________________
૧૧
1.
જૈનવિભાગ
હતા. પણ હવે તે પ-૭ ગચ્છે જ રહ્યા જણાય છે ને તેમાં શ્રીમદ જન્મ પણ ઝાઝા ભેદભાવ નથી જણાતા. શ્રીમદ્દ ખરતર ગચ્છના,
તેમના વિદ્યાગુરુ અંચળ ગચ્છના, અને તેમણે તપાગચ્છના મહાન ધુરંધર પંડિતને ભણાવ્યા છે. આ પરથી શ્રીમદ્ભા ગ૭ભેદની બાબતના વિચારની વિશાળતાની પ્રતીતિ થાય છે.
શ્રીમદે ૧૭૪૩ ની સાલમાં પ્રથમ ગ્રંથ લખ્યો ને એ ગ્રંથ તે અષ્ટપ્રકારી પૂજા. તે વખતે તેમની ઉમર ઓછામાં ઓછી બાવીસ વર્ષની હોવી જોઈએ. એટલે તેમને જન્મ સં. ૧૭૨૦ ની સાલ લગભગ સંભવે છે અને દીક્ષા સં. ૧૭૩ર લગભગમાં સંભવે છે. આ પ્રમાણે તો શ્રીમદ્દ દીક્ષા લીધા બાદ ૧૧ વર્ષ અને જન્મથી ગ્રેવિશ વર્ષે ગ્રંથ રચવાને સમર્થ થયેલા હોવા જોઇએ. તેમજ તેમને ગ્રહસ્થાવાસ લગભગ ૧૨ વર્ષને હોઈ શકે. શ્રીમદે ખરતર ગચ્છના પાઠક દીપચંદ્રજી પાસે દીક્ષા લીધી હતી. આ ગચ્છમાં મહા
તાપી શ્રી જિનચંદ્રસૂરિ, તેમના શ્રી પુણ્યપ્રધાનપાધ્યાય, તેમના દીક્ષા, સુમતિસાગરોપાધ્યાય, તેમના રાજસાગર, તેમના જ્ઞાનધર્મપાઠક
થયા, અને તેમના શિષ્ય રાજહંસ અને દીપચંદ્રજી થયા. એ કમાન ઉપાધ્યાયજી દીપચંદ્રજી પાસે શ્રી દેવચંદ્રજીએ દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા બાદ તેઓશ્રી ગુજરાત, કાઠીયાવાડ અને મારવાડમાં વિચર્યા હોય તેમ
જણાય છે. શ્રીમદ્દન ગુર્જર ગિરાપરનો કાબુ ઘણો સારો હતા. વિહાર સં. ૧૭૬૬ ની સાલમાં તેઓએ પંજાબ (મુલતાન) માં
ધ્યાનદીપિકાચતુષ્પદી બનાવી, તે પણ ગુજરાતીમાં જ બનાવી છે. એથી જણાઈ આવે છે કે શ્રીમદ્ ગુર્જરાષ્ટ્રીય જ હોવા જોઈએ. ધ્યાનચતુષ્પદીની થોડીક વાનગી –
સંસ્કૃત વાણિ પંડિત જાણે, સરવ જીવ સુખદાણજી | જ્ઞાતા જનને હિતકર જાણી, ભાષારૂપ વખાણીજી છે સંવત લેણ્યા રસને વારે ( ૧૭૬૬ ) ગેય પદાર્થ વિચારે છે અનુપમ પરમાતમ પદ ધારે, માધવ ભાસ ઉદારજી છે ખરતર આચારજ ગચ્છ ધારી, જિણચંદ્રસૂરિ જયકારી છે તસુ આદેશ લહી સુખકારી, શ્રી મુલતાન મઝારીજી ધ્યાનદીપિકા એહવો નામ, અરથ અછે અભિરામજી છે
રવિશશિ લગિ થિરતા એ પામો, દેવચંદ્ર કહે આમોજી છે આ ભાષાપરથી સહજ પ્રતિત થાય છે કે શ્રીમદ્ લાંબો વખત ગુજરાતમાં રહેલા, ગુજરાતમાં જન્મેલા અને ગુર્જર ભાષા પર તેમને કાબુ ઉત્તમ હોવા ઉપરાંત ભાષા કિલષ્ટતાકરતા વિનાની, સરળ ને ભાવવાહી છે.
ગુજરાતમાંથી વિહાર કરી શ્રીમદ્ ભારવાડ ગયા. ત્યાં તેઓએ ચાતુર્માસ કર્યું ને ત્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org