________________
6
હો
જ
)
$
જે
BRI
શ્રી ચન્દ્રપ્રભુસ્વામીનું મંદિર સુરત શહેરમાં સૈયદપુરાની શ્રાવક શેરીમાં શ્રી ચન્દ્રપ્રભુસ્વામીનું ભવ્ય જિન મંદિર છે. આ મંદિર વિ.સં. ૧૬૬૦ (ઈ.સ.૧૬૦૪)માં સકળચંદ નામના કોઈક શ્રાવકે બંધાવ્યાનું કહેવાય છે. એમાં ‘નંદીશ્વર દ્વીપ'ની કાષ્ઠરચના હોવાથી એને ‘નન્દીશ્વર દ્વીપનું દહેરાસર' તરીકે ઓળખાવાય છે. મંદિરમાં પ્રવેશતાં ચોકની પશ્ચિમ દિશામાં ડાબી બાજુએ એક નાનકડી ઓરડીમાં જ્ઞાનવિમલસૂરિની સમાધિ તથા પાદુકા છે. એની ઉપર આ મુજબનું લખાણ પ્રાપ્ત થયું છે : ‘સંવત ૧૭૮૨ વર્ષ શાકે ૧૬૪૭થી ભટ્ટારકશ્રી શ્રી વિજયપ્રભસૂરીશ્વર પટ્ટ પ્રભારક ભટ્ટારક શ્રી પં. શ્રી શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર પાદુકેભ્યો નમઃ પ્રતિષ્ઠિત ભ.શ્રી સૌભાગ્યસાગર સૂરિભિઃ શ્રી.”
આ જિન મંદિરના ગર્ભગૃહમાં મૂળનાયક તરીકે શ્રી ચન્દ્રપ્રભુસ્વામીની અને એનાથી નાની નવ પ્રતિમાઓ આરસપહાણની છે. વળી એ ગભારામાં ધાતુની પણ ઘણી પ્રતિમાઓ છે. આ મૂર્તિઓમાં એક તીર્થકરની મૂર્તિના ખોળામાં અન્ય તીર્થંકરની નાની પ્રતિમા છે. મોટી પ્રતિમા આદિનાથની છે, ખોળામાંની પ્રતિમા તેમના પૌત્ર મરીચિની – ભવિષ્યમાં તીર્થકર થનાર મહાવીર સ્વામીની હોય એમ લાગે છે. આ મૂર્તિની પાછળ લખાણ કોતરાયું છે : “સંવત ૧૭૮૦ સુદ ૯ ભૌમ આદિનાથ બિબ પ્રતિષ્ઠિત શ્રી જ્ઞાનવિમલ સૂરિભિ.” એ ગભારામાં આરસપહાણનું સિદ્ધચક્ર છે. વળી ધાતુનું સોળ પાંખડીનું કમળ છે. પાંખડીએ પાંખડીએ તીર્થંકરની પ્રતિમા છે. ધાતુના ચોવીસ ચૌમુખજી છે. મંદિરના ભૂગર્ભમાં જૈનોના ૧૮મા તીર્થંકર શ્રીઅરનાથજીની પ્રતિમા છે, સાથે બીજી બે પ્રતિમાઓ પણ છે.
TriાઇMITUL
re a
૩૪ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org