Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 187
________________ ૧૫૨ જૈનવિભાગ વિનય એ બે સાધુઓને ઉપાધ્યાય પદ આપ્યું. આ વાત ઉક્ત ગુણવિનય ૧૫ ઉપાધ્યાયે જ સં. ૧૬૫૫ માં રચેલા કર્મચંદ્ર મંત્રિવંશ પ્રબંધ-કર્મચંદ્રવંશાવલિ પ્રબંધમાં આપેલી છે. કે જે કર્મચંદ્ર મંત્રીએ આ આચાર્ય મહોત્સવ કરેલો. આ સમયે જ જિનચંદ્રસૂરિને યુગપ્રધાનપદ મળેલું જણાય છે. વાચક પદ ગુણ વિનયનઈ, સમયસુંદરનઈ દીધઉ રે યુગ પ્રધાનજીનઈ કરઈ, જાણિ રસાયણ સીધઉ રે –શ્રી જિન શાસન ચિર જયઉ. આ ઉત્સવના શુભ કાર્યના ઉપલક્ષમાં બાદશાહ અકમ્બરે ખંભાતના બંદર ઉપર એક વર્ષ સુધી કેઈ મગર કે માછલીઓ ન મારે એવો હુકમ બહાર પાડ્યો હતો. તેમ લાહેરમાં પણ એક દિવસ કેઈએ પણ જીવની હિંસા નહિ કરવાની આજ્ઞા ફેરવી દીધી હતી. (જુઓ ઉક્ત પ્રબંધ ઐતિહાસિક રાસમાળા ભાવ ૩; જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય.) જુઓ ૫૦ જયસમ કૃત સંસ્કૃતમાં કર્મચંદ્ર મંત્રી પ્રબંધ. ઉક્ત જિનસિંહ સૂરિએ બાદશાહ પર પિતાને પ્રભાવ પાડી તેની પાસેથી આષાઢ શુદિ ૮ થી આષાઢ શુદિ ૧૫ સુધીના સાત દિવસમાં બીલકુલ જીવવધ ન થાય એવું ફરમાન મેળવ્યું હતું. આ અસલી ફરમાન પત્ર હાથ આવ્યું છે ને તે હિન્દી “સરસ્વતી' માસિકના જૂન, સને ૧૪૧૨ ના અંકમાં છપાયું છે. આમાં હીરવિજય સૂરિના ઉપદેશથી પર્યુષણના આઠ અને બીજા ચાર એમ બાર દિવસો સુધીમાં જીવવધના નિબંધ માટે ફરમાન આપ્યું છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. જિનચંદ્રસૂરિ એક પ્રભાવક મહાપુરુષ હતા. તેમનાં જ્ઞાન અને આચારની ખ્યાતિ અકમ્બર બાદશાહે ઉક્ત કર્મચંદ્ર બછાવત પાસેથી સાંભળી પિતાની કલમ વડે ફરમાન (વિનતિ) પંજાબના લાહોર નગરથી લખી અને પિતાના ખાસ મરજી દાન ઉમરાવો તે હતું. પટ્ટધર જિનચંદ્ર સૂરિ સ્વર્ગસ્થ થતાં વેનાતટમાં (બિલાડા મારવાડમાં ) ગચ્છનાયક પદ સં. ૧૬૭૦ ને પૌષ વદિ ૧૩ ને દિને મેડતામાં થયો. (જુઓ ઉપરોક્ત ખરતર ગ૭ પટ્ટાવલિ; સનાતન જૈન, જુલાઈ ૧૯૭, રત્નસાગર ભાગ ૨ પૃ ૧૨૭; જ્ઞાનવિમલકૃત સં. ૧૬૫૪ ની શબ્દપ્રદ વૃત્તિમાંની ગુરુપટ્ટાવલિ, પીટર્સને રીપોર્ટ બીજે પૃ૦ ૬૫). તેમની પાટે જિનરાજ સૂરિ (બીજા) આવ્યા. ૧૫. ગુણવિનય વાચક-તેમણે ભાષામાં આ પ્રબંધ ઉપરાન્ત અંજનાસુંદરી પ્રબંધ સં. ૧૬૬૨ ના ચૈત્ર સુદ ૧૩ બુધે; ગુણસુંદરી ચેઈ; અંચલમત સ્વરૂપ વર્ણન રાસ સં. ૧૬૭૪ માઘ શુદ ૬ રવિવારે માલપુરમાં રચેલ છે. ખરતર ગ૭ની ક્ષેમ શાખામાં ક્ષેમરાજ ઉપાધ્યાયના પ્રબંધમાણિજ્ય શિષ્ય, તેના જયસોમ, અને તેના તેઓ શિષ્ય થાય. આ કવિએ સંસ્કૃતમાં પણ અનેક ગ્રંથો રચ્યા છે તે પૈકી ખંડ પ્રશસ્તિ કાવ્ય ટીકા સં૦ ૧૬૪, દમયંતી ચંપૂ ટીકા સં૦ ૧૬૪૬, રધુવંશ ટીકા સં. ૧૬૪૬, વૈરાગ્યશતક ટીકા સં૦ ૧૬૪૭, ઈદ્રિય પરાજયશતક વૃત્તિ સં. ૧૬૬૪, ઉસૂત્રેન કુલક ખંડન સં૦ ૧૬૬૫ કે જેમાં ઉપરક્ત ધર્મસાગર ઉપાધ્યાયના મતનું ખંડન કરેલું જણાય છે, સંબોધસત્તરી ટીકા, લઘુ અજિતશાંતિ સ્તોત્ર ટીકા છે. આ ઉપરથી તેઓ સત્તરમા સૈકામાં એક વિદ્વાન ટીકાકાર અને સાક્ષર હતા એ વાત નિર્વિવાદ સ્થાપિત છે. (વધુ માટે જુઓ એ રાસસંગ્રહ ભાગ ૩ જો) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206