Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 192
________________ કવિવર સમયસુંદર ૧૫૭ જેનાં ભારતવર્ષમાં તેમના તીચેકરોની જન્મભૂમિ, દાક્ષાભૂમિ, કેવલજ્ઞાનભૂમિ, નિર્વણભૂમિ તરીકેનાં તીર્થો અનેક છે. તેમાં મુખ્ય શત્રુજ્ય, ગિરનાર, સમેતશિખરાદિ છે. તે સર્વની યાત્રા દરેક ચુસ્ત જૈનને માટે આવશ્યક ગણાય. આ કવિએ રચેલ “તીર્થમાલા સ્તવન” પરથી જણાય છે કે તેમાં લખેલ અષ્ટાપદ અને નંદીશ્વર એ શાસ્ત્રોક્ત તીર્થ સિવાય બધાંય તીર્થની યાત્રા તેમણે કરી હતી. તે સ્તવન નીચે પ્રમાણે છે:૧૮ શત્રુજે ઋષભ સમેસર્યા ભલા ગુણ ભર્યારે, સિદ્ધા સાધુ અનંત, તીરથ તે નમુરે, તીન કલ્યાણક તિહાં રયાં, મુગ ગયા, નેમિધર ગિરનાર, તીરથ તે નમંરે ૧ અષ્ટાપદ એક દેહરો, ગિરિહરે, ભરતે ભરાવ્યાં બિંબ--તી. આબુ ચૌમુખ અતિ ભલે, ત્રિભુવનતિરે, વિમલ વસઈ વસ્તુપાલ. સમેતશિખર સોહામણો, રલિયામણેરે, સિદ્ધા તીર્થકર શિ, નયરી ચંપા નિરખી, હૈયે હરખાયેરે, સિદ્ધા શ્રી વાસુપૂજય. પૂર્વ દિશે પાવાપુરી, ઋદ્ધિ ભરી રે, મુક્ત ગયા મહાવીર જેસલમેર જુહારીયે, દુઃખ વારીયેરે, અરિહંત બિંબ અનેક વિકાનેર જ વંદી, ચિર નંદીયેરે, અરિહંત દેહનું આક. સેરિસરે સંખેશ્વર, પંચાસરેરે, ફલેથી થંભણ પામ. અંતરિક અંજાવર, અમીઝરરે, જીરાવલે એ જગનાથ. કૈલોક્ય દીપક' દેહરે, જાત્રા કરરે, રાણપુરે રિસહે. શ્રી નાલાઈ જાદવો, ગેડી સ્તરે, શ્રી વરકા પાસે, નંદીશ્વરનાં દેહાં, બાવન ભલારે, રૂચકડલે ચાર ચાર. શાશ્વતી આશાશ્વતી, પ્રતિમા છતીરે, સ્વર્ગ મૃત્યુ પાતાલ તીરથ યાત્રા ફલ તિહાં, જે મુઝ ઇટાંરે, સમયસુંદર કહે એમ. મહાકષ્ટ ૧૮૬૯ માં કોટની નાચે તેમના તરફથી શિખરબંધ દહેરું બંધાયું. દહેરા સંબંધી વિગત જિનસુખરિએ જેસલમેર ચૈત્ય પરિપાટી બનાવેલ છે તેમાં મળે છે. (જુઓ પ્રાચીન તીર્થમાલા સંગ્રહ પૃ૦ ૧૪૬.) ૧૮. શત્રુંજય-પાલીતાણા કાઠીયાવાડમાં-આવેલ પવિત્ર ગિરિ. ગિરનાર-જુનાગઢમાં આબુ કે જ્યાં વિમલ મંત્રીઓ અને વસ્તુપાલ મંત્રીએ મહાન કારીગરીનાં અદ્દભુત જૈન દેવાલય બંધાવેલાં છે. સમેતશિખર કે જ્યાં ૨૪ તીર્થંકર પૈકી ૨૦ મુક્તિ પામ્યા છેકલકત્તાથી જવાય છે. ચંપા એ વાસુપૂજ્યની નિર્વાણભૂમિ. “પાવાપુરી--મહાવીરની નિર્વાણભૂમિ. જેસલમેરવિકાનેર પ્રસિદ્ધ છે. સેરીસર, સેરિકા-કલોલ પાસે. આ તીર્થને હમણાં જ ઉદ્ધાર કરવામાં આવ્યો છે. શંખેશ્વર પાર્શ્વનાથ–પાટણથી ૨૦ ગાઉ દૂર. પંચાસરો પાર્શ્વનાથ પાટણમાં વનરાજ ચાવડાએ સ્થાપેલ. ફોધી–મેડતારોડ સ્ટેશનથી પા ગાઉ. સ. ૧૧૮૧ માં પાર્શ્વનાથની પ્રતિમા રથપાએલી છે. વિ. ૬, ૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206