________________
Iકાdrift
દેખાતો નથી. અને તે અંગત માલિકીનું મકાન હોય તેવો તેનો બાહ્ય દેખાવ છે. આજે પણ દરેક બેસતે મહિને (એટલે શુક્લ પક્ષની એકમ) સુરતના ઘણાખરા જૈનો સેંકડોની સંખ્યામાં દર્શન કરવા આવે છે.
આ દેરાસર વડી પોશાળ ગચ્છનું છે. મૂળ આ દેરાસરમાં બાવન જિનાલય હતાં. જીર્ણોદ્ધાર થયો ત્યારે તે વિસર્જિત કરી મૂળનાયકના ગભારાની ચોવીસી ગોઠવવામાં આવી છે. મૂળનાયક શ્રી ચિંતામણિ પાશ્વર્વનાથ ભગવાન છે. આ મંદિરમાં રાજપૂત મોગલ અને મરાઠા સમયની ઉત્કૃષ્ટ પ્રકારની ચિત્રકળા તથા ગુજરાતની અમૂલ્ય કાષ્ઠકળાની કોતરણી સચવાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં આ મંદિર રાજપૂત, મોગલ સમયની કળાકારીગરીની દૃષ્ટિએ નોંધપાત્ર છે. મંદિરમાં જે વ્યાલ આકૃતિ છે (એક પ્રકારનું વિચિત્ર પશુ) તેમાં ત્રણ પ્રકારના (હાથી, અશ્વ અને સિંહ) પશુઓનું મિશ્રણ છે, જે અજોડ અને વિશિષ્ટ છે. આ મંદિર વિશે ઉપાધ્યાયજી મહારાજ શ્રી વિનયવિજયજીએ ઘણી પ્રશંસા કરી છે અને સ્તવનો રચ્યાં છે.
સુરતની જૈન ડિરેક્ટરીમાં જણાવ્યા પ્રમાણે “અહીં શ્રી ચિંતામણી પાશ્વર્વનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ છે,’ એના વિશે સુરતના વૃદ્ધ જૈન શ્રાવકો કહે છે કે અત્યારે જે મેરઝા સામેની મરજાન સામી મસ્જિદ છે તે પહેલાં જૈન મંદિર હતું, ત્યાં આ મૂર્તિ હતી. આ મૂર્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ અને કેવી રીતે શાહપોરનું દેરાસર અસ્તિત્વમાં આવ્યું તે વિશે જૈન અનુશ્રુતિ છે. જ્યારે મુસલમાનો દેરાસર તોડવા આવ્યા ત્યારે દેરાસરના દરવાજા બંધ થઈ ગયા હતા. રાત્રે એક ગરીબ શ્રાવકને સપનું આવ્યું કે ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા કૂવામાં છે, ત્યાંથી બહાર કાઢી દેરાસર બંધાવી તે પધરાવો.
Iml આ શ્રાવકે સ્વપ્નની વાત, તે વખતે સુરતમાં જે યતિજી હતા તેમને કરી અને સાથે જણાવ્યું કે મારી પાસે કાંઈ મૂડી નથી, માત્ર એક રૂપિયો અને કોડી છે. યતિજીએ ગમે તે બળે પણ શ્રાવકને કહ્યું કે આ કોથળીમાંથી તને જોઈતા રૂપિયા મળશે, તું રૂપિયો અને કોડી આ કોથળીમાં મૂકી દે. તું દેરાસર બંધાવ,
LTTI પણ એક શરત છે કે આ કોથળી કદી ઊંધી ઠાલવીશ નહિ'. પછી કૂવામાં તપાસ કરતાં મૂર્તિ મળી આવી અને આ દેરાસર
::::ણ છે જ , બંધાયું. એ કૂવો આ દેરાસરમાં આજે મોજૂદ છે. જો કે ધાર્મિક અનુશ્રુતિને કોઈ ઐતિહાસિક આધાર મળતો નથી.
ગુજરાત સર્વસંગ્રહના કર્તા જણાવે છે કે “મેરઝા સામેની કબર ઈ.સ. ૧૫૬૦ આસપાસ રજબ રૂમીખાન ઉર્ફે ખુદાવંદખાનના વહીવટ દરમિયાન બંધાઈ હતી.’ કબર પાસે લાકડાની મસ્જિદ છે ત્યાં શાહપોરના મહોલ્લાનું જૈન દેરાસર હતું. આ ઉપરથી જણાય છે કે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર પંદરમા સૈકામાં બંધાયું હોવું જોઈએ.
શ્રી વિનયવિજયજીના ઉપલબ્ધ સમયાંકિત કૃતિકલાપમાં આવો ઉલ્લેખ સૌ પ્રથમ મળે છે. સુરત શહેરના અગિયાર જિનાલયો પૈકી પ્રત્યેકના મૂલનાયકનું ભાવપૂજન નામ નિર્દેશપૂર્વક કરાયું છે. એ નામો આ પ્રમાણે છે : આદિનાથ (ઋષભદેવ), શાંતિનાથ, ધર્મનાથ, સૂરતિમંડણ પાર્શ્વનાથ, સંભવનાથ, ઉમરવાડી પાર્શ્વનાથ, અભિનન્દનનાથ, કુન્થનાથ, અજિતનાથ અને ચિંતામણિ પાર્શ્વનાથ. રાનેર(રાંદેર)ના ત્રણ
અષ્ટાપદનું રેખાંકન
છે
છે અને HER
CITY
N/A
GS, RE+
*ત
ની
૨
Iિ
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૩૧
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org