Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 178
________________ કવિવર સમયસુન્દર ૧૪૩ જિનસિંહરિને મેટાં ધાર્મિક બિરૂદ આપ્યાં, અને શહાજહાંએ પણ સહાનુભૂતિ દાખવી. આ સામાન્ય રીતે શાંતિની શતવર્ષમાં અન્ય ધર્મોમાં પણ ઘણી જાગૃતિ આવી અને સાહિત્યવૃદ્ધિ થઈ. સં. ૧૬૦૦ માં તળ અમદાવાદમાં જન્મનાર દાદુજીએ ત્યાગી ફકીર બની જયપુર માંના રાજયમાં ઘણે જીવન-કાળ કાઢી ૧૬૪૨ માં અકબર સાથે ધર્માલાપ કર્યો. વેદાન્તજ્ઞાન સામાન્ય મનુષ્યોને ગળે ઉતારવા સરલ રીતિથી લોકગમ્ય ભાષામાં ઉપદેશ કર્યો મુખ્ય વાત એ હતી કે. આપા મટે, હરિ ભજે, તન મન તજે વિકાર, નિર્વેરી સબ જીવ, દાદુ યહુ મત સાર. એક પરમેશ્વર જગત સાર છે. તે પરબ્રહ્મ ઈષ્ટદેવ તે “રામ” છે. તેની ઉપાસનાથી સુખની પ્રાપ્તિ થાય છે. જગતનાં સુખો તેની પાસે નિઃસાર છે. તે પરમ આનંદમય સુખ પ્રાપ્ત કરવા દાદુ દયાલે બીજા સાધન માગૅમાં જણાતા બાહ્ય આડંબરી પ્રપંચ ( જેવા કે રામાનુજ, વલ્લભાદિ સગુણ પૂજાઓમાં ), કોરી બંદગી આદિને તુચ્છ બતાવ્યાં. સર્વ સાથે દેષ તજી હળી મળી રહેવું અને સર્વ જીવપર દયા દષ્ટિ રાખવાની તેણે આજ્ઞા કરી. આ પ્રમાણે એવાં સાધને તેણે બતાવ્યાં કે ભિન્ન મતવાળા હિન્દુ મુસલમાન આદિ અવિરોધે આચરી શકે. તે સં. ૧૬૬૦ માં નારાયણ ગામમાં (નારાણે ) સ્વર્ગસ્થ થયા. તેના શિષ્ય સુન્દરદાસે (જન્મ સં. ૧૬૫૩, દાદુજી પાસે દીક્ષા સં૦ ૧૬૫૯, મરણ ૧૭૪૬) વેદાન્ત જ્ઞાનને સુમધુર સરલ અને ઉચ્ચ હિદી કાવ્યમાં વિવિધ પ્રકારની રચના કરી. તેમણે અદ્વૈત બ્રહ્મવિદ્યાનો પ્રચાર કરવાથી અને તેઓ અતિ કુશલ વિદ્વાન હોવાથી તેમને દાદુપંથીઓ “બીજા શંકરાચાર્ય' કહે છે. ૧ ગોસ્વામી તુલસીદાસઃ-(જન્મ સં. ૧૬૦૦; મરણ સં૦ ૧૬૮૦) આ હિન્દી સાહિત્યના અપ્રતિમ મહાકવિ છે. તેમણે રામાયણ રચી તે એટલી બધી આજસુધી પ્રસિદ્ધ છે કે, તેનું વાચન દરેક હિન્દી કુટુમ્બમાં થાય છે. તેમજ તેમણે અનેક હિન્દી કાવ્યો રચ્યાં છે. તે અકબરના પ્રસિદ્ધ કવિ ગંગના તથા અન્ય હિન્દી પ્રસિદ્ધ કવિ વિહારી તથા કેશવદાસના સમકાલીન છે. મહારાષ્ટ્રમાં અઢાર પર્વના મહાભારતને મરાઠીમાં પહેલવહેલાં અવતારનાર કવિ વિષ્ણુ દાસ, અને મુકતેશ્વર (જન્મ ૧૬૫૬, સ્વર્ગ. ૧૭૦૬) તેમજ પ્રસિદ્ધ સંતકવિઓ એક ૧ રાઘવીય ભક્તમાલમાં જણાવ્યું છે કે “શંકરાચાર્ય દૂસરે, દાદુ કે સુંદર ભર્યો.” આ સુન્દરદાસજીએ સં. ૧૬૬૩–૧૬૮૨ કાશીમાં રહી વિધા લઈ લેકને આપી. પછી બહુ પર્યટન કર્યું. ગુજરાતમાં પણ તે ઘણે કાળ રહ્યા હતા અને ગુજરાતી ભાષા પિતે શીખી લીધી હતી. તેના અપ્રસિદ્ધ “દશે દિશાકે સંયે ' માં ગુજરાત સંબંધી લખ્યું છે કે – આભડછાત અતીત સૌ કીજિયે, બિલાઇ રૂ કૂકર ચાટત હાંડી ” આ પરથી જણાય છે કે વૈષ્ણવ સંપ્રદાયની અસરથી ગુજરાતમાં આભડછેટ પર લોકોનું ઘણું ધ્યાન રહેતું હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206