગાર સાવવાની ઉપાસના કરે છે અને જ્ઞાની ભાવરસના ભેગી હાવાથી તે પોતાનું વક્તવ્ય સાદા ભાષામાં જણાવે છે. સંસ્કૃત ભાષાની પેઠે શ્રીમદે પ્રાકૃત ભાષામાં પણ વિચારસારાદિ ગ્રંથ રચ્યા છે. ૧૨૮ શ્રીમની સંસ્કૃત તથા ગુર્જર ભાષાની વિદ્વત્તા શ્રીમા સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના ગ્રંથૈાની મા ગુર્જર ભાષાના ગ્રંથા પણ ધણા ઉંચા દરજ્જો ભાગવે છે. ગુર્જર ભાષા પર તેમના કાઝુ અદ્વિતીય હતા અને મારવાડ-કચ્છ-સિંધ-આદિ દેશામાં વિહરવા છતાં ગુર્જર ભાષાપરના શ્રીમદ્ના કાબુ અને પ્રેમ તેવાંજ હતાં, અને ગમે તે દેશમાં પણ ગુર્જર ગિરાની તેમની ઉપાસના અખતિજ હતી. ગુર્જર સાહિત્યના ખળમાં તેમના પુષ્ટિના ફાળા ચાલુજ રચે છે અને દ્રવ્યાનુયાગ જેવા અતિ ગહન વિષયોને તેમણે ચેાવીશી વગેરે પધ ગ્રંથેામાં એવી સાદી ને સુન્દર રીતે ગુંથ્યા છે કે જે વિષયે। પહેલાં ગુર્જર ભાષામાં કાએ ગુંથ્યા નહતા. શ્રીદે ચેાવીશી પર જાતેજ ટમેા ભરીને દ્રવ્યાનુયોગના ગહન જ્ઞાનના લાભ સરલતાથી જે જેન કામતે આપ્યા છે. તે અતિ ઉપકારક છે. એકંદર શ્રીમદ્દે ગુર ભાષામાં ગદ્યપર્ધમાં જૈન તત્ત્વજ્ઞાનના ગઢન ગ્રંથા લખીને ભાષાજ્ઞનની વિદ્વત્તાની પણ મહત્તા જનસમાજને બતાવી આપી ગુર્જર સાહિ ત્યને પેખ્યું છે. ભાષાની-દૃષ્ટિએ વાચકે! તેમાંથી ભારે લાભ મેળવી શકશે. સંસ્કૃત પ્રાકૃત ભાષામાં ગ્રંથ રચીને શ્રીમદ્દે વિશ્વના ભાષા સાહિત્યની વૃદ્ધિમાં સારા ળા આપ્યા છે. શ્રામની કવિત્વશકિત શ્રીમદ્દે કવિત્વ શક્તિને ભક્તિમાં વ્યય કર્યાં છે. ભક્ત લેાકેા કવિત્વ શક્તિને ભક્તિના રૂપમાં પરિણમાવે છે. તેએ અનેક રૂપર્કાથી પ્રભુનું વર્ણન કરે છે. શ્રીમદ્દે ઉપમાલંકારાને પ્રભુભક્તિના રૂપોમાં પરિણમાવ્યા છે. તેમણે આધ્યાત્મિક દૃષ્ટિએ મેધને પ્રભુની ભક્તિમાં રૂપકથી પમિાવ્યા છે તે જોઇએ:~ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206