Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 184
________________ કવિવર સમયસુન્દર ૧૪૯ “આ ઈતિહાસ શું કહે છે? ગુજરાતના અગ્રગણ્ય નાગરિક જૈનેને સૂર્ય ગુજરાતના હિન્દુ સામ્રાજ્ય દરમ્યાન મધ્યાહ્નમાં હતો અને હેમચંદ્રની માફક અમાસને દિવસે પ્રકાશજજવલ પૂર્ણિમા આણવા સમર્થ હતો. તેઓ મહિનાઓના મહિના સુધી દરિયો ખેડી લાંબી સફર કરી દેશદેશાવરની લક્ષ્મી લાવી ગુજરાતમાં ઢળતા; પિતાનાં વીરત્વ અને વફાદારીથી રાજા પ્રજા ઉભયને સંકટ અને સૌભાગ્યના સમયમાં મદદ કરતા, અણહિલપુરની ગાદીનું ગૌરવ જાળવતા-વધારતા; બીજા દેવોનાં મંદિરો ખંડિયર થઈ જતાં હતાં, છતાં સરસ્વતી દેવીનાં મંદિરો જન સાધુઓના ભીષ્મ પરિશ્રમને લીધે ઘંટનાદથી ગાજી રહ્યાં હતાં. દેલવડાપરનાં વિમળશાહનાં દહેરાં જેવાં અનેક સૌંદર્યથી ગૂજરાત વિભૂષિત થતું હતું: રાજ્યની - ઉથલપાથલો, અંધાધૂધી, અને બીનસલામતી વારંવાર નડતી છતાં પિતાના ઉત્કૃષ્ટ વૈશ્ય ગુણોને લીધે ગુજરાતને વેપાર પડી ભાંગવા ન દીધો અને આજ પર્યત વેપાર ખેડવાની લાયકાત અને શક્તિ તેજ રાખ્યાં.” (જૈનધર્મ પ્રકાશને જ્યુબિલી અંક). આટલું કહી હવે આપણે પ્રસ્તુત કવિ પરિચય કરવા પ્રત્યે વળીશું. કવિ પરિચય કવિ પિતાના જૂદા જૂદા ગ્રંથમાં નાની મોટી પ્રશસ્તિ આપી પિતાને કંઇક પરિચય કરાવતા ગયા છે. તે પરથી સમજાય છે કે પોતાને ગચ્છ જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાય પૈકી ખરતરગચ્છ હતો. તે ગચ્છના ઉત્પાદક સંબંધી એ ઉલ્લેખ કરે છે કે – જૈનોના છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીની પટ્ટપરંપરાએ દેવાચાર્ય થયા, તેમના પટ્ટધર નેમિયંક, તેના પછી ઉતનસુરિ થયા. તેમણે આબુગિરિના એક શિખર પર અષ્ટમ તપ આદરી સરિમંત્ર આરા. ત્યાર પછી વર્ધમાનસૂરિ થયા. તેના શિષ્ય જિનેશ્વરે ગૂજરાતના રાજા દુર્લભરાજ (સં. ૧૦૬૬ થી ૧૦૭૮) ની રાજ્યસભામાં શ્રી અણહિલપુર (પાટણ) નગરે વેતપટ (ચૈત્યવાસી) સાથે વાદ કરી તેઓનો પરાભવ કર્યો અને વસતિને મને તારી માર્ગ પ્રકટ કર્યો. તે સૂરિના પટ્ટધર સંવેગરંગશાલા નામની ગ્રંથના રચનાર જિનચંદ્રસૂરિ થયો અને તેના પછી પટ્ટધર, ખરતરગણનાયક, જન સિદ્ધાંત શાસ્ત્રો પૈકી નવે અંગ-આગમપર સંસ્કૃતમાં વૃત્તિ-ટીકા રચનાર અભયદેવસૂરિ થયા. ૧૧ ૧૧. વિક્રમની સત્તરમી શતાબ્દિમાં (સં. ૧૬૧૭) અભયદેવસૂરિ ખરતર હતા કે નહિ તે સંબંધી પાટણમાં જ તપાગચ્છના ધર્મસાગર ઉપાધ્યાય અને ખરતર ગચ્છના ધનરાજ ઉપાધ્યાયને જબરે ઝઘડો થયો હતો. ધર્મસાગરે એવું પ્રતિપાદન કરવા માગ્યું હતું કે ખરતર ગચ્છની ઉત્પત્તિ જિનેશ્વરસૂરિથી નહિ, પણ જિનદત્તસૂરિથી થઈ છે. અભયદેવસૂરિ ખરતર ગચ્છમાં થઈ શકતા નથી; જિનવલ્લભસૂરિએ શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણ કરી છે.–વગેરે ચર્ચાના વિષયો પિતાના ઑણિક મતભૂગદીપિકા નામના ગ્રંથમાં મુક્યા ( સં૦ ૧૬ ૧૭.) આ ગ્રંથનું બીજું નામ પ્રવચન પરીક્ષા છે ત્યા બંને જૂદા હોય–બંનેમાં વિષયો સરખા છે. તેમાંના એકનું બીજું નામ કુમતિકંદકુદ્દાલ છે. આથી બહુ હાહાકાર થશે. બે ગચ્છ વચ્ચે અથડામણું અને અંતે પ્રબળ વિખવાદ ઉત્પન્ન થતાં તે કયાં અટકશે એ વિચારવાનું રહ્યું. વિ. ૬. ૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206