________________
આનંદ કી ઘડી આઈ...
શ્રી વાસુદેવ સ્માર્ત. ગુજરાતના કલાગુરુ. દક્ષિણ ગુજરાતની જૈન ચિત્રકલાને જગતના ચોકમાં રજૂ કરનાર એક કલાવિદ્રકલાકોવિદ.
દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોનાં ચિત્રોનો એમનો અભુત ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે, તે અંગત રીતે મારા માટે, એક અકથ્ય આનંદાનુભૂતિની સંતર્પક ઘટના છે.
ધર્મ એ મારી જીવનસાધના છે, કલા એ જીવન-પ્રીતિ. આ બંને વાનાંનો સુરેખ સમન્વય થતો હોય તેવા આ
આ સ્વરૂપના આવિર્ભાવની સુખદ ઘટનામાં સહભાગી - સહયોગી કે પછી ખરેખર તો નિમિત્ત, બનવાનો સુયોગ મને મળ્યો, એ પણ એક ભવ્ય અકસ્માતુ લાગે છે.
રોમહર્ષ, મોટે ભાગે, વાણીને મુદ્રિત કરી મૂકનારી સંવેદના છે. એટલે બીજું કાંઈ પણ ન કહેતાં, શ્રી વાસુદેવભાઈના મારા પરના એક પત્રનો નાનકડો અંશ જ આ સ્થળે ટાંકું :
આપનો સુંદર, ભાવભીનો પત્ર મળે છે ત્યારે મારી જાતને ધન્ય માનું છું. આપણો કોઈ ભવ ભવનો અતૂટ સંબંધ લાગે છે. મને તમને મળવાની ઘણી ઇચ્છા છે. જેવી પ્રભુની ઇચ્છા.
આપણે દક્ષિણ ગુજરાતના જૈન મંદિર પર મારું કામ પ્રકાશિત કરવાની યોજના બનાવી છે. આમ બધું તૈયાર છે, પરંતુ પ્રકાશિત કરવું છે તો થોડી હકીક્ત ઉમેરવી અને ફરી ચોક્કસ જોઈ જવું જોઈએ. આ અંગે પણ મારા મનમાં રમ્યા કરે છે. થોડું મેં ઉમેર્યું પણ છે. પરંતુ હવે કામ કરવા નિશ્ચય કરીશ. મારી પાસે ભાવ છે ભાષા નથી. પ્રેમ છે પત્ર નથી. એટલે આ પત્રને પ્રેમપત્ર માનશો. અસ્તુ.” (૨૫-૩-૯૯)
કલાકાર તરીકે વિચારીએ તો શ્રી વાસુદેવ સ્માર્ત એ ભારતના, વિશેષતઃ ગુજરાતના મૂર્ધન્ય ગણાતા કલાવિદો પૈકી એક છે. એક કલાકારમાં જ સંભવી શકે તેવાં કલા પ્રત્યેની નિષ્ઠા અને પ્રીતિ, કલાનાં મૂલ શાસ્ત્રોનું ઊંડુ અવગાહન, ચિંતન, અલગારી પ્રકૃતિ અને તેવી પ્રકૃતિને જ અરઘે તેવી રખડપટ્ટી-કલાયાત્રા, ગાંધી મૂલ્યોમાં પાકી નિષ્ઠા, આ બધાં તત્ત્વો વાસુદેવભાઈમાં સહેજે જોવા મળતાં. કલાક્ષેત્રે તેમણે હિન્દ-સમગ્રની કલા-શૈલીઓને પોંખી છે, પોતાની પીંછીમાં અવતારી છે અને તે રીતે તેનું સંરક્ષણ-સંવર્ધન કર્યું છે. પરંતુ, તે બધાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ ગણાય
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૧
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org