Book Title: Jain Kashtapat Chitra
Author(s): Vasudev Smart
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 69
________________ પ્રતિમાઓ તથા એક મહાદેવનો પોઠિયો પ્રાપ્ત થયાં હતાં. આ બે પ્રતિમાઓ ચોથા કાળની મનાય છે. તે પૈકી એક પ્રતિમા શ્રી ૧૦૦૮ શીતળનાથસ્વામીની હતી અને બીજી પ્રતિમા શ્રી ૧૦૦૮ ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામીની હતી. તે સમયનો જૈન સમાજ આ બન્ને પ્રતિમાઓને અંક્લેશ્વર શહેરમાં લઈ જઈ પ્રતિષ્ઠિત કરવા માંગતો હતો. તે કાળે કોઈ વાહન ન હોવાથી સુંદર પ્રતિમાઓને બળદગાડામાં મૂકી લઈ જવાના હતા. કોઈ અકળ કારણસર શ્રી શીતળનાથ ભગવાનની પ્રતિમા જે ગાડામાં હતી તે ગાડાના બળદ અંકલેશ્વર તરફ આવી ન શકવાને કારણે એવો નિર્ણય લેવાયો કે બળદના અછોડા છોડી દઈ બળદ જ્યાં જાય ત્યાં જવા દઈને તે જ્યાં સ્થિર થઈને ઊભા રહે ત્યાં પ્રતિષ્ઠિત કરી મંદિરની રચના કરવી. આ પ્રમાણે શ્રી શીતલનાથ સ્વામીની પ્રતિમાવાળું બળદગાડું અંકલેશ્વર શહેરમાં મેવાડા ફળિયામાં જઈને ઊભું રહ્યું. આમ થવાથી શ્રી શીતળનાથ સ્વામીના દેરાસરની રચના સજોદમાં થઈ અને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામીના દેરાસરની રચના અંકલેશ્વર શહેરના મેવાડા ફળિયામાં થઈ છે. એ ઉલ્લેખનીય છે કે આ પ્રતિમાઓ બન્ને સ્થળે ભોંયરામાં પ્રસ્થાપિત કરવામાં આવી - L" સન્મિા આ 5'બરે ફળી. મારા શ્રી શીતલનાથસ્વામીની પ્રતિમા ઉચ્ચ આરસની છે. પ્રતિમાની રચના બદ્ધ પદ્માસનમાં છે. શ્રી શીતલનાથની શ્વેત આરસપાષાણની પ્રતિમા વગર લેખની ચોથા કાળની છે; જે અતિ આકર્ષક છે. તેનો આરસ નિર્મળ પારદર્શક છે. મૂર્તિની મુખાકૃતિના ભાવ નિર્મળ અને શાંત છે. શિલ્પીએ મનોભાવને અભુત રીતે કંડાર્યા છે. શરીરસૌષ્ઠવ પણ એટલું જ મૃદુ છે. આ ભવ્ય મૂર્તિને લીધે આ ક્ષેત્ર અતિશય ક્ષેત્ર ગણાય છે. ગંધાર તીર્થ ઢાઢર નદીને ડાબે કાંઠે અને ખંભાતના અખાતથી ૪.૫ માઈલ દૂર તેમ જ દહેજથી દસ માઈલ દૂર આવેલું એક જમાનાનું સમૃદ્ધ નગર ગાંધાર આજે તો બિસ્માર ગામ છે. એક ખૂબ જૂનું જૈન મંદિર આજે પણ નગરના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવતું ઊભું છે. આસપાસના વિસ્તારોમાં અનેક પ્રચીન સ્મારકો મળી આવે છે, જે સ્થળનું મહત્ત્વ સૂચવે છે. આ નગરની સમૃદ્ધિ જ તેના વિનાશનું કારણ બની હશે. ઈ.સ. ઈરજન્યરિજી ૭૬૯-૭૦ના અરસામાં સિંધના સૂબાએ આક્રમણ કરીને મંદિરો અને મૂર્તિઓનો વિનાશ કર્યો હતો. ત્યાં પાછળથી એક મસ્જિદ ઊભી કરવામાં આવી. સોળમી સદીને અંતે ગાંધારનો ઉલ્લેખ ભરૂચની સાથે સંકળાયેલા એક બંદર તરીકે કરવામાં આવ્યો હતો. એક જમાનામાં જૈન શ્રાવકોની ધાર્મિક પ્રવૃત્તિઓનું અહીં એક મોટું કેન્દ્ર હતું. પ્રાચીન જિનાલય અમીઝરા પાર્શ્વનાથમાં એક સુંદર પ્રતિમા છે, તેની સ્થાપના ઈ.સ. ૧૬૫૯માં કરવામાં આવી હતી. ચાતુર્માસ કરવા માટે જૈનમુનિ હીરવિજયસૂરીશ્વરજી મહારાજે આ સ્થળની પસંદગી કરી હતી. અકબર બાદશાહે તેમને ફત્તેહપુરસિક્રી તેડાવ્યા હતા. મહારાજશ્રી આ આમત્રણ સ્વીકારી પગપાળા સિક્રી ગયા અને અકબરે તેમને “જગતગુરુ'નો ઈલ્કાબ આપ્યો. જૈન યાત્રાળુઓના બધા કર માફ કરવામાં આવ્યા. એ પછી યાત્રા સંઘોની સંખ્યા વધી. શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ ઈ.સ. ૧૫૯૩-૯૪માં જૈન શ્રાવક સંઘની સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરી. આ બધી વિગતો પરથી સૂચવાય છે કે ગાંધાર એક સમયે ખૂબ જ સમૃદ્ધ, ઐતિહાસિક તીર્થધામ હતું. વિ.સં. ૨૦૨૮ (ઈ.સ. ૧૯૭૨)માં અહીં એક નવું મંદિર બાંધવામાં આવ્યું છે. S પ્રમફાજ Timl ----- જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૫૩ www.jainelibrary.org Jain Education Intemational For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144