Book Title: Jain Kashtapat Chitra
Author(s): Vasudev Smart
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 36
________________ કમળતળાવ સિત્તનવાસલ સિનનવાસલ એટલે સિદ્ધોને રહેવાનું સ્થળ. દક્ષિણ ભારતમાં મદ્રાસથી ૩૫૦ માઈલ, અને ત્રિચિનાપલ્લીથી ૩૩ માઈલ દૂર, પુરા શહેરથી ૧૨ માઈલ ઊંડાણમાં, પ્રગાઢ જંગલમાં, કાળા પથ્થરના વિશાળ પહાડમાં આ નાનકડું દિગંબર જૈન ગુફામંદિર આવેલું છે. પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો જૈન સંપ્રદાયનો હતો. ઈ.સ. ૯૪૦-૬૭૦માં આ ગુફામંદિરનું નિર્માન્ન થયું હતું. ગુહામંદિરના અંદરના ભાગમાં ચિત્રો અને શિલ્પો છે તથા તેના બારના ભાગમાં મૂર્તિઓ છે. ધ્યાનમુદ્રામાં સર્પ પર સ્થિત તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિ અને સામેની દીવાલમાં જૈન આચાર્યનું શિલ્પ છે. ગર્ભગૃહમાં ત્રણ મૂર્તિઓ છે. રંગમંડપની માં ભાતચિત્ર છે તથા બહારના ભાગમાં કમળો ને કમળપત્રોથી સુશોભિત સરોવરમાં જળચર પ્રાણીઓ, માછલીઓ, મગરમચ્છ, મહિષી, હાથીઓ, ક્રીડા કરતાં હંસયુગલોનું વંતનું આલેખન છે, બે દિવ્ય પુરુષો પણ છે. સ્તંભો પર નર્તકીઓ છે, જે ભારતીય ચિત્રકળામાં આકારિત થતી આવતી ઉત્કૃષ્ટ નર્તકીઓની પ્રતિનિધિ સમી છે. શ્રવણ બેલગોડા ઘણું જૂનું જૈન તીર્થસ્થાન છે. લગભગ ત્રીજી શતાબ્દીથી તે જાણીતું છે. દસમી સદીમાં ગંગવંશના રાજમંત્રી ભડવીર શાસક ચામુંડરાયે ઇન્દ્રગિરિ પહાડ પર બાહુબલિની વિશાળકાય મૂર્તિનું નિર્માણ કરાવ્યું. એક જ પથ્થરમાં ૬૦ ફૂટ ઊંચી વીતરાગની મૂર્તિ ઈ.સ. ૯૮૧માં રચાઈ. ભારતીય શિલ્પશાસ્ત્રનું આ અદ્ભુત સર્જન છે, જેની પૂરી રચના જૈન શિલ્પવિધાન અનુસાર છે. નીચે જૈન મંદિર છે, એમાં સુંદર ભીંતચિત્રો છે, ગંધાગાર પણ છે. અમૂલ્ય નવ રત્નની જુદી જુદી અઢી ઈંચના કદની મહાવીરની મૂર્તિઓ છે અને ત્યાં આચાર્ય ચારુકીર્તિ ભટ્ટાર્ક નામના વિદ્વાન જૈન યતિ રહે છે. Malik જૈન કાંચી : તિરુપતિકુમુ વેગવતી નદીને દક્ષિણ કિનારે કાંચીથી ૧૨ માઈલ દૂર આ એક નાનકડું ગામ છે. એ જૈન કાંચીને નામે જાણીતું છે. આ પણ દિગંબર પંથીઓનું મંદિર છે. આ મંદિરની પરસાળની છતમાં ભગવાન મહાવીર, તથા અન્ય તીર્થંકરોના જીવનપ્રસંગો ઉપરાંત રામાયણ, મહાભારત, કૃષ્ણજીવનનાં સુંદર ચિત્રો છે, જેની શૈલી લંકાના સિંહહંગર અર્થાત્ સિગિરિયાને મળતી આવે છે. તેમાં અજંતા શૈલીની છાયા પણ વરતાય છે. આ ચિત્રો વિજયનગરનો પૂર્વકાળ (૧૪મી સદી દર્શાવે છે. થોડાં ચિત્રો ૧૬-૧૭મી સદીનાં પણ છે. ઊંચાં તથા લીલાં વૃક્ષો, સાદી સરળ છતાં સુડોળ આકૃતિઓ, ઓછુંછતાં સુંદર અલંકરણ, સુદૃઢ રેખાંકન, રંગોમાં સફેદ, કાળો, ગેરુ, અને પીળી મટોડીનો વપરાશ જોવા મળે છે. ૨૦ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144