________________
‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ' આજના સમયમાં પ્રસિદ્ધ બનેલી આ કહેતી ભરૂચની ભૂતકાલીન જાહોજલાલીનો પરિચય આપે છે. આ નગરીની અતિ પ્રાચીનતાને જૈન અને જૈનેતર ગ્રન્થો પ્રમાણભૂત ઠેરવે છે. ભૃગુચક કે ભૃગુપુર નામથી તે પ્રાચીન કાળમાં પ્રસિદ્ધ હતું.
કે
ભરૂચના ધીકતા બંદરી વ્યાપારે તેનું મહત્ત્વ ખૂબ વધાર્યું હતું. લાટ દેશનું આ મહત્ત્વનું નગર એક સમયે સમૃદ્ધિના શિખર પર હતું. આ નગરના વૈભવથી લલચાઈ અનેક શાસકોએ તેનું આધિપત્ય પ્રાપ્ત કરવા યુદ્ધો ર્યાં હતાં.
સિંહલદ્વીપના સિંહલ રાજાની કુંવરી સુદર્શનાએ જાતિ સ્મરણ જ્ઞાનમાં પોતાનો સમડી તરીકેનો પૂર્વ ભવ જોયો. તેથી ધર્માનુરાગી બનીને તેણે અશ્વાવબોધ ચૈત્યનો ઉદ્ધાર કરાવી તેને ‘શકુનિકાવિહાર’ નામ આપ્યું. અને પોતાના બોધસ્થાન ભરૂચ આવી ભરૂચના રાજા જિતશત્રુ અને ધર્મપતા સમા ઋષભદત્ત શેઠની સહાયથી સાતમાળનું એક દેવવિમાન તુલ્ય ગગનચુંબી જિનમંદિરનું નિર્માણ કરાવ્યું. સમડીમાંથી સુદર્શના બનેલી રાજકુમારીએ સ્વબોધના સ્થાનને સર્વબોધનું તીર્થ બનાવ્યું.
અહીં મૂળનાયક ભગવાન મુનિવ્રતસ્વામીજીની અદ્ભુત પ્રતિમા છે.
અંબડ મંત્રીએ કાહનો આ કળાત્મક જિનપ્રાસાદ ૩૨લાખ સોનૈયાનો ખર્ચ કરી બનાવડાવ્યો. કલિકાલસર્વર શ્રી હેમચંદ્રાચાર્યના વરદ હસ્તે પ્રાણપ્રતિષ્ઠા થઈ. મહારાજા કુમારપાળે અહીં ઉતારેલી આરતી અમર બની. તેજપાલ મંત્રીએ આ પ્રાસાદની પચ્ચીસ દેવકુલિકાઓને સુવર્ણજથી મંડિત કરી હતી. તદુપરાંત બીજા પણ ભવ્ય જિનપ્રાસાદોના અહીં નિર્માણ પામ્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. મુસ્લિમકાળમાં આ ભવ્ય જિનાલયોને ફટકો પડ્યો. તેમાંનાં કેટલાકનું મસ્જિદમાં રૂપાંતર પણ થઈ ગયું. જેનું ભવ્ય જિનપ્રાસાદ આજે અસ્તિત્વમાં નથી. હાલમાં જ ત્યાં આરસપહાણનું ભવ્ય જિનાલય અસ્તિત્વમાં આવ્યું છે. પરંતુ કાષ્ઠના ભવ્ય જિનાલયના અવશેષોમાંથી સુરક્ષિત પટ અને અન્ય સામાન સુરતના શ્રેષ્ઠી અને ઉદ્યોગપતિ શ્રી પ્રફુલ્લ શાહના સંગ્રહમાં છે. સુંદર કાષ્ટકોતરણીથી મંડિત સ્તંભો, ટોડલા, કુંભી સેંકડો વરસની કાષ્ઠકળાના અદ્ભુત નમૂના છે.
Jain Education International
For Private & Personal Use Only
CC111.
NITI
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૪૫ www.jainelibrary.org