________________
2 કે
nai
LilUuIIIIIII
IIIt'TTTTTTTTT
કIS
%
ANNMMWWVV
ચિત્રોના વિષયો રંગમંડપની છતમાં, ભારોઠિયા પર, ભીંતો પર, તારો પર, સ્તંભો પર અને પટો પર ચિત્રો જોવા મળે છે. જૈન આચાર - વિચારના પ્રસંગો, તીર્થકરો, પંચતીર્થો, નેમિનાથનો વરઘોડો, લગ્નમંડપ, સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, ઋષભદેવ અને નેમિનાથના જીવનપ્રસંગો, સમવસરણ, ગ્રામજનોની વિવિધ ક્રિયાઓ, દિગેકુમારિકા, દિવ્યપુરુષો, દેવ-દેવીઓનાં સ્વરૂપો, ગાયકવાદક છંદો, રથ અને અનેક વાહનો પર સજ્જ દેવતાઓ, પશુપક્ષીઓ આદિને આ ચિત્રોમાં સ્થાન મળ્યું છે. સઘન વૃક્ષો, કૂવાઓ, તળાવડીઓ, સરોવરો, ભવ્ય મંદિરો અને કિલ્લાઓનું સ્થાપત્ય ધ્યાન ખેંચે એવું છે. સુંદર અલંકરણયુક્ત બળદગાડી, ઘોડાગાડી, અંબાડીઓથી શોભતા હાથીઓ, ઊંટગાડીઓ, વિમાનો, ડોળીઓ પણ સુંદર રીતે આલેખાયાં છે.
શૈલી
આ ચિત્રોમાં રાજપૂત, મુઘલ અને મરાઠાશૈલીનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના મંદિરમાં શત્રુંજય પટ અને અન્ય પટો મુઘલ લઘુ ચિત્રકળાની અસરનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. છાયા-પ્રકાશ દર્શાવતું રંગવિધાન, વસ્ત્રપરિધાનનું વૈવિધ્ય, અને રંગરેખાની કુમાશ ચિત્રોને ઉભારે છે. આદીશ્વર ભગવાનના મંદિરમાં ‘નંદીશ્વર દ્વીપ'ના ભીંતચિત્ર પરના લેખ અનુસાર એ ચિત્ર ૧૨૫ વરસ પૂર્વે વડોદરાના ચિત્રકાર આનંદરાવે કર્યું હતું. મારા માનવા મુજબ બધાં મંદિરોનાં ચિત્રો લગભગ ૧૫૦ વરસ પૂર્વે આ જ ચિત્રકારે અથવા એમના સાથીઓએ કરેલાં હોવાં જોઈએ. સ્ત્રીપુરુષોના પહેરવેશ, આભૂષણો વગેરેના નિરૂપણમાં મહારાષ્ટ્રની પરંપરાની અસર જોવા મળે છે.
શ્રી ચન્દ્રપ્રભુ સ્વામીના મંદિરની છતનાં ચિત્રો ગુજરાતની લોકચિત્રશૈલી અને રાજસ્થાનની ચિત્રશૈલીથી પ્રભાવિત છે. સબળ ગતિશીલ રેખાંકન, લાલ અને સફેદ રંગથી ઓપતા શ્રી ચન્દ્રપ્રભુ સ્વામીના મંદિરમાં ચૌદ રાજલોકની વિશાળ આકૃતિ તાંત્રિક પટની અસર ઉપજાવે છે, આ ચિત્રનું સંયોજન અદ્ભુત છે. સિદ્ધ ચિત્રકારે મુખાકૃતિ, ચૌદ લોકની આકૃતિની મધ્યનું આયોજન અને દુપટ્ટા તેમ જ
જૈન કાઇપટ-ચિત્ર : પપ
Jain Education Intemational
al
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org